આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશની અસર: ગુજરાતના ઉદ્યોગોના 1200 કરોડ અટવાયા
રાજ્યમાંથી કોટન, યાન, કેમિકલ, પોલિએસ્ટરનું મોટા પ્રમાણમાં થતા એક્સપોર્ટને અસર : પરિસ્થિતિ નહીં સુધરે તો માલ સાચવવો મુશ્કેલ બનશે, અત્યારથી જ ભરાવો થવા લાગ્યો
બાંગ્લાદેશમાં થયેલા તોફાનની અસર ગુજરાતના ઉદ્યોગપર પડશે, ગુજરાતમાંથી નિકાસ કરવામા આવતીટેક્સ ટાઈલ, યાન, પોલિસ્ટર અને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને કરોડોનું નુક્શાન જવાની સંભાવના ઉદ્યોગપતિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે ગુજરાતને રૂા. 1200 કરોડની નુક્શાની થશે.
ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતથી બાંગ્લાદેશમાં દર મહીને અંદાજે રૂૂ. 800-1,000નો નિકાસ વેપાર થાય છે. કટોકટીની સ્થિતિના કારણે આ પેમેન્ટ અટવાઈ જવાની સંભાવના છે.કેમિકલ્સ ઉત્પાદકોના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં ટેક્સ્ટાઈલ નું મોટું કામ હોવાથી ગુજરાતથી ડાયઝ ઇન્ટરમીડીયેટ સહિતના કેમિકલ્સની નિકાસ થાય છે. કેમેક્સિલના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બાંગ્લાદેશમાં અંદાજે રૂૂ. 5,000 કરોડની નિકાસ થઇ હતી. દર મહિને અંદાજે રૂૂ. 400-500 કરોડનો વેપાર થતો હોય છે. હાલ આ પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી નથી. રાજકીય સંકટના કારણે શિપમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. જે શિપમેન્ટ પોર્ટ પર છે તેમનું પણ અનલોડિંગ અટક્યું છે. કેમિકલ્સ ઉત્પાદકો હાલ કોઈ નવા ઓર્ડર પણ નથી લઇ રહ્યા અને બાંગ્લાદેશની મુલાકાત ન લેવા પણ જણાવ્યું છે.
ગુજરાતથી બાંગ્લાદેશમાં કોટન, યાર્ન, મેં મેડ ફાઈબરનું પશ્ચિમ બંગાળના રસ્તે નિકાસ કરવામાં આવે છે. સુરતથી દર મહીને અંદાજે રૂૂ. 200 કરોડની નિકાસ થાય છે. હાલ મળતી વિગતો મુજબ બાંગ્લાદેશમાં 3,000થી વધુ ટેક્સ્ટાઈલ મિલો બંધ થઇ ગઈ છે. બાંગ્લાદેશ પરંપરાગત રીતે ભારતનું સ્પર્ધક રહ્યું છે. સસ્તી મજુરીના કારણે યુરોપ, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના ઓર્ડર ત્યાં જતા રહ્યા હતા. ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોનું માનવું છે કે, આ ક્રાઇસિસથી ગુજરાતને કોઈ ફયદો થશે નહિ. ભારતથી બાંગ્લાદેશમાં નિકાસ વધુ છે અને આયાત ઘણી ઓછી છે. દક્ષીણ ભારતમાં થોડા પ્રમાણમાં તૈયાર કપડાની આયાત થાય છે. ગુજરાતમાં ત્યાંથી નજીવો માલ આવે છે. આ સિવાય મોરબીથી વાર્ષિક રૂૂ. 10-12 કરોડની સિરામિક ટાઈલ્સની નિકાસ કરવામાં આવે છે.
સિરામિક ઉત્પાદકોના મતે તેમને બાંગ્લાદેશ સંકટની કોઈ અસર થશે નહિ. રાજ્યના ઉદ્યોગકારોનું માનવું છે કે, હાલ તો આર્મીએ દેશની કમાન સાંભળી છે અને આગામી એક મહિનામાં નવી સરકારની રચના થાય તો પછી પરિસ્થિતિ ફ્રી સામાન્ય બની જશે. અમદાવાદ અને સુરતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં કપડાનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સસ્તી મજુરીના કારણે યુરોપ અને અમેરિકાના દેશોમાંથી મોટા ઓર્ડર મળતા હોય છે. જો બાંગ્લાદેશનું રાજકીય સંકટ 6 મહિના કે તેનાથી વધારે લાંબુ ચાલે તો આ ઓર્ડર ભારતમાં આવે તેવી શક્યતાઓ વધુ છે.જોકે, બીજી તરફ્ ભારતપાસે બાંગ્લાદેશ જેવી ઉત્પાદન માટેની કેપેસિટી નથી એટલે તેનો લાભ તાત્કાલિક અસરથી થશે નહી.
સૌરાષ્ટ્રના 15 ટકા ઉદ્યોગને ફટકો પડી શકે : ચેમ્બર
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેમીકલ, પ્રિન્ટીંગ,ડાઈનીંગનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે અને બાંગ્લાદેશમાં તેનું એક્સ્પોર્ટ કરવામાં આવે છે. બાંગ્લાદેશની સ્થિતિ નહીં સુધરે તો રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગને 15 ટકા જેટલું નુક્શાન થવાની શક્યતા હોવાનું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખે જણાવ્યું છે.
જેતપુરના પ્રિન્ટિંગ એન્ડ ડાઈગ ઉદ્યોગને ફાયદો થશે
બાંગ્લાદેશ સાથે ઉદ્યોગ બાબતે જેતપુર ડાઈનીંગ ઉદ્યોગ એસોસીએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાએ કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં જે સ્થિતિ છે તેનાથી જેતપુરના કોટન ઉદ્યોગને ફાયદો થાય તેમ છે. બાંગ્લાદેશ હાલ કોલકત્તા પાસેથી ખરીદી કરે છે. જેથી હવે પરિસ્થિતિ સુધરે નહીં તો જેતપુરમાંથી ખરીદી વધી શકે છે.
આંતરરાષ્ટ્રીય
ઈમરાનના ટેકેદારો અને પોલીસ વચ્ચે અથડામણમાં 7 મોત
પાકિસ્તાનમાં સ્થિતિ ગંભીર, ઈસ્લામાબાદમાં ઈમરાન સમર્થકો ઉપર ગોળીબાર-ટિયરગેસ છોડાયો
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. ત્યારે ફરી એકવખત પડોશી દેશમાં સ્થિતિ વણસી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલીસ અને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઘટના દરમિયાન થયેલા ફાયરિંગમાં 7 લોકોના મોત થયા હતા.
પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ એક હિન્દી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, રેલીમાં આવેલા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા લોકોના મોત થયા છે.પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ છે. ઈમરાન સમર્થકો ઈસ્લામાબાદ ખાલી કરશે નહીં.
મળતી માહિતી મુજબ રેલી દરમિયાન પથ્થરમારામાં અનેક પોલીસ અધિકારીઓ સહિત 8 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં જજઙ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મામલાની ગંભીરતા જોઈને શાહબાઝ શરીફ સરકારે ઈસ્લામાબાદ જવાના માર્ગો બંધ કરી દીધા હતા. પોલીસે મીટીંગ હોલમાં ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈપણ સંજોગોમાં મીટિંગ ખતમ કરવા કહ્યું હતું. આ પછી સ્થિતિ વણસી ગઈ.
ઇસ્લામાબાદ પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના જવાબમાં ગોળીબાર શરૂૂ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સેફ સિટીના જજઙ સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
પીટીઆઈના કાર્યકરોએ ઈસ્લામાબાદમાં એક રેલીનું આયોજન કર્યું હતું, જેના માટે પોલીસ પ્રશાસને સમય આપ્યો હતો અને જ્યારે સમય પૂરો થઈ ગયો ત્યારે પોલીસે તેમને ત્યાંથી જવા કહ્યું.આ પછી મામલો વણસ્યો અને પથ્થરમારો શરૂૂ થયો. અલગ-અલગ રસ્તેથી આવી રહેલા સહભાગીઓની પોલીસ સાથે અથડામણ થઈ જેના કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા.
આંતરરાષ્ટ્રીય
હદ થઇ ગઇ! પિતાએ દીકરીની સુરક્ષા માટે માથા પર CCTV કેમેરો લગાવ્યો
પાકિસ્તાનથી આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરીને પોતાના માથા પર સીસીટીવી કેમેરો લગાવેલો જોઈ શકાય છે. કહેવાય છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે. જે હાલમાં, સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક પિતાએ પોતાની દીકરીના માથા પર સીસીટીવી કેમેરો જ લગાવી દીધો છે. આ કેમેરાની મદદથી પિતા પોતાની દીકરી પર નજર રાખી શકે છે. જોકે, આ વાતનો ખુલાસો તે છોકરીએ પોતે એક વીડિયો દ્વારા કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને તેના પિતાના આ નિર્ણય પર કોઈ વાંધો છે? આ પર છોકરીનું કહેવું છે કે તેને તેના પિતાના દરેક નિર્ણય પર પૂરી સહમતિ છે. આવું કરવા પાછળ તે કરાચીના હિટ એન્ડ રન કેસનો ઉલ્લેખ કરે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં છોકરી કહે છે કે તે પાકિસ્તાનના સૌથી વ્યસ્ત શહેર કરાચીની રહેવાસી છે. છોકરીએ કહ્યું કે કરાચીમાં અવારનવાર છોકરીઓ સાથે ઘણી ઘટનાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં તેમની પાસે કોઈ પુરાવા નથી હોતા. જેના કારણે તેમને કોઈ ન્યાય નથી મળતો. તેણે કહ્યું કે જો, કોઈ મારો અકસ્માત કરી દે તો ઓછામાં ઓછો પુરાવો તો રહેશે. આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તેના પિતાએ તેના માથા પર સીસીટીવી કેમેરો બાંધી દીધો છે, જેથી જ્યારે તે ઘરની બહાર નીકળે ત્યારે તેના પિતા તેના પર નજર રાખી શકે.
આંતરરાષ્ટ્રીય
ભારત ઇઝરાયલ-હમાસ યુદ્ધ અટકાવી શકે, પેલેસ્ટાઇનને આશા
ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે કરેલી કાર્યવાહીમાં પેલેસ્ટાઈનને જાનમાલનું મોટું નુકસાન થયું છે. હવે ભારતમાં પેલેસ્ટાઇનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થી કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓ કહે છે કે તે ભારત પાસેથી મધ્યસ્થતાની આશા રાખે છે.
દિલ્હીમાં ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન અબુ અલ-હૈજાએ કહ્યું કે, તેમને ભારત જેવા મિત્ર તરફથી મધ્યસ્થીની ભૂમિકા નિભાવે તેવી આશા છે.હું જાણું છું કે ભારત એક શાંતિપૂર્ણ દેશ છે, તેથી અમે તેમને તે ભૂમિકા નિભાવવા માટે કહી રહ્યા છીએ. તેઓ બંને દેશોના મિત્ર છે.
અમેરિકા અને બ્રિટનની વિદેશી ગુપ્તચર એજન્સીઓના વડાઓએ શનિવારે જણાવ્યું હતું કે તેઓ ગાઝામાં યુદ્ધવિરામ માટે સતત કામ કરી રહ્યા છે.અમેરિકાના સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અને યુકેના એમઆઈ 6 ચીફ રિચર્ડ મૂરેએ કહ્યું હતું કે તેમની એજન્સીઓએ સંયમ રાખવા અને તણાવ ઘટાડવા માટે અમારા ગુપ્તચર તંત્રનો ઉપયોગ કર્યો છે.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો