ક્રાઇમ
સગાઈ માટે 30 હજાર વ્યાજે લીધા 36,000 ચૂકવ્યા છતાં મુદ્લ, ચડત વ્યાજની માગણી કરી
જામકંડોરણાના યુવાને સોનાના બુટિયા, વીંટી ગીરવે મૂકી 10 ટકાના વ્યાજે પૈસા લીધા હતાં
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલ મુહિમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વ્યાજખોરના ભોગ બનેલ વ્યકિતઓને સીધો ન્યાય મળે તેવા ઉદ્દેશથી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમનું સુચન જારી કરવામાં આવ્યા હતાં.
આ સુચન ના પગલે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ વિ.એમ ડોડીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા લોક સંપર્ક કાર્યક્રમના આયોજન કરવામાં આવી રહ્યાં છે ત્યારે જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા વ્યાજ ચક્ર ની વિષ ફસાયેલા એક મજુર વ્યક્તિ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવ્યું હતું કે પોતાની સગાઇ વખતે જામકંડોરણા ના ગોકુલધામ રહેતો અને વ્યાજ વટાવ નો ધંધો કરતા પરેશ રાઘવાભાઈ કોયાણી પાસે થી 10 % વ્યાજના દરે થી 30,000 પોતાના મિત્ર પાસે થી સોનાના દાગીના ઉપર લીધાં હતાં એક વર્ષ ના 10% લખે તમને 36000 ભરી દીધાં છે. છ મહિનાનું વ્યાજ બાકી છે. જ્યારે સોનાના દાગીના પરત માંગ્યા તો આ વ્યાજખોરો પરેશ જણાવ્યું કે ‘પહેલાં મારી મુળ રકમ અને છે મહિના નું વ્યાજ ભરી જાય પછી તારા દાગીના મળશે નહીંતર દાગીના મળશે નહીં.
આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા અરજદાર ની અરજી ના પગલે જામકંડોરણા ના પોલીસ સ્ટેશન પીએસઆઇ વિ.એમ. ડોડીયા, એ.એસ.આઈ. મનજીભાઈ ચૌહાણ હેડ.કોન્સ. રામભાઇ રાડા દ્રારા ગુજરાત નાણાં ધિરાણ કરનારાઓ બાબતનો અધિનિયમ-2011 ની કલમ 40,42(ક)(ઘ) મુજબ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ તકે જામકંડોરણાના પીએસઆઇ વિ.એમ. ડોડીયા જણાવ્યું હતું કે વ્યાજખોરોના ચક્કર ફસાયેલા લોકોએ સામે આવીને પોલીસ ની મદદ લેવી જોઈએ
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.
ક્રાઇમ
શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ