કચ્છ
કચ્છના ચાર ગામમાં પોલીસનું કોમ્બિંગ, 150 ઘાતક શસ્ત્રો ઝડપાયા
હત્યા, લૂંટ, મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ટોળકીના 22 સભ્યોને ત્યાં તપાસ
પૂર્વ કચ્છના ભચાઉ આસપાસ આવેલા શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ અને ચેરાવાંઢ ગામમાં રહેતા કુખ્યાત ઈસમોના ઘરે પૂર્વ કચ્છ પોલીસ ત્રાટકી હતી. જિલ્લા પોલીસ વડાની સુચનાથી ડીવાયએસપી સહિતનાં 381 પોલીસ કર્મચારીઓના કાફલાએ કોમ્બીંગ અને ચેકીંગ કરતાં 150 થી વધુ ઘાતક હથિયારો મળી આવ્યા છે.
તેમજ પોલીસે 22 જેટલા શકમંદોને ચેક કર્યા હતાં જેમાંથી ચાર કુખ્યાત શખ્સો હથિયાર અને કાર્ટીસ સાથે મળી આવ્યા હતાં. જેની સામે ગુના નોંધવામાં આવ્યા છે.
ભચારૂ આસપાસના કેટલાક ગામોના કુખ્યાત શખ્સો અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા હોય આવા કુખ્યાત ગુનેગારોને ત્યાં પોલીસ ચેકીંગ માટે ગઈ હતી.
મોડીરાત્રે એક સાથે પોલીસ ટીમ ત્રાટકી હતી જેમાં જિલ્લા પોલીસ વડા સાગર સાંબડાની સુચનાથી ભચાઉના ડીવાયએસપી તેમજ એલસીબી, એસઓજી, અંજાર અને ભચારૂ વિભાગના પોલીસ કર્મચારીઓ જેમાં એક ડીવાયએસપી, છ પીઆઈ, 22 પીએસઆઈ, 245 પોલીસ કોન્સ્ટેબલ, 53 મહિલા પોલીસ, 54 જીઆરડી સહિત 381 પોલીસ કાફલો શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, અને ચેરાવાંઢમાં ચેકીંગમાં ઉતર્યો હતો અને 22 જેટલા શકમંદોને તપાસવામાં આવ્યા હતાં. જેમાં શિકારપુરના હનીફ રસુલ ત્રાયા પાસેથી દેશી બંદુક, દોસમામદ ઓસમાણ ત્રાણા પાસેથી 12 નંગ જીવતા કાર્ટીસ, ઉમરદીન જુશબ ત્રાયા પાસેથી ત્રણ જીવતા કાર્ટીસ, જ્યારે શિકારપુરના રફીક હાજી અલ્લારખા ત્રાયા પાસેથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કેટલાક ઘાતક હથિયારો કબજે કર્યા હતાં. જેમાં 76 ધારદાર છરી, 12 ધારીયા, 8 તલવાર, લોખંડની ફરસી 2, છરાવાળા ધારીયા 19, અને ભાલા તેમજ એરગન સહિત 150 થી વધુ હથિયારો મળી આવ્યા હતાં.
પોલીસે જે ચાર ગામમાં કોમ્બીંગ કર્યુ તે ચારેય ગામોમાં રહેતા શખ્સો મારામારી, હત્યા, લુંટ અને અપહરણ સહિતના ગુનામાં સંડોવાયેલા છે.પોલીસે આવા ગુનેગારોને ઉંઘતા જ ઝડપી લેવા આ ઓપરેશન હાથ ધર્યુ હતું.
કચ્છ
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
22 મેડિક્લ ટીમો ઉતારાઇ
અબડાસા તાલુકામાં પણ વાઇરસનો પગ પેસારો થતા લોકોમાં ફફડાટ
કચ્છમાં હડકંપ મચી ગયો છે. કચ્છમાં ભેદી વાયરસે વધુ ત્રણ લોકોના ભોગ લેતા મૃત્યુઆંક 15 થયો છે. લખપત બાદ હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસનો પગ પેસારો થયો છે. રાજકોટ અને ગાંધીનગરની તબીબી ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, કોંગો ફીવર સહિતના નમુનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે. રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને એક્શન મોડમાં આવી છે.
વાયરસથી થતા આ તાવમાં ચેપથી બચવુ ખાસ જરૂૂરી છે. સ્થાનિક મીડિયા કર્મી રિપોર્ટિંગ કરવા જતા તાવમાં પટકાયા છે. અત્યાર સુધીમાં ભેદી વાયરસના કારણે કુલ 15 લોકોનાં મોત નિપજ્યા છે.એકલા લખપત તાલુકામાં ભેદી બીમારીથી 13 લોકોના મોત નિપજ્યા છે. ભેખડ ગામે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે. રાજ્ય સરકારે આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યા છે. લખપતનાં અસરગ્રસ્ત ગામોનાં રાજ્યની આરોગ્ય ટીમ પહોંચી છે. ભેખડ સહિતના ગામમાં આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી છે. એકલા ભેખડ ગામમાં તાવનાં લીધે 3 મોત થયા હતા.
કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવી ગંભીર બીમારીના કારણે મોત થઈ રહ્યા છે ત્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રજા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો કચ્છ કલેકટર અમિત અરોરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના ગામોમાં જત કોમ્યુનિટીમાં આ રોગના કારણે મોત થઈ રહ્યા છે.
પરિવારજનોના ડેન્ગ્યુ, મલેરિયા, એચવનએનવન સ્વાઈન ફ્લૂ તેમજ નિમોનિયા સંબંધિત સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમો સર્વેલન્સ કરી રહી છે. તો સાથે જ સ્ટેટ વિભાગની ટીમો પણ સર્વે માટે તેમજ વધુ ચકાસણી માટે ત્યાં પહોંચી છે. સાથે સાથે મગવાણા અને દયાપર પીએસસી સેન્ટરના ડોક્ટરોને પણ ઓપીડી ચેકઅપ માટે કાર્યરત કરવામાં આવ્યા છે હાલમાં પરિસ્થિતિ કંટ્રોલમાં હોવાનું કચ્છ કલેકટરે જણાવ્યું હતું.
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ બીમારી ફાટી નીકળી છે. લખપત તાલુકામાં ન્યુમોનિયા થી 13 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. એક જ સપ્તાહમાં લખપતમાં 13 યુવાનોના મોત થયા છે. લખપત તાલુકાના બોખડા ગામે 5, વાલાવારી 2, સાંન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાઢ અને લાખાપર ગામમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
સરકાર-વિપક્ષ સામસામે
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને 14 લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, શકિતસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં કાર્યરત છે. હાલ સર્વેની કામગીરી ચાલુ છે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ત્યાં ગઈ છે. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુનાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે.
કચ્છ
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
ભચાઉ તાલુકાના વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા ગાડા માર્ગ નજીક તલાવડી પાસેથી પોલીસે ત્રણ?વાહન પકડી પાડી તેમાંથી રૂૂા. 25,60,800નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં દારૂૂનું કટિંગ કરનારા શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા. વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા ગાડાં માર્ગ પાસે જોઇતી તલાવડી આસપાસ દારૂૂનું કટિંગ થવાનું છે જે માટે વાહનો બોલાવાયા હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ આજે સવારે કાર્યવાહી કરી હતી. દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં વિજપાસરનો જયેન્દ્રસિંહ જાડેજા તથા વોંધનો સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાં હાજર મળ્યા નહોતા કે કટિંગ કરવાવાળા અન્ય કોઇપણ હાજર મળ્યા નહોતા.
અહીં ઉભેલા આઇસર ટ્રક-ટેમ્પો નં. સી.જી. 04 પી.ઇ. 5584માં તપાસ કરાતાં તેમાં ઉપર ભૂંસાની થેલીઓ અને તેના નીચે દારૂૂની પેટીઓ મળી આવી હતી. આ વાહનમાંથી હેયવર્ડસ-5000 બિયરના 3384 ટીન, ગોવા સ્પેશિયલ 750 મિ.લી.ની 864 બોટલ, રોયલ બ્લેક એપલ વોડકા 180 મિ.લી.ના 5472 ક્વાર્ટરિયા, ગોવા સ્પેશિયલ વ્હીસ્કી 180 મિ.લી.ના 5136 ક્વાર્ટરિયા, ઇમ્પ્રેશન 180 મિ.લી.ના 4752 ક્વાર્ટરિયા તેમજ છત્તીસગઢના મહેશ કરણસિંઘનું ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જપ્ત કરાયું હતું. તેમજ બોલેરો નંબર જી.જે. 12 બી.ડબલ્યુ. 5872માંથી હેયવર્ડસ 5000ના 1440 ટીન તથા ટ્રેક્ટર નંબર જી.જે. 12 એફ. 8440માંથી હેયવર્ડસ-5000ના 2400 ટીન એમ ત્રણેય વાહનમાંથી કુલ રૂૂા. 25,60,800નો અંગ્રેજી શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. ફોર સેલ ઇન પંજાબ, ગોવા, મહારાષ્ટ્ર વગેરે લખેલ આ માલ ક્યાંથી, કોણ લાવ્યું હતું તે કાંઇ બહાર આવ્યું નથી તથા સ્થાનિકના બે શખ્સ પણ હાથમાં આવ્યા નથી જેને પકડી પાડવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
કચ્છ
કચ્છમાં જમાઇના હાથે કાકાજી સસરાની હત્યા
પૂર્વ કચ્છમાં ચોરી-લૂંટ-હત્યા સહિતના બનાવો દિવસો દિવસ વધી રહ્યા છે, તેવામાં ગાંધીધામ તાલુકાના ભારાપરની ખાનગી કંપનીની વસાહતમાં બે શ્રમિક વચ્ચે કોઇ મુદ્દે ડખો થતાં ગોપન પડુ બગદી (ઉ.વ. 46) નામના યુવાનને હથોડી મારી તેની હત્યા નીપજાવી એક શખ્સ નાસી ગયો હતો. ભારાપર નજીક આવેલી સાલ સ્ટીલ નામની કંપનીમાં ડબલ્યુ.આર.એમ. નામની વસાહતમાં ગઇકાલે સાંજે હત્યાનો આ બનાવ બન્યો હતો. આ વસાહતના રૂમ નંબર 91માં ગોપન તથા આરોપી વિનોદ બવરી રહેતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં સાથે રહી આ બંને કંપનીમાં મજૂરીકામ કરી રહ્યા હતા.
તેમજ આરોપી વિનોદ આ ગોપનનો સંબંધમાં કાકા સસરો થાય છે. ગઇકાલે સાંજે આ બંને વચ્ચે કોઇ?મુદ્દે બબાલ થઇ હતી, જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ હથોડી ઉપાડીને પોતાના કૌટુંબિક જમાઇના માથામાં કાનની ડાબી બાજુ પાછળના ભાગે થતા કપાળમાં ઝીંકી દીધી હતી જેમાં આ યુવાન ફસડાઇને નીચે પડયો હતો. મારામારીનો આ બનાવ બનતાં આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ઘવાયેલા યુવાનને લોહી નિંગળતી હાલતમાં સારવાર અર્થે આદિપુરની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
બનાવ અંગે કંડલા પી.આઇ. એ. એમ. વાડાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બંને શ્રમિક ગઇકાલે સાથે બેઠા હતા અને કોઇ?મુદ્દે બંને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા શખ્સે હથોડી મારી યુવાનની હત્યા નીપજાવી હતી. પ્રકરણમાં પોલીસે તપાસ હાથ?ધરી આરોપીને પકડી પાડયા હતા અને હથોડી વગેરે કબજે લીધા હતા. હત્યાના આ બનાવ અંગે મનોજ કિશોર મીટેએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ કચ્છમાં વધુ એક હત્યાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.
-
ગુજરાત13 hours ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
ગુજરાત17 hours ago
સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓને બનાવ્યા ભાજપના સભ્યો, ટાર્ગેટ પુરો આચાર્યનો કાંડ
-
કચ્છ14 hours ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
ગુજરાત22 hours ago
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, શહેરમાં તણાવ, 33ની ધરપકડ
-
ગુજરાત18 hours ago
દેવભૂમિ દ્વારકામાં ગુજસીટોકના આરોપીઓનો પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ
-
ગુજરાત18 hours ago
તળાજાના વેપારીને 2.15 કરોડના પીજીવીસીએલના બિલનો મેસેજ આવ્યો!
-
Sports14 hours ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
ગુજરાત18 hours ago
જૂનાગઢ ગેસ લીકેજ બ્લાસ્ટમાં બાળક બાદ પિતાએ દમ તોડયો