Connect with us

Sports

ટીમ ઈન્ડિયા ઝ-20 ઈન્ટરનેશનલમાં 150 મેચ જીતનારી વિશ્ર્વની પ્રથમ ટીમ

Published

on

ઝિમ્બાબ્વે સામે
2-1થી બઢત સાથે નોંંધાવ્યો રેકોર્ડ


ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમાઈ હતી.શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે આ મેચ જીતીને સીરીઝમાં 2-1 થી બઢત મેળવી હતી.ભારતની ટીમે આ મેચમાં 23 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી.ભારતની ટીમે આ જીત સાથે જ એક નવો વિક્રમ પોતાના નામે નોંધ્યો છે.


જિમ્બાબ્વે સામે આ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતની ટીમે નવો વિક્રમ પોતાના નામે કર્યો છે.ભારતની ટીમે ટી-20આઈમાં 150 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.ભારતીય ટીમે ટી-20આઈમાં અત્યાર સુધીમાં કુલ 230 મેચ રમી છે, જેમાંથી ભારતની ટીમે 150 મેચમાં જીત મેળવી છે.આ યાદીમાં ભારત બાદ કોઈ ટીમનું નામ જો આવતું હોય તો તે પાકિસ્તાન છે. પાકિસ્તાનના ટીમના ટી-20આઈ માં રેકોર્ડ વિષે વાત કરવામાં આવે તો પાકિસ્તાને 245માંથી 142 મેચ જીતી છે.ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે 220માંથી 111, ઓસ્ટ્રેલિયાએ 195માંથી 105, ઈંગ્લેન્ડે 192માંથી 100 અને દક્ષિણ આફ્રિકાએ 185માંથી 104 મેચ જીતી છે.જો જીતના ટકાવારી વિષે વાત કરવામાં આવે તો બધી જ ટીમોમાં યુગાંડા ટીમની ટકાવારી સૌથી ઊંચી છે. તેમણે પોતાની 95 મેચમાંથી 70 મેચ જીતી છે.બીજી તરફ ભારતના જીતની ટકાવારીની વાત કરવામાં આવે તો તે 65.21 છે.


ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા-2 છગ્ગા સાથે 36 રન, કેપ્ટન શુભમન ગીલે 49 બોલમાં 7 ચોગ્ગા-3 છગ્ગા, અભિષેક શર્માએ 9 બોલમાં 1 ચોગ્ગો ફટકારીને 10 રન, રૂૂતુરાજ ગાયકવાડે 28 બોલમાં 4 ચોગ્ગા-3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 49 સિક્સ ફટકારી અને સંજુ સેમસને 7 બોલમાં 2 ફોર ફટકારીને 12 રન બનાવ્યા.

Sports

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

Published

on

By

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા પહેલા તાત્કાલિક અસરથી રેલવેની નોકરીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે જિંદની જુલાના વિધાનસભા બેઠક પરથી મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. વિનેશ ફોગાટે પણ ચૂંટણી પ્રચાર શરૂૂ કરી દીધો છે. પરંતુ હરિયાણામાં વિનેશ ફોગાટ ચૂંટણી લડવા અંગે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. રેલવેએ હજુ સુધી વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. રેલવેએબંને કુસ્તીબાજોને કારણ બતાવો નોટિસ ફટકારી છે.


કુસ્તીબાજો વિનેશ ફોગટ અને બજરંગ પુનિયા શુક્રવારે (6 સપ્ટેમ્બર 2024) કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં AICC મુખ્યાલયમાં, કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે કુસ્તીબાજ વિનેશ ફોગાટને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મળ્યા બાદ ભારતીય રેલ્વે તરફથી કારણ બતાવો નોટિસ મળી છે. રાજીનામું સ્વીકારીને તેને એનઓસી ન આપે. ત્યાં સુધી તે ચૂંટણી નહીં લડી શકે. ઉત્તર રેલવેનું કહેવું છે કે કારણ બતાવો નોટિસ સર્વિસ મેન્યુઅલનો એક ભાગ છે, કારણ કે રેલવેના રેકોર્ડમાં તે હજુ પણ સરકારી કર્મચારી છે.


ઓલિમ્પિયન કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસમાં જોડાતા પહેલા શુક્રવારે ભારતીય રેલ્વેના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું, રેલ્વે અધિકારીઓએ વિનેશ ફોગાટને કારણ બતાવો નોટિસ મોકલી છે, તેનો એકમાત્ર ગુનો એ છે કે તે રાહુલ ગાંધીને મળી હતી. કેસી વેણુગોપાલે કહ્યું કે રેલવેએ રાજનીતિન કરવી જોઈએ અને વિનેશ ફોગાટને રાહત આપવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જોઈએ. રેલવે તેમના રાજીનામાનું કારણ જાણવા માંગે છે. રેલ્વેના નિયમો મુજબ, રેલ્વે કર્મચારીએ રાજીનામું આપ્યા પછી ત્રણ મહિનાનો નોટિસ પીરિયડ આપવો જરૂૂરી છે.


તેથી, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ દ્વારા રાજીનામું મોકલ્યા પછી, કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે.રેલ્વેના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી સેવામાં હોય ત્યારે રાજીનામું આપે તો તેને ત્રણ મહિનાની નોટિસ આપવી પડે છે, નહીં તો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દે છે. ત્રણ મહિનાનો નોટિસ પિરિયડ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જો કોઈ પણ સમયે કર્મચારીને સેવામાં જોડાવાનું મન થાય તો તે પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે, પરંતુ જો તે તાત્કાલિક અસરથી રાજીનામું આપે તો આવી સ્થિતિમાં પાછું ખેંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Continue Reading

Sports

દિલ્હી પ્રીમિયર લીગમાં મયંક રાવતે વિજયી પાંચ છગ્ગા ફટકાર્યા

Published

on

By

દિલ્હી પ્રીમિયર લીગ 2024ની સિઝનનો રોમાંચક ફાઈનલની સાથે અંત આવ્યો છે. ટાઈટલ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સની સાથે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 3 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો મયંક રાવત રહ્યો જેને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા અને ટીમનો સ્કોર વધાર્યો હતો.


હકીકતમાં મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતી રાઈડર્સ ટીમે 5 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. ટીમના મયંક રાવતે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા હતા. તેને મેચમાં 39 બોલ માં 78 રન બનાવ્યા હતા. મયંકે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા મયંકે કુલ 6 છગ્ગા માર્યા હતા. તેના સિવાય હાર્દિક શર્માએ 21 અને હિંમત સિંહે 20 રન બનાવ્યા હતા જ્યારે સાઉથ દિલ્હીના કુલદીપ યાદવ અને રાઘવ સિંહે 2-2 વિકેટ લીધી હતી. એક સફળતા દિગ્વેશ રાઠીને મળી હતી.


મયંક રાવત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. જ્યારે છેલ્લી ઓવર સાઉથ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની હતી. તેનો ફાયદો મયંકે ઉઠાવ્યો અને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા મારીને 30 રન કર્યા હતા. મયંકે પહેલા અને છેલ્લા 4 બોલ પર છગ્ગો માર્યો હતો.

Continue Reading

Sports

બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત

Published

on

By

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ઘરેલુ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. પહેલી મેચ ચેન્નઈમાં 19 સપ્ટેમ્બરથી, જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં યોજાશે.આ ભારતીય ટીમની માર્ચ 2024 બાદ પહેલી ટેસ્ટ સીરીઝ છે. આ સીરીઝ સાથે જ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ રહી છે. તેણે ટી20 વર્લ્ડ કપ ફાઈનલ બાદથી બ્રેક લીધો હતો. સાથે જ બીજા વિકેટકીપર તરીકે ધ્રુવ ઝુરેલની પસંદગી થઈ છે.પહેલી ટેસ્ટ માટે શ્રેયસ અય્યર, દેવદત્ત પડિક્કલ, ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડને જગ્યા મળી નથી. કેએલ રાહુલને બેટ્સમેન તરીકે સામેલ કર્યો છે. કપ્તાની રોહિત શર્મા જ સંભાળશે. જ્યારે સ્પિનર તરીકે આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવની પસંદગી થઈ છે. ટેસ્ટ ટીમમાં પંતની વાપસી પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે.

પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના ખેલાડી
રોહિત શર્મા (કપ્તાન), યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), આર અશ્વીન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

સસ્તું નહીં થાય ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, GST કાઉન્સિલમાં નિર્ણય મોકૂફ

ક્રાઇમ12 hours ago

વાપીના આસિ. પી.એફ.કમિશનર અને સુપ્રભાત રંજન પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ક્રાઇમ12 hours ago

અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ કરી ધરપકડ

ગુજરાત12 hours ago

કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 65 કેસો રજૂ કરાયા

ગુજરાત12 hours ago

રોગચાળાનો ભરડો: ડેન્ગ્યુના 21, ઝાડા-ઊલટીના 349 કેસ

ક્રાઇમ12 hours ago

રાજકોટમાં પોલીસ પણ અસલામત!, પોલીસના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં-રોકડની ચોરી

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત13 hours ago

ગાંધીનગર-મહુડી હાઇવે પર માતેલા સાંઢની જેમ નીકળેલી મર્સિડીઝે દેરાણી-જેઠાણીનો ભોગ લીધો

ગુજરાત13 hours ago

જાહેરમાં ગંદકી અને પ્લાસ્ટિક વાપરતા 139 વેપારીઓને રૂા.37,450નો દંડ

ગુજરાત13 hours ago

સગીર પથ્થરબાજો 3 કિ.મી દૂરથી આવ્યા, મુખ્ય કાવતરાખોરની તપાસ: ગેહલોત

ગુજરાત17 hours ago

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ

ગુજરાત13 hours ago

ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો

ગુજરાત21 hours ago

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ

કચ્છ14 hours ago

કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો

ગુજરાત17 hours ago

દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ

ગુજરાત18 hours ago

તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!

ગુજરાત18 hours ago

જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો

Sports13 hours ago

વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી

રાષ્ટ્રીય20 hours ago

ભાજપના નેતાની ગોળી મારી હત્યા, બદમાશો ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર, જુઓ CCTV

આંતરરાષ્ટ્રીય21 hours ago

ભારતમાં ભાજપ કે પીએમ મોદીથી કોઈ ડરતું નથી… રાહુલ ગાંધીએ અમેરિકામાં કેમ કહ્યું આવું ?

Trending