Connect with us

કચ્છ

મુંદ્રા સોપારી તોડકાંડના ફરાર 4 પોલીસકર્મીને હાજર થવા આદેશ

Published

on

ગુજરાત ભરના પોલીસ બેડામા ભારે ચકચાર સર્જવા સાથે પોલીસ બેડા માટે સર્મસાર એવા કેસમાં એક તરફ તોડકાંડની ફરીયાદ કરનાર સહિતના લોકો સામે પોલીસે ગાડીયો કસ્યો છે. પરંતુ બીજી તરફ સોપારી તોડકાંડમાં સામેલ પોલીસ કર્મચારી સહિત પુર્વ રેન્જ આઇ.જીના ભાણેજ સહિતના લોકો હજુ પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે ભુજની નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજની કોર્ટે આરોપીઓ ને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડ્યુ છે. જેમાં કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરાયો છે.જો કે આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થાય તો આગળ મિલ્કત જપ્તી સહિતના પગલા તપાસ ટીમ દ્રારા લઇ શકાશે.અત્યાર સુધીની તપાસની વાત કરીએ તો મુંદ્રા સોપારી કાંડ લાંચ પ્રકરણ માં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જે બંને આ કેસના અન્ય આરોપીઓ કે જે પોલીસ કર્મી છે તેને લાંચની રકમ પહોચાડવામાં વચેટિયા ની ભૂમિકા માં હતા જેમાં (1) પંકીલ સુનીલ મોહતા અને ક્રિપાલ સિંહ ત્રિલોક્સિંહ વાધેલા ની ધરપકડ કરી છે.જે હાલ જેલમાં છે. આ બને આરોપીઓએ જેલમાંથી છૂટવા જામીન અરજીઓ કરેલ પરંતુ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામી સાહેબે કોર્ટમાં ધારદાર રજુઆત કરતાં નામદાર સ્પેશિયલ અઈઇ સેશન્સ જજ સાહેબ,ભુજ ની કોર્ટે આ બને આરોપીઓની જામીન અરજી નામંજૂર કર્યા હતા સાથે આ કેસમાં નાસ્તા ફરતાં આરોપી સસ્પેન્ડ પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહે પણ આગોતરા જામીન અરજી કરેલ જેમાં પણ જિલ્લા મુખ્ય સરકારી(ડીજીપી)વકીલ ગોસ્વામીએ ધારદાર રજુઆત કરતા સેશન્સ કોર્ટે રાજેન્દ્રસિંહની આગોતરા જામીન માટેની અરજી પણ નામંજુર કરેલ હતી આ કેશ માં પોલીસ નાસ્તા ફરતાં સસ્પેન્ડ પોલીસવાળા આરોપીઓને પકડવા સીઆરપીસી 70, મુજબ વોરંટ મળ્યુ હતુ પરંતુ વોરંટોની બજવણી આરોપીઓ ન થવા દેતા તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રીપોર્ટ રજુ કર્યો હતો જે રિપોર્ટને ઘ્યાને લઈ નામદાર સ્પેશિયલ એસીબી સેશન્સ જજની કોર્ટે આરોપીઓને ફરારી જાહેર કરી જાહેર નામુ બહાર પાડી કોર્ટ સમક્ષ 30 દીવસમાં હાજર થવા આદેશ કરતું જાહેરનામુ બહાર પાડ્યું છે હવે આરોપીઓ (1) કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (2) રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (3) રણવીરસિંહ જગદીશસિંહ ઝાલા સસ્પેન્ડ પોલીસ એએસઆઇ (4) ભરત અસારિયા ગઢવી સસ્પેન્ડ પોલીસ એચસી (5) શૈલેન્દ્રસિંહ જ્યોતિભાઈ ભાણુભા માધુભા સોઢા (વચેટીઓ) નો સમાવેશ થાય છે. હવે આરોપી જો 30 દિવસમાં કોર્ટ સમક્ષ હાજર નહી થાય તો મિલ્કત જપ્તી ના પગલાં લવાશે તેવુ તપાસ કર્તા અધિકારીએ જણાવ્યુ છે. આમ ફરાર પોલીસ કર્મી પર હવે કાયદાનો ગાળીયો વધુ કસાયો છે.

કચ્છ

રાજ્યમાં પ્રથમવાર વ્યાજખોર ત્રિપુટી ભાઈ-બહેન સામે ગુજસીટોક

Published

on

By

આપઘાત માટે મજબૂર કરવા, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી અને વ્યાજખોરીના ગુનામાં ત્રણેય સંડોવાઈ ચૂકયા છે

અંજાર વિસ્તારમાં નાણાં ધીરધારનો ગેરકાયદે વેપલો ચલાવી લોકોને શારીરિક માનસિક પરેશાન કરવા સાથે મરવા સુધી મજબુર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનો ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં આવતા ઈસમો સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધિઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે, ત્યારે ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે.


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ક2તી ટોળકી વિરૂૂધ્ધ જરૂૂરી કાયદાકીય પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચના અંતર્ગત અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઇ એઆર ગોહિલે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરવાતા અને સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરવાની મોડસ ઓપરેન્ડી વાળા તેમજ ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટ મુજબના ગુનાઓ આચરતા ઇસમો રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી સામે ધી ગુજરાત ડંટ્રોલ ઓફ ટેરીરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એક્ટ -2015 મુજબના શિક્ષાને પાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા સંગઠીત ટોળકીના સભ્યો વિરૂૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કુખ્યાત ગુનેગારો સામે અંજાર પોલીસ મથકે ગુજરાત નાણાની ધીરધાર કરવા બાબત અધિનિયમ 2011 ની કલમ 5, 40, 42 મુજબનો ગુનો બનવા પામેલો.

સદર ગુના કામેના આરોપીઓ રીયા ઈશ્વરગર ગૌસ્વામી, આરતી ઈશ્વરગર ગૌસ્વામી તથા તેજસ ઈશ્વરગર ગૌસ્વામી રહે. તમામ મંડલેશ્વર અંજાર વાળાઓએ શહેરમાં આવા પ્રકા2ના અવાર નવાર ગુનાઓ આચરેલા હોઈ ત્રણેય આરોપીઓએ એકબીજા સાથે મળીને મરવા મજબુર કરવા, એકસ્ટ્રોજન, મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ તેમજ રાયોટીંગ અને જાનથી મારી નાખવાની ધમકી, બળજબરીથી કઢાવી લેવુ જેવા ગંભીર પ્રકારના અને સતત ગુનાઓ આચરતી ટોળકી દ્વારા વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદાસારૂૂ એકબીજાના સાથે સંકલનમાં રહી મિલાપીપણુ કરી, ટોળકી બનાવી, એકબીજાના સાગરીતો બની, પોતાનો સમાન ઈરાદો પાર પાડવાની નિયત બદલના ગંભીર ગુનાઓને ધ્યાને લઇ પોલીસે ગુજસીટોકની ગંભીર કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેય આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસના પગલાંથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Continue Reading

કચ્છ

રણોત્સવનું ટેન્ડર હાઇકોર્ટે કર્યું રદ, આયોજન જોખમમાં

Published

on

By

ટેન્ટસિટી માટે પ્રવેગ કંપનીએ ફાળવેલુ ટેન્ડર અયોગ્ય ઠર્યુ: કોર્ટ સરકાર અને ટરિઝમ ડિપાર્ટમેન્ટને ઝાટકયા

કચ્છમાં રણોત્સવમાં ટેન્ટ સિટી માટે પ્રવેગ નામની કંપનીને ફાળવેલું ટેન્ડર અયોગ્ય ઠરાવી હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યું છે. આ મામલે મેસર્સ લલ્લુજી એન્ડ સન્સ દ્વારા ટેન્ડરની પ્રક્રિયાને પડકારતી રિટ પિટિશન કરવામાં આવી હતી. જે રિટને હાઇકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપૈયા અને જસ્ટિસ મૌનાબહેન ભટ્ટની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખતાં ગુરુવારે ખુલ્લી અદાલતમાં ઉક્ત ચુકાદો આપ્યો હતો.


આ ચુકાદા બાદ પ્રતિવાદીઓ તરફથી સ્ટેની માગ કરવામાં આવી હતી, જેને પણ રદ કરી દેવાઇ હતી. પ્રસ્તુત મામલે જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી દ્વારા ગુજરાત ટુરિઝમ દ્વારા અમદાવાદની પ્રવેગ કંપનીની ભૂલ હોવા છતાં ટેન્ટ સિટીનું ટેન્ડર આપવાના નિર્ણયને પડકાર્યો હતો.


આ કેસની હકીકત મુજબ કચ્છ ખાતે રણોત્સવની સાઈટ ઉપર ઊભી કરવામાં આવેલી કાયમી ટેન્ટ સિટીના ટેન્ડરનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. આ વખતે વર્ષો જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી એન્ડ સન્સને બદલે ટેન્ડર અમદાવાદની પ્રવેગ નામની કંપનીને મળ્યું હતું. બંને કંપની વચ્ચે રૂપિયા 17 કરોડની રકમનો તફાવત હોવાના કારણે ક-1 તરીકે પ્રવેગ કંપની હતી, જ્યારે ક-2માં જૂના કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સ હતા. દરમિયાન કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ફાઈનાન્શિયલ બીડ અંગે રજૂ કરાયેલા બે બિડાણોમાં તફાવત હોવાનું જાણવા મળ્યું હતું. તેથી લલ્લુજી એન્ડ સન્સ દ્વારા આ અંગે ગુજરાત સરકારની પ્રવાસન વિભાગ અંતગર્ત આવતી અને ટેન્ડર પ્રક્રિયા સંભાળતા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) ને 14મી ઓગસ્ટના રોજ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ઓથોરિટીને મળેલી રજૂઆતને પગલે તે જ દિવસે ગણતરીના કલાકોમાં ટીસીજીએલ દ્વારા પ્રવેગને જરૂૂરી સુધારો કરીને બંને બિડાણો ફરીથી રજૂ કરવા માટે એ રાત્રે જ ઈ મેઇલ કરવામાં આવ્યો હતો.


ઉક્ત સંજોગોને ધ્યાનમાં લઇ ટેન્ટ સિટીના જૂના કોન્ટ્રાક્ટર મેસર્સ લલ્લુજી દ્વારા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ)એ ટેન્ડરમાં વિસંગતતા હોવા છતાં અમદાવાદની પ્રવેગ નામની કંપનીને ટેન્ડર આપવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ગુરુવારે હાઇકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, પ્રવેગ દ્વારા નિષ્પક્ષ અને પારદર્શી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હોય એવું જણાતું નથી. ઊલટાનું ફાઈનાન્શિયલ બીડ ફરીથી સબમિટ કરવાનું જે વલણ અપનાવ્યું હતું એ પારદર્શિતાનો ભંગ હતો. ઉક્ત સંજોગોને ધ્યાનમાં લેતાં અરજદારની દલીલોમાં મેરિટ જણાય છે અને પ્રવેગ કંપનીને આપવામાં આવેલા ટેન્ડરને અયોગ્ય ઠરાવવામાં આવે છે.

Continue Reading

કચ્છ

રાપરના સુજાવાંઢમાં સગીરાને અપહરણકારના હાથમાંથી બચાવવા વચ્ચે પડેલી માતાની હત્યા

Published

on

By

પરિણીત આરોપીને સગીરા સાથે પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું: આરોપીઓની શોધખોળ

રાપર તાલુકાના ફતેગઢ નજીક આવેલી સુજાવાંઢમાં પોતાની સગીર વયની દીકરીને અપહરણકારના હાથમાંથી બચાવવા વચ્ચે પડેલી તેની માતાનું આરોપીઓએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હોવાની સમી સાંજે બનેલી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૂળ લોદ્રાણીના રહેવાસી અને છેલ્લા કેટલાક વર્ષોથી તાલુકાના ફતેગઢ નજીક આવેલી સુજાવાંઢમાં વાડી કરીને મજૂરી કરતા જમણીબેન બાબુભાઇ કોલી (પારકરા) ઉ.વ.50 આજે તેમની સગીર વયની દીકરી સાથે ફતેગઢથી વાડીએ જતા હતા ત્યારે આરોપીઓ દ્વારા સગીર વયની દીકરીનું અપહરણ કરતા તેમાં વચ્ચે પડેલી તેની માતા જમણીબેન બાબુભાઇ કોલી ઉપર ખૂની હુમલો કર્યો હતો જેમાં જમણીબેન કોલીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ સગીરાનું અપહરણ કરીને નાસી ગયા હતા.

જે બાદ ઘટનાની જાણ થતા રાપર પોલીસ દ્વારા મૃતદેહને રાપર સરકારી હોસ્પિટલ લઈ આવીને પંચનામા અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. સગીરા સાથે પરણિત આરોપીને પ્રેમ સબંધ હોવાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિ જાણવા મળ્યું હતું. આરોપીઓ પણ (પારકરા) કોલી સમાજનાં અને ફતેગઢ, લોદ્રાણીનાં રહીશ હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું.

Continue Reading
ક્રાઇમ13 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય14 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ14 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય14 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય14 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત14 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત14 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત15 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય15 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત15 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય2 days ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત2 days ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય22 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય2 days ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય2 days ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports2 days ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત2 days ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત2 days ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

આંતરરાષ્ટ્રીય2 days ago

‘જુનાગઢ પાકિસ્તાનનો એક ભાગ, ભારતે ગેરકાયદેસર કર્યો કબજો..’ પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું

Trending