કચ્છ
જખૌ પાસે ચરસના વધુ નવ અને કોડીનાર નજીકથી 10 પેકેટ મળ્યા
સૌરાષ્ટ્રનો દરિયો ચરસ ઓકતો હોય તેવી સ્થિતિ
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ કાંઠેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સના બીનવારસી પેકેટ મળવાનો સીલસીલો શરૂ થયો છે ત્યારે ગઈકાલે બીએસએફ અને એનસીબી દ્વારા જખૌ નજીક આવેલા નિર્જન ટાપુ પર સર્ચ ઓપરેશન કરતા વધુ 9 પેકેટ ચરસના મળી આવ્યા હતાં. જ્યારે કોડીનારના છારા ગામે દરિયાયી કાંઠેથી 6.50 કરોડની કિંમતના ચરસના વધુ 10 પેકેટ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશનમાં ભુજના જખૌ કિનારે આવેલા એક અલગ ટાપુમાંથી આશરે 10 કિલો વજનના શંકાસ્પદ નાર્કોટિક્સના 9 પેકેટો જપ્ત કર્યા હતા. સતત પેટ્રોલિંગ અને સઘન તપાસ દરમિયાન બીએસએફએ જૂન 2024 થી શંકાસ્પદ ડ્રગ્સના કુલ 181 પેકેટ્સ રિકવર કર્યા છે. આ વિસ્તારમાં માદક દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે બીએસએફ દ્વારા જખૌ કિનારે અલગ-અલગ ટાપુઓ અને ખાડીઓની સઘન શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.
કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસ.ઓ.જી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી હતી.
કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસના 10 જેટલા પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફ.એસ.એલને જાણ કરવામાં આવી હતી બાદ એફ.એસ.એલના રિપોર્ટ મુજબ આ 10થી 12 કિલો ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસ.ઓ.જી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.
કચ્છ
કચ્છના પુનડીમાં ગેરકાયદે પ્રવૃત્તિના ઇરાદે આંટાફેરા કરતા ત્રણ શખ્સો બંદૂક સાથે ઝડપાયા
ગઇકાલે રાતે પુનડીની સીમમાં સંભવત: શિકાર જેવી ગેરપ્રવૃત્તિ અર્થે ભુજથી આવતા ત્રણ શખ્સની બોલેરોનો પીછો કરી કોડાય પોલીસ-ગ્રામજનોએ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી એક દેશી બંદૂક અને 26 નંગ કારતૂસ મળી આવ્યા હતા. આ અંગે મળેલી વિગતો મુજબ કોડાય પોલીસના હે.કો. વિપુલભાઇ ચૌધરીને રાતે બાતમી મળી હતી કે, ભુજથી એક બોલેરો કેમ્પરમાં અમુક ઇસમો બંદૂક (અગ્નિશત્ર) અને કારતૂસો સાથે પુનડીની સીમમાં ગેરપ્રવૃત્તિ અર્થે આવી રહ્યા છે. આ બાતમીના આધારે કોડાય પોલીસ પંચો એવા પુનડીના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા તથા અનિરુદ્ધસિંહ કનકસિંહ જાડેજાને બાતમીની સમજ આપી સમર્પણ આશ્રમ પાસે વોચમાં હતા.
પોલીસની સાથે પુનડી ગામના જાગૃતો પૂર્વ સરપંચ અજિતસિંહ જાડેજા અને એસ.પી.એમ. ફાર્મના મેનેજર નરેન્દ્રસિંહ જાડેજા તથા યુવાનો પણ?જોડાયા હતા. બાતમીવાળી ભુજથી આવતી બોલેરો કેમ્પરને રોકાવા પોલીસે ટોર્ચ લાઇટથી ઇશારો કરતાં ચાલકે વાહન ઊભું રાખ્યું નહીં અને માંડવી તરફ દોડાવી હતી. પોલીસ તથા પંચો-ગ્રામજનોએ વાહનોથી પીછો કરી પુનડી પાસે આરોપીઓ વાહન મૂકી નાસવા લાગતાં તેઓને ઝડપી લીધા હતા. બોલેરો કેમ્પર નં. જી.જે. 12 સી.ડી. 5799 કિં. રૂૂા. બે લાખ તથા એક બંદૂક કિં. રૂૂા. 1000 અને 26 નંગ જીવતા કારતૂસ કિં. રૂૂા. 260 તથા બે મોબાઇલ કિં. રૂૂા. 10,000 એમ કુલે રૂૂા. 2,11,260ના મુદ્દામાલ સાથે આરોપીઓ અકરમ અજીમ થેબા, સુલેમાન ઉમરશા શેખ અને સાહિલ મીઠુ સના (રહે. ત્રણે ભુજ)ને કોડાય પોલીસે ઝડપી આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી છે.
નોંધનીય છે કે, આ બનાવ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પુનડીની સીમમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની વિગતો ગ્રામજનો સમક્ષ ધ્યાને આવતાં તેની જાણકારી મેળવી પોલીસને વાકેફ કરાતાં આ સફળ કામગીરી પાર પડાઇ હતી.
કચ્છ
કચ્છમાં વધુ એક દુ:ખદઘટના: ભચાઉમાં કેનાલમાં ડૂબી જતા પિતા-પુત્રના કરુણ મોત
માંડવીમાં ભેંસ ચરાવવા ગયેલા બે કિશોર વયના પિતરાઇ ભાઇ ન્હાવા માટે ખાડામાં જતાં ડૂબી જવાના કારણે મોત થયા હતા, ત્યાં બીજા દિવસે ભચાઉ તાલુકાના ખારોઇ ગામ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતાં પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાથી આ પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હાથ પગ ધોતી વેળાએ પગ લપસતાં બે જણા ડૂબ્યા હતા જેમાંથી એકનો તો આબાદ બચાવ થયો હતો. જો કે ગરકાવ થયેલા પોતાના પુત્રને શોધવા પાણીમાં ઝંપલાવનાર પિતાએ પણ પુત્રની સાથે જીવ ગુમાવ્યો હતો. ભચાઉના ખારોઇ ગામ નજીક બપોરે સવા વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં પૂર્વ સરપંચ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે, નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાંથી નજીક જુવાર વાઢવા માટે 43 વર્ષીય સીદ્દી જાનમામદ હકીમ અને તેનો 14 વર્ષીય પુત્ર સીદ્દી ખમીશા જાનમામદ અન્ય ખેત મજૂરો સાથે મજૂરીકામ અર્થે આવ્યા હતા.આ કેનાલમાં 20 થી 25 ફૂટ પાણી વહેતા હોય છે.
ઉપરથી સ્થિર દેખાતું પાણી નીચે પ્રવાહિત હોવાને કારણે અનેક વખત છેતરામણું સાબિત થતું હોવાનું હાજર અકબરભાઇ ઓસમાણભાઇ રાજાએ જણાવ્યું હતું. નર્મદા કેનાલના કિનારે માત્ર હાથપગ ધોવા જતા લોકોનો પગ લપસ્યો હોય અને ડૂબી ગયા હોવાના દાખલા બનેલા જ છે. ત્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કિનારા ઉપર લપસણી લીલ જામી ગયેલી હોય છે જેના કારણે પગ લપસી જતાં કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ લોકો થયા હોવાની ઘટનાઓ બનતી રહે છે.
કચ્છ
મુન્દ્રામાં DRIનું ઓચિંતુ ચેકિંગ: સુદાનથી આવેલા 100 કરોડના તરબૂચના બીજ પકડાયા
200 કેન્ટેનર સીઝ કરાયા, અંદાજિત 39.65 કરોડ ડ્યુટીની ગેરરીતિ; 17 ઇમ્પોર્ટરના નામ ખુલ્યા
સંદિપ દવે ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલજન્સની ગાંધીધામ શાખા દ્વારા એક મહત્વપુર્ણ ઓપરેશન પાર પાડીને મુંદ્રામાં સુદાનથી આવેલા 200 જેટલા ક્ધટેનર ઝડપી પાડ્યા છે, જેમાં અંદાજે 100 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતા તરબુચના બીજ મળી આવ્યા છે. આ સમગ્ર કારસામાં 17 ઈમ્પોર્ટર છે અને અંદાજે 39.65 કરોડની દાણચોરી સ્પષ્ટ થાય છે.ડીઆરઆઈના ગાંધીધામ પ્રાદેશિક એકમ દ્વારા એકત્ર કરાયેલી ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે 17 આયાતકારો ડીજીએફટી દ્વારા જારી કરાયેલ 05.04.2024ના નોટિફિકેશન નંબર 05/2023ની જોગવાઈઓનો લાભ લેવાનો દાવો કરીને મુન્દ્રા પોર્ટ પર સુદાનથી તરબૂચના બીજની આયાત કરી રહ્યા છે.
તરબૂચના બીજની આયાત 01મી મે 2024થી 30મી જૂન 2024 સુધી ફ્રી હતી. 30મી જૂન 2024 સુધી જારી કરાયેલા બોર્ડના બિલ પર મોકલેલ માલસામાનને આયાત કરવા માટે મફત ગણવામાં આવશે, આમ તમામ આયાત માલ, જે 30મી જૂન 2024 પછી બોર્ડ પર મોકલવામાં આવ્યા છે, તે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવે છે, નિયત સમયમર્યાદા થી વિરુદ્ધ ગત બે મહિનમાં આયાતકારોએ તરબુચના બીજ આયાત કર્યા હતા, જે નોટિફિકેશનનું સંપુર્ણ ઉલ્લંઘન હતું.
તપાસમાં જાણવા મળ્યું કે, ડીજીએફટી સૂચનાની અસરને બાયપાસ કરવા માટે, લેડીંગના નકલી બિલ કસ્ટમ્સને સબમિટ કરવામાં આવ્યા હતા. જે 30મી જૂન 2024 પહેલા બોર્ડની તારીખે મોકલવામાં આવ્યા હતા. ટ્રેકિંગના આધારે અને સર્ચ દરમિયાન રિકવર થયેલા લેડીંગના અસલ બિલના આધારે, વાસ્તવિક તારીખ મળી આવી હતી. જે 30મી જૂન, 2024 પછીની સામે આવ્યું હતુ. જપ્ત માલનું કુલ મૂલ્ય આશરે 100 કરોડ (એકસો કરોડ) છે જ્યારે કે ડ્યુટીની સંડોવણી સાથે 39.65 કરોડ થવા જાય છે. તદનુસાર, આયાત માલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.
-
ક્રાઇમ1 day ago
રાજકોટના સિક્યુરિટી ગાર્ડ અને ભાવનગરના રિક્ષા ચાલકને નામે 246 બોગસ કંપનીઓ ખોલી રૂ. 8000 કરોડ ના GST ચોરી કૌભાંડનો પર્દાફાશ.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
મુકેશ અંબાણીએ Jio યુઝર્સને આપી દિવાળીની ભેટ, મળી રહ્યો છે 3350 રૂપિયાનો મફત લાભ
-
ક્રાઇમ1 day ago
નકલી EDની રેડ દરમિયાન અસલી ED પહોંચી, જાણો 5 કરોડ રૂપિયાનું શું થયું?
-
ગુજરાત1 day ago
દિવાળીના તહેવારોમાં PGVCL સ્ટેન્ડ બાય, ફોલ્ટ સેન્ટરોના નંબર જાહેર
-
ગુજરાત1 day ago
રેલનગરમાં માસીના ઘરે દિવાળી કરવા આવેલા 14 વર્ષીય તરૂણનું ડેન્ગ્યુથી મોત
-
ગુજરાત1 day ago
રાજકોટના ગારીડા ગામની વાડીમાં અજગરનું રેસ્કયુ
-
ગુજરાત1 day ago
ડોક્ટર, ઇજનેર સહિત 37 નવયુવાન પાર્ષદોએ લીધી ભાગવતી દીક્ષા
-
Sports1 day ago
ટીમ ઈન્ડિયાનું શાસન ખતમ!! 12 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ હાર્યું ભારત, ન્યુઝીલેન્ડે પુણે ટેસ્ટ 3 દિવસમાં જીતી