ગુજરાત

જળસંગ્રહ અભિયાનમાં ઉદ્યોગકારો-બિલ્ડરો જોડાય: દેવપ્રસાદજી

Published

on

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યને વેગ આપવા યોજાયેલી બેઠકમાં આણદાબાવા આશ્રમના મહંતની અપીલ


રાજકોટ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણી રોકીને જમીનમાં ઉતારમાં ચેકડેમ અને રિચાર્જ બોરનું કાર્ય કરતી સંસ્થાને યુનિટી સિમેન્ટના પુનિતભાઈ ચોવટિયાના સહયોગથી સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં એક મિટિંગનું આયોજન કરેલું હતું. જેમાં રાજકોટના દરેક નામાંકિત બિલ્ડર્સ એ હાજરી આપેલ. જેમાં અધ્યક્ષ સ્થાને જામનગર આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદ મહારાજ પધારેલા તેને ખુબ સરસ વાત કરી 1987માં જામનગરમાં પરિસ્થિતિ ગંભીર બની હતી ત્યારે સરકારે કરોડો રૂપિયા ફાળવવાની વાત કરી હતી પણ આણદાબાવા સંસ્થા દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી કાર્ય કર્યું અને ત્યાર પછી દુષ્કાળની કાયમી માટે વિદાઈ થઇ કારણકે વરસાદી પાણી અમૃત સમાન છે. ચામડીના રોગો, ડાયાબીટીસ જેવા રોગોથી મોટી રાહત મળતી હોય છે. તો કાર્યમાં દરેક ઉદ્યોગ પતી અને બિલ્ડર્સ આ કાર્યમાં જોડાયને વધુમાં વધુ વેગ આપવો જોઈએ.


જળ એ જ જીવન છે. આજના યુગમાં પાણી બચાવીને વાપરવાની જાગૃતિ લાવવાની ખાસ જરૂૂરીયાત છે. દર વર્ષે ચોમાસામાં એવરેજ 40 ઇંચ વરસાદ પડે છે, તે પૈકી 80% પાણી દરિયામાં જતું રહે છે. ઘણા વર્ષોથી ગૌરગંગા પરિવાર ટ્રસ્ટ ખેડુત અને ખેતી વિષયક જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી બોર રિચાર્જ અને ચેકડેમનું નિર્માણ કર્યા સક્રિય રીતે કરતાં પાણીની સમસ્યા પરત્વે સુંદર કાર્ય થઇ રહ્યું છે. લોકભાગીદારી અને દાતાના સહયોગથી માત્ર બે વર્ષમાં 200 જેટલા ચેકડેમ નિર્માણ કરીને અનોખો સેવા યજ્ઞ કરી રહ્યા છે. હવે પછી ગીરગંગા પરિવારર ટ્રસ્ટ દ્વારા 11,111 ચેકડેમ તથા 11,111 બોર રીચાર્જનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટ્રસ્ટના પાણી બચાવાનો ભગીરથી કાર્યમાં નિમિત્ત બનવા બિલ્ડરોને પણ આહ્વાન કરવામાં આવ્યું છે.


આ અંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતુ કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તથા યુનિટી સિમેન્ટ પરિવાર દ્વારા તા. 13 સપ્ટેમ્બરને શુક્રવારે સાંજે 6:30 કલાકે સ્પીડવેલ પાર્ટી પ્લોટ, રાજકોટ ખાતે બિલ્ડરો સાથેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ લોકોના સપનાનું ઘર બનાવતા બિલ્ડરો હવે ચેકડેમ બનાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે તેવો હતો. તેથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના બિલ્ડર્સઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ખેડુતોએ પણ પોતાની જગ્યામાં કુવા રિચાર્જ, બોર રિચાર્જ અને ખેતતલાવડી. બનાવવા જોઇએ.


ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઈ સખિયા, દિલીપભાઈ લાડાણી, પરેશભાઈ ગજેરા, અમિતભાઈ ત્રાંબડીયા, ચેતનભાઈ રામાણી, નિખીલભાઈ પટેલ, સુજીતભાઈ ઉદાણી, પુનિતભાઈ ચોવટિયા, કમલનયનભાઈ સોજીત્રા, નવીનભાઈ ચોવટિયા, ધીરુભાઈ રોકડ, રુચીતભાઈ ગોવાણી, ચેતનભાઈ રોકડ, ધીરુભાઈ રામાણી, શિવલાલભાઈ આદ્રોજા, કિરીટભાઈ અદ્રોજા, જેન્તીભાઈ સરધારા, જે.પી.ભાલાળા, અરવિંદભાઈ પાણ, કિશોરભાઈ કાથરોટિયા, દિનેશભાઈ પરસાણા, પરસોતમભાઈ કમાણી, સર્વાનંદભાઈ સોનવાણી, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, ધવલભાઈ હુંબલ, ગોપાલભાઈ બાલધા, વસંતભાઈ લીંબાસીયા, પ્રવીણભાઈ ભુવા, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ ભુવા, રમણીકભાઈ ભાલાળા, નીતિનભાઈ દુદાણી, હરીશભાઈ લાખાણી, રમેશભાઈ ઠક્કર, મિતલભાઈ ખેતાણી, દિનેશભાઈ ચોવટિયા, સતીશભાઈ બેરા, હરિભાઈ ચૌહાણ, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા, રમેશભાઈ જેતાણી તેમજ ઘણા ભાઈઓ, હાજર રહ્યા હતા.

કમલનયનભાઈ સોજીત્રા – (ફાલ્કન ગ્રૂપ)

ફાલ્કન ગૃપના કમલનયનભાઈ સોજીત્રા એ એક સરસ વાત કરી કે માં-બાપની સ્મૃતિમાં સર્વે જીવોની રક્ષા માટે ડેમો બનાવીને કાયમી સ્મૃતિ જળવાઈ રહે. તેવું કાર્ય કરવું જોઈએ જન્મભૂમી ઋણ ચુકવવા દરેક પોતાના વતનમાં વરસાદી પાણી બચાવવા, ખેત તલાવડી અને ચેકડેમો બનાવી બોર, કુવા રીચાર્જ કરવા. કર્મભૂમિ, રોટલો, રોજગારી જ્યો છે. ત્યાં કર્મભૂમિને વરસાદી પાણી બચાવીએ .રાષ્ટ્ર સેવા એટલે સૃષ્ટિના દરેક જીવોની રક્ષા માટે વધુમાં વધુ વરસાદી અમૃત સમાન પાણી ભૂગર્ભ જળમાં બચત થાય તેના માટે દરેક જન સેનાની ઉષ્મી થાય તો પાણી પ્રશ્ન હલ થાય.

ઋષિતભાઈ ગોવાણી – (બિલ્ડર એસો.યુથ વિંગના ચેરમેન)

બિલ્ડર એસોશીએશન યુથ વિંગના ઋષિતભાઈ ગોવાણી એ જણાવેલ કે આ પાણી બચાવવાના ભગીરથ કાર્યમાં જોડાઈને હું પોતે પણ યોગદાન આપીશ. અને બધા બિલ્ડર્સ અને યુવાનોને આ કાર્યમાં જોડાવવા માટે પ્રેરણા આપીશ.

પરેશભાઈ ગજેરા-(બિલ્ડર એસો. પ્રમુખ)

પરેશભાઈ ગજેરા એ જણાવેલ કે હું એક ચેકડેમ બનાવીશ અને દરેક બિલ્ડરને વિનંતી સાથે જણાવેલ કે આપણે દરેક લોકોને ઘર બનાવવા માટે ખુબ સારું કાર્ય કરીએ છીએ પણ સાથે સાથે પર્યાવરણ અને દરેક ઉદ્યોગને વેગવંતુ બનાવવા પાણીની ખુબ જરૂર છે. અને દરેક લોકો એમાં જોડાઈ તેવી અપીલ કરી છે. સાથે સાથે બિલ્ડર એસો. વતી 51,00,000 (એકાવન લાખ) તેમજ એસો.ના બોર્ડ મેમ્બર ચેકડેમ બનાવશે એવું જણાવેલ.

અમુભાઈ ભારદિયા – (રવિ ટેક્નોફોર્જ)

અમુભાઈ ભારદિયા એ જણાવેલ કે જે લોકો ખરેખર ડેમ કે નદીમાંથી માટી કે ટાસ ઉપાડે એનુ સન્માન કરવું જોઈએ કારણ કે માટી ઉપાડવાથી ખૂબ જ વિશાળ જથ્થામાં વરસાદી પાણીનો સ્ટોરેજ થાય તો સ્તરમાં પાણી ખૂબ ઊંચા આવે બીજો એને પોતાના દીકરાના જન્મદિવસની સ્મૃતિમાં રૂપિયા પાંચ લાખ ગીરગંગા પરિવારને અર્પણ કરેલ છે.

પુનિતભાઈ ચોવટિયા-(યુનિટી સિમેન્ટ)

પુનિતભાઈ ચોવટીયા જણાવે છે કે, જ્યાં ખેતીની આજુબાજુ સૂકી જમીન હોય ત્યારે ખેડૂતો એક પણ પાક ઉત્પન્ન થતો નથી, અને આજુબાજુમાં સારા એવા ચેકડેમો બની જાય છે, તો જમીનના ભાવ પણ ખૂબ સારા વધે છે, અને ખેતીમાં ઉત્પાદન પણ સારું થાય છે. તો દરેક લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યમાં આગળ વધે અને પાણી પ્રશ્ર્ન હલ કરે.

સુજીતભાઈ ઉદાણી- (બિલ્ડર એસો.સેક્રેટરી)

સુજીતભાઈ ઉદાણી જે જૈન સમાજના બિલ્ડર પણ છે, જેને બહુ સારી વાત કરી કે સમાજના ખેડૂતો કે અમુક સમાજ એમને અમારા જૈન સમાજનો જીવ દયા પ્રેમી છે, એટલે અમારો સમાજ પણ આ કાર્ય માં જોડાશે અને લોકો આ કાર્યમાં જોડાઈ તો પ્રકૃતિના આ દરેક જીવોની રક્ષા થશે તેનું એને જણાવેલ.

દિલીપભાઈ લાડાણી-(લાડાણી બિલ્ડર્સ)

રાજકોટના નામાંકિત બિલ્ડર્સ દિલીપભાઈ લાડાણી દ્વારા સરસ મજાના કટારીયા ચોકડી પાસે વીર- વીરુ અમૃત સરોવરમાં આર્થિક સહયોગ આપીને વિશાળ ચેકડેમ બનાવ્યો. અને બીજા ચેકડેમ માટે પોતાના ગ્રૂપ દ્વારા આર્થિક સહયોગ આપવાનું જાહેર કરેલ તેમજ ચેકડેમ બનાવવા માટે સિમેન્ટ, કોન્કેટમાં મદદ કરવાનું જણાવેલ.

જમનભાઈ પટેલ – (ડેકોરા બિલ્ડર્સ)

ડેકોરા ગૃપના જમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા ખૂબ જ સારી પ્રક્રિયા કરી રહ્યા છે. તેમના કાર્યક્રમથી પાણી બચાવોની પ્રવૃતિને વેગ મળે તે માટે હું પોતે મહેનત કરું છું, અને મે પોતે એક સરોવર બનાવ્યું છે, આ સંસ્થાને પ્રગતિ કરે અને લોકોમાં પાણી બચાવોની જાગૃતિ આવે તે માટે મે મારી ઓફીસ ગીરગંગા ટ્રસ્ટને વહીવટી કાર્ય માટે આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version