Connect with us

સુરેન્દ્રનગર

ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પ્રિયંકકુમાર ગળચરની બદલી

Published

on

ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ડે. કલેકટર ની બદલી અને તેમના સ્થાને ડાયરેકટ આઈએએસ અધિકારી ને પ્રોબેશનર્સ સમય માટે નિયુકત કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બુધવારનાં આઇએએસ પ્રોફેશનલ કોર્સ તબક્કો-2 પૂર્ણ થયા બાદ 2021 બેચના નવ IPS અધિકારીઓને પ્રોબેશનર્સ સમય હેઠળ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
વહિવટી વિભાગના હુકમ થી રાજ્યનાં પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના પ્રાત અધિકારી તરીકે સારી કાર્યદક્ષ કામગીરી કરનાર પ્રિયંક કુમાર ગળચર ની બદલી કરવામાં આવેલ છે પરંતું તેમની અન્યત્ર નિમણૂંક વેઇટિંગમાં છે તેમના સ્થાને આસિસ્ટન્ટ કલેકટર તરીકે કલ્પેશ કુમાર શર્મા ની નિયુક્તિ કરવામાં આવેલ છે જેઓ 2021 બેચના આઇએએસ અધિકારી છે પ્રોબેશનર્સ સમય હેઠળ ચોટીલા પ્રાત અધિકારી તરીકે પ્રથમ ફરજ ઉપર કાર્યરૂૂઢ થશે
સરકાર દ્વારા કરાયેલ હુકમ અતર્ગત ચોટીલા થાનગઢ અને મૂળી એમ ત્રણ તાલુકાનાં રહીશોને પ્રાત અધિકારી તરીકે ડાયરેકટ આઈએએસ અધિકારી ની ફરજ સેવાનો લાભ મળશે.

ગુજરાત

પાંચાળ ભૂમિમાં તરણેતરના ભાતીગળ મેળાનો શુભારંભ

Published

on

By

ભગવાન ત્રિનેતેશ્ર્વર મહાદેવના પૂજન-અર્ચન બાદ મેળો ખુલ્લો મુકાયો, ગ્રામીણ ઓલિમ્પિકનો પણ પ્રારંભ


કંકુવરણી ભોમકામાં પ્રતિવર્ષ યોજાતા અને પાંચાળની લોક સંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ થયો છે. ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો શુભારંભ કરાવ્યો હતો.


તરણેતર લોકમેળાને ખુલ્લો મુક્યો બાદ જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વિરાસતનો સમૃધ્ધ વારસો ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ સમગ્ર દેશમાંથી અનેક શ્રધ્ધાળુઓ આવે છે. આ લોકમેળાનું અનેરૂ મહાત્મ્ય રહેલું છે, તેને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મેળામાં આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું સુચારુ આયોજન કાર્ય કરવામાં આવ્યું છે.


ત્રિનેત્રેશ્વર મહાદેવના પુજનઅર્ચન બાદ ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટર કે.સી.સંપટ સહિતના મહાનુભાવોએ કેન્દ્રીય સંચાર બ્યૂરો દ્વારા વિકસિત ભારત 2047 વિષય સાથે યોજાયેલા મલ્ટીમીડિયા પ્રદર્શન તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પશુ પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લા મુકયા હતા. બાદમાં તરણેતર લોકમેળાના મેળાના આકર્ષણ સમા ગ્રામિણ ઓલમ્પિકસ અને વિસરતા વારસાનું જતન અને સંવર્ધન માટે મેળામાં પ્રથમવાર યોજાયેલી પારંપારિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ચોટીલા આસિસ્ટન્ટ કલેકટરશ્રી કલ્પેશ શર્મા, પ્રાંત અધિકારીશ્રી સર્વ નિકુંજ ધૂળા, કુલદીપ દેસાઈ, તરણેતર સરપંચ અશોકસિંહ રાણા, અગ્રણી સર્વ કાનભા, વિજયભાઈ ભગત સહિત સંબધિત વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસ વિજેતા થયેલા સ્પર્ધકો
4લંગડી (9 ખેલાડીઓ)ની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર ભાઈઓ
પ્રથમ ક્રમાંક – તરણેતર એ ટીમ
દ્વિતીય ક્રમાંક – લાખણકા પ્રાથમિક શાળા
તૃતીય ક્રમાંક – તરણેતર બી ટીમ
4લંગડી (9 ખેલાડીઓ)ની સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર બહેનો
પ્રથમ ક્રમાંક – તરણેતર એ ટીમ
દ્વિતીય ક્રમાંક – સણોસરા પ્રાથમિક શાળા
તૃતીય ક્રમાંક – ગુગળીયાણા પ્રાથમિક શાળા

ગોળાફેંકની સ્પર્ધામાં ઓપન કેટેગરી વિજેતા ઉમેદવાર
ભાઈઓ
પ્રથમ ક્રમાંક – અભય બારોટ, વિરમગામ
દ્વિતીય ક્રમાંક – અજય મકવાણા, થાનગઢ
તૃતીય ક્રમાંક – હરેશભાઈ સોડાણી, ચોટીલા
બહેનો
પ્રથમ ક્રમાંક – લાધુબેન પરમાર, વઢવાણ
દ્વિતીય ક્રમાંક – જ્યોત્સનાબેન લોલાડીયા, લીંબડી
તૃતીય ક્રમાંક – વર્ષાબેન વનાણી, ખંપાળીયા

Continue Reading

ગુજરાત

હાલો માનવીયું તરણેતરના મેળે જો… હાલો રે હાલો તરણેતર મેળે જઈએ

Published

on

By

સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં કાલથી ભાતીગળ મેળામાં પ્રારંભ

‘મેળો’ નામ સાંભળતાની સાથે જ નાના – મોટા ચકડોળ, અવનવા રમકડાંઓથી ભરપૂર સ્ટોલ, નવા નવા કપડાંમાં સુસજ્જ માનવ મહેરામણ નજર સામે તાદર્શ થઈ જાય. મેળો એટલે હળવા મળવા માટે પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું.

ધર્મની ધજા ફરકાવતા ધાર્મિક સ્થળોએ માનવ મહેરામણ એકઠો થાય છે. મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. પમેળોથ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દરેક મેળાની સાથે તેના મહાત્મ્ય અને જે તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો હોય છે. આજે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. દેશનું પ્રત્યેક રાજ્ય આવા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો સ્વાભાવિક આનંદ છતો થાય છે.


ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.


તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે.


આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. આ વર્ષે તરણેતર મેળો 06 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર, 2024 દરમિયાન યોજાશે.


સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂૂ થઈ જાય.

પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.

Continue Reading

ગુજરાત

પાટડી પાસેથી રૂપિયા 6 લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: ચાલક ફરાર

Published

on

By

સુરેન્દ્રનગર એલસીબીનો બાતમીના આધારે દરોડો, ટ્રક અને દારૂ સહિત રૂપિયા 16.09 લાખનો મુદ્દામાલ કબજે

પાટડી તાલુકાના અહેમદગઢ પાસેથી વિદેશી દારૂૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ હતી. જેમાં કુલ 16.09 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. સુરેન્દ્રનગર એલસીબી ટીમે ટ્રકમાથી ઇગ્લીશ દારૂૂની બોટલો નંગ-1524 કિંમત રૂૂ. 6,09,600 તથા ટ્રક કિંમત રૂૂ. 10,00,000 મળી કુલ રૂૂ. 16.09,600નો મુદામાલ કબજે કર્યો હતો.


સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયાની કડક સૂચનાથી સુરેન્દ્રનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત આધારે દસાડા તરફથી એક ટ્રક નં. ૠઉં-11-ઠ-3794ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 6.09 લાખનો 1524 બોટલ દારૂ મળી આવ્યો હતો. ટ્રક ચાલક ફરાર થઈ જતાં તેની શોધખોળ શરૂ કરી હતી.


આ બાબતે દસાડા પોલીસ મથકે દારૂૂ અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલ. સી. બી. પોલીસના આ દરોડામાં ઇન્સ્પેકટર જે. જે. જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા સહિત પરીક્ષીતસિંહ એન.ઝાલા તથા દશરથભાઈ ઘાંઘર, પ્રવિણભાઇ કોલા યશપાલસિંહ રાઠોડ તથા વિજયસિંહ બોરાણા તથા પેરોલ ફર્લો સ્કોડના અસ્લમખાન મલેક તથા અજયસિંહ ઝાલા તથા શૈલેષભાઇ કઠેવાડીયા સહિતનો પોલીસ સ્ટાફે કામગીરી કરી હતી.

Continue Reading
ક્રાઇમ11 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય11 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ11 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય11 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય12 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત12 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત12 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત12 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય12 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત12 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય1 day ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત1 day ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય19 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports1 day ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત2 days ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત2 days ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

રાષ્ટ્રીય19 hours ago

સુનિતા વિલિયમ્સ વિના પૃથ્વી પર પરત ફર્યા સ્ટારલાઈનર, જાણો ક્યાં અને કેવી રીતે થયું લેન્ડિંગ?

Trending