Connect with us

Sports

T-20 ફાઇનલમાં વરસાદનું જોખમ, જો અને તોનું ગણિત

Published

on

શનિવારે નહીં તો રવિવારે રમાશે, પરિણામ માટે 10-10 ઓવર રમવી ફરજિયાત, છતાં ન રમાય તો બન્ને ટીમ સંયુક્ત વિજેતા જાહેર થશે


ભારત અને સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ શનિવાર 29 જૂનના રોજ બારબાડોસમાં રમશે. ભારતે ઈંગ્લેન્ડને ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઈનલમાં ગુરુવારે 68 રનથી હાર આપી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે બારબાડોસમાં હવામાન કેવું રહેશે. શું શનિવારના રોજ વરસાદ પડશે, જો વરસાદ આવશે તો નિર્ણય કઈ રીતે લેવામાં આવશે? તે અંગે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઇંતેજારી પ્રવર્તી છે.
ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં પણ વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. ત્યારે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ આ દિવસે વરસાદની પુરી શક્યતા છે.


વેધર રિપોર્ટ અનુસાર બારબાડોસમાં 29 જૂનના રોજ 99 ટકા વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન છે. 30 જૂનના રોજ પણ વરસાદની શક્યતા છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ફાઈનલ મેચ ભારતીય સમયઅનુસાર રાત્રે 8 કલાકથી શરુ થશે. જો વરસાદ આવશે તો સૌથી પહેલા મેચનું પરિણામ માટે અંદાજે 10-10 ઓવરની મેચ રમાશે. ફાઈનલમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, મેચ જ્યાંથી બંધ થઈ છે ત્યાંથી જ ચાલુ કરવામાં આવશે.જો બારબાડોસમાં સતત વરસાદ પડશે તો રિઝર્વ ડે પર મેચ નહિ રમાય તો બંન્ને ટીમને સયુંક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય
ટી-20 વર્લ્ડકપમાં હવે ભારત આવતીકાલે શનિવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાનાર છે ત્યારે ભારતના ધાકડ ઓપનીંગ બેટસમેન વિરાટ કોહલી ઉપર સૌની નજર મંડાયેલી છે. કોહલી આ ટુર્નામેન્ટમાં ખાસ કંઇ કરી શકયો નથી. પરંતુ ફાઇનલ મેચમાં ધમાકેદાર વાપસી કરે તેવી અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. અત્યાર સુધી શાંત રહેલુ કોહલીનું બેટ નિર્ણાયક તબક્કે જ ધમાલ મચાવશે તેવું ખુદ રોહીત શર્માએ પણ જણાવ્યુ હતું.

Sports

ટીમ ઇન્ડિયાને ચાર્ટર્ડ પ્લેનમાં યુરોપ અથવા અમેરિકા લઇ જવાશે

Published

on

By


ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા મોટી મુશ્કેલીમાં છે. વાસ્તવમાં, બાર્બાડોસમાં તોફાન છે અને તેના કારણે ટીમ ઈન્ડિયાના દરેક સભ્ય હજુ પણ ત્યાં અટવાયેલા છે. બાર્બાડોસમાં ચક્રવાતી તોફાનના કારણે વીજળી અને પાણી પુરવઠો ઠપ થઈ ગયો છે અને એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ ક્યારે ખુલશે તે હજુ સુધી કોઈને ખબર નથી. જોકે, વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ બીસીસીસીઆઇએ પોતાના સભ્યોને બહાર કરવાની યોજના બનાવી છે.


બીસીસીઆઈના સચિવ જય શાહે મીડિયાને જણાવ્યું કે તેઓ ખેલાડીઓ અને ભારતીય મીડિયાકર્મીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જય શાહે માહિતી આપી હતી કે બીસીસીસીઆઇ સોમવારે ચાર્ટર્ડ પ્લેનમાં બાર્બાડોસ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ એરપોર્ટ બંધ થવાને કારણે આ વિકલ્પ ખોવાઈ ગયો હતો. જય શાહે માહિતી આપી હતી કે બોર્ડ ચાર્ટર્ડ એરક્રાફ્ટ ચલાવતી કંપનીઓના સંપર્કમાં છે, બાર્બાડોસ એરપોર્ટ ખુલતાની સાથે જ ટીમ અમેરિકા અથવા યુરોપ જશે.


ટીમ ઈન્ડિયા માટે મંગળવારે પણ બાર્બાડોસ છોડવું મુશ્કેલ છે કારણ કે ત્યાં હજુ પણ તોફાનની સ્થિતિ યથાવત છે. જય શાહે મીડિયાને જણાવ્યું કે બીસીસીસીઆઇ એરપોર્ટ અધિકારીઓના સંપર્કમાં છે. એરપોર્ટનું સંચાલન શરૂૂ થતાં જ ટીમ ઈન્ડિયા ચાર્ટર્ડ પ્લેનમાં અમેરિકા અથવા યુરોપ જશે. આ પછી ટીમ ઈન્ડિયા ત્યાંથી ભારત આવશે. જોકે, જય શાહે કહ્યું કે આ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે પવનની ઝડપ ઘટશે. જય શાહે કહ્યું કે કુદરત સાથે કોઈ લડવા માંગતું નથી, તેથી રાહ જોવી વધુ સારું છે.

Continue Reading

Sports

ટીમવર્કની કમાલ, ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન

Published

on

By

ભારતીય ક્રિકેટ ટીમે ટી 20 વર્લ્ડ કપ જીતીને 17 વર્ષનો વર્લ્ડ કપ નહીં જીતવાનો દુકાળ પૂરો કરી દીધો. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડેસમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં ભારતે જબરદસ્ત ટીમ સ્પિરિટ બતાવીને 7 રને જીત મેળવી અને ટી 20 વર્લ્ડ કપમાં બીજી વાર ચેમ્પિયન બન્યું. બહુ લાંબા સમય પછી એવું બન્યું કે, ભારતના દરેક ખેલાડીએ જબરદસ્ત યોગદાન આપ્યું હોય ને આ ટીમ એફર્ટના કારણે જ આપણે ચેમ્પિયન બન્યા. ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે આ જીતમાં સૌથી મોટું યોગદાન આપ્યું છે. રીયલ થ્રીલર જેવી આ મેચમાં વિરાટ કોહલી અને શિવમ દુબે બેટિંગમાં ચાલ્યા તો બૂમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપસિંહ બોલિંગમાં ચાલ્યા જ્યારે આપણો ગુજરાતી બાપુ , અક્ષર પટેલ બેટિંગ ને બોલિંગ બંનેમાં ચાલી ગયો. સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ભલે ના ચાલ્યો પણ ડેવિડ મિલરનો કેચ પકડીને એ નિષ્ફળતા ધોઈ નાંખી કેમ કે મિલરના કેચે જ ભારતને જીતાડ્યું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. બાકી આ મેચ આપણે ગુમાવી જ દીધેલી. પંતે પણ વિકેટકીપર તરીકે બોલરોને કઈ રીતે બોલિંગમાં ચેન્જ કરવા તેની સ્ટ્રેટેજીમાં ભારે મદદ કરી ને રોહિતે કેપ્ટન તરીકે યોગદાન આપ્યું. ભારત 2011માં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીત્યું પછી એક પણ વર્લ્ડ કપ નહોતો જીત્યો. ત્રણવાર ફાઈનલમાં આવીને હારેલું અને દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલમાં પણ પહેલાં ક્લાસેન ને પછી ડેવિડ મિલર જે રીતે રમતા હતા એ જોતાં લાગતું હતું કે, આ ઈતિહાસનું પુનરાવર્તન થશે પણ આપણા ગુજરાતી ભાયડા હાર્દિક પંડ્યાએ આઉટસ્વિંગર બ્યુટીમાં ક્લાસેનને વિકેટ પાછળ ઝીલાવ્યો ને મેચ પલટાઈ ગઈ. ભારતના વિજયમાં વિરાટ કોહલીની બેટિંગનું પણ મોટું યોગદાન છે ને તેની વાત ના કરીએ તો નગુણા કહેવાઈએ. લાંબા સમયથી એવું બનતું કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા એ બે ધુરંધરોનું ઘોડું દશેરાના દિવસે જ નહોતું દોડતું. ફાઈનલ સહિતની મોટી મેચોમાં જ એ બંને ધોળકું ધોળીને બેસી જતા. આ વખતે એવું ના થયું. વિરાટ આખી ટૂર્નામેન્ટમાં ભલે ના ચાલ્યો પણ ફાઈનલમાં ચાલ્યો ને એવો ચાલ્યો કે, ભારતની લથડી ગયેલી ઈનિંગ્સને સ્થિરતા આપીને સન્માનજનક સ્કોર ઉભો કરી આપ્યો. વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વિજય સાથે ટી 20માંથી વિદાય થયા છે ને આ નિર્ણય બહુ સારો છે. બંનેની બેટિંગમાં પહેલાં જેવો ટચ નથી એ જોતાં બંને માટે વિદાય થવા આનાથી બહેતર સમય જ ના હોય. રાહુલ દ્રવિડને પણ કોચ તરીકે યાદગાર ભેટ સાથે ટીમ ઈન્ડિયાએ વિદાય આપી.

Continue Reading

Sports

BCCIએ ટીમ ઈન્ડિયાના નવા કોચની કરી પસંદગી , જય શાહે કહ્યું ક્યારે થશે જાહેરાત

Published

on

By

T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. તેથી, હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમની વિદાય પછી ભારતીય ટીમના નવા કોચ અને T20માં નવો કેપ્ટન કોણ હશે અને આ બંનેની જાહેરાત ક્યારે કરવામાં આવશે. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે એક મોટો ખુલાસો કર્યો છે. હાલમાં તોફાનના કારણે ટીમ ઈન્ડિયાની સાથે તે પણ બાર્બાડોસમાં ફસાઈ ગઈ છે. ત્યાંથી તેણે પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે બીસીસીઆઈએ તેના નવા કોચની પસંદગી કરી છે, તેની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે.

ટીમના નવા કોચ અને કેપ્ટન કોણ બનશે
જય શાહે ખુલાસો કર્યો છે કે BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ તાજેતરમાં ટીમ ઈન્ડિયાના નવા કોચ માટે એક ઈન્ટરવ્યુ લીધો હતો અને તે પછી બે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, તેણે નામ જાહેર કર્યું નથી, પરંતુ ચોક્કસપણે કહ્યું કે ટીમને ભારતના શ્રીલંકાના પ્રવાસ દરમિયાન નવો કોચ મળશે. વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમના કોચ હશે. ભારતીય ટીમના નવા કોચ માટે ગૌતમ ગંભીર સૌથી મોટો દાવેદાર છે. તેમના નામની સૌથી વધુ ચર્ચા છે. જો કે હવે તે ટીમનો કોચ બનશે કે નહીં તે શ્રીલંકા પ્રવાસ દરમિયાન જ ખબર પડશે.

T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમના ગયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું પદ પણ ખાલી થઈ ગયું છે. આ અંગે જય શાહે જણાવ્યું હતું કે હાલમાં કોઈના નામને મંજુરી આપવામાં આવી નથી. પસંદગીકારો હવે T20 ટીમના નવા કેપ્ટનને લઈને બેઠક કરશે. તે પછી જ નિર્ણય લેવામાં આવશે.

Continue Reading

Trending