ગુજરાત
સોમવારે રંગીલું રાજકોટ રંગાશે કાનુડાનાં રંગમાં
શનિવારે કાન-ગોપી રાસ મંડળી, રવિવારે રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલિયા સહિતના કલાકારોના કંઠે ડાયરાની રમઝટ બોલાશે: ધર્મસભા બાદ 22 કિ.મી. લાંબી પર્યાવરણ આધારિત થીમ બેઇઝ ભવ્ય રથયાત્રા રાજમાર્ગો પર વહન કરશે
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 38 વર્ષથી અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 39મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.વિશેષમાં આ વર્ષ વિ.હિ.5. ની સ્થાપનાના 60 મું વર્ષ પૂર્ણ થઈ રહયું હોય કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ વ્યાપી રહયો છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા. 26 ને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00 કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે એસ.જી.વી.પી ગુરૂૂકુળના સ્વામી બાલકૃષ્ણદાસજી બિરાજશે. મુખ્ય વકતા તરીકે વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત ક્ષેત્રના સંગઠન મંત્રી શ્રીરંગ રાજે પ્રાસંગીક ઉદ્બોધન પાઠવશે.
મહોત્સવ સમિતિના અધ્યક્ષની જવાબદારી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ, વાવડી) તથા કાર્યકારી અધ્યક્ષ તરીકે તિર્થરાજસિંહ એચ. ગોહેલ (ત્રાપજ) નિભાવી રહયાં છે. તેમજ રથયાત્રા અધ્યક્ષ તરીકે વિજયભાઈ વાંક જવાબદારી સુપેરે નિભાવી રહયાં છે. તેમજ યાત્રા સંયોજક તરીકે બંકીમભાઈ નિભાવી રહયાં છે તથા મુખ્ય રથના સંયોજક તરીકે ઘીરૂૂભાઈ વીરડીયા નિભાવી રહયાં છે. આ તકે આ ધર્મસભામાં અનેક રાજકીય અને સામાજીક આગ્રણીઓ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેનાર છે તે ઉપરાંત અનેક સાધુ સંતો તથા રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે.
આ વખતની 39મી શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના મવડી ચો. ખાતેથી શરૂૂ થનારી આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન મંદિર, પેડક રોડ ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી. સંખ્યામાં નાના-મોટા વાહન, ઘોડે સવારો તથા 30 જેટલી ટ્રાઈસીકલ વાહન લઈને સક્ષમ ગ્રુપના દિવ્યાંગ સભ્યો પ્રથમવાર આ શોભાયાત્રામાં જોડાશે. ઉપરાંત ધ્યાનાકર્ષક એવું બેન્ડ કે જેના સાંજીંદાઓ ખાસ બનાવેલા ડબલ ડેકર ઓપન એર બસ માં લાઈવ પરફોર્મન્સ આપશે. જે માણવું પણ એક નવીનતમ લ્હાવો છે. સાથે હજારો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષણિક સંસ્થાઓ અને કાર્યકરો જોડાશે. શોભાયાત્રાનું રાજકોટના રાજમાર્ગોના રૂૂટ પર ઠેર ઠેર અનેક સંસ્થાઓ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વધામણા થશે રાજકોટની અનેક સેવાભાવી સંસ્થા, યુવા મંડળો, વેપારી મંડળો દ્વારા રથયાત્રામાં જોડાનાર લોકો માટે પ્રસાદ, પાણી, શરબત, ફળાઆહાર, લસ્સી સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરશે. આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.
યાત્રાની શરૂૂઆતમાં યુવાનો કેશરી સાફા અને એક સરખા યુનિફોર્મ સાથે આપણો રાષ્ટ્રધ્વજ લઈને રથયાત્રામાં જોડાશે. ત્યારબાદ નવીનતમ ડબલ ડેકર લાઈવ ડી.જે. જે ખાસ મહેસાણાથી જોડાશે, ત્યારબાદ ગાયત્રી પરિવાર, બોલબાલા ટ્રસ્ટ, સરસ્વતી શીશુ મંદિર, રાધે-શ્યામ ગૌશાળ, બાલક હનુમાન મંદિર, રંગીલા ધુન મંડળ જેવા નામી-અનામી ગ્રૂપ મંડળના ફલોટ શોભાયાત્રામાં જોડાયે રર કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના રૂૂટ પર અનેક સમાજ, જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો આગામી તા. 24 ના રોજ રાત્રે 9-00 કલાકે વીવાયઓ હવેલી પાસે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડી ખાતે રાજકોટમાં જેની પ્રસ્તુતી થવા જઈ રહી છે તેવા 25 થી વધુ કલાકારો અને સાંજીદાઓન કાફલા સાથે કાન-ગોપી રાસ મંડળ યોજાવા જઈ રહયો છે. અચુક માણવા જેવો આ કાર્યક્રમ જન્માષ્ટમી નિમિતે થવા જઈ રહયો છે ત્યારે આ નવીનતમ કાર્યક્રમને માણવા માટે પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. ગીતો, દુહા, છંદોની સાથે સંગીતની જમાવટ કરતો જેમાં કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન કવનને વિષય બનાવીને ભજવામાં આવતા આ રાસ-મંડળમાં પુરૂૂષ કલાકારો સ્ત્રીઓના આબેહુબ પાત્રો ભજવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી અપેક્ષા હોય જે માટે ખુબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ