ક્રાઇમ
ઉનામાં નકલી સાધુએ આધેડને હિપ્નોટાઈઝ કરી દાગીના લૂંટી ફરાર
ગીર સોમનાથના ઉનામાં ધોળે દહાડે આસ્થાના નામે રાહદારીઓને ટાર્ગેટ કરીને અંજામ આપતી મોડ્સ ઓપરેન્ડી જાણીને ચોંકી જવાની ઘટના સામે આવી છે. શહેરમાં એક આઘેડને નકલી સાધુનો વેશ ધારણ કરી હિપ્નોટાઈઝ કરીને સોનાના દાગીના લઈ ત્રણ અજાણ્યા શખ્સો ફરાર થયા છે.
સોમવારે શહેરના વેરાવળ રોડ પર આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં જેસિંગભાઈ પુંજાભાઈ જોગદીયા પોતાની દિકરીને શાળાએ મૂકીને ઘરે પરત ફરી રહ્યાં હતા. તે સમયે તેમની પાછળ આવેલી કારના ચાલકે શિવ આશ્રમનું સરનામું પૂછવાના બહાને તેની સાથે વાતચીત કરી હતી. જેસિંગભાઈને સરનામું ખબર ન હોવાથી કારના ડ્રાઈવરે કારમાં પાછળ બેસેલા ચમત્કારિક સંતના દર્શન કરવા કહ્યું હતું. જે બાદ ગાડીમાં બેઠેલા નકલી સાધુએ આધેડને આશીર્વાદ આપવાના બહાને માથે હાથ મૂકીને જાણે હિપ્નોટાઈઝ કર્યા હતા? ભાન ભૂલેલી અવસ્થામાં તેમની પાસેથી સોનાની ચેન તેમજ વીંટી સહિતના અંદાજિત બે લાખના દાગીના લઈને ત્રણ અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા. આ અંગે જેસિંગભાઈ પુંજાભાઈ જોગદીયાએ પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
આમ હવે લોકોએ આવા આસ્થા અને શ્રદ્ધાના બહાને વિશ્વાસ કેળવીને નજર ચૂકવીને અંજામ આપતા નકલી સાધુથી ચેતવાની ખાસ જરૂર છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ
સાયન્સ સિટી હિટ એન્ડ રન કેસમાં રાજકોટનો શખ્સ પોલીસમાં હાજર થયો
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બુધવારે 15 સપ્ટેમ્બરે શહેરના સાયન્સ સિટી રોડ પર બનેલા હિટ એન્ડ રન કેસના સંદર્ભમાં રાજકોટના કોટડા સાંગાણીના 28 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.
આરોપી જયદીપ વઘાસિયાએ બુધવારે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન વઘાસિયાએ જણાવ્યું હતું કે તે તેના સાળા કે જે કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે તેને રાજકોટથી સોલાની ખાનગી હોસ્પિટલમાં લાવ્યો હતો. તેણે ખુલાસો કર્યો કે જ્યારે અકસ્માત થયો ત્યારે તે ઉંઘથી વંચિત હતો અને હોટલ તરફ જઈ રહ્યો હતો.
તે વ્હીલ પર સૂઈ ગયો હતો અને ગભરાટમાં, ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટરને અથડાયો હતો જ્યારે તેને ખબર પડી કે તે રાહદારીઓ સાથે અથડાઈ રહ્યો છે, તેમ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા. આત્મસમર્પણ કરતા પહેલા વઘાસિયાએ તેમના સાળાને રજા આપી હતી અને તેમને અને તેમની બહેનને રાજકોટ પરત મોકલી દીધા હતા.રણજીતસિંહ ભલગરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી ઋઈંછમાં ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમનો પરિવાર અકસ્માતમાં સામેલ હતો. રણજીતસિંહની પત્ની જીવુને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે પુત્ર પ્રિતરાજને માથા, પેટ, છાતી અને હાથપગના ભાગે ઈજાઓ થઈ હતી. પોલીસે નોંધ્યું છે કે પીડિતો તબીબી સંભાળ હેઠળ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પીડમાં આવતી કાર માતા-પુત્રને ટક્કર મારતી જોવા મળી રહી છે.
ક્રાઇમ
શહેરમાં બે સ્થળે પીસીબીના બીજા દિવસે દરોડા : 62 હજારના દેશી દારૂ સાથે પકડાયા
શહેરમાં દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પીસીબી ધોંષ બોલાવી રહી છે સતત બીજા દિવસે પીસીબીએ રાજકોટ શહેરની ભાગોળે સાતળા ગામ અને લોઠડા ગામમાં દરોડા પાડીને 62 હજારની કિંમતના દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે સપ્લાયરોના નામ ખોલ્યા છે.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલી પીસીબી બ્રાંચ દારૂ અને જુગારના હાટડાઓ બંધ કરાવવા માટે સતત કાર્યશીલ બની રહી છે. ગઈકાલે દેશી અને વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોંષ બોલાવ્યા બાદ બીજા દિવસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડયા હતાં. જેમાં સાતળા ગામની સીમમાં મારૂતિ સ્વીફટ કાર નં.જીજે.10.એપી.353માં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા ખોખડદળ પાસે મફતીયાપરામાં રહેતા અનકુ ભીખુભાઈ ચાવડાને 30 હજારની કિંમતના 150 લીટર દેશી દારૂ અને કાર સહિત રૂા.2.35 લાખના મુદ્ધામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં સપ્લાયર ખાટડી ગામના શિવરાજ બહાદુર ખાચરનું નામ ખોલ્યું છે. બીજા દરોડામાં લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડીને રૂા.32 હજારની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે રસુલપરામાં બબલુ રસુલ શેખ અને હુસેન ગુલમહમદ અંસારીની ધરપકડ કરી રૂા.32000ની કિંમતનો 160 લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કોઠારીયા સોલવન્ટ પાસે રહેૈતા ઈમરાન જુસબ હાલાએ સપ્લાય કર્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયા સાથે પીએસઆઈ એમ.જે.હુંણ તથા પીએસઆઈ પી.બી.ત્રાજીયા અને તેમની ટીમે આ સતત બીજા દિવસે દરોડાની કામગીરી કરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ