Connect with us

જુનાગઢ

ભારે કરી ! માણાવદરમાં પાલિકા તંત્રએ પીવાના પાણીની ટેન્ક સ્મશાન ઘાટમાં બનાવી!

Published

on

માણાવદર પાલિકા કાયમી વિવાદાસ્પદ કાર્યો માટે હવે જાણીતી થઈ ગઈ હોય તેવું જનતાને લાગે છે.
શહેરમાં તાજા બનેલા સીસીરોડ નબળા બનાવો કાં તો કે ડામરના થીગડા મારી શકાય, ભંગાર સસ્તો વેચી નાખો, એવા તો અનેક કાર્યોથી જનતામાં ચર્ચા છે તેવા જ જનતાને નુક્શાન કારક નિર્ણય પાલિકા દ્વારા લેવાયો હોવાની ચર્ચા જનતામાં છે પીવાના પાણીની સુવિદા માટે ઓવર હેડ ટેન્ક સ્મશાન ગૃહમાં બનાવવાની કામગીરીથી ચકચાર મચી જવાપ ામી છે.
કારણ કે, અહીં અગ્નિદાહના ખાટલા? નજીક જ ઓવરહેડ ટેન્ક બનાવવાનું ચાલું છે હવે આ ટેન્ક તથા નીચે સમ્પ બનશે જે અગ્નિ દાહ અપાય છે. તેનાથી નજીક છે. અગ્નિદાહના ગંદી રાખ તથાતેના જીવાણું હોય તો ભયાનક ખતરો 35 હજારની જનતા માથે અને માનવજીંદગી સાથે સીધા ચેડા થશે છતાં પણ કોણ જાણે માણાવદર પાલિકાના વહિવટદારોની શું અંગત લાભ હશે તે સ્મશાન ગૃહ કે જ્યાં મડદાના અગ્નિદાહ અપાય છે. તેવા સ્થળ તપાસે ટાંકો બનાવે છે. શહેરમાં બસસ્ટેન્ડ સામે મોટી જગ્યા છે જ જ્યાં જુના ટાંકા હતાં પડતરપણ છે. સ્વચ્છ વાતાવરણ છે ત્યાં કેમ નથી બનાવતા તે પ્રશ્ર્ન ઉદ્ભવ્યો છે આ સ્મશાન ગૃહના ટાંકો બનાવે તે નિર્ણયથી રોષ ભભુકી ઉઠ્યો છે. 35 હજારની માનવજીંદગી સાથે તાકિદે મુખ્યમંત્રી ચેડા બંધક રાવે તેવી લોકમાંગ છે. સાથે ટાંકાની ગુણવતા તપાસે તો કંઈકના તપેલા ચઢી જશે.

ગુજરાત

મેંદરડાના યુવાને સગપણ નહીં થતા એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

Published

on

By

જૂનાગઢના મેંદરડામાં રહેતા યુવકે સગપણ નહીં થતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મેંદરડામાં રહેતા મહેન્દ્ર ભીમજીભાઈ ડાભી નામનો 21 વર્ષનો યુવાન પોતાના ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે હતો ત્યારે રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્ર ડાભી છ બહેનનો એકનો એક ભાઈ છે અને તેના સગપણની વાત ચાલતી હતી પરંતુ સગપણ નહીં થતા મહેન્દ્ર ડાભીને લાગી આવતાં એસિડ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કેશોદના શેરગઢ ગામે રહેતા વાલાભાઈ હીરાભાઈ સેલાવડા નામના 65 વર્ષના વૃદ્ધ આઠ દિવસ પૂર્વે શેરગઢ ગામથી અજાબ ગામ દવા લેવા જતા હતા ત્યારે વરસાદના કારણે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

જૂનાગઢમાં વરસતા વરસાદમાં લપસી પડતા આધેડનું મોત

Published

on

By

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા આધેડ ત્રણ દિવસ પૂર્વે વરસતા વરસાદમાં લપસી પડ્યા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા તુફાનીભાઈ રામાભાઇ શાહની નામના 51 વર્ષના આધેડ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે હતા. ત્યારે રાત્રિના સમયે વરસતા વરસાદમાં લપસી પડ્યા હતા. આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વીંછીયા તાલુકાના મોટા માત્રા ગામે રહેતા માલાભાઈ કરસનભાઈ બેરાણા નામના 50 વર્ષના આધેડ પોતાની વાડીએ બપોરના સમયે પાકમાં ઝેરી દવાનો છટકાવ કરતા હતા ત્યારે ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ આધેડનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછપરછમાં માલાભાઈ બેરાણા એક છ ભાઈ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

માણાવદરમાં 14 ઈંચથી જળપ્રલય: ગ્રામ્ય પંથકમાં સ્થળ ત્યાં જળ

Published

on

By

8 દિવસના બાળક સાથે માતાનું રેસ્ક્યૂ કરતા ઙજઈં બારોટ : પૂરમાં ફસાયેલા લોકો માટે 1000 ફૂડ પેકેટ બનાવવા કામગીરી શરૂ : 1100થી વધારે લોકોનું તંત્ર દ્વારા સફળ રેસ્ક્યૂ કરાયું : 25થી વધારે ગામો સંપર્ક વિહોણા : રસાણા ડેમ સહિતના જળાશયો-નદી, નાળા બે કાંઠે થતાં ચોતરફ પાણી ભરાઈ ગયા

માણાવદર શહેર તથા પંથકમાં ખાસ કરીને ઉત્તર તરફના ગામડામાં મેઘરાજાના અતિ રૌદ્રસ્વરૂપથી જળપ્રલયની સ્થિતિ નિર્માણ થયું છે. રાત્રીના શરૂ થયેલા મેઘરાજાના અતિરૌદ્રસ્વરૂપ વહેલી સવારના લોકો મીઠી ઉંઘ માણી રહ્યા હતા ત્યારે શરૂ થઈ જોત જોતામાં 3થી 4 કલાકમાં 7થી માંડી 12 અને ઘણી જગ્યાએ 14થી 15 ઈંચ વરસાદે ખેદાન-મેદાન કરી ચુક્યા હતાં. બપોર સુધીમાં તો સ્થિતિ ગંભીર પેદા થઈ ચુકી હતી. શહેરના અનેક વિસ્તારો પુર અસરગ્રસ્ત થયાં હતાં. ગાયત્રી મંદિર તથા તેના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાતા તેથી તત્કાલ 8 દિવસના બાળક અને માતાનું પીએસઆઈ બારોટ તથાટીમ સાથે નગરજનો સેવા ભાવી યુવાનોએ કરી બહાર કાઢ્યા સાથે ત્યાં ફસાયેલા લોકોને સલામત સ્થળે કાઢવા પડ્યા હતાં.


આ લોકોને બ્રહ્મસમાજમાં આશરો આપ્યો હતો. શહેરની જલારામ ટ્રસ્ટ પીએસઆઈ મામલતદાર વિગેરે દ્વારા ભોજન પુરુપડાયું હોવાનું જણાવેલ આ રેસ્ક્યુ દરમિયાન ભારે તાણ હતું. પાણી છે કે વીજ ટ્રાન્સફોમર સુધી પહોળી ગયેલ હોય તેથી સલામતરીતે કાઢવા વીજ પુરવઠો બંધ કરી સલામતી સાધનો દ્વારા બહાર કઢાય તેમ પીએસઆઈ બારોટ જણાવેલ સાથે સમગ્ર પોલીસ સ્ટાફ, સેવાભાવી યુવાનો જાના જોખમે 8થી 10નું રેસ્ક્યુ કર્યુ જેમાં અનેક લોકોનું સ્થળાંતર કર્યુ તથા ભોજન આદિ વ્યવસ્થા પોલીસ, મામલતદાર સેવાભાવી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. બસસ્ટેન્ડ સામે યોગેશ હુંબલે જણાવ્યું કે, મામલતદાર મારુ સાહેબ તથા સમગ્ર તંત્ર દ્વારા 250 બસસ્ટેન્ડથી સ્થળાંતર કર્યા છે. મારૂ જણાવ્યું છે કે, મહાદેવીયા પાસે ગાયત્રીમંદિર બસસ્ટેન્ડ સામેથી એમ આશરે 378થી વધુ સ્થળાંતર કરવું પડ્યલું નીચાણવાળા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં લીંબુડા 14 ઈંચ, સરદારગઢ 14, જીંજરી-થાનિયાણા-14, જાંબુડા-રોણકી 13થી 14, શહેરમાં 8થી 9 બાંટવા 9 ઈંચ સહિત અનેક ગામડાના રસ્તાઓ ઉપર પુર પાણી ફરી વળતા 20થી વધુ ગામોનોસંપર્ક વિહોણા છે. બાંટવા શહેરમાં કમરડૂબ પાણી હતા લીંબુડામાં ફરતે પાણી હતા. સરદારગઢ ગામે ફરતેપુર પાણી ફરીવળ્યા જીંજરી, માયણ, ધુરપાણી ફરી વળ્યા ગ્રામ્યમાં અતિભારે વરસાદથી અનેક રીતે ખેતી, ઘરોમાં નુક્શાની થઈ છે.

શહેરમાં પણ બસસ્ટેન્ડ સામે, ગાયત્રી મંદિર પાછલ નદીકાંઠા, મહાદેવીયા પાછલ સહિત અનેક ઘરોમાં પાણી ઘુસી જતાં ઘરવખરીને નુક્શાની થઈ છે. હજુ કોઈ મૃત્યુ થયાની નોંધ કે બનાવ નથી બન્યો ખેતીને નુક્શાન થયું છે. પુર અસરગ્રસ્તો માટે મામલતદાર મારૂએ તાત્કાલ તો ફૂડ પેકેટ આપ્યા સાથે જલારામ ટ્રસ્ટએ આપ્યું તો હડમતાળી હનુમાન મંદિર તથા સ્વામીનારાયણ ગાધીચોકના કોઠારી મોહનસ્વામી દ્વારા 1000 ફુડ પેકેટ બનાવી સ્થાનિક તથા તાલુકામાં અસરગ્રસ્તોને પહોંચાડવા કામગીરી હાથ ધરી છે. તેમજ અન્ય સેવાભાવી સંસ્થા કાર્ય કરશે. રસાલા ડેમ ભયજનકરીતે 4 ફૂટ ઉપર પાણી હતું તે ઉફરાંત રીવરફ્રન્ટ ઉપર પુરપાણી ફરી વળતા એક તબક્કે સ્થિતિ ગંભીર બની હતી. પરંતુ વરસાદ ધીમો પડી જતાં વાંધો ના આવ્યો બાંટવા ખારાડેમ સતત પાણી છોડ્યા કર્યુ તે ફાયદો થયો તો સરાડીયા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે. એસટી રૂટો બંધ છે જૂનાગઢ રૂટ માત્ર ચાલુ છે.

Continue Reading

Trending