Connect with us

રાષ્ટ્રીય

માત્ર તરબૂચ નહિ તેના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે

Published

on

ગરમી ની ઋતુમાં લોકો લાલ રસદાર તરબૂચ ખાવાનું પસંદ કરતા હોય છે. પણ તેના કાળા બીજને ફળમાંથી કાઢીને નાખે છે. તેના આ કાળા બીજમાં ઘણા પોષક ગુણધર્મો છે.નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થથના સંશોધન મુજબ તરબૂચના બીજમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ચરબી અને આયર્ન અને ઝિંકનું મધ્યમ સ્તર હોય છે. તેઓ ખાસ કરીને મેગ્નેશિયમમાં વધુ હોય છે જે શરીરમાં ઘણી પ્રક્રિયાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં સ્નાયુઓ અને ચેતા કાર્યનું નિયમન, રક્ત ખાંડનું સ્તર અને બ્લડ પ્રેશર અને પ્રોટીન, હાડકા અને ડીએનએ બનાવવાનો સમાવેશ થાય છે.ગરમીઓમાં તરબૂચ ખાવું ના માત્ર તમને ભારે ગરમીથી રાહત આપે છે. પરંતુ તેમાં વિટામિન્સ ઘણી માત્રામાં હોય છે. એટલું જ નહીં, તરબૂચની છાલ અને તેના બીજ પણ ઘણા ફાયદાકારક હોય છે. તરબૂચનો સફેદ ભાગ તમને ઘણી બીમારીઓથી બચાવી શકે છે. તરબૂચમાં વિટામિન-એ મોટા પ્રમાણમાં હોય છે. તે તમારી આંખો અને હૃદય માટે સારૂૂ હોય છે.આ કાળઝાળ ગરમીમાં તરબૂચ પેટ અને મન બંનેને ઠંડક આપવામાં મદદ કરે છે. શરીરને હાઇડ્રેટ કરવા અને ગરમીને હરાવવા માટે તરબૂચથી સારો વિકલ્પ બીજો કોઇ હોઇ શકે નહીં.


મુઠ્ઠીભર તરબૂચના બીજમાં લગભગ 0.29 મિલિગ્રામ આયર્ન હોય છે, જે દૈનિક જરૂૂરિયાતના લગભગ 1.6 ટકા છે. પુખ્ત વયના લોકોને તેમના દિવસમાં 18 મિલિગ્રામ આયર્નની જરૂૂર હોય છે. હિમોગ્લોબિન માટે આયર્ન એક આવશ્યક તત્વ છે. તે તમારા શરીરને કેલરીને ઊર્જામાં રૂૂપાંતરિત કરવામાં પણ મદદ કરે છે. જો તમે તમારા શરીરમાં લોહીની સારી માત્રા જાળવી રાખવા માંગો છો, તો તરબૂચને તેના બીજ સાથે ખાઓ. તરબૂચના બીજમાં જોવા મળતા ઘણા ખનિજોમાંથી એક મેગ્નેશિયમ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (ગઈંઇં) ભલામણ કરે છે કે પુખ્ત વયના લોકો દરરોજ 420 મિલિગ્રામ મેગ્નેશિયમ લે છે. મેગ્નેશિયમ શરીરના સ્નાયુઓને જાળવવા માટે જરૂૂરી છે. તરબૂચના બીજ હૃદય અને હાડકાંને મજબૂત કરવાનું કામ કરી શકે છે. આમાં રહેલા પોષક તત્વો હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે.

  • તરબૂચના બીજ બળતરા વિરોધી, એન્ટીઓક્સીડનેટ અને વાસોડિલેટર (રક્ત વાહિનીઓનું વિસ્તરણ) તરીકે કાર્ય કરે છે જે તંદુરસ્ત હૃદયમાં તેમની ઉપયોગીતા માટે સંભવિત કારણ છે. આખા શરીરમાં ઓક્સિજનયુક્ત રક્ત વહન કરવા માટે તે જે લોહ આપે છે તે પણ મહત્વપૂર્ણ છે. તરબૂચના બીજ ઝીંકથી પણ સમૃદ્ધ છે જે હૃદયના સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે તમારા હૃદયમાં કેલ્શિયમ હલનચલનને નિયંત્રિત કરે છે.
  • જો તમે બ્લડ સુગર લેવલની વધઘટથી પીડિત છો, તો તમારા ડાયટમાં આ જાદુઈ બીજનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. મેગ્નેશિયમ કાર્બોહાઇડ્રેટ્સના ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે લોહીમાં શર્કરાના સ્તરને સીધી અસર કરે છે. આ બીજ પ્રકાર 2 ડાયાબિટીસની સારવારમાં મદદ કરે છે.
  • રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તરબૂચના બીજ આયર્ન અને ખનિજોથી ભરેલા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ બીજમાં વિટામિન બી થી ભરપૂર પણ છે જે આ સંદર્ભે મદદ કરે છે.
  • જો તમારા નબળા હાડકાં અને ઓસ્ટીયોસ્પાયરોસિસ જેવી સ્થિતિ હોય તો તરબૂચના બીજને મુખવાસમાં સમાવવાનો પ્રયાસ કરો. નિયમિત રીતે તરબૂચના બીજ ખાવાથી હાડકાની વિકૃતિઓ રોકી શકાય છે કારણ કે તેમાં મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.
  • તરબૂચના બીજ વિટામિન બીનો સમૃદ્ધ સ્ત્રોત છે જે તમારા મગજ અને નર્વસ સિસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે મૂડ ડિસઓર્ડર, ઉન્માદને ક્ધટ્રોલ કરવામાં ઉપયોગી છે.
  • વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગમે તે હોય, દરેક લોકો સ્વસ્થ અને મજબૂત વાળ ઇચ્છે છે. સારા પરિણામ મેળવવા માટે તેઓ કંઈપણ કરી શકે છે. તરબૂચના બીજ પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝીંક અને કોપરથી ભરપૂર છે જે તમારા વાળની ગુણવત્તા સુધારવા માટે જાણીતા છે. આ બીજ તમારા વાળને મજબૂત કરવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. બીજમાં રહેલું મેંગેનીઝ વાળ ખરવા અને નુકસાનને રોકવામાં મદદ કરે છે.
  • તરબૂચ ના બીજ હૃદયની તંદુરસ્તી સુધારે છે. તરબૂચના બીજ તમારા હૃદયના સ્વાસ્થ્યને ઘણી રીતે પ્રોત્સાહન આપી શકે છે. મોનોસેચ્યુરેટેડ અને બહુઅસંતૃપ્ત ફેટી એસિડ્સનો સારો સ્રોત છે. અભ્યાસો સૂચવે છે કે આ સારી ચરબી હાર્ટ એટેક, સ્ટ્રોક સામે રક્ષણ માટે ઉપયોગી છે. આ બીજમાં ઉચ્ચ માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને સામાન્ય બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
    અંકુરિત તરબૂચના બીજ ત્વચાને સ્વસ્થ કરવામાં મદદ કરે છે કારણ કે તે વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ વગેરેથી ભરપૂર છે, તેના તેલનો ઉપયોગ વિવિધ સૌંદર્ય ઉત્પાદનોમાં ખીલ અને એન્ટી એજીગ સારવાર માટે થાય છે. તરબૂચના બીજ મેગ્નેશિયમથી ભરપૂર છે જે એકંદર ત્વચાનો દેખાવ સુધારવામાં મદદ કરે છે. તરબૂચના બીજ નિસ્તેજ, શુષ્ક ત્વચા માટે કામ કરે છે. પ્રોટીન સંશ્ર્લેષણ, કોષ વિભાજન અને સમારકામની ક્ષમતાને કારણે બીજમાં જોવા મળતું ઝીંક વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરી શકે છે.

રાષ્ટ્રીય

શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ

Published

on

By


દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં મહેસૂલ વિભાગમાં બદલીનો દૌર : રાજ્યના 30 મામલતદારની બદલી

Published

on

By

ચૂંટણી વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટર વિભાગમાં નિમણૂક અપાઈ


લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યભરમાં ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચમાં નિમણુંક પામેલા મોટાભાગના મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્યમાં 30 જેટલા મામલતદારોની બદલી કરી મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટાર વિભાગમાં નિણુંક આપવામાં આવી છે.
રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જેમાં વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી, પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી, રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂૂચ બદલી, મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી, પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી, વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી, જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી, બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી, પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી, એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી, એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી, દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી, મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી, નસીફા શેખની સુરતથી વલસાડ બદલી, એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Continue Reading

રાષ્ટ્રીય

લખતર પાસે 1400 બોટલ વિદેશી દારૂ-બીયર ભરેલી કાર રેઢી મળી

Published

on

By

કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરના લખતર નજીક વિદેશી દારૂ ભરેલી કાર વરસાદના કારણે માટીના પાળામાં ફસાઈ જતાં બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટ્યા હતાં. તેનાપગલે પોલીસને બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી ગયું હતું. અને વિદેશી દારૂ ભરેલ કાર કબ્જેકરી 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ લખતરના સદાદ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા કેનાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. દારૂ ભરેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસને જોઈ સ્કોર્પિયો સદાદ ગામ તરફ વાળી દીધી હતી. પરંતુ રેલવે ફાટક બંધ હોય ખેતરના રસ્તેથી ભાગવા જતાં કાર માટીના પાળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આરોપી સ્કોર્પિયો કાર રેઢી મુકી નાશી ગયો હતો.


પોલીસે રેઢી પડેલી સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી નાની મોટી રૂા. 2,29,320ની કિંમતની 1,392 બોટલ વિદેશી દારૂ, રૂા. 14,400ની કિંમતના 144 નંગ બિયરના ટીન, બે મોબાઈલ ફોન અને પાંચ લાખની સ્કોર્પિયો મળી કુલ 7,53,720નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા શખ્સોની મોબાઈલફોનના આધારે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી લખતરના પીએસઆઈ એન.એ. ડાભી સહિતના સ્ટાફે કરી હતી. જ્યારે સ્કોર્પિયો કારમાંથી ડુપ્લીકેટ નંબર મળી આવતા પોલીસે બુટલેગર અનેકાર ચાલક સહિતના શખ્સો સામે અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending