ગુજરાત
સિવિલમાં સિક્યોરિટી માટે મુકાયેલ નિવૃત્ત જવાનોને પગારના ફાંફાં
મંજૂરી વગર નિવૃત્ત ફૌજીને નોકરીએ રાખી દીધા બાદ ત્રણ મહિનાથી પગાર ચૂકવવામાં તંત્રનાં ઠાગાઠૈયા
સિકયુરિટી એજન્સી અને હોસ્પિટલ તંત્રનાં પાપે નિવૃત્ત ફૌજીઓના તહેવાર બગડ્યા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષા માટે રાખવામાં આવેલા નિવૃત્ત ફૌજીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં ચુકવાતા આ નિવૃત્ત ફૌજીઓની હાલત કફોડી બની ગઈ છે. જેના કારણે આ નિવૃત્ત ફૌજીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંજુરી વિના બારોબારથી ખાનગી સિકયોરિટી એજન્સી મારફતે સિવિલ હોસ્પિટલમાં નિવૃત્ત ફૌજીઓને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતાં અને જે ફૌજીઓનો આશરે 30 હજાર પગાર નક્કી કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં કુલ 9 જેટલા નિવૃત્ત આર્મીમેનની સેવાનો પગાર આશરે 2.70 લાખ રૂપિયા થતો હતો જે રકમ કોણ ચુકવશે ? તે બાબતે અસમંજસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ફરજ બજાવતાં આ કુલ 9 નિવૃત્ત આર્મીમેનના પગાર પેટે ચુકવવની થતી આઠ લાખ જેટલી રકમનું બીલ આજ દિન સુધી અટવાયું છે ત્યારે હવે આ મામલે નિવૃત્ત ફૌજીઓ દેશની સરહદ બાદ સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લડી લેવા બાયો ચડાવી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો ઉપર થતાં હુમલા બાદ અચાનક જ કોઈપણ જાતની પૂર્વ મંજુરી વગર ખાનગી સિકયોરિટી એજન્સી મારફતે વધારાના 9 જેટલા નિવૃત્ત આર્મીમેનની ભરતી કરવામાં આવી હતી અને આ આર્મીમેનને સિવિલ હોસ્પિટલનાં રેગ્યુલર પગાર કરતાં બમણો પગાર ચુકવવાનું નક્કી થયું હતું. હોસ્પિટલનાં તત્કાલીન સુપ્રીટેન્ડન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીની મહેરબાનીથી સિકયોરિટી એજન્સીને તાત્કાલીક આ આર્મીમેનની ભરતી કરવા સુચના આપવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં અચાનક જ નિવૃત્ત આર્મીમેનને સુરક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી હતી.
છેલ્લા ત્રણ મહિનાથી સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સંભાળતાં આ નવ જેટલા નિવૃત્ત આર્મીમેનને છેલ્લા ત્રણ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. આ મામલે હાલના તબીબી અધિક્ષક ડો.મોનાલી માકડીયા અને આર.એમ.ઓ.ચાલડા સાથે વાતચીત થતાં આ બાબતે તેમણે બે દિવસમાં તમામ આર્મીમેનનો પગાર ચુકવાઈ જશે તેવી ખાતરી કરી હતી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી પગાર ચુકવવામાં વિલંબ થતાં હવે આ મામલો સિવિલ હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ, સિકયોરિટી સર્વિસમાં નિવૃત આર્મીમેનની સેવા લેવામાં આવી ત્યારે કોઈપણ જાતની પૂર્વ મંજુરી કે નિવૃત્ત ફૌજીઓને જે પગાર પેટે વધારાની રકમ ચુકવવામાં આવશે તે કોણ ચુકવશે તે બાબતનો કોઈપણ નિર્ણય લેવાના બદલે નિવૃત્ત ફૌજીઓને નોકરીએ રાખી દીધા બાદ હવે હોસ્પિટલનું તંત્ર અને સિકયોરિટી એજન્સી પગાર ચુકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે અને છેલ્લા ત્રણ મહિનાથી નિવૃત્ત ફૌજીઓને તેમનો પગાર નહીં મળતાં તેમની આર્થિક હાલત કફોડી બની છે અને તેમના તહેવારો પણ બગડયા છે.
અમારે આ રીતે નોકરી નથી કરવી : જવાનોનો આક્રોશ
દેશની સુરક્ષા માટે પોતાની જાન ન્યૌછાવર કરી દેનાર ભારતની આર્મીએ દેશ માટે ગર્વનું પ્રતિક છે ત્યારે સિવિલ હોસ્ફિટલમાં તબીબોની સુરક્ષા માટે જવાબદારી જેને સોંપવામાં આવી હતી અને આ જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવનાર નિવૃત્ત ફૌજીઓને દેશની સરહદ ઉપર લડાઈ કરવામાં જેટલી મુશ્કેલી નથી પડી તેટલી મુશ્કેલી પોતાના કામનું વળતર મેળવવા માટે પડી રહી છે. ત્રણ મહિનાથી પગારથી વંચિત સિવિલ હોસ્પિટલનાં નિવૃત્ત ફૌજીઓએ આક્રોશ સાથે તબીબી અધિક્ષકને રોકડુ પરખાવી દીધું હતું કે અમારે આવી રીતે નોકરી કરવી નથી. જો સમયસર પગાર ચુકવો તો જ નોકરી કરવી છે. સિકયોરિટી એજન્સી અને હોસ્પિટલ તંત્રનાં સંકલનના અભાવે છેલ્લા મહિનાથી આર્મીના નિવૃત્ત જવાનો આર્થિક સ્થિતિ સાથે લડી રહ્યાં છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું