ગુજરાત
રાજકોટમાં બે બાઈક અથડાતાં યુવકનું મોત, હત્યાનો આરોપ
માર મારી મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ બાદ સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ ઘટના સામે ન આવી : ફોરેન્સિક પી.એમ. કરાવાયું
રાજકોટમાં આવેલા રામનાથપરા વિસ્તારમાં સ્મશાન પાસેના પુલ ઉપર ત્રણ દિવસ પૂર્વે બે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. અકસ્માત સર્જનાર ત્રિપલ સવારી બાઈક સવારોએ માર મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. તેમ છતાં પોલીસે આક્ષેપના પગલે યુવકના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરામાં આવેલા ભવાની નગરમાં રહેતા કલ્પેશભાઈ દેવજીભાઈ બાંભણિયા (ઉ.વ.28), અને સોમનાથ બંગાળી (ઉ.વ.35) તેમજ મોરબી રોડ ઉપર રહેતો ધવલ કિશોરભાઈ સરવૈયા (ઉ.વ.30) ગત તા. 6 ના રોજ રાત્રીના 11 વાગ્યાના અરસામાં રામનાથપરા સ્મશાન પાસે આવેલા પુલ ઉપરથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પુછપરછ દરમિયાન કલ્પેશ બાંભણિયા અને ધવલ સરૈયાને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સારવાર દરમિયાન કલ્પેશભાઈ બાંભણિયાનું હોસ્પિટલના બિછાને મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
મૃતક યુવકના પરિવારજનોએ અકસ્માત સર્જનાર ધવલ સરૈયા સહિત બે લોકો ત્રિપલ સવારી બાઈકમાં આવી રહ્યા હતા અને અકસ્માત સર્જી કલ્પેશ બાંભણિયાને ઢોરમાર મારતા મોત નિપજ્યું હોવાનું આક્ષેપ કર્યો હતો. આક્ષેપના પગલે પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ શંકાસ્પદ ઘટના સામે આવી ન હતીં. પરંતુ મૃતક યુવકના પરિવારોએ કરેલા હત્યાના આક્ષેપના પગલે પોલીસે યુવકના મોતનું કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. પોસ્ટમોટર્મ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું કારણ જાણવા મળશે. તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાત
હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
ગંદકી સબબ 85 આસામીઓને રૂા. 38,950નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 08/10/2024ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. 08/10/2024 ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ 85 આસામીઓ પાસેથી 50.08 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ. 38950/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 34 આસામીઓ પાસેથી 14.935 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 9250/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 19 આસામીઓ પાસેથી 29.075 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ 15000/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 32 આસામીઓ પાસેથી 6.07 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂૂ.14700 /-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
ગુજરાત
લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ શીતલપાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે બનાવનું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. પોલીસમાંથી જાણવા મળ્યું હતુ કે, મૃતકના 15 દિવસ બાદ લગ્ન નક્કી થયા હતા. લગ્ન પૂર્વે જ યુવાને આ પગલું ભરી લેતા પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મોચીનગર શેરી નં.6 પોલ્ટ નં.281માં રહેતા અફઝલ અઝીમભાઇ બેલીમ (ઉ.વ.39)એ પોતાના ઘરે છતનાં હુકમાં દૂપટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
અફ્ઝલ કપડાનો ધંધો કરતો હતો અને પોતે અપરિણીત હતો આ ઘટનાને લઇ પોલીસે બનાવનું કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસમાં પીએસઆઇ ટી.ડી.જાડેજા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, મૃતક અફઝલ બે ભાઇમાં નાનો હતો અને તેમના લગ્ન પંદર દિવસ બાદ નક્કી થયા હતા. યુવાનના મૃત્યુનું કારણ જાણવા પોલીસે મૃતકના પરિવારજનોન પૂછપરછ શરૂ કરી છે.
ગુજરાત
અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત
વકીલ નહીં રોકો તો લીગલમાંથી ફાળવી ટ્રાયલ ચલાવવાની કોર્ટની ટકોર બાદ આરોપીઓને વધુ સમય મળ્યો: 23મીએ સુનાવણી
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં પકડાયેલા 15 આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની ત્રીજી મુદતમાં પણ 9 આરોપીઓએ વકીલો રોકવા સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્વારા આગામી તા.8 સપ્ટેમ્બર સુધીમાં વકીલ નહી રોકવામાં આવે તો લીગલ એઇડમાંથી વકીલની ફાળવણી કરી કેસની ટ્રાયલ આગળ ચલાવવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા નહીં મળતા આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. હવે આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસ મુદત પડી છે.
વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોવા છતાં તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગર સહિતના જવાબદાર અધિકારીઓ સહિત 15 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ 3 સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ 15 પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો.
જે અનુસંધાને અદાલત દ્વારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તા.10 મી સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ફરી આરોપીઓએ વકીલ રોકવા મુદત માંગી હતી. જેને પગલે કોર્ટે તમામ આરોપીઓને વકીલ રોકવા ખાસ સૂચના આપી હતી. આગામી તા.24ના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી હતી. સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલવાની ત્રીજી મુદતે તમામ આરોપીઓને પોલીસ જાપતા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ગેમઝોન સંચાલક ધવલ ઠક્કરના વકીલ હાજર રહ્યા હતા. જ્યારે અન્ય 9 આરોપીએ હજુ પોતાના બચાવ પક્ષે વકીલ નહીં રોકતા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ આગામી તા.8 ઓક્ટોમ્બર સુધીમાં તમે વકીલ નહીં રોકો તો લીગલ એઇડમાંથી વકીલ ફાળવી દેવામાં આવશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી. પરંતુ ચોથી મુદતે કોઈ કારણોસર પોલીસ જાપતા સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ નહિ કરાતા વધુ એક મુદત પડી છે. આગામી તા.23 ઓક્ટોમ્બરના રોજ કેસની ટ્રાયલ ચલાવવા મુકરર કરી છે. જેથી આરોપીઓને વકીલ રોકવા માટેનો વધુ સમય મળ્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
-
રાષ્ટ્રીય1 day ago
આવતા અઠવાડિયે આવશે દેશ માં સૌથી મોટો આઈપીઓ ,તો જાણો કેટલી હશે એક શેરની કિંમત
-
ગુજરાત1 day ago
વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO
-
મનોરંજન1 day ago
માંડ માંડ બચી તુલસી કુમાર!!! શૂટિંગ દરમિયાન સિંગર પર પડી દીવાલ, જુઓ VIDEO
-
રાષ્ટ્રીય9 hours ago
પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO
-
રાષ્ટ્રીય2 days ago
ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો
-
ગુજરાત1 day ago
ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો
-
ગુજરાત1 day ago
કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત
-
ગુજરાત1 day ago
RTO દ્વારા ટુ વ્હિલર માટે GJ-03-NSમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરનું ઓક્શન