Connect with us

સુરેન્દ્રનગર

ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર પ્રિયંકકુમાર ગળચરની બદલી

Published

on

ચોટીલા થાનગઢ મુળી તાલુકાનાં ડે. કલેકટર ની બદલી અને તેમના સ્થાને ડાયરેકટ આઈએએસ અધિકારી ને પ્રોબેશનર્સ સમય માટે નિયુકત કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બુધવારનાં આઇએએસ પ્રોફેશનલ કોર્સ તબક્કો-2 પૂર્ણ થયા બાદ 2021 બેચના નવ IPS અધિકારીઓને પ્રોબેશનર્સ સમય હેઠળ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
વહિવટી વિભાગના હુકમ થી રાજ્યનાં પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના પ્રાત અધિકારી તરીકે સારી કાર્યદક્ષ કામગીરી કરનાર પ્રિયંક કુમાર ગળચર ની બદલી કરવામાં આવેલ છે પરંતું તેમની અન્યત્ર નિમણૂંક વેઇટિંગમાં છે તેમના સ્થાને આસિસ્ટન્ટ કલેકટર તરીકે કલ્પેશ કુમાર શર્મા ની નિયુક્તિ કરવામાં આવેલ છે જેઓ 2021 બેચના આઇએએસ અધિકારી છે પ્રોબેશનર્સ સમય હેઠળ ચોટીલા પ્રાત અધિકારી તરીકે પ્રથમ ફરજ ઉપર કાર્યરૂૂઢ થશે
સરકાર દ્વારા કરાયેલ હુકમ અતર્ગત ચોટીલા થાનગઢ અને મૂળી એમ ત્રણ તાલુકાનાં રહીશોને પ્રાત અધિકારી તરીકે ડાયરેકટ આઈએએસ અધિકારી ની ફરજ સેવાનો લાભ મળશે.

ગુજરાત

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળવા સામે 10 ગામોનો વિરોધ

Published

on

By

બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગર પાલિકા તરીકે જાહેર કરાયાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારને વધારવામાં આવ્યો છે. મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા સહિત 10 ગામડાઓને નવા સીમાંકન મુજબ મહાનગરપાલિકામાં ભેળવવાના નિર્ણયથી આ ગામડાઓના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.


આ ગામડાઓના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને વિરોધ કરી શહેરી વિકાસ વિભાગને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે.આ વિષય પર ટૂંક સમયમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેર વિચારણા કરીને અંતિમ નિર્ણય લેવાશે.જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


આ ગામડાઓ મહાનગરપાલિકાથી 2 કીમીથી 9 કીમીના અંતરે છે અને શહેરથી 9 કીમી દૂર સેવાઓ ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ બની રહી છે. આને કારણે આગામી બે-ત્રણ દિવસમાં આ તમામ ગામડાઓને મહાનગર પાલિકામાંથી બાકાત કરવાની શક્યતા છે.ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.


જેમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે.


મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી, રોડ, રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે અને જમીન મકાનોના ભાવ વધશે. ગુજરાત રાજ્યમાં વહીવટના માળખાનું વિસ્તરણ જરૂૂરી છે.


7 કરોડની વસતી અને સમૃદ્ધ રાજ્ય હોવા છતાં, ગુજરાતમાં મહાનગર પાલિકાઓની સંખ્યા ઓછી છે. ગુજરાતની સ્થાપનાને છ દાયકાથી વધુ સમય થઈ ગયો છે, છતાં ગુજરાતમાં માત્ર 8 મહાનગરપાલિકાઓ અસ્તિત્વ ધરાવે છે. રાજ્ય સરકારે ગત બજેટમાં વધુ 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

સુરેન્દ્રનગર ડોમિનોઝ પિઝા સહિત 10 દુકાનમાં લાગી આગ

Published

on

By

વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે ભારે નુકસાન: ફાયર બ્રિગેડ સ્ટાફે આગ કાબૂમાં લીધી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ રોડ ઉપર દુધની ડેરી નજીક ઉપાસના સર્કલ પાસે આવેલ મલ્ટીપ્લસ કોમ્પલેક્ષમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. શોર્ટસર્કિઠના કારણે ડોમીનોઝ પીઝામાં લાગેલી આગે પલવારમાં જ ઉગ્રસ્વરૂપ ધારણ કરી લેતા આજુબાજુની 10 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડ સ્ટાફે સતત ચાર કલાક સુધી જહેમત ઉઠાવી આગને કાબુમાં લીધી હતી.


સુરેન્દ્રનગરના વઢવાણ રોડ ઉપર ઉપાસના સર્કલ પાસે આવેલ મલ્ટીપ્લસ કોમ્પલેક્ષમાં આવેલ ડોમીનોઝ પીઝામાં વહેલી સવારે ચાર વાગ્યે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી અને આગે એનવાય થીએટર સહિતની દુકાનો અને ઉપરના માળે આવેલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ફાયરબ્રીગેડ સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે આગના કારણે લાખો રૂપિયાનું નુક્શાન થયાનું જાણવા મળ્યું છે.


વહેલી સવારે લાગેલી આગના કારણે કોમ્પલેક્ષમાં કોઈવ્યક્તિની અવર જવર નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ બનાવની બીડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલનો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

Continue Reading

ક્રાઇમ

સુરેન્દ્રનગરમાં 18 લાખની રોકડ, થાનમાં 4 કિલો ચાંદીની લૂંટ

Published

on

By

સવારમાં ધોળા દિવસે ઝાલાવાડમાં લૂંટની બે ઘટનાથી સનસનાટી

ચીમનલાલ ભગવાનજી પેઢીના બે કર્મચારી ઉપર રસ્તા વચ્ચે છરી વડે હુમલો કરી બે બાઈકસવાર 18 લાખની રોકડ લૂંટી ગયા

થાનગઢની મેઈન બજારમાં જ્વેલર્સની દુકાનમાં ત્રાટકી બે શખ્સોએ 4 કિલો ચાંદીના ઘરેણાંની ચલાવી લૂંટ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ત્યારે આજે પોણા કલાકના સમયગાળામાં જ સુરેન્દ્રનગર અને થાનમાં બે સ્થળે લુટારુ ગેંગે તરખાટ મચાવી 18 લાખની રોકડ અને ચાર કિલો ચાંદીની લૂંટ ચલાવી લુટારુઓ હવામાં ઓગળી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરીછે.


સુરેન્દ્રનગરમાં આવેલ ચીમનલાલ ભગવાનજી એન્ડ કંપનીના બે કર્મચારીઓ કિશોરભાઈ પંડ્યા અને હસમુખભાઈ શેઠ આજે સવારે પેઢીએથી 18 લાખની રોકડ રકમ થેલામાં ભરી મેગામોલ પાસે આવેલ બેંકમાં પૈસા જમા કરવા નિકળ્યા હતાં. આ વખતે ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર જ બાઈકમાં ધસી આવેલા બે લુંટારુઓએ બન્નેકર્મચારીઓ ઉપર છરી વડે હુમલો કરી 18 લાખની રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવી બાઈક પર નાશી ગયા હતાં.


ટ્રાફિકથી ધમધમતા મેગામોલ પાસે જ સરાજાહેર બનેલી આ ઘટના અનેક લોકોએ નજરે નિહાળી હતી. પરંતુ કોઈ લુંટારુઓનો સામનો કરવા વચ્ચે આવ્યા ન હતાં. ખાનગી પેઢીના કર્મચારીઓ પર છરી વડે હુમલો કરી પલવારમાં જ લુંટારુઓ રોકડ સાથેનો થેલો લઈ નાશી ગયા હતાં.


બીજી એક ઘટનામાં થાન મેઈન બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં સવારે 10:15 કલાકની અરસામાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ સોની વેપારી પર છરી વડે હુમલો કરી દુકાનમાંથી ચારેક લાખની કિંમતના ચાર કિલો ચાંદીના દાગીનાની લુંટ ચલાવી બે અજાણ્યા શખ્સો પલસર બાઈકમાં નાશી છુટ્યા હતાં.
પોણા કલાકઈમાં જ સુરેન્દ્રનગર અને થાનામં બે સ્થળે સરાજાહેર લુંટની ઘટના બની હતી. જેની જાણ પોલીસને થતાં જિલ્લા ક્ધટ્રોલરૂમ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાવી દીધી છે અને બન્ને સ્થળેથી લુંટારુઓના સીસીટીવી ફૂટેજ મેળવી શંકાસ્પદ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Continue Reading

Trending