Connect with us

ભાવનગર

ભાવનગરમાંથી 1.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

ભાવનગરના નિરમા પાટિયા નજીકથી એલ.સી.બી.એ ઇંગ્લીશ દારૂૂની 1920 બોટલ ભરેલા વાહન સાથે બે શખ્સને ઝડપી લઈ રૂ.7,12,500/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી.ના માણસો વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, રાહુલ ગોહિલ રહે.આખલોલ જકાતનાકા, ભાવનગર તથા મહેશ ઉર્ફે મયુર પરમાર રહે.ચિત્રા,ભાવનગરવાળા સફેદ કલરની મહિન્દ્દા કંપનીની ઝઞટ 300 નં.-GJ-18-BF 8326માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં જવાના છે.
જે બાતમી આધારે ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર ભાવનગર તરફ જતાં રોડ ઉપર નિરમાના પાટીયે બજરંગદાસ બાપાની મઢુલી પાસે રોડ ઉપર વોચમાં રહેતાં ત્યાંથી પસાર થઈ રહેલ ગાડીને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેધી દારૂૂની 1920 બોટલ કિં. રૂ. 1,92,000 મળી આવી હતી.
એલ.સી.બી.એ.વિદેશી દારૂૂ,ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂૂ.7,12,500 ના મુદ્દામાલ સાથે રાહુલ દિનેશભાઇ ગોહિલ (ઉ.વ.30 ધંધો-રી.ડ્રા. રહે.રૂમ નંબર-106, સરયુ વિંગ્ઝ,સ્વપ્ન સાકાર સોસાયટી, ટોયોટા શો રૂમ પાછળ, આખલોલ જકાતનાકા, ભાવનગર) અને મહેશ ઉર્ફે મયુર રાજુભાઇ જેન્તીભાઇ પરમાર (ઉ.વ.26 રહે.ઇન્દિરાનગર,રફિક મોટર ગેરેજવાળો ખાંચો,ચિત્રા, ભાવનગર)ની ધરપકડ કરી દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય બે શખ્સ ભૌમિકરાજસિંહ રાયજાદા (રહે.અમદવાદ) અને ભરતસિંહ કલ્યાણસિંહ સરવૈયા (રહે.પ્રેસ કવાટર્સ, ભાવનગર) વિરુદ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. બી.એચ. શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ, જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ, જયદિપસિંહ રઘુભા, હસમુખભાઇ પરમાર, ભોજુભાઇ બરબસીયા જોડાયા હતા.

ગુજરાત

ભાવનગરમાંથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું : ચાર શખ્સ ઝડપાયા

Published

on

By

ભાવનગરની એસઓજી પોલીસે ગેસના બાટલા માંથી ગેસ ઓછો કરી ત્રણમાંથી પાંચ સિલિન્ડર ભરવાના કૌભાંડને ઝડપી લઇ ચાર શખ્સોને ઝડપી લીધા છે.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના સ્ટાફે મળેલ બાતમી ના આધારે ભાવનગર ચીત્રા-સીદસદર રોડ, બજરંગબાલક સોસાયટીની પાસે જગાભાઇ વાડીના ખુલ્લા પ્લોટમાં રાંધણ ગેસ ગ્રાહકોને વેચાણ કરવા જતા રસ્તે જગાભાઇની વાડીમાં સીલીન્ડરઓનું કંટીગ કરી સંગ્રહ કરેલ જે ઇન્ડેન, ભારત, એચ.પી. કંપનીના સીલીન્ડર કુલ 62 કિ.રૂા.1,00,800/- તથા ભુંગળી બે કિ.રૂા.100/- તથા વજન કાંટો કિં.રૂા.1000/- તથા બે રીક્ષાઓ કિ.રૂા.1,00,000/- તથા પ્લાસ્ટીકના સીલ સહિત કુલ કિ.રૂા.2,01,900/- સાથે ચાર શખ્સોને ઝડપી પાડી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.


પોલીસે ઝડપી લીધેલ શખ્સોમાં એઝાદ રફીકભાઇ કુરેશી ઉ.વ.25 રહે.વડવા નેરા થોભણ મહેતાની શેરી, ભાવનગર,સોયબ સલીમભાઇ શેખ ઉ.વ.24 ધંધો મજુરી રહે. મોતીતળાવ શેરી નં.ર કુંભારવાડા ભાવનગર, સાઝીદ મુસાભાઇ ચૌહાણ ઉ.વ.46 ધંધો રીક્ષા ડ્રાઇવીગ રહે. ખાટકીવાડ, ભીલવાડા સર્કલ,ભાવનગર, જાહીદ બચુભાઇ રાઠોડ ઉ.વ.51 ધંધો મજુરી રહે.પ્રભુદાસ તળાવ, ટેકરી ચોક, ભાવનગર નો સમાવેશ થાય છે.


બરોડાની આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા, પો.સ. ઇ .સી.એચ.મકવાણા તથા એ.એસ.આઇ. ગુલમહમદભાઇ આદમભાઇ કોઠારીયા, હેડ કોન્સ. જયવીરસિંહ ચુડાસમા, રાજેન્દ્રસિંહ ગોહિલ, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, મીનાઝભાઇ ગોરી તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. એ.વી.ગોહિલ તથા હેડ કોન્સ. બી.કે.આહિર તથા પો.કોન્સ. એઝાદખાન પઠાણ, બ્રીજરાજસિંહ ગોહિલ જોડાયા હતા.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં ટ્રક અડફેટે ચડી જતા બાઈકચાલક યુવાનનું મોત

Published

on

By


ભાવનગર કુંભારવાડા નારી રોડ ટ્રકે એક યુવકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું કરુણ મોત નિપજ્યું હતુ.


અકસ્માત અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરેશભાઇ હનુભાઇ મેર ઉ.વ.40 તેમની સ્પ્લેન્ડર બાઇક લઇને કુંભારવાડામાં આવેલા તેમના ઘર તરફ જઇ રહ્યાં હતા ત્યારે નારી કુંભારવાડા રોડ પર મામાની ડેરી પાસે બીએમસીના ટ્રકે બાઇકને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં સુરેશભાઇને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી.અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં માતા-પિતાએ ઠપકો આપતા પુત્રીનો ગળેફાંસો ખાઇ આપઘાત

Published

on

By

કુંભારવાડાના વૃદ્ધે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધું


ભાવનગર શહેરમાં ગળાફાંસો ખાઇ ને આપઘાત વહોળી લેવાના બે બનાવોમાં એક સગીરા અને એક વૃદ્ધ ના કમોત થયેલ છે.


આપઘાતના પ્રથમ બનાવવામાં ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ ઇશ્વરભાઇ ચૌહાણ ની પુત્રી માયા ઉં.વ. 14 એ તેના તેણી ના ઘેર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વહોરી લીધી હતી. માતા- પિતાએ કોઈ બાબતે ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.જ્યારે બીજા બનાવમાં ભાવનગર શહેરના કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં રહેતા મનજીભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ. 63) એ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી .આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Continue Reading

Trending