Connect with us

કચ્છ

નલિયા-માંડવી માર્ગે ગેરકાયદે ખનીજ ખનન કરતા આઠ ટ્રક મામલતદારે જપ્ત કર્યા

Published

on

ભૂસ્તરવિજ્ઞાન અને ખાણ ખનિજ ખાતા-ભુજની ફ્લાઈંગ સ્કવોડે રવિવારે ખાવડા બાજુ ભારત-પાકિસ્તાન સરહદ બાજુ આરી પાર્ક ખાતે અધિકૃત રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધારે બ્લેકટ્રપ (ખનિજ) જથ્થાનું વહન કરતાં આઠ ડમ્પર જપ્ત કર્યા હતા.અબડાસા તાલુકાના મામલતદારે ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતી રેતીની ટ્રકને પકડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. નલિયા-માંડવી રોડ ઉપર અબડાસા મામલતદાર મહેશ કતીરાએ ખનિજચોરી અટકાવવા પેટ્રોલિંગમાં હતા ત્યારે માંડવી તરફથી રેતી ભરેલી ટ્રક સહારા હોટેલ પાસે અટકાવી ડ્રાઈવરને પૂછપરછ કરતાં તે જ ગાડીમાં રેતી ભરેલી હતી તેની રોયલ્ટી અને પરમિટની માંગણી કરતાં ડ્રાઈવર દ્વારા રજૂ કરવામાં ન આવતાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ટ્રકને કોઠારા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી હતી. આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવી છે.
તેમજ વિશ્વના સૌથી મોટો સોલાર પ્રોજેકટના નિર્માણ માટે જરૂૂરી તો મટીરીયલની ગેરકાયદેસર રીતે ઓવર લોડ પરિવહન થતું હોવાનું ગણગણાટ બાદ ખનીજ વિભાગ દ્વારા મદદનિશ નિયામક(ફ્લાઈંગ સ્કોવર્ડ),ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું,કચ્છ ભુજ દ્વારા અદાણી ગ્રીન સોલાર પાર્ક,ઇન્ડો પાક બોર્ડર,ખાવડા ખાતે અધિકૃત રોયલ્ટીપાસમાં દર્શાવેલ જથ્થા કરતા વધારે બ્લેક ટ્રેપ ખનીજ જથ્થાનું વહન કરતા આઠ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.જેથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયુ છે.

કચ્છ

બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલે પોલીસ પર કાર ચડાવવા કર્યો પ્રયાસ

Published

on

By

ભચાઉ પાસે સમીસાંજે સર્જાયા ફિલ્મી દ્દશ્યો : થારમાં દારૂની મહેફિલ માણતા બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલને પકડવા જતાં પોલીસ પાર્ટી પર કાર ચડાવી દઈ હત્યાની પ્રયાસ

પોલીસે બૂટલેગરને પકડવા કર્યું ફાયરિંગ : બૂટલેગર અને મહિલા કોન્સ્ટેબલની ધરપકડ : થારમાંથી બીયરના ટીન મળ્યાં : હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન ભંગનો નોંધાતો ગુનો

કચ્છના ભચાઉ પાસે ગઈકાલે સમીસાંજે દારૂના ગુનામાં વોન્ટેડ ચિરઈના કુખ્યાત બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પાર્ટી પર થાર ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે થાર ગાડી લઈ નાશી રહેલા કુખ્યાત શખ્સ પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ઝડપી લીધા બાદ કારની તલાશી લેતા તેમાંથી 18 બિયરના ટીન મળી આવ્યા હતા અને મહિલા કોન્સ્ટેબલ પણ બુટલેગરની સાથે હોય પોલીસે તેની પણ ધરપકડ કરી બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે.


આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભચાઉના પીએસઆઈ ડી.જી. ઝાલાએ સરકારપક્ષે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન વશરામભાઈ ચૌધરીનું નામ આપ્યું છે.


પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચિરઈ ગામના કુખ્યાત શખ્સ યુવરાજસિંહ જાડેજા સામે હત્યાના પ્રયાસ એટ્રોસીટી અને પ્રોહિબીશનના 16 જેટલા ગુના નોંધાયા હોય અને આ સખ્સ દારૂના ગુનામાં વોન્ટેડ હોય અને ગઈકાલે સાંજે આરોપી થાર ગાડીમાં આવી રહ્યો હોવાની માહિતી મળતા ભચાઉ પોલીસ અને એલસીબીના સ્ટાફે ભચાઉ નજીક ગોલ્ડન બ્રીજની નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન આરોપી થાર ગાડી લઈ નિકળતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પાર્ટી પર થાર ગાડી ચડાવી દઈ હત્યાનો પ્રયાસ કર્યો હતો અને કાર લઈ ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે પીછો કરી થાર ઉપર ફાયરીંગ કરતા આરોપી ઉભો રહી ગયો હતો જેની પોલીસે ધરપકડ કરી થારની તલાશીલેતા તેમાંથી 18 બિયરનાટીન મળી આવ્યા હતાં.


કુખ્યાત બુટલેગરની સાથે મહિલા કોન્સ્ટેબલ મીતાબેન ચૌધરી પણ ગુનામાં સાથે હોય જેની સામે પણ હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનભંગનો ગુનો નોંધી તેની આજે ધરપકડ કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. આ કામગીરી ભચાઉ પોલીસની સાથે એલ સી બીનો સ્ટાફ પણ મદદમાં રહ્યો હતો.

Continue Reading

કચ્છ

માંડવી શહેર કોલેરાગ્રસ્ત જાહેર

Published

on

By

પાણીની લાઇનમાં ગંદાપાણી ભળી જતા ઝાડા-ઊલટીનો રોગચાળો


કોરોનાના કકળાટ પછી ગત વર્ષે બિપોરજોયે તાલુકાના જીવ અદ્ધર કરી દીધા તેમાંથી માંડ કળ વળે ત્યાં અપૂર્વ રીતે સમગ્ર શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં જનતાને ધ્રાસકો પડયો છે તેની સમાંતરે ગઈકાલે નગર સેવા સદન તંત્રે લોહાર ચોક પાસેના રામ મંદિર નજીક ગંદાં પાણીની ભેળસેળવાળા પેયજળને વહન કરતી લાઈનો ફોલ્ટ પોઈન્ટ શોધી અને લાઈન બંધ કરી દીધી હોવાનો દાવો કરાયો હતો.


ગરબી ચોક વિસ્તારમાંથી જૂના સ્વામિનારાયણ મંદિર, હવેલી ચોક, ખુની ચકલો વગેરે વિસ્તારને પાણીનો પુરવઠો પુરો પાડતી 18 ઈંચનો વ્યાસ ધરાવતી એ મુખ્ય લાઈન લોખંડના બંધિયા વડે બંધ કરીને સિમેન્ટ વડે સુરક્ષિત કરાઈ છે. એ સિવાયના શંકાસ્પદ એરિયા સેન્ટ્રલ બેંક પાસે ફોલ્ટ શોધવાનું અભિયાન જારી રખાયું છે. સમાંતરે માંડવી-મસ્કા વચ્ચે રહેણાક વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં ગટરલાઈન વ્યવસ્થા નહીં હોવાથી ગંધાતું પાણી ગંદુ જળાશય બિહામણા રોગચાળા વેળાએ જનઆરોગ્ય સામે ખતરાની ઘંટી હોવાનું જાગૃતોએ ભવાં ચડાવતાં દર્શાવ્યું હતું. દરમ્યાન કોલેરા નિયંત્રણ અધિકારી અને મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ પરિસ્થિતિ કાબુમાં હોવાનો સધિયારો આપતાં તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.


પાલિકાના ઓ. એસ. ચેતનભાઈ જોશી, પાણી પુરવઠા વિભાગના રાજેશ ગોરે લોહાર ચકલા પાસે મુખ્ય લાઈન પસાર થાય છે ત્યાં મોટી ક્ષતિ શોધી શકાઈ હોવાનો દાવો કરીને શંકાના દાયરામાં આવતા અન્ય વિસ્તારો ઉપર ફોલ્ટ શોધ જારી હોવાનું કહેતા સુપર કલોરીનેશન કામગીરી તેજ બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે જ્યાંથી પોઝીટીવ કેસ મળી આવ્યા છે અને ઝાડા ઉલ્ટીના કેસો પાધરા થયા છે એવો વિસ્તાર ગરીબ, રંક આબાદીનો છે.

આરોગ્ય કમિશનર દોડી આવ્યા
માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં તકેદારી લેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદભાઇ પટેલ સ્થાનિકે દોડી આવ્યા હતા. સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા અને વધે તો શું શું તૈયારી રાખવી જે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં આવેલા દર્દીઓ તથા દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા, તે અંગે સ્થિતિ જાણી હતી. તેમજ પૂર્વે મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, સુધરાઇની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યાં હતાં તેમણે જણાવેલ કે, ઝાડા-ઉલ્ટીના કુલ 78 કેસો નોંધાયા છે, જેમાંથી માત્ર એક કેસ કોલેરાગ્રસ્ત નોંધાયો છે. સ્થિતિને નિયંત્રણમાં લાવવા આરોગ્યની 25ટીમ કાર્યરત છે

Continue Reading

કચ્છ

નખત્રાણામાં મેઘરાજાનો તાંડવ: આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય, બજારોમાં ફરી વળ્યા પાણી, જુઓ વિડીયો

Published

on

By

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે કચ્છના નખત્રાણામાં મેઘરાજાનું રોન્દ્ર સવરૂપ જોવા મળ્યું છે. નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસતા બજારમાં નદીની માફક પાણી વહેતાં થયાં છે. નખત્રાણાના બજારોમાં પાણી ફરી વળ્યા હતા. નખત્રાણાની મુખ્ય બજારમાં પાણી ફરી વળતા, બસ સ્ટેશન પાસેના વોકળામાં બાઇક તણાઈ હતી. જો કે બાઈક ચાલકને બચાવી લેવામાં આવ્યા હતો.

https://fb.watch/sZ78fsztZR

નખત્રાણામાં ભારે વરસાદ પડતાં મુખ્ય બજારોમાં નદીની જેમ પાણી વહેતાં થયાં છે. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ સતત દોઢ કલાક સુધી અવિરત વરસતાં નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ ખાબકી પડતા નખત્રાણામાંથી પસાર થતો ભુજ લખપત ધોરીમાર્ગ પર વોકડો વહી નીકળતા બન્ને તરફ વાહનોની રફતાર થંભી ગઈ હતી. તો કેટલાય લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા બંધ પડી ગયા હતા. શહેરમાં જળ બંબાકારની સ્થિતિ નિર્માણ પામતી હોય છે.

Continue Reading

Trending