અમરેલી
અમરેલીના ધારીમાં રખડતાં ઢોરનો આતંક, બાખડી રહેલા આખલાઓએ બાઇક ચાલકને ઉલાળ્યો, જુઓ વિડીયો
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે અમરેલીના ધારીમાં આખલાના આતંકનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ૩ આખલાઓ બાખડતા રોડ પર આવે છે ત્યારબાદ રસ્તા પરથી ટૂ-વ્હીલર લઈ પસાર થઈ રહેલા ડોકટરને આખલાઓએ અડફેટે લીધા હતા. આ ઘટના બાદ ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા. રોડ પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં પણ નાસભાગ મચી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અમરેલીના ધારીમાં રસ્તાઓ પર આખલાઓ બાખડતાં એક ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લીધા હતા, જ્યારે અન્ય એક મોટરસાઇકલ ચાલક પણ માંડ માંડ બચ્યા હતા અને જીવ બચાવી ભાગ્યા હતા. તો રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી. ધારીના મુખ્ય ગેટ નજીક બાખડી રહેલા આખલાઓએ અડફેટે લેતાં તુષાર પટેલ નામના ડોકટર ઈજાગ્રસ્ત થયા હતા.
અમરેલીના ધારીમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે વાહનચાલકો અને વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવારનવાર આ મામલે રજૂઆત કર્યા બાદ પણ રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
અમરેલી
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના, ઘઉંની બોરી ઉતારતા વખતે 5 શ્રમિકો દબાયા, 1 નું મોત
અમરેલી માર્કેટયાર્ડમાં આજે મોટી દુર્ઘટના સર્જાઇ છે. યાર્ડમાંઘઉંની બોરીઓ ઉતારતી વખતે 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયું છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના લઇને મજૂરો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી અને મજુરો દટાયા હતાં. ત્યારબાદ મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે. જયારે 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે
આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક નામના મજૂરનું મોત થયું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.
અમરેલી
દામનગરમાં SMCનો દરોડો: જુગારની ક્લબ સાથે દારૂની મહેફિલ ઝડપાઈ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર બસસ્ટેન્ડ નજીક શ્યામ કોમ્પલેક્ષમાં જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી ગાંધીનગરનું સ્ટેટમોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડ્યો હતો. આ જૂગારની ક્લબમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે પોલીસના દરોડામાં પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતાં. જૂગારના દરોડામાં દારૂની 13 બોટલ પણ મળી આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે વાહન, પાંચ મોબાઈલ, દારૂની બોટલ સહિત રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ આઈપીએસ નિર્લિપ્તરાયના તાબા હેઠળની સ્ટેટમોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જી.આર. રબારી અને ટીમે બાતમીના આધારે દામનગરના બસ્ટેન્ડ પાસે આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી દારૂ જૂગારની ક્લબ મળી આવી હતી.
એસએમસીના દરોડામાં જૂગાર રમતા દામનગરના હિંમત ઉર્ફે કાળુ શ્યામજીભાઈ જયપાલ, હર્ષદ પ્રાગ્જીભાઈ જયપાલ, ગણેશ નાગજી પરમાર, અમિત દેવશીભાઈ પરમાર, સંજય દિનેશભાઈ સોલંકી અને ભાવેશ બાબુભાઈ જાંજડિયાની ધરપકડ કરી રૂા. 19,150ની રોકડ, 90000ના ત્રણ વાહનો તથા 1300 રૂપિયાની કિંમતની 13 બોટલ વિદેશી દારૂ મળી રૂા. 1.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં વરલી-મટકાનો ધંધો ચલાવનાર મુખ્ય સુત્રધાર ભરત જયંતિભાઈ ગોહિલ, ભાગીદાર અર્જુન જીવણભાઈ સાતડિયા, કેશિયર મુકેશ ઠાકોર દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી કૌશીક ભરતભાઈ ગોહિલ અને દારૂની ડિલેવરી આપનાર શૈલેષ અરવિંદભાઈ ચાવડિયા ફરાર થઈ ગયા હતાં. દારૂ અને વરલી-મટકાની ક્લબમાં તમામ સુવિધાઓ આપવામાં આવતી હોય આ મામલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છ.ે
અમરેલી
જાફરાબાદના દરિયામાં માછીમારી બોટની જળસમાધિ, આઠનો બચાવ
અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે દરિયામાં બોટ ડૂબવાની અકસ્માતની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આજે આવી જ એક ઘટના સામે આવી છે. જાફરાબાદના સીદીકભાઈની હુસેની નામની બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. ત્યારે દરિયાની અંદર અકસ્માતે બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. બોટ પલટી મારતા 8 ખલાસીઓના જીવ જોખમમાં મુકાયો હતો.
આ દરમ્યાન જાફરાબાદની બોટ પસાર થતી હોવાને કારણે 8 ખલાસીઓને તેમની બોટમાં અંદર બેસાડી બચાવી લેવાયા હતા. હુસેની નામની બોટ દરિયામાં ડૂબી ગઈ છે.8 ખલાસીઓનો બચાવ થયો છે તેમને અન્ય બોટમાં જાફરાબાદ લાવી રહ્યા છે. મધ દરિયામાં ઘટના બની હોવાને કારણે વહેલી સવાર સુધીમાં જાફરાબાદ બંદર પર વતન લવાશે. હાલ જાફરાબાદ માછીમાર સમાજના આગેવાનોના સંપર્કમાં છે જેથી માછીમારના લોકોએ રાહત અનુભવી છે.
જાફરાબાદ માછીમાર સમાજ અગ્રણી કનેયાલાલ સોલંકીએ જણાવ્યું કે, એક બોટ ડૂબી હતી પરંતુ 8 ખલાસીઓને અન્ય બોટની મદદથી બચાવી લીધા છે. તેની બોટમાં બેસાડી દીધા છે તે ખલાસીઓ જાફરાબાદ આવી જશે સુરક્ષિત છે.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો