Connect with us

Sports

ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનશે યુવરાજસિંહ ?

Published

on

ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી લીધું છે, હવે તેનો સાથી ખેલાડી યુવરાજ સિંહ પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને 2 વર્લ્ડ કપ જીતાડનાર યુવરાજ સિંહ હવે આઈપીએલમાં વાપસી કરવા જઈ રહ્યો છે.
ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. આઈપીએલ 2025ની મેગા ઓક્શન પહેલા આ મોટો ફેરફાર થઈ શકે છે. અહેવાલો અનુસાર, હવે ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે યુવરાજ સિંહનો સંપર્ક કર્યો છે.


હાલમાં યુવરાજ સિંહ વિશ્વભરના નિવૃત્ત ખેલાડીઓની લીગમાં ભાગ લઈ રહ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. જો કે યુવરાજ સિંહ પાસે પણ આઈપીએલનો લાંબો અનુભવ છે. યુવીએ આઈપીએલની 132 મેચમાં 2750 રન બનાવ્યા છે. આ દરમિયાન યુવીના બેટમાંથી 13 અડધી સદી પણ આવી. યુવરાજ પંજાબ, હૈદરાબાદ, પૂણે વોરિયર્સ, આરસીબી, મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમો માટે રમી ચૂક્યો છે. આવી સ્થિતિમાં, યુવરાજ જાણે છે કે તેણે કઈ માનસિકતા સાથે આ લીગમાં પ્રવેશ કરવો જોઈએ.


એ જ રીતે યુવરાજ સિંહના સિનિયર ખેલાડી રાહુલ દ્રવિડ વિશે પણ સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો નવો મુખ્ય કોચ બની શકે છે. તે કુમાર સંગાકારાની જગ્યા લઈ શકે છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ દ્રવિડના કોચિંગ હેઠળ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો અને હવે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે, ત્યારે તે આઈપીએલમાં વાપસી કરી શકે છે. દ્રવિડ અગાઉ રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

Sports

હાથમાં ઇજાના કારણે ડાયમંડ લીગમાં હાર થઇ: નીરજ ચોપડા

Published

on

By

પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયા

Diamond leaguage 2024 માં પ્રથમ પુરસ્કાર મેળવવામાં માત્ર એક સેન્ટીમીટરથી ચૂક ગયા હતાં. ગયયફિષ ઈવજ્ઞાફિ એ ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 ની ફાઈનલમાં 87.89 મીટરનો જેવલીન થ્રો કર્યો હતો.


ત્યારે તેઓ Diamond leaguage2024 માં બીજા સ્થાને આવ્યા હતાં. તો ઉશફળજ્ઞક્ષમ કયફલીય 2024 માં પ્રથમ સ્થાન પર ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે બેસ્ટ થ્રો 87.87 મીટરનો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ નજીવા અંતરથી ચૂકી ગયા છે. ત્યારે ગયયફિષ ઈવજ્ઞાફિ એ તેની પાછળનું કારણ જણાવ્યું છે.
ગયયફિષ ઈવજ્ઞાફિ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં ગયયફિષ ઈવજ્ઞાફિ એ લખ્યું છે કે, 2024 ના ખેલ સમાપ્ત થયા છે. હું તે દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશ, જે મેં વર્ષ દરમિયાન નોંધ કરી છે. તો તેમાં પણ ખાસ કરીને ખેલક્ષેત્રે સુધારો, અસફળતાઓ, માનસિકતા અને વિવિધ શારીરિક બાબતનો સમાવેશ છે.

સોમવારના રોજ પ્રશિક્ષણ દરમિયાન હું ઘાયલ થયો હતો. તેના કારણે જમણા હાથમં નાનો ફ્રેક્ચર આવ્યો હતો. મારા માટે આ એક પડકારદાયક છે. તેમ છતાં હું મારી ટીમના માર્ગદર્શન અને સારવાર હેઠળ બ્રુસેલ્સમાં પ્રદર્શન માટે તૈયાર હતો.


ગયયફિષ ઈવજ્ઞાફિ એ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2024 ની આ અંતિમ મેચ હતી. જોકે હું નક્કી કરેલા લક્ષ્યાંક પર સ્પર્ધા દરમિયાન પહોંચી શક્યો નહીં. પરંતુ મને લાગે છે કે, આ એક એવી સ્પર્ધા હતી, જેના માધ્યમથી મને ઘણું વધુ શીખવા મળ્યું છે. હવે, હું સંપૂર્ણ રીતે તંદુક્સત છું. હું તમારા બધાના સમર્થનનો આભાર વ્યક્ત કરું છું. વર્ષ 2024 એ મને એક ઉત્તમ રમતવીર અને માણસ બનાવ્યો છે. હવે, વર્ષ 2025 ના રણમેદાનમાં મુલાકાત થશે.

Continue Reading

Sports

કેટલાક ખેલાડીઓ ક્રિકેટના નિયમોથી પર છે? ડેરિલ હાર્પરનો ધોની પર આરોપ

Published

on

By

ચૈન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની મેચના સંદર્ભમાં ટિપ્પણી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટની દુનિયાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. માહી તેના શાંત સ્વભાવ અને ઉત્તમ વ્યૂહરચના માટે જાણીતી છે. પરંતુ શું તમે જાણો છો કે માહીનું નામ પણ ઘણી વખત વિવાદોમાં સપડાયું છે. વાસ્તવમાં, આ આઇપીએલ 2023ની વાત છે.


આઇપીએલ 2023 દરમિયાન અમ્પાયર ડેરિલ હાર્પરે કેપ્ટન કૂલ પર જાણી જોઈને સમય બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે માહી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન હતો. ક્વોલિફાયર-1માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો આમને-સામને હતી. આ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને અમ્પાયર ડેરિલ હાર્પર દલીલ કરતા જોવા મળ્યા હતા.


ખરેખર, ગુજરાત ટાઇટન્સ ટીમ રનનો પીછો કરી રહી હતી. મથિશા પથિરાના ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઈનિંગની 16મી ઓવર નાખવા આવ્યો હતો, પરંતુ તેણે આમ કરતા પહેલા ઘણો સમય લીધો હતો. જે બાદ અમ્પાયર ડેરીલ હાર્પરે નારાજગી વ્યક્ત કરી હતી. ડેરેલ હાર્પરનું માનવું છે કે આ રમતની ભાવના વિરુદ્ધ છે. તે સમયે માહી પાસે બીજા ઘણા વિકલ્પો હતા, પરંતુ તેણે તેમને અવગણ્યા હતા. તો શું કેટલાક લોકો નિયમોથી ઉપર છે, આવું ન થવું જોઈએ, તે રમતની ભાવનાની વિરુદ્ધ છે.

Continue Reading

Sports

ફોર્મ્યુલા-4 ઇન્ડિયન ચેમ્પિયન શિપના ત્રીજા રાઉન્ડમાં અમદાવાદ અપેક્ષ ટીમની જીત

Published

on

By

પ્રથમ જીત અપાવવામાં વીર શેઠની મહત્ત્વની ભૂમિકા

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં વીર સેઠ એ અમદાવાદ અપેક્ષ ટીમને પ્રથમ જીત અપાવી છે. મોહમ્મદ રયાન એ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઈન્ડિયન રેસિંગ લીગના ત્રીજા રાઉન્ડમાં ડબલ પૂર્ણ કરવામાં મદદ કરી હતી.


કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત અને રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવતા ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ચેન્નાઈ ટર્બો રાઈડર્સના મોહમ્મદ રયાને પોલ પોઝિશનને પ્રથમ જીતમાં પરિવર્તિત કરવાની સાથે ચેન્નાઈ ટીમ માટે ડબલ પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


રવિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર 22 વર્ષીય રયાન શનિવારે રેસ-1માં ટીમના સાથી જોન લેન્કેસ્ટર બાદ આ જીત મેળવવામાં સફળ રહ્યો. 2019ના રોટેક્ષ કાર્ટિંગ ચેમ્પિયન એવા રયાન પોતાના હોમ સર્કિટ પર શાનદાર શરૂૂઆત કરવાની સાથે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી તથા ટીમ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઊજવણીની તક આપી હતી.


રયાનના પ્રારંભમાં જ આગળ નીકળી ગયા બાદ ગોવા એસિસ ટીમના સોહેલ શાહે આક્રમકતા સાથે જેડન પેરિયાટ (બેંગ્લોર સ્પીડસ્ટર્સ)ને પાછળ છોડ્યું અને આગળ પેરિયાટ વધુ એક સ્થાન પાછળ ગયો જ્યારે તેની જ ટીમનો સાથી ખેલાડી રિશોન રાજીવ આગળ નીકળી ગયો હતો. તે પછી ટોપ-3 ખેલાડીઓએ કોઈપણ જાતના સંઘર્ષ વિના પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.


રયાને કહ્યું કે,મને સારી શરૂઆત મળી અને મારું ફોક્સ સતત સારી રીતે પ્રારંભિક લેપ્સ પૂર્ણ કરવા પર હતો. ચેન્નાઈ ટર્બો રાઈડર્સે બંને આઇઆરએલ રેસ જીતી વિકેન્ડને સારા પોઈન્ટ્સ સાથે પૂર્ણ કર્યો છે. ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ અતિવ્યસ્ત દિવસે ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપમાં 3 જુદી-જુદી રેસમાં 3 જુદા-જુદા વિજેતા મળ્યા. રુહાન આલ્વા (શારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ), વીર સેઠ (અમદાવાદ અપેક્ષ રેસર્સ) અને દક્ષિણ આફ્રિકાનો અકીલ અલીભાઈ (બ્લેક બર્ડ્સ હૈદરાબાદ) આ વિજેતાઓમાં સામેલ હતા. જેડન પરિયાટને 20 સેક્ધડની પેનલ્ટી લાગવાને કારણે વીર સેઠ બીજા ક્રમેથી ટોચના સ્થાને પહોંચ્યો હતો.

Continue Reading
ગુજરાત3 seconds ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત2 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ5 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત8 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત8 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત12 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized14 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

ગુજરાત16 mins ago

પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા

ગુજરાત17 mins ago

ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત

ગુજરાત20 mins ago

અલિયાબાડા પાસે નદીમાં નહાવા પડેલા બાળકનું પિતાની નજર સામે મોત

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય19 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending