રાષ્ટ્રીય
રામમંદિરમાં ભક્તોને તિલક કરવા અને ચરણામૃત આપવા પર પ્રતિબંધ
પૂજારીઓને મળતી દક્ષિણા પણ દાનપેટીમાં નાખવી પડશે
ભવ્ય અને દિવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા કરવા આવનાર ભક્તોના કપાળ પર તિલક નહીં લગાડવામાં આવે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ગર્ભગૃહના પૂજારીઓને તાત્કાલિક અસરથી આમ કરવાથી રોકી દીધા છે. આ ઉપરાંત ચરણામૃત આપવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે પૂજારીઓ દ્વારા મળેલી દક્ષિણા પણ દાન પેટીમાં રાખવામાં આવશે. ટ્રસ્ટના આ નિર્ણયથી પૂજારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય અર્ચક આચાર્ય સત્યેન્દ્રદાસે ખાતરી આપી હતી કે ટ્રસ્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે.
22મી જાન્યુઆરીથી ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામની સ્થાપન થયા બાદ દરરોજ રામનગરીમાં વિવિધ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરવા અને તેમની ખૂબ નજીક જવા અને તેમની પૂજા કરવા આતુર હોય છે. દરેક વ્યક્તિ વીઆઈપી દર્શન કરવા આતુર છે. સામાન્ય દર્શન કરી રહેલા ભક્તોને બેરિકેડિંગ હેઠળ લાઈન લગાવીને દર્શન આપવામાં આવે છે, પરંતુ વીઆઈપી દર્શન કરનારા ભક્તોને રામલલાને નજીકથી જોવાની તક મળે છે. અહીં દર્શન કર્યા પછી, પૂજારીઓ દ્વારા તેમના માથા પર ચંદન લગાવીને અને તેમને ચરણામૃત આપીને તેમણે અભિષિક્ત કરવામાં આવતા હતા. તેનાથી ખુશ ભક્તગણ ગર્ભગૃહના પૂજારીઓને દાન-દક્ષિણા આપતા હતા. જેના કારણે પૂજારીઓને તેમના પગાર ઉપરાંત વધારાની આવક પણ થઈ જતી હતી.
જો કે ટ્રસ્ટે આને તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે અને પૂજારીઓને ભક્તોના કપાળ પર ચંદન ન લગાવવા અને ચરણામૃત ન આપવા જણાવ્યું છે. જો કોઈ ભક્ત દાન-દક્ષિણા આપે તો તેને પોતે ન લેતા દાન પેટીમાં પધરાવવાનું કહ્યું છે. ટ્રસ્ટના આ નિર્ણય સામે પૂજારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે તમામ પૂજારીઓ આ સૂચનાનું પાલન કરવા તૈયાર છે.ટ્રસ્ટના સભ્ય ડો.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, કોઈ નિર્ણય વ્યક્તિગત રીતે લેવામાં આવતો નથી, પરંતુ સામૂહિક રીતે લેવાય છે. મેં ટ્રસ્ટના સામૂહિક નિર્ણય મુજબ જ આ કરવાનું કહ્યું છે.
Sports
જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.
યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.
2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.
અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.
કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.
જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.
Sports
વિરાટ કોહલી, રોહિત, જાડેજા ગરિમાપૂર્ણ નિવૃત્તિ માટે યાદ રહેશે
ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને હરાવી ટી20 વર્લ્ડ કપ જીત્યો પછી ભારતીય ક્રિકેટ ટીમના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ભારતે બીજી વખત ટી 20 વર્લ્ડ કપ જીત્યો પછી કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રવિવારે જાડેજા પણ આ બંને ક્રિકેટરો સાથે જોડાઈ ગયો અને તેણે પણ ઈન્ટરનેશનલ ટી 20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ત્રણ ધુરંધરો પૈકી સૌથી પહેલાં વિરાટ કોહલીએ ઈન્ટરનેશનલ ટી 20માંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયા બાદ વિરાટ કોહલીએ પ્રેઝન્ટેશન વખતે એલાન કરી દીધું કે, આ મારો છેલ્લો ટી 20 વર્લ્ડ કપ હતો અને ભારત માટે પણ આ મારી છેલ્લી ટી 20 મેચ હતી. વિરાટની જાહેરાતના એકાદ કલાક પછી કેપ્ટન રોહિત શર્માએ પણ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. પ્રેઝન્ટેશન સેરેમની પતી પછી રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ટરનેશનલ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે, આ મારી પણ છેલ્લી મેચ છે અને ઈન્ટરનેશનલ ટી 20 ફોર્મેટને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારો સમય બીજો કોઈ હોઈ શકે નહીં. આ બંને દિગ્ગજોની જાહેરાત પછી બીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ પણ ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નાખી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ત્રણેયે એક સાથે નિવૃત્તિની જાહેરાત કરીને ક્રિકેટ ચાહકોને નાન઼કું સરપ્રાઈઝ આપી દીધું છે એમ કહી શકાય કેમ કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં લોકો ઝડપથી ખસતા જ નથી.
તેના જોરે બીજા ચાર-છ મહિના આરામથી ખેંચી શકે તેમ છે પણ એવું કરવાના બદલે તેમણે ગૌરવભેર ખસી જવાનું નક્કી કરીને ખરેખર બહુ શાણપણ બતાવ્યું છે. કારકિર્દીમાં સર્વોચ્ચ શિખરે પહોંચ્યા પછી નિવૃત્ત થવું બહુ અઘં હોય છે ને વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજાએ ત્રણેયે એ અઘરૂ કામ કરી બતાવ્યું એ બદલ તેમને સલામ મારવી જોઈએ. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેયે સમયસર અને લોકોની નજરમાં હીરો છે ત્યારે જ નિવૃત્તિની જાહેરાત કરીને પોતાની કારકિર્દીને વધારે યશસ્વી બનાવી દીધી છે એમ કહી શકાય. વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા એ ત્રણેય ક્રિકેટરો છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયા માટે બોજ બનતા જાય છે એવી ટીકા થતી હતી. રોહિત અસાતત્યપૂર્ણ બેટિગ કરે છે જ્યારે વિરાટ ટી 20 માટે જરૂરી ઝડપે રમી શકતો નથી એવી ટીકાઓ થતી. જાડેજા મેચ વિનર બોલર કે બેટ્સમેન નથી એવું કહેવાતું. જાડેજાના વિકલ્પરૂપે અક્ષર પટેલ તૈયાર છે જ્યારે રોહિત અને વિરાટના વિકલ્પ તરીકે તો બહુ બધા બેટ્સમેન છે તેથી તેમની ખોટ નહીં સાલે પણ વિરાટ કોહલી, રોહિત શર્મા તથા રવીન્દ્ર જાડેજા ત્રણેય ગૌરવપૂર્ણ રીતે નિવૃત્તિ લેનારા ક્રિકેટરો તરીકે હંમેશાં યાદ રહેશે.
રાષ્ટ્રીય
શેફાલીની બેવડી સદી બાદ સ્નેહા રાણાની ઘાતક બોલિંગ, ભારતે સા.આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 10 વિકેટથી હરાવ્યું હતું. આ રીતે ભારતે ટેસ્ટ સીરીઝ 1-0થી જીતી લીધી હતી. ભારતને બીજી ઇનિંગમાં જીતવા માટે 37 રન બનાવવાના હતા. ભારત તરફથી ઓપનર શેફાલી વર્મા 24 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. જ્યારે શુભા સતીષે 13 રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 6 વિકેટે 603 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી શેફાલી વર્માએ 205 રન બનાવ્યા હતા. જ્યારે સ્મૃતિ મંધાનાએ 149 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 55 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે 69 રનનું યોગદાન આપ્યું હતું. રિચા ઘોષે 86 રનની સારી ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેલ્મી ટકરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય એનડીની ડી ક્લાર્ક, તુમી સેખુખુને અને નોલ્કુકુલેકો માલાબાએ 1-1 વિકેટ લીધી હતી.
ભારતના 603 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 266 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સુને લુસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. આ સિવાય એનેકે બોશ અને નેડિની ડી ક્લાર્કે 39-39 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્નેહ રાણાએ સૌથી વધુ વિકેટ લીધી હતી. સ્નેહ રાણાએ 8 ખેલાડીઓને આઉટ કર્યા હતા. જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ લીધી હતી.
આ પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ફોલોઓન કરવાની ફરજ પાડી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં સારી લડત બતાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે લૌરા વૂલવર્ટ અને સુને લુસે સદીનો આંકડો પાર કર્યો હતો. લૌરા વૂલવર્ટે 122 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સુને લુસે 109 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય નેડિની ડી ક્લાર્કે 61 રનની સારી ઇનિંગ રમી હતી.
ભારત તરફથી સ્નેહ રાણા, દીપ્તિ શર્મા અને રાજેશ્વરી ગાયકવાડે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને હમનપ્રીત કૌરે 1-1 વિકેટ લીધી હતી.
-
ગુજરાત7 months ago
વધુ એક યુવકને હૃદય-રોગનો હુમલો ભરખી ગયો, ગોધરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
-
ગુજરાત2 months ago
હનુમાનમઢી પાસે ગોડાઉનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો: બેની શોધખોળ
-
ગુજરાત2 months ago
સર્વર ઠપ્પ, રાજકોટ સહિત રાજ્યભરની RTO સેવા બે દિવસ બંધ
-
ક્રાઇમ6 months ago
ભાણવડ પંથકમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર પોલીસના દરોડા ; બૂટલેગરો ફરાર
-
પોરબંદર7 months ago
ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવતુ તંત્ર
-
પોરબંદર6 months ago
સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતાં ભાણવડ પંથકની યુવતીનો આપઘાત
-
પોરબંદર6 months ago
ભાણવડ પંથકમાંથી દારૂની 202 બોટલ ભરેલી કાર સાથે એક પકડાયો
-
પોરબંદર7 months ago
પોરબંદરમાં ગેરેજમાં અચાનક ભભૂકેલી આગમાં દાઝી ગયેલા વૃદ્ધનું મોત