ગુજરાત
સોની બજારની 500 દુકાનોમાં પોલીસનું મેગા ચેકિંગ
1 લાખથી વધુ બંગાળી કારીગરોના રજિસ્ટ્રેશનની તપાસ માટે એસઓજી-પેરોલ ફર્લો અને એ અને બી ડિવિઝન પોલીસનું ઓપરેશન
15 દિવસના ચેકિંગમાં 100થી વધુ સોની વેપારી સામે ગુના નોંધાયા
બંગાળમાં વર્તમાન પરિસ્થિતિને લઈને બંગાળથી ઘણા બધા રોહિંગીયા મુસ્લિમ ભારતમાં ઘુસ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા જ્યા ંસૌથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે તેવી સોની બજારમાં એસઓજી, પેરોલ ફર્લો અને સ્થાનિક એડીવીઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી મેગા ચેકીંગ હાથ ધર્યુ હતું. આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે પોલીસે હાથ ધરેલા આ ચેકીંગમાં નિયમનો ભંગ કરી બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશન બાબતે બે દરકારી દાખવનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. સવારથી એસઓજીની ટીમે હાથ ધરેલા ચેકીંગમાં સોની બજારની 500થી વધુદુકાનોમાં ચેકીંગ કરી નિયમનો ભંગ કરનાર 25થી વધુ વેપારીઓ સામે ગુના દાખલ કર્યા છે.
રાજકોટમાં ગયા વર્ષે સોની બજારમાંથી આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા ત્રણ બંગાળી કારીગરોને એટીએસે ઝડપી લીધા હતાં.
આતંકી પ્રવૃતિ સાથે જોડાઈ રાજકોટમાં રહી મુળ બંગાળના આ ત્રણ શખ્સો અલકાયદાના મોડ્યુલ પર કામ કરતા હતાં. રાજકોટના સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ પકડાયાના વાતથી રાજકોટ જ નહીં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટની સોની બજારમાં એક લાખથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે. આ બનાવ બાદ પોલીસ કમિશનર દ્વારા તાત્કાલીક એસોસીએશન સાથે બેઠક કરી બંગાળીકારીગરોના રજીસ્ટ્રેશનને ફરજિયાત કરતું જાહેરનામું બહાર પાડીસોની બજારના વેપારીઓ દ્વારા પોતાના દુકાને કે શોરૂમમાં કામ કરતા આ બંગાળી કારીગરોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવી તેના આધાર કાર્ડ સહિતની માહિતી રજૂ કરવા માટેનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો હતો.
પોલીસ કમિશનરના જાહેરનામા છતાં સોનીબજારમાં કામ કરતા અનેક બંગાળી કારીગરોનું હજી સુધી રજીસ્ટ્રેશન થયું નથી. આવા બંગાળી કારીગરોને રહેવા મકાન, ઓફિસ કે, પોતાને ત્યાં નોકરીએ રાખતા માલીકો રજીસ્ટ્રેશનમાં બેદરકાર હોય આજે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી એસઓજીના પીઆઈ ડી.સી. સાકરિયા અનેતેમની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી સોની બજારની 500થી વધુ દુકાનોમાં ચેકીંગ કર્યુ હતું અને જાહેરનામાનો ભંગ કરી બંગાળી કારીગરોને નોકરીએ રાખી કે મકાન ભાડે રાખી કે તેની નોંધ નહીં કરાવનાર 25 જેટલા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
એસઓજી સાથે પેરોલ ફર્લોસ્ક્વોડ અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમ આ ડ્રાઈવમાં જોડાઈ હતી તેમજ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્સન હેઠળ ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત બસિયા પણ આ ડ્રાઈવમાં જોડાયા હતાં. પોલીસ ચેકીંગ દરમિયાન અત્યાર સુધીમાં 300થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા હતાં. જેનું રજીસ્ટ્રેશન જ થયું નથી. જેથી આવા વેપારીઓ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં સોની બજારમાં સૌથી વધુ બંગાળી કારીગરો કામ કરે છે. અને ભૂતકાળમાં આવા બંગાળી કારીગરો કે જેમનું રજીસ્ટ્રેશન થયું ન હોય તેવા કારીગરો ચોરી તેમજ અન્ય ગુન્હામાં પોલીસ ચોપડે ચડ્યા બાદ બંગાળ નાશી ગયા હોય અને તેમની કોઈ માહિતી ન હોવાથી પોલીસ તેમને પકડવામાં નિષ્ફળ ગઈ હોય જેથી આગામી દિવસોમાં આવા બંગાળી કારીગરો ગુનામાં સંડોવાય તો તરત જ તેની માહીતી મળી જાય તેથી આવા બંગાળી કારીગરોનું સીટીઝન પોર્ટલ રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે.
વેપારીઓએ સિટિઝન પોર્ટલ પર કારીગરોનું રજિસ્ટ્રેશન કરાવ્યું જ નથી: એસીપી ભરત બસિયા
ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ એ ઔદ્યોગિક એકમોનું હબ છે. અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય કારીગરો કામ કરવા માટે આવતા હોય છે. જેમાંના અમુક અગાઉ મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓમાં પકડાઇ ચૂક્યા છે. આ તમામ કારીગરોનું સિટીઝન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂૂરી છે. જે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે. જેથી રાજકોટ શહેર એસઓજીની ટીમ દ્વારા જાહેરનામા ભંગ અંગેની ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી હતી. જેમાં જે વેપારીઓએ પોતાને ત્યાં કામ કરતા કારીગરોનું રજિસ્ટ્રેશન પોલીસમાં નથી કરાવેલું તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
આતંકી પ્રવૃતિને ડામવા પોલીસનું સર્ચ ઓપરેશન
આતંકી પ્રવૃતિને ડામવા માટે આજે એસઓજીએ સોની બજારમાં સર્ચ ઓપરેશન કર્યુ હોય ત્યારે અનેક કારીગરો રજીસ્ટ્રેશન વગરના મળી આવ્યા હોય તેના માલીક સામે કાર્યવાહી સાથે આવા બંગાળી કારીગરોની માહિતી પોલીસે એકત્ર કરી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સોની બજારમાં એટીએસની ટીમે દરોડો પાડી અલકાયદા માટેકામ કરતા ત્રણ બંગાળી શખ્સોને ઝડપી લીધા હતાં. આ યુવાનો અલકાયદા અને જિહાદ માટે ફંડ એકત્ર કરતા હોવાનું જે તે વખતે જાણવા મળ્યું હતું. અલકાયદાની તન્જીમમાં જોડાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યુવાનોને ઉશ્કેરતા હતાં. અને ગુજરાતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ એટીએસે સોની બજારમાંથી અબ્દુલ શુકરઅલી, અમન મલીક અને સૈફ નવાઝને ઝડપી લીધા હતાં. આ પ્રકરણ બાદ આગામી દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે હેતુસર અને આતંકવાદી પ્રવૃતિ રોકવા માટે મેગા સર્ચ ઓપરેશન અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ