Connect with us

ગુજરાત

પિતાજીની સંવેદનાની સરવાણીનો અણસાર: સુનીતા ઇજ્જતકુમાર

Published

on

સુનીતાબહેને લાઇફ ઇન્સ્યોરન્સની લાખ રૂપિયા પગારની નોકરી 11 વર્ષ વહેલી છોડી કરોડ રૂપિયાની કલમની આંગળી પકડી

મને મારી જાત બહુ વ્હાલી છે. મારા પિતા કહેતા કે જે જાતને ચાહી શકે તે સમષ્ટિને ચાહી શકે. માઠી પરિસ્થિતિને મઘમઘતી બનાવી દેવી તે મારો શોખ છે.હું સતત મારી જાત ઉપર ચાંપતી નજર રાખું છું ને સતત મારામાં કંઇક શોધતી રહું છું. મારી આ શોધ જ મને સભર બનાવી રહી છે.હું કથની અને કરણી જુદી નથી રાખતી.મારા બાળક સાથે જેમ જોડાયેલ હોવુ છું એ જ રીતે એકદમ પવિત્ર ભાવે સૌ સાથે જોડાવ છું અને સૌને ખરા દિલથી ચાહું છું. કદાચ એટલે જ રાવણને રામ બનાવતા પણ મને ફાવે છે. આ શબ્દો છે ભાવનગરના મૂર્ધન્ય સાહિત્યકાર,લઘુકથાકાર ઇજ્જતકુમાર ત્રિવેદીના સાહિત્યના વારસદાર દીકરી સુનીતાબહેન ત્રિવેદીના.પિતાના સર્જનનો વારસો તેઓ પામ્યા છે એટલું જ નહિ પિતાજીના વારસાને તેઓએ જાળવ્યો અને ઉજાળ્યો પણ છે.
સૌરાષ્ટ્રની મધુમતીનગરી એવા મહુવામાં જન્મ અને ભાવનગરમાં અભ્યાસ કર્યો.

માતા ઉષાબેન ત્રિવેદી અને પિતા ઇજ્જતકુમાર ત્રિવેદી.પરિવાર પર સરસ્વતી દેવીના ચાર હાથ હતા પણ લક્ષ્મીજી જાણે નારાજ હતા.તેઓના પિતાજીનું બાળપણ અસાધારણ ગરીબીમાં પસાર થયું એટલે જ એમણે પોતાના બાળકોને ખૂબ લાડથી ઉછેર્યા. ઈજ્જતકુમાર ત્રિવેદીનું નામ સાહિત્ય પ્રેમી માટે અજાણ નથી.ફક્ત સાહિત્યનો જ વારસો નહીં પરંતુ તેમનું મૂલ્ય નિષ્ઠ જીવન,કાગળ અને કલમ પ્રત્યે તેમની ઇમાનદારી અને સત્યને વરેલી જીવન પદ્ધતિનો વારસો પણ જાણે સુનીતાબહેને સંભાળ્યો.જે રીતે પિતાજીનો સંઘર્ષ તેઓએ ખૂબ નજીકથી જોયો છે એ જ રીતે વરિષ્ઠ સાહિત્યકારોમાં તેઓનો આદર પણ અનુભવ્યો છે અને એટલે જ જ્યારે ટૂંકી માંદગીમાં 2012માં પિતાએ વિદાય લીધી ત્યારે તેમના બાકી રહેલા પુસ્તકો પબ્લિશ કરવાનું બીડું સુનીતાબહેને ઉઠાવ્યું.પિતાજીના એક પછી એક ત્રણ પુસ્તકો છપાવ્યા પરંતુ તેની દરેક પ્રક્રિયાના અંતે તેઓની જાણ બહાર લેખિકા સુનીતા ઈજ્જતકુમારનો જન્મ થઈ ચૂક્યો હતો.


અભ્યાસની સાથે બેંકમાં અને ત્યાર બાદ એલ આઈ સીમાં સુનીતાબહેન સાથે નોકરી કરતા નિલેશ શાહે જીવનમાં પણ સાથ આપવાનો કોલ નિભાવ્યો અને સ્નેહ સંબંધ પતિ પત્નીના સંબંધમાં પરિણમ્યો.પાંચ ભાઈઓના બહોળા પરિવારજનોમાં દરેક વ્યક્તિને સુનીતાબહેને સ્નેહ સરવાણીથી ભીંજવ્યા છે.પિતાજીની વિદાય અને 2016માં માતાની વિદાય બાદ પતિ મજબૂત સપોર્ટ સિસ્ટમ બન્યા છે.


પિતાજીના પુસ્તકોના લખાણમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે આ કલમની અભિવ્યક્તિ તો પિતાજીએ જ આપેલ છે.અંતે લાઇફ ઇનસ્યોરન્સની લાખ રૂૂપિયા પગારની નોકરી 11 વર્ષ વહેલી છોડી કરોડ રૂૂપિયાની કલમની આંગળી પકડી લીધી.તેમના આ નિર્ણયમાં પતિ નિલેશભાઈ શાહનો મજબૂત સાથ મળ્યો અને સાહિત્યની આ સફર સફળતાની મંઝિલ સુધી પહોંચી.


તેઓનો લઘુકથા સંગ્રહ ‘અણસાર’ અને ચિંતન લેખ સંગ્રહો ‘સંવેદનાની સરવાણી’ અને ‘પ્રતિબિંબ’ પ્રગટ થયેલ છે. ટૂંક સમયમાં તેમના બીજા બે સંગ્રહો, લઘુકથા સંગ્રહ ‘શબરીનાં બોર’ અને ચિંતન લેખ સંગ્રહ ‘જીવન બેરખો’ પ્રગટ થનાર છે, ત્રણ ન્યુઝ પેપરમાં આવેલી કોલમ ‘તમે જ તમારું અજવાળું’, ‘માલણના કાંઠે’, ‘વિચારોની વાવણી’ અને ‘સંવેદનાની સરવાણી’ પણ લોકોએ માણી,વખાણી છે. તેઓના સાહિત્યિક કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડીયો પર પ્રસારિત થતા રહે છે. તેઓના વક્તવ્યો અનેક કલબ, કોલેજને સ્કૂલોમાં યોજાય છે તેમજ દેશ વિદેશમાં પણ એમનાં વક્તવ્યો ઝૂમ માધ્યમે યોજાતા રહે છે. તેમનું સાહિત્ય સર્જન હજુ પણ નવા મુકામ સર કરશે.આ બધા વચ્ચે પિતાજીની અને પોતાની લઘુકથા પરથી વેબસિરીઝ તથા ચલચિત્ર બનાવી સિનેજગતના નાના અને મોટા પડદે લઈ જવાનું સ્વપ્ન હૈયાના એક ખૂણામાં જાગતું પડ્યું છે. ઉપરાંત વાંચનનો વિસ્તાર વધારવા પિતાના સ્મરણાર્થે સ્વખર્ચે દર વર્ષે જુદાજુદા ગામ-શહેરમાં ઇજ્જતકુમાર ગ્રંથ કોર્નર (મિનિ પુસ્તકાલય) અર્પણ કરે છે.જેમાં અત્યાર સુધીમાં 12 પુસ્તકાલય અર્પણ કર્યા છે જેની સંખ્યા 108 સુધી પહોંચે તેવી ઈચ્છા અને આશા છે. સુનીતા ઈજ્જતકુમારને તેમના સ્વપ્ન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માણસને ચાહવા કેમ? તે બાળકને શીખવો
સુનીતાબહેનના સાસરામાં પાંચ ભાઈઓના પરિવારના 19 સભ્યો છે. નાના-મોટા દરેકને તેઓ પોતાના સ્નેહ વડે ભીંજવે છે ત્યારે તેઓ માતાઓને ખાસ સંદેશ આપે છે કે અત્યારે ડ્રોઈંગ ક્લાસ,કમ્પ્યુટર ક્લાસ, કરાટે ક્લાસ કે સિંગિંગ ક્લાસની બાળકોને જરૂૂર નથી. માણસને ચાહવા કેમ?સમજવા કેમ? તેનો કોઠો ઠરે એવું કઈ રીતે કરવું ?તે શીખવાડવાની જરૂૂર છે.

શબ્દોની સાધના બની સફળતાની સીડી
શબ્દોની સાધનાના ફળ સ્વરૂૂપે તેઓને અનેક એવોર્ડ મળ્યા છે
*સુનીતાબહેનને નારી શક્તિ એવોર્ડ-2015 અને નારી રત્ન એવોર્ડ – 2018માં પ્રાપ્ત થયેલ.
*બ્રહ્મક્રાંતિ સંઘ દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરાયું છે.

  • ગુજરાત સાહિત્ય સંગમ, ગાંધીનગર દ્વારા તેણીને પર્યાવરણ પ્રેરણા એવોર્ડ- 2020 થી સન્માનિત કરવામાં આવેલ.
  • હાલમાં જ ઇન્ડિયા ફાઇન આર્ટ્સ કાઉન્સિલ, મુંબઈ દ્વારા સર્ટિફિકેટ ઓફ એપ્રિસીએશનથી સુનીતાબહેનને પોંખવામાં આવેલ છે.
  • written by: Bhavna Doshi

ગુજરાત

પૂર્વ TPO સાગઠિયાની ઓફિસમાંથી 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળ્યું

Published

on

By

જેલમાંથી એમ.ડી.સાગઠિયાનો કબજો લીધા બાદ રાજકોટ અને સુરેન્દ્રનગર એસબીની ટીમનું ટ્વિન ટાવરમાં સર્ચ ઓપરેશન


રાજકોટનાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનાભાઈ સાગઠીયા વિરૂધ્ધ લાંચ, રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરી દસ્તાવેજી પુરાવા બાદ તેના સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધવામાં આવ્યો હોય જેમાં સાગઠીયા પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચની પુછપરછ બાદ જેલ હવાલે થયેલા એમ.ડી.સાગઠીયાનો એસીબીએ કબજો લઈ તપાસ શરૂ કરી હતી અને આજે તેની ટવીન ટાવર ખાતે આવેલી ઓફિસમાં કરેલું સીલ ખોલ્યા બાદ સર્ચ ઓપરેશન કરતાં તિજોરીમાંથી પાંચ કરોડ રોકડા અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. આ અંગે એસીબીએ સાગઠીયાની વિશેષ પુછપરછ શરૂ કરી છે.


રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-1ના અધિકારી એમ.ડી.સાગઠીયાની મિલકતો અંગે અને દસ્તાવેજ માહિતીના આધારે તેની પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. આવક કરતાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકત બાબતે રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં સાગઠીયા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ લાલીવાલા અને તેમની ટીમ કરી રહી છે. સાગઠીયા પાસે પેટ્રોલ પંપ, ગોડાઉન, હોટલ તેમજ ફાર્મહાઉસ, ખેતીની જમીન, વાહનો અને વિદેશમાં કરેલી ટુર અંગેની માહિતી એસીબીને મળ્યા બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ બરતરફ કરાયેલા એમ.ડી.સાગઠીયાએ મહાનગરપાલિકાની મિનીટસબુકમાં છેડછાડ કરી હોય જે બદલ ક્રાઈમ બ્રાંચે જેલમાંથી તેનો કબજો લીધો હતો અને ફરી રિમાન્ડ મેળવી પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો.


અપ્રમાણસર મિલકત અંગેની તપાસ કરતી એસીબીની ટીમે જે તે વખતે મહાનગરપાલિકાને સાથે રાખી કાલાવડ રોડ પર આવેલ ટવીન ટાવર બિલ્ડીંગમાં પૂર્વ ટાઉન પ્લાનીંગ અધિકારીની ઓફિસને સીલ કરી હતી. આ મામલે એસીબીએ વધુ તપાસ માટે સાગઠીયાની ઓફિસનું સીલ ખોલી ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરતાં ત્યાંથી એક તિજોરીમાં રાખેલા પાંચ કરોડની રોકડ અને 15 કિલો સોનુ મળી આવ્યું હતું. અપ્રમાણસર મિલકતના ગુનામાં સાગઠીયા વિરૂધ્ધ તપાસ કરી રહેલી એસીબીએ આ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને આ બાબતે આગળની તપાસ શરૂ કરાઈ છે. જેલમાંથી મનસુખ સાગઠીયાનો કબજો લઈ તેને સાથે રાખી તેની જ સીલ કરાયેલી ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં રોકડ અને સોનુ મળી આવ્યું હોય તેમજ હજુ પણ તેના અન્ય બેંક લોકરો અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.

સાગઠિયાની ઓફિસમાંથી થોકબંધ દસ્તાવેજો મળ્યા: કાળાકારોબારનો થશે પર્દાફાશ

સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન થોકબંધ દસ્તાવેજો મળી આવ્યા છે. રાજકોટમાં અનેક નામાંકીત બિલ્ડરો સાથે આર્થિક વહીવટ કરનાર પૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસરને ત્યાંથી મળેલા આ થોકબંધ દસ્તાવેજો તેના કાળાકારોબારનો પર્દાફાશ કરશે. સાગઠીયાના ભ્રષ્ટાચારની ચર્ચાઓ છડે ચોક થઈ રહી છે ત્યારે આ મામલે એસીબી તપાસ કરશે તો રાજકોટના બિલ્ડરો સાથેની તેની સાંઠગાંઠના પુરાવા એસીબીને મળી શકે છે. હાલ જેલમાંથી એસીબીએ સાગઠીયાનો કબજો લઈ તેની પુછપરછ શરૂ કરી છે ત્યારે આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

Continue Reading

ગુજરાત

લીંબડીમાં બે મકાનમાંથી 17 તોલા સોનું અઢી કિલો ચાંદીના દાગીનાની ચોરી

Published

on

By


લીંબડી હાઈવે નજીક આવેલી સોસાયટીઓના 2 બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બન્ને મકાનોમાં તાળા તોડી તસ્કરો 17 તોલા સોના અને અઢી કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ભોગ બનનાર મકાન માલિકોએ 10 લાખથી વધુની મતાની ચોરીની ફરિયાદ નોંધાવતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ભભા થયા છે. લીંબડી હાઈવે નજીક આવેલી ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત હરેશભાઈ ગોવિંદભાઈ દલવાડી શુક્રવારે મકાનને તાળાં મારી પરિવાર સાથે આણંદ શ્રીમંત પ્રસંગમાં ગયા હતા.


શનિવારે પ્રસંગ પૂર્ણ કરી હરેશભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને જોયું તો મકાનનું તાળુ અને રૂૂમના દરવાજાના નકૂચા તૂટેલા હતા.ઘરવખરી વેર વિખેર હાલતમાં પડી હતી. તિજોરીમાં રાખેલ મંગળસૂત્ર, હાર, કંઠી, વિંટી, કડલી સહિત 11 તોલાથી વધુના સોનાના દાગીના તથા કડા, ઝાંઝરી, પાયલ સહિત 1 કિલો 400 ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી થઈ ગઈ હતી. તેવી જ રીતે હાઈવે પાસે આવેલી ઉમૈયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ દલવાડી શુક્રવારે પરિવાર સાથે ગાંધીનગર ગયા હતા.

શનિવારે તેમના પુત્ર યોગેશભાઈએ પિતાને ફોન કરીને જાણ કરી હતી કે મકાનના તાળાં તૂટેલા છે અને ચોરી થઈ હોય એવું લાગે છે.રમણીકભાઈ પરિવાર સાથે લીંબડી પરત ફર્યા ત્યારે તેમને તિજોરીમાં રાખેલ પેંડલ સાથેના 4 ચેઈન, બુટ્ટી સહિત સાડા છ તોલાથી વધુના સોનાના દાગીના અને છડા, ફુલ્લ, સિક્કા સહિત 1 કિલો 300 ગ્રામ ચાંદીના દાગીના તથા 50,000 રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. હરેશભાઈ દલવાડીના મકાનમાંથી 4,90,000 રૂૂ.ના સોના, ચાંદીના દાગીના અને રમણીકભાઈ દલવાડીના ઘરમાંથી સોના, ચાંદીનાના દાગીના, રોકડ રકમ મળીને 5,73,500 રૂૂ.ની ચોરી થયાની ફરિયાદ નોંધાતાં ચકચાર સાથે પોલીસ અને હોમગાર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં 7થી 14.5 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

Published

on

By

અનેક ગામડાંઓનો સંપર્ક કપાયો, બચાવ-રાહત કાર્ય શરૂ કરાયું, સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ


જૂનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ તરબતર કરી દીધો છે. ગઈકાલે મેંદરડામાં 8.5, વંથલીમાં 6, મેંદરડામાં પાંચ અને જૂનાગઢમાં સવાચાર ઈંચ વરસાદ પડયા બાદ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 7 થી 14.5 ઈંચ સુધી વરસાદ ખાબકતા જૂનાગઢ, વંથલી, માણાવદર-કેશોદ સહિતના પંથક જળમગ્ન થઈ ગયા છે. અનેક ગામોનો અને હજારો લોકોનો સંપર્ક કપાઈ ગયો છે.


આજે સવાર સુધીમાં વંથલીમાં 14.5, વિસાવદરમાં 9.5, જૂનાગઢમાં 12, કેશોદમાં 10, માણાવદરમાં 9 અને મેંદરડામાં 7.5 ઈંચ, ભેસાણમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે નદીઓમાં ઘોડાપુર ઉમટતા અને રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અનેક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાતા બચાવ રાહત કામ શરૂ કરાયું છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા આદેશ અપાયા છે જ્યારે એનડીઆરએફની ટીમ બચાવ રાહતના કામે લગાડાઈ છે. સંપર્ક વગરના ગામડાઓનો સંપર્ક સાધવા પ્રયાસો શરૂ કરાયા છ.


જૂનાગઢમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જૂનાગઢના ગીરનાર પર્વત પર 8થી 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગીરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. જુનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે શહેરનો વિલીંગ્ડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદથી તંત્રએ નિર્ણય લીધો છે. શાળાના તમામ સ્ટાફને હેડ ક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.


ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.

શાળાઓમાં રજા જાહેર, દૂધધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી
જૂનાગઢમાં બારે મેઘ ખાંગા થયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના પરિણામે અનેક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે આજથી શરુ થનારી દૂધધારા પરિક્રમ રદ કરવામાં આવી છે. ગિરનાર જંગલના 36 કિમી રૂૂટ સુધી યોજાતી આ પરંપરાગત પરિક્રમા પ્રથમ વખત રદ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

Trending