ગુજરાત
મ્યુનિ.કમિશનર, મેયર, CP સામે નવેસરથી કેસ દાખલ કરવા રિટ
રાજકોટમાં ગાય અડફેટે ઘવાયેલા નિવૃત્ત ફોજીએ દસ મહિને દમ તોડી દીધો, ઢોરમાલિક 1300 રૂપિયા દંડ ભરી છૂટી ગયો
મુંબઈ પોલીસે રાજકોટ પોલીસને જાણ કરી ત્યાં કેસ પૂરો થઈ ગયો, મૃતક ફોજીના પુત્રએ ફરી હાઈકોર્ટના દ્વાર ખખડાવતા નોટિસો કાઢી
રાજકોટ સહિત ગુજરાતભરમાં રખડતાં ઢોરનો પ્રશ્ર્ન તે વિકટ બની ગયો હોય ત્યારે રખડતાં ઢોરે રાજકોટનાં ભોમેશ્ર્વર વિસ્તારમાં 10 મહિના પૂર્વે નિવૃત્ત ફૌજીનો ભોગ લીધાની ઘટનામાં રાજકોટ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવાને બદલે બારોબર કાર્યવાહી કરી આ ઘટનામાં ઢોર માલિક દંડ ભરીને છુટી ગયો હોય જેથી હવે મૃતક ફૌજીના પુત્રએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને આ મામલે તત્કાલીન મ્યુનિ.કમિશ્નર, મેયર અને પોલીસ કમિશ્નર સામે નવેસરથી શાપરાધ મન્યુવધનો ગુનો નોંધવા કરેલી રીટને ધ્યાને લઈ હાઈકોર્ટે આગામી તા.2 ઓગસ્ટે સુનાવણી હાથ ધરી છે અને આ મામલે જવાબદાર અધિકારીઓને હાજર રહેવા નોટિસ પણ ઈસ્યુ કરી છે.
શહેરના જામનગર રોડ પર પરસાણાનગર શેરી નં.16માં રહેતા નિવૃત્ત આર્મીમેન નવલસિંહ ઉર્ફે નવુભા ધીરૂભા ઝાલા ગત તા.16-12-2022ના રોજ પોતા પૌત્રીને સ્કૂલેથી તેડીને આવતાં હતાં ત્યારે ભોમેશ્ર્વરમાં રખડતા ઢોરે તેમને ઢીંકે ચડાવતા ગંભીર ઈજા થઈ હતી. તેમને પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલ ત્યારબાદ 24-1-2023નાં રોજ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં 4-8-2023નાં રોજ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ગત તા.8-9-2023નાં રોજ તેમનું અવસાન થયું હતું. બીજી તરફ આ મામલે જે તે વખતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, મ્યુનિ.કમિશ્નર સહિતનાં જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ ઘટનામાં મહાનગરપાલિકાના વેટરનીટી ડો.ભાવેશ જાકાસણીયા ફરિયાદી બન્યા હતાં. અને ઢોર માલિક સામે ગુનો નોંધાયો હતો. જેમાં ઢોરના માલિક ભરત છેલાભાઈ શિયાળીયા સામે લોક અદાલતમાં કેસ ચાલી જતાં ગત 13 મે-2023ના રોજ ઢોર માલિક ભરત શિયાળીયા 1300 રૂપિયાનો દંડ ભરીને છુટી ગયો હતો.
આ મામલે મૃતકના પુત્ર સુખદેવસિંહ ઝાલા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી તેમના પિતાનો રખડતાં ઢોરે ભોગ લીધો હોય જે મામલે મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર, મેયર તેમજ જવાબદાર અધિકારીઓ સામે મન્યુવધ હેઠળ નવેસરથી કેસ દાખલ કરવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોય જેમાં હાઈકોર્ટે બે ઓગસ્ટે 2024ની તારીખ નક્કી કરી છે.
આ મામલે હાઈકોર્ટમાં મૃતક આર્મીમેનના પત્ની જસુબા નવુભા ઝાલાની અરજી સંદર્ભે તાત્કાલીક કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યું છે કે લાપરવાહીથી મૃત્યુ થયા છતાં પોલીસ અને મહાનગરપાલિકાના મેયર, મ્યુનિ.કમિશનર સહિતના અધિકારીઓએ ગુનાહિત બેદરકારી દાખવી હોય આ મામલે શાપરાધ મન્યુવધની કલમને જોડી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. જે તે વખતે મુંબઈની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત આર્મીમેન નવુભા ઝાલા સારવારમાં હોય અને તે બેભાન અવસ્થામાં હોય ત્યારે આ મામલે મુંબઈની વરસોવા પોલીસે રાજકોટ પોલીસને જાણ કર્યા છતાં રાજકોટ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તત્કાલિન મ્યુનિ.કમિશનર અરોરાને ઢોરના ત્રાસ બાબતે અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન કરી
આ અંગે નિવૃત્ત આર્મી મૃતક નવલસિંહ ઝાલાના પુત્ર સુખદેવસિંહ ઝાલાએ જે તે વખતે ભોમેશ્ર્વર તેમજ પરસાણાનગર વિસ્તારમાં રખડતાં ઢોરના ત્રાસ બાબતે તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર અરોરાને અનેક વખત રજૂઆત કરી હતી. તેમજ તત્કાલીન મ્યુનિ.કમિશ્નર અરોરાએ સ્થળ વિઝીટ કરી હતી અને તે વિસ્તારમાં રખડતાં ઢોરનાં ત્રાસની વાસ્તવિકતા જાણી હતી છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં ભોમેશ્ર્વરમાં પૌત્રીને સ્કૂલેને તેડીને આવતાં નિવૃત આર્મીમેન નવલસિંહ ઝાલા રખડતાં ઢોરનો ભોગ બન્યા હતાં. આ મામલે જે તે વખતે વેટરીનીટી ડોકટર જાકાસણીયાએ ભોગ બનનાર આર્મીમેનના પરિવારજનોની ફરિયાદ નોંધવાના બદલે પોતે ફરિયાદી બની આ મામલે રફેદફે કરી નાખ્યાનો આક્ષેપ આર્મીમેનના પરિવારજનો કરી રહ્યાં છે ત્યારે હવે જવાબદારો સામે હાઈકોર્ટનું વલણ કેવું રહેશે તે જોવાનું રહ્યું.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ