ગુજરાત
દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઘબઘબાતી બોલાવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ અતિભારે વરસી રહ્યો છે. આ વચ્ચે દ્વારકાના ખંભાળાયામાં થી એક કરુણ ઘટના સામે આવી છે. ખંભાળાયામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. ભારે વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત
પ્રતિબંધિત જમજીર ધોધ પાસે વીડિયો ઉતારનાર ગુજરાતી અભિનેત્રી સામે ફરિયાદ
એક મહિના પહેલાં રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ કર્યો હતો
ગીરગઢડાનાં જામવાળા નજીક આવેલાં જમજીર ધોધનાં કાયમી પ્રતિબંધ એવાં કોતર ધોધનાં પાંચ મિટર નજીક બેસીને એકાદ મહિના પહેલા અમદાવાદ નિકોલમાં રહેતી ગુજરાતી અભિનેત્રી જીલ પ્રેમજી જોષી વિડીયો રીલ બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરીને સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતાં જે પર્યાવરણ બચાવ સમિતિની નજરે આવ્યો હતો. અને અખબારી એહવાલ પ્રસિદ્ધ થતા તંત્ર તાત્કાલિક દોડતુ થયુ હતુ અને ગુજરાતી અભિનેત્રી જીલ જોષી સામે કોડીનાર પોલીસ સ્ટેશનમા જાહેરનામા ભંગ બદલ પોલીસ ખુદ ફરીયાદી બની તપાસ હાથ ધરી છે.
આ ધોધમા ભૂતકાળમા નાહવા તથા સેલ્ફી લેવા જતા અનેક લોકો મૃત્યુનો ભોગ બનેલ છે. જેને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી જમજીર ધોધમાં નાહવા માટે કે ધોધના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા તેમજ કિનારાની કોતર ઉપર સેલ્ફી લેવા પ્રતિબંધ ફરમાવેલ છે તેમ છતાં ગેરકાયદેસર રીતે ધોધની કોતરો ઉપર રીલ બનાવેલ હોવાનું ધ્યાને આવતાં ઝીલ જોશી વિરૂૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધાયો હતો. સોશિયલ મીડીયા ઈન્ફ્લુંન્સર, સેલિબ્રિટીને લાખો લોકો અનુસરતા હોઈ છે. તેમ છતાંય ગુજરાતી અભિનેત્રીએ વિડીયો બનાવી કાયદા નિયમોનું ઉલ્લંધન કરતાં તંત્ર એક્શનમાં આવતાં આખરે ગુન્હો નોંધી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયામાંથી હટાવી આપેલ હોવા છતાં પણ તંત્રએ જીલજોશી સામે ફરિયાદ નોંધી હતી.
ગુજરાત
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના આશ્રમમાં 30 બાળકોને ફૂડ પોઈઝનિંગ
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે શિવકુમારી આશ્રમમાં 30 બાળકોને બોજન બાદ અસર થતાં ઉલટીઓ શરૂ થતાં તાકિદે સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં ગ્રામજનો, આગેવાનો અને આરોગ્યની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અસર થયેલ તમામ બાળકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.
સાવરકુંડલા નજીક આવેલા મોટા ઝીંઝુડા ગામે આવેલ શિવ કુમારી આશ્રમ ચાલે છે જ્યાં વિનામૂલ્યે બાળકોને મફત શિક્ષણ અને રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે ભોજનમાં કારેલાનું શાક ખાધા બાદ 30 જેટલા બાળકોને ઉલટી ની અસર થતા 20 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં પીએચસી સેન્ટરના ડોક્ટર મયુર પારગી અને સ્ટાફ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે અને દસેક જેટલા બાળકો કે જેને સાધારણ અસર થતા આશ્રમ ખાતે જ રાખવામાં આવેલ અને શિવકુમારી આશ્રમ ખાતે જીંજુડા ની એક ટીમ આશ્રમ ખાતે આવી અને સારવાર ચાલુ કરેલ છે.
ઘટનાની જાણ થતા સાવરકુંડલા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આશ્રમે થી શાકના નમૂના લીધા હતા. આશ્રમના સંચાલિકાના જણાવ્યા મુજબ 110 બાળકોમાંથી માત્ર 30 બાળકોને જ આ અસર થવા પામી છે હાલ ડોક્ટરના જણા ગામ મુજબ તમામ બાળકોની સ્થિતિ કંટ્રોલમાં છે તેમજ ત્રણ બાળકોને સાવરકુંડલા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
ગુજરાત
પ્રભાસ પાટણમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરતાં 6 શખ્સોને ઝડપી લેતી SOG
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તરફથી ડીમોલેશન કરેલ જમીન ઉપર કલેકટર ગીરસોમનાથ નાઓનું પ્રવેશબંધી અંગેનુ જાહેરનામું અમલમાં હોય જે જાહેરનામાની અમલવારી અંગે પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરતા ઇસમો ઉપર સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના મુજબ ગીર સોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ તા.30/09/2024 ના એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. દેવદાનભાઇ કુંભરવાડીયા તથા મેરામણભાઇ શામળા તથા ગોવિંદભાઇ રાઠોડ તથા પો.હેડ કોન્સ. વિપુલભાઇ ટીટીયા તથા પો.કોન્સ. રણજીતસિંહ ચાવડા તથા કૈલાશસિંહ બારડ એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા પ્રભાસ પાટણ પો.સ્ટે. પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરતા નીચે મુજબના કુલ-06 ઇસમો વિરૂૂધ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો રજી.કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
જેઓની સામે કાર્યવાહી કરાઈ તેમાં શબ્બીરભાઇ મ.હનીફભાઇ ચૌહાણ પટણી, ઉવ.44 રહે.વેરાવળ, યુસુફભાઇ ઇસ્માઇલભાઇ પંજા પટણી, ઉવ.40, રહે.વેરાવળ, મહેમુદ ઉર્ફે મહેબુબ અબ્દુલ સતાર પંજા પટણી, ઉવ.34, રહે.વેરાવળ, ભરતભાઇ ગીગાભાઇ રાજગર, સલાટ, ઉવ.47, રહે.ગઢીયા પ્લોટ, પ્ર.પાટણ, આબીદભાઇ આમદભાઇ ગોહીલ, ઘાચી, ઉવ.38, રહે. પ્ર.પાટણ અને મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ ગોહીલ, ઘાચી, ઉવ.27, રહે.પ્ર.પાટણનો સમાવેશ થતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
-
ક્રાઇમ21 hours ago
VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજારમાં ભાદરવે ભૂકંપ: સેન્સેક્સમાં 1308 અને નિફ્ટીમાં 382 પોઈન્ટનું ગાબડું
-
આંતરરાષ્ટ્રીય2 days ago
સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ
-
ગુજરાત18 hours ago
મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું
-
ક્રાઇમ2 days ago
સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ઉપર ખડસલીમાં ખૂની હુમલો
-
રાષ્ટ્રીય1 day ago
શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર
-
રાષ્ટ્રીય21 hours ago
‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી