Connect with us

રાષ્ટ્રીય

દિલ્હીમાં વરસાદી તબાહી, બે બાળકો સહિત સાતનાં મોત, અનેક વિસ્તારો પાણીમાં

Published

on


ગઇકાલે દિલ્હીમાં પડેલા વરસાદે રાજધાનીમાં એવી તબાહી મચાવી હતી કે તેના દાગ હજુ સુધી સાફ થયા નથી. ગુરુવારે મોડી રાતથી શુક્રવાર સવાર સુધી પડેલા વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આના કારણે ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થિતિ એટલી વિકટ બની હતી કે બસો અને ટ્રકો પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા હતા. આ પછી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે આવી અને ચાર્જ સંભાળ્યો અને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.પરંતુ તેમ છતાં 4 અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં 8 અને 10 વર્ષના બે બાળકો પણ સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને બાળકો રમતા રમતા પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે તેમનું મોત થયું હતું. આ સિવાય અન્ય એક ઘટનામાં અંડરપાસમાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત થયું હતું.વસંત વિહારમાં પણ ત્રણ મજૂરોના મોત થયા હતા. વાસ્તવમાં, ભારે વરસાદને કારણે વસંત વિહારમાં એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ત્રણ મજૂરો કાટમાળમાં ફસાઈ ગયા અને મૃત્યુ પામ્યા. રેસ્ક્યુ ટીમે ત્રણેય મજૂરોના મૃતદેહને બહાર કાઢ્યા છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છતનો એક ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ફ્લાઈટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું હતું.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નવા ઉસ્માનપુર વિસ્તારના લોકોને પણ પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન શુક્રવારે સાંજે બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકો પાણીથી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા.હવામાન વિભાગના ડેટા અનુસાર, શહેરમાં 1936 પછીના છેલ્લા 88 વર્ષોમાં જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને 1901 થી 2024ના સમયગાળામાં બીજો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.


શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદે રાષ્ટ્રીય રાજધાનીને ઘૂંટણિયે લાવી દીધું હતું, પરિણામે રોહિણી વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી 39 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સિવાય વસંત વિહારમાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરો નીચે દટાયા હતા. દિલ્હીના લોકો સવારે જાગ્યા ત્યાં સુધીમાં ભારે વરસાદે રાજધાનીને ભીંજવી દીધી હતી. આ સમય દરમિયાન, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, વાહનો ડૂબી ગયા હતા અને માઇલો લાંબો ટ્રાફિક જામ હતો, જેને સમાપ્ત થવામાં કલાકો લાગ્યા હતા. હજારો મુસાફરો રસ્તાઓ પર ફસાયેલા રહ્યા, જેમાંથી ઘણા તેમની ઓફિસ અને અન્ય કામ પર જઈ શક્યા ન હતા. વરસાદ બાદ પ્રગતિ મેદાન ટનલ બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, લ્યુટિયન્સ દિલ્હી, હૌઝ ખાસ, સાઉથ એક્સ્ટેંશન અને મયુર વિહાર જેવા પોશ વિસ્તારો સહિત શહેરભરના ઘરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.


સફદરજંગ ઓબ્ઝર્વેટરી, શહેરનું પ્રાથમિક હવામાન મથક, શુક્રવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે જૂનના સરેરાશ 74.1 મીમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ હતો. 1936 પછી 88 વર્ષમાં આ મહિનામાં આ સૌથી વધુ વરસાદ છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, એક દિવસમાં 124.5 થી 244.4 મીમી સુધીના વરસાદને ભારે વરસાદ ગણવામાં આવે છે. આઇએમડીએ કહ્યું કે દિલ્હીમાં ચોમાસું આવી ગયું છે.

એઇમ્સમાં પાણી ભરાઇ જતાં 9 ઓપરેશન થિયેટર બંધ
દિલ્હીમાં વરસાદને કારણે એઈમ્સના ઓપરેશન થિયેટરને પણ અસર થઈ છે. વરસાદના કારણે દિલ્હી એઈમ્સના એક-બે નહીં પરંતુ નવ ઓપરેશન થિયેટર બંધ રહ્યા હતા. ઓપરેશન થિયેટરો બંધ હોવાને કારણે ડઝનબંધ સર્જરીઓને અસર થઈ હતી.ખાસ કરીને જે દર્દીઓ શુક્રવારે સર્જરી કરાવવા જતા હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલના સ્ટોર રૂૂમમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. AIIMSએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે દર્દીઓને ઈમરજન્સી સર્જરીની જરૂૂર હોય તેમને સફદરજંગ અને રાજધાનીની અન્ય સરકારી હોસ્પિટલોમાં મોકલવામાં આવે.ઓપરેશન થિયેટરને બંધ કરવા માટે AIIMS ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીનો ભરાવો જવાબદાર હોવાનું કહેવાય છે. વરસાદના કારણે ભોંયતળિયે પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે આખી ઇમારતનો વીજ પુરવઠો બંધ થઇ ગયો છે. જ્યાં સુધી ભોંયતળિયેથી પાણી ન નીકળે ત્યાં સુધી વીજ પુરવઠો શક્ય નથી. વીજળીના અભાવે ઓપરેશન થિયેટરો બંધ રહ્યા હતા.

રાષ્ટ્રીય

શાકભાજીના પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન: કૃષિમંત્રી પટેલ

Published

on

By


દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળકી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂૂ. 20,000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂૂ. 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય ઉઇઝના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Continue Reading

રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં મહેસૂલ વિભાગમાં બદલીનો દૌર : રાજ્યના 30 મામલતદારની બદલી

Published

on

By

ચૂંટણી વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટર વિભાગમાં નિમણૂક અપાઈ


લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યભરમાં ચોમાસાએ વેગ પકડ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચમાં નિમણુંક પામેલા મોટાભાગના મામલતદારોની બદલીનો મોટો ઘાણવો કાઢ્યો છે. જેમાં રાજ્યમાં 30 જેટલા મામલતદારોની બદલી કરી મોટાભાગના મામલતદારોને ડિઝાસ્ટાર વિભાગમાં નિણુંક આપવામાં આવી છે.
રાજ્યભરના 30 જેટલા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે. વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી કરવામાં આવી છે. કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

જેમાં વી.બી ખરાડીની ખેડાના ચૂંટણી વિભાગમાંથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, બી.વી ચાવડાની દ્વારકાથી ગાંધીનગર રીલીફ વિભાગમાં બદલી, કે.કે. વાળા દાહોદના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી અમદાવાદમાં બદલી, પ્રતિક જાખરની સુરતના ચૂંટણી વિભાગમાંથી અમરેલીના ડિઝાસ્ટર વિભાગમાં બદલી, રાકેશકુમાર મોદીની દાહોદથી ભરૂૂચ બદલી, મનીષ પટેલની વડોદરાથી ભાવનગર બદલી, પ્રવિણસિંહ રાજપૂતની અરવલ્લીથી બનાસકાંઠા બદલી, વિશાલ પટેલની અડાજણથી દ્વારકા બદલી, જિગ્નેશ જીવાણીની સુરત ગ્રામ્યથી ગીરસોમનાથમાં બદલી, બી.ટી સવાણીની જામનગરના ચીટનીસ વિભાગમાંથી ગીરસોમનાથ ડિઝાસ્ટરમાં બદલી, પૌલ ખ્રિસ્તીની જૂનાગઢના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, સી.આર. નિમાવતની મહેસાણાથી કચ્છમાં બદલી, એ.એમ. ગાવીતથી નવસારીના ચૂંટણી વિભાગમાં ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.બી. દેસાઈની વડોદરાથી પોરબંદર બદલી, એચ.એલ. ચૌહાણની રાજકોટના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, તૃપ્તિ ગામીતની વલસાડથી સુરત ડિઝાસ્ટર વિભાગમાં બદલી, દુષ્યંતકુમાર મહેતાની વડોદરાના ચૂંટણી વિભાગમાંથી વડોદરા ડિઝાસ્ટર વિભાગમાં બદલી, મહમદ અસલમ મંસુરીની વલસાડથી તાપી જિલ્લામાં બદલી, નસીફા શેખની સુરતથી વલસાડ બદલી, એમ.જે. ભરવાડની ડાંગ આહવાના ચૂંટણી વિભાગમાંથી ડિઝાસ્ટર વિભાગમાં બદલી, એ.પી. પટેલની વડોદરાના કરજણથી આણંદ ડિઝાસ્ટર વિભાગમાં બદલી કરવામાં આવી છે.

Continue Reading

રાષ્ટ્રીય

લખતર પાસે 1400 બોટલ વિદેશી દારૂ-બીયર ભરેલી કાર રેઢી મળી

Published

on

By

કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરના લખતર નજીક વિદેશી દારૂ ભરેલી કાર વરસાદના કારણે માટીના પાળામાં ફસાઈ જતાં બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટ્યા હતાં. તેનાપગલે પોલીસને બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી ગયું હતું. અને વિદેશી દારૂ ભરેલ કાર કબ્જેકરી 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ અંગેની જાણવા મળતી વિગત મુજબ લખતરના સદાદ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા કેનાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. દારૂ ભરેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસને જોઈ સ્કોર્પિયો સદાદ ગામ તરફ વાળી દીધી હતી. પરંતુ રેલવે ફાટક બંધ હોય ખેતરના રસ્તેથી ભાગવા જતાં કાર માટીના પાળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આરોપી સ્કોર્પિયો કાર રેઢી મુકી નાશી ગયો હતો.


પોલીસે રેઢી પડેલી સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી નાની મોટી રૂા. 2,29,320ની કિંમતની 1,392 બોટલ વિદેશી દારૂ, રૂા. 14,400ની કિંમતના 144 નંગ બિયરના ટીન, બે મોબાઈલ ફોન અને પાંચ લાખની સ્કોર્પિયો મળી કુલ 7,53,720નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા શખ્સોની મોબાઈલફોનના આધારે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી લખતરના પીએસઆઈ એન.એ. ડાભી સહિતના સ્ટાફે કરી હતી. જ્યારે સ્કોર્પિયો કારમાંથી ડુપ્લીકેટ નંબર મળી આવતા પોલીસે બુટલેગર અનેકાર ચાલક સહિતના શખ્સો સામે અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending