ગુજરાત
જળસંગ્રહ અભિયાનમાં ઉદ્યોગકારો-બિલ્ડરો જોડાય: દેવપ્રસાદજી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યને વેગ આપવા યોજાયેલી બેઠકમાં આણદાબાવા આશ્રમના મહંતની અપીલ
રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી રોકીને જમીનમાં ઉતારમાં ચેકડેમ અને રિચાર્જ બોરનું કાર્ય કરતી સંસ્થાને યુનિટી સિમેન્ટના પુનિતભાઈ ચોવટિયાના સહયોગથી સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં એક મિટિંગનું આયોજન કરેલું હતું. જેમાં રાજકોટના દરેક નામાંકિત બિલ્ડર્સ એ હાજરી આપેલ. જેમાં અધ્યક્ષ સ્થાને જામનગર આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદ મહારાજ પધારેલા તેને ખુબ સરસ વાત કરી 1987માં જામનગરમાં પરિસ્થિતિ ગંભીર બની હતી ત્યારે સરકારે કરોડો રૂપિયા ફાળવવાની વાત કરી હતી પણ આણદાબાવા સંસ્થા દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી કાર્ય કર્યું અને ત્યાર પછી દુષ્કાળની કાયમી માટે વિદાઈ થઇ કારણકે વરસાદી પાણી અમૃત સમાન છે. ચામડીના રોગો, ડાયાબીટીસ જેવા રોગોથી મોટી રાહત મળતી હોય છે. તો કાર્યમાં દરેક ઉદ્યોગ પતી અને બિલ્ડર્સ આ કાર્યમાં જોડાયને વધુમાં વધુ વેગ આપવો જોઈએ.
જળ એ જ જીવન છે. આજના યુગમાં પાણી બચાવીને વાપરવાની જાગૃતિ લાવવાની ખાસ જરૂૂરીયાત છે. દર વર્ષે ચોમાસામાં એવરેજ 40 ઇંચ વરસાદ પડે છે, તે પૈકી 80% પાણી દરિયામાં જતું રહે છે. ઘણા વર્ષોથી ગૌરગંગા પરિવાર ટ્રસ્ટ ખેડુત અને ખેતી વિષયક જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી બોર રિચાર્જ અને ચેકડેમનું નિર્માણ કર્યા સક્રિય રીતે કરતાં પાણીની સમસ્યા પરત્વે સુંદર કાર્ય થઇ રહ્યું છે. લોકભાગીદારી અને દાતાના સહયોગથી માત્ર બે વર્ષમાં 200 જેટલા ચેકડેમ નિર્માણ કરીને અનોખો સેવા યજ્ઞ કરી રહ્યા છે. હવે પછી ગીરગંગા પરિવારર ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમ તથા 11,111 બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રસ્ટના પાણી બચાવાનો ભગીરથી કાર્યમાં નિમિત્ત બનવા બિલ્ડરોને પણ આહ્વાન કરવામાં આવ્યું છે.
આ અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતુ કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તથા યુનિટી સિમેન્ટ પરિવાર દ્વારા તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે 6:30 કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે બિલ્ડરો સાથેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ લોકોના સપનાનું ઘર બનાવતા બિલ્ડરો હવે ચેકડેમ બનાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે તેવો હતો. તેથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના બિલ્ડર્સઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ખેડુતોએ પણ પોતાની જગ્યામાં કુવા રિચાર્જ, બોર રિચાર્જ અને ખેતતલાવડી. બનાવવા જોઇએ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઈ સખિયા, દિલીપભાઈ લાડાણી, પરેશભાઈ ગજેરા, અમિતભાઈ ત્રાંબડીયા, ચેતનભાઈ રામાણી, નિખીલભાઈ પટેલ, સુજીતભાઈ ઉદાણી, પુનિતભાઈ ચોવટિયા, કમલનયનભાઈ સોજીત્રા, નવીનભાઈ ચોવટિયા, ધીરુભાઈ રોકડ, રુચીતભાઈ ગોવાણી, ચેતનભાઈ રોકડ, ધીરુભાઈ રામાણી, શિવલાલભાઈ આદ્રોજા, કિરીટભાઈ અદ્રોજા, જેન્તીભાઈ સરધારા, જે.પી.ભાલાળા, અરવિંદભાઈ પાણ, કિશોરભાઈ કાથરોટિયા, દિનેશભાઈ પરસાણા, પરસોતમભાઈ કમાણી, સર્વાનંદભાઈ સોનવાણી, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ધવલભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ ભુવા, રમણીકભાઈ ભાલાળા, નીતિનભાઈ દુદાણી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, મિતલભાઈ ખેતાણી, દિનેશભાઈ ચોવટિયા, સતીશભાઈ બેરા, હરિભાઈ ચૌહાણ, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી તેમજ ઘણા ભાઈઓ, હાજર રહ્યા હતા.
કમલનયનભાઈ સોજીત્રા – (ફાલ્કન ગ્રૂપ)
ફાલ્કન ગૃપના કમલનયનભાઈ સોજીત્રા એ એક સરસ વાત કરી કે માં-બાપની સ્મૃતિમાં સર્વે જીવોની રક્ષા માટે ડેમો બનાવીને કાયમી સ્મૃતિ જળવાઈ રહે. તેવું કાર્ય કરવું જોઈએ જન્મભૂમી ઋણ ચુકવવા દરેક પોતાના વતનમાં વરસાદી પાણી બચાવવા, ખેત તલાવડી અને ચેકડેમો બનાવી બોર, કુવા રીચાર્જ કરવા. કર્મભૂમિ, રોટલો, રોજગારી જ્યો છે. ત્યાં કર્મભૂમિને વરસાદી પાણી બચાવીએ .રાષ્ટ્ર સેવા એટલે સૃષ્ટિના દરેક જીવોની રક્ષા માટે વધુમાં વધુ વરસાદી અમૃત સમાન પાણી ભૂગર્ભ જળમાં બચત થાય તેના માટે દરેક જન સેનાની ઉષ્મી થાય તો પાણી પ્રશ્ન હલ થાય.
ઋષિતભાઈ ગોવાણી – (બિલ્ડર એસો.યુથ વિંગના ચેરમેન)
બિલ્ડર એસોશીએશન યુથ વિંગના ઋષિતભાઈ ગોવાણી એ જણાવેલ કે આ પાણી બચાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈને હું પોતે પણ યોગદાન આપીશ. અને બધા બિલ્ડર્સ અને યુવાનોને આ કાર્યમાં જોડાવવા માટે પ્રેરણા આપીશ.
પરેશભાઈ ગજેરા-(બિલ્ડર એસો. પ્રમુખ)
પરેશભાઈ ગજેરા એ જણાવેલ કે હું એક ચેકડેમ બનાવીશ અને દરેક બિલ્ડરને વિનંતી સાથે જણાવેલ કે આપણે દરેક લોકોને ઘર બનાવવા માટે ખુબ સારું કાર્ય કરીએ છીએ પણ સાથે સાથે પર્યાવરણ અને દરેક ઉદ્યોગને વેગવંતુ બનાવવા પાણીની ખુબ જરૂર છે. અને દરેક લોકો એમાં જોડાઈ તેવી અપીલ કરી છે. સાથે સાથે બિલ્ડર એસો. વતી 51,00,000 (એકાવન લાખ) તેમજ એસો.ના બોર્ડ મેમ્બર ચેકડેમ બનાવશે એવું જણાવેલ.
અમુભાઈ ભારદિયા – (રવિ ટેક્નોફોર્જ)
અમુભાઈ ભારદિયા એ જણાવેલ કે જે લોકો ખરેખર ડેમ કે નદીમાંથી માટી કે ટાસ ઉપાડે એનુ સન્માન કરવું જોઈએ કારણ કે માટી ઉપાડવાથી ખૂબ જ વિશાળ જથ્થામાં વરસાદી પાણીનો સ્ટોરેજ થાય તો સ્તરમાં પાણી ખૂબ ઊંચા આવે બીજો એને પોતાના દીકરાના જન્મદિવસની સ્મૃતિમાં રૂપિયા પાંચ લાખ ગીરગંગા પરિવારને અર્પણ કરેલ છે.
પુનિતભાઈ ચોવટિયા-(યુનિટી સિમેન્ટ)
પુનિતભાઈ ચોવટીયા જણાવે છે કે, જ્યાં ખેતીની આજુબાજુ સૂકી જમીન હોય ત્યારે ખેડૂતો એક પણ પાક ઉત્પન્ન થતો નથી, અને આજુબાજુમાં સારા એવા ચેકડેમો બની જાય છે, તો જમીનના ભાવ પણ ખૂબ સારા વધે છે, અને ખેતીમાં ઉત્પાદન પણ સારું થાય છે. તો દરેક લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યમાં આગળ વધે અને પાણી પ્રશ્ર્ન હલ કરે.
સુજીતભાઈ ઉદાણી- (બિલ્ડર એસો.સેક્રેટરી)
સુજીતભાઈ ઉદાણી જે જૈન સમાજના બિલ્ડર પણ છે, જેને બહુ સારી વાત કરી કે સમાજના ખેડૂતો કે અમુક સમાજ એમને અમારા જૈન સમાજનો જીવ દયા પ્રેમી છે, એટલે અમારો સમાજ પણ આ કાર્ય માં જોડાશે અને લોકો આ કાર્યમાં જોડાઈ તો પ્રકૃતિના આ દરેક જીવોની રક્ષા થશે તેનું એને જણાવેલ.
દિલીપભાઈ લાડાણી-(લાડાણી બિલ્ડર્સ)
રાજકોટના નામાંકિત બિલ્ડર્સ દિલીપભાઈ લાડાણી દ્વારા સરસ મજાના કટારીયા ચોકડી પાસે વીર- વીરુ અમૃત સરોવરમાં આર્થિક સહયોગ આપીને વિશાળ ચેકડેમ બનાવ્યો. અને બીજા ચેકડેમ માટે પોતાના ગ્રૂપ દ્વારા આર્થિક સહયોગ આપવાનું જાહેર કરેલ તેમજ ચેકડેમ બનાવવા માટે સિમેન્ટ, કોન્કેટમાં મદદ કરવાનું જણાવેલ.
જમનભાઈ પટેલ – (ડેકોરા બિલ્ડર્સ)
ડેકોરા ગૃપના જમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા ખૂબ જ સારી પ્રક્રિયા કરી રહ્યા છે. તેમના કાર્યક્રમથી પાણી બચાવોની પ્રવૃતિને વેગ મળે તે માટે હું પોતે મહેનત કરું છું, અને મે પોતે એક સરોવર બનાવ્યું છે, આ સંસ્થાને પ્રગતિ કરે અને લોકોમાં પાણી બચાવોની જાગૃતિ આવે તે માટે મે મારી ઓફીસ ગીરગંગા ટ્રસ્ટને વહીવટી કાર્ય માટે આપી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય11 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો