ક્રાઇમ
રાજકોટની R.K. યુનિ.ના બે વિદ્યાર્થીના અપહરણ બાદ છુટકારો
એક માસ પૂર્વે થયેલા અકસ્માતના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સો કારમાં ઉપાડી ગયા, દોઢ લાખ આપવા તૈયાર થતાં કોલેજ પાસે છોડી દીધો
રાજકોટનાં ભાવનગર હાઈ-વે પર આવેલ આર.કે.યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થી અને તેના મિત્રને અગાઉ થયેલા ઝઘડામાં કરેલા સમાધાનમાં ખાર રાખી પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી રૂા.દોઢ લાખની ખંડણી માંગી હતી. આ બનાવમાં વિદ્યાર્થીએ ખંડણી આપવાની તૈયારી બતાવતાં અંતે તેની મુક્તિ થઈ હતી. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકમાં જંગલેશ્ર્વરના મુસ્લિમ શખ્સ સહિત પાંચ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે તેની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.3માં રહેતા હાઈબોન્ડ સિમેન્ટમાં નોકરી કરતાં માનસિંગભાઈ વાઢેરના પુત્ર કૃણાલ માનસિંગ વાઢેર (ઉ.19) કે જે આર.કે.યુનિવિર્સટી રાજકોટ ખાતે બી.એસ.સી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય તેને આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જંગલેશ્ર્વરના મુસ્તાક તથા વત્સલ જીતુ વેકરીયા, ગૌતમ અને મંગલ પરમાર તથા એક અજાણ્યા શખ્સ એમ પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો કૃણાલનો મિત્ર ધ્રુવીલ પરમારને આર.કે.યુનિવર્સિટીનાં છાત્ર સિબ્તેન હેરજાના મિત્ર સાથે એકસીડેન્ટ થયું હોય જે વખતેના સમાધાનમાં ધ્રુવીલ પરમાર તરફે કૃણાલ અને સામાપક્ષે સિબ્તેન હેરજા મળ્યા હતાં અને સમાધાન થયું હતું. આ ઘટના બાદ એક મહિના પછી ગઈકાલે બપોરે કૃણાલ અટીકા કાર નં.જીજે.3.એમ.એચ.5148 લઈને ગોંડલથી તેના રાજકોટ રહેતા મિત્ર પ્રિયાંશુ રાઠોડ સાથે આર.કે.યુનિવર્સિટીએ આવ્યો હતો ત્યારે મુસ્તાક અને વત્સલ, ગૌતમ, મંગલ અને અજાણ્યા શખ્સે કૃણાલની અર્ટીકાની ચાવી તેના મિત્ર પાસે હતી તે પડાવી લીધી હતી અને પ્રિયાંશુ અને કૃણાલ જ્યારે ચાવી લેવા આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે ગયા ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા મુસ્તાક સહિતના શખ્સોએ કૃણાલ અને પ્રિયાંશુને ધરાર કારમાં બેસાડી દીધા હતાં. જો કે ત્યારબાદ પ્રિયાંશુને ઉતારી દીધો હતો. પરંતુ કૃણાલને જંગલેશ્ર્વર તેમજ ગઢકા રોડ આસપાસ કારમાં ફેરવ્યો હતો અને અકસ્માતના સમાધાનમાં ધ્રુવીલ પરમારની તરફેણ કરવા બાબતે રૂપિયા દોઢ લાખની ખંડણી માંગી ત્યારે જ કૃણાલને છોડવાની તૈયારી બતાવી હતી.
કૃણાલના અપહરણ અંગેની જાણ તેના બનેવી તથા ફૈબાના પુત્રને થતાં તેનો ફોન ઉપર સંપર્ક કર્યો ત્યારે મુસ્તાક સહિતના શખ્સોએ તેને ધમકાવીને અપહરણ નહીં થયાનું ફોન ઉપર વાત કરી હતી. કૃણાલને અલગ અલગ સ્થળે કારમાં ફેરવીને તેની પાસે દોઢ લાખ રૂપિયા ખંડણી માંગી હતી જે ખંડણી આપવાની તૈયારી બતાવી ત્યારે તેને પરત કોલેજના પંટાગણમાં લાવીને છોડી મુકયો હતો તેમજ મંગલ પરમારે કૃણાલના ફોનમાંથી યુપીઆઈ આઈ.ડી.અને પાસવર્ડ મેળવી ભારતીબેન પરમારના એકાઉન્ટમાં રૂા.200 ગુગલ પેથી ટ્રાન્સફર કરી લીધા હતાં તેમજ કૃણાલની અર્ટીકા કારમાં પણ નુકસાન કર્યું હતું. આ મામલે કૃણાલે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ટોળકીને પકડી લેવા વધુ તપાસ શરૂ કરી છે.
છાત્રને ધમકાવી દોઢ લાખ ઉછીના લીધાનો ખોટો વીડિયો બનાવ્યો
આર.કે.યુનિવર્સિટીના બી.એસ.સી.ના છાત્ર કૃણાલ માનસિંગ વાઢેરનું જંગલેશ્ર્વરનાં મુસ્લિમ શખ્સ અને આર.કે.યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સહિત પાંચ શખ્સોએ તેનું અપહરણ કર્યા બાદ જંગલેશ્ર્વરમાં લાવવામાં આવ્યો હતો. સ્કોર્પિયોકારમાં ઉઠાવી કૃણાલને રાજકોટ લઈ આવ્યા બાદ તેને ધમકાવીને મુસ્તાક સહિતના શખ્સોએ વિડિયો રેકોર્ડ કરી ફોનમાં પોતાને દોઢ લાખ રૂપિયા છીના લીધા હોય તે પરત આપવાનું ખોટુ વિડિયો રેકોર્ડિંગ કરાવ્યું હતું અને ત્યારબાદ તેને આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે પરત મુકી દીધો હતો. અકસ્માતના બનાવમાં મિત્રની તરફેણ કરવા બાબતે કૃણાલનું અપહરણ કરીને માર માર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
ક્રાઇમ
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી. છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ
રાજકોટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ ભારે તંગદિલી: સાતની ધરપકડ
સામુ જોવા બાબતે મુસ્લિમ અને ભરવાડ જુથ વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં ત્રણ ઘાયલ : કુંભારવાડામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
રાજકોટના કુંભારવાડામાં ગઈકાલે રાત્રે સામુ જોવા જેવી નજીવી બાબતે મુસ્લિમ અને ભરવાડ જૂથ વચ્ચે માથાકુટ થયા બાદ શસ્ત્ર બઘડાટી બોલી હતી. જેમાં બન્ને જૂથના ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ બનાવમાં પોલીસે બન્ને પક્ષે સામેસામે ફરિયાદ નોંધી છે અને બનાવ બાદ આજે સવારથી સમગ્ર કુંભારવાડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે પોલીસે કોમ્બીંગ કરીને ભરવાડ જૂથના 4 અને મુસ્લિમ જુથના 3 એમ કુલ 7 આરોપીઓને ઝડપી લીધા હતાં. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટના કુંભારવાડામાં બનેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે સામે સામે ફરિયાદ નોંધી છે જેમાં મકાનનું લે-વેચનું કામ કરતાં દિવ્યેશ રમેશ પરમારની ફરિયાદને આધારે કુંભારવાડાના અકીલ શબીર મકરાણી, ફરાજ સલીમ ફલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી અને અજાણ્યા સહિત છ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એકાત પ્રોવીઝન સ્ટોર પાસે રહેતા અકીલ શબીર મકરાણીની ફરિયાદને આધારે હાથીખાના કુંભારવાડામાં રહેતા અવધ ભરવાડ તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાનો પુત્ર મંથન તથા તેના મિત્ર અમીત ગોહેલ અને અજાણ્યા બે મળી છ સામે ગુનો નોંધ્યો છે.
દિવ્યેશ પરમારે ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટા બાપુનો પુત્ર મંથન સ્કુટર લઈને જતો હતો ત્યારે અકીલ મકરાણી સાથે સામુ જોવા જેવી બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ દિવ્યેશ અને તેની સાથેનો ભાઈ કાર લઈને જતાં હતાં ત્યારે અકીલ સહિતના શખ્સોએ કાર ઉપર હુમલો કરી છુટા સોડા બોટલના ઘા કરી કારમાં નુકસાન કર્યુ હતું. તેમજ કારના કાચ તોડી નાખી દિવ્યેશ ઉપર અને મંથન ઉપર હુમલો કર્યો હતો. સામાપક્ષે અકીલ મકરાણીએ જણાવ્યા મુજબ, કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા દિવ્યેશે અકીલ એકસેસ મોટર સાઈકલ લઈને જતો હતો ત્યારે સામુ કેમ જોતો હતો તેમ કહી ગાળો આપી અકીલ અને તેની સાથેના ભાઈ અલ્કાબા મસ્જીદ પાસે હતા ત્યારે સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.
આ બનાવ બાદ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી તેમજ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ તાત્કાલીક કુંભારવાડા ખાતે દોડી ગયો હતો અને સ્થિતિ કાબુમાં લીધી હતી. આ બનાવ બાદ આખી રાત પોલીસે કોમ્બીંગ કર્યુ હતું અને ભારેલા અગ્નિની સ્થિતિ વચ્ચે આ બનાવમાં મુસ્લિમ જુથના ત્રણ અને ભરવાડ જૂથના 4 એમ સાત શખ્સોની ધરપકડ કરી છે.
ક્રાઇમ
મીઠાપુર નજીક કારમાંથી દારૂ, બીયરના જથ્થા સાથે બે ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે 37 ટી. 9260 નંબરની એક સ્વીફ્ટ મોટરકારના ચેકિંગ દરમિયાન પોલીસને આ મોટરકારમાંથી દારૂૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો.
તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 240 બોટલ વિદેશી શરાબ તેમજ 23 બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂૂપિયા 5,63,740 ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 25) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. 26) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત17 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી