ગુજરાત
અટલ સરોવરની એન્ટ્રી ફીમાં કરોડોની ગોબાચારી, ટેન્ડરમાં શરત મફત એન્ટ્રીની છતાં ઉઘરાણાની જોગવાઈ
સ્માર્ટ સિટીની બોર્ડ બેઠકમાં પાછળથી છુટછાટ ઉમેરી દેવાયાનો છઝઈંમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
કોર્પોરેશનને એન્ટ્રી ફી પેટે માત્ર 10 ટકા ચુકવવાના બાકીના કરોડો રૂપિયા કોન્ટ્રાકટરના ખિસ્સામાં
રાજકોટ મહાનગરપાલિકાથી માંડી ગાંધીનગર સુધી ભાજપની સરકાર હોવાથી રાજકાટમાં ત્રણ વર્ષ પહેલા સુધી ‘મોસાળે જમણ અને મા પીરસે’ જેવી સ્થિતિ હતી ત્યારે સત્તાધારી પયના કેટલાક નેતાઓએ ટી.પી.સ્કીમો તેમજ બસપોર્ટ અને સ્માર્ટ સીટી સહિતની યોજનાઓમાં બે મોઢે ભ્રષ્ટાચાર આચર્યાના ઘટસ્ફોટ ધીરે ધીરે થઈ રહ્યાં છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાના ટીપી અને ફાયર વિભાગનાં અધિકારીઓના તપેલા ચડી ગયા છે પરંતુ તેના આકાઓને આજ સુધી કાયદાકીય પકડથી બચાવી લેવામાં આવ્યા છે તેવામાં આજથી શરૂ થયેલ રાજકોટના સૌથી મહત્વાકાંક્ષી એવા અટલ સરોવર પ્રોજેકટની એન્ટ્રી ફી ઉઘરાવવામાં અને એન્ટ્રી ફી નક્કી કરવામાં પણ ટેન્ડર પ્રક્રિયા બાદ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે.
]
રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત પ્રજાના પૈસે રૂા.136 કરોડના ખર્ચે બનેલા અટલ સરોવર પ્રોજેકટમાં બાળકોના રૂા.10 અને એડલ્ટના રૂા.25 એન્ટ્રી ફી ઉઘરાવલામાં મોટો ખેલ પડી ગયાનું બહાર આવ્યું છે. પ્રજાના પૈસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોેજેકટના ટેન્ડરમાં એન્ટ્રી ફી મફત રાખવાની જોગવાઈ હતી. આમ છતાં કેટલાક કારીગરોએ કારીગરી કરી પાછળથી એન્ટ્રી ફી ઘુસાડી દઈ કોન્ટ્રાકટર સાથે મળીને 15 વર્ષ સુધી ‘કટકટાવવા’નો ખેલ માંડી દીધાની હકીકત સામે આવી છે.
આ ઉપરાંત કોર્પોરેશનના ખર્ચે તૈયાર થયેલ આ પ્રોેજેકટમાં આશ્ર્ચર્યજનક રીતે પ્રથમ પ્રિમીયમ ચુકવવાની શરતોમાં પણ ઘાલમેલ કરી 0 થી 5, 5 થી 10 અને 10 થી 15 વર્ષના બદલે 3 થી 7, 8 થી 12 અને 13 થી 27 વર્ષના સ્લેબ કરી નાખવામાં આવ્યા છે. અટલ સરોવર પ્રોેજેકટનું ટેન્ડર કયુબ ક્ધસ્ટ્રકશનને રૂા.136 કરોડમાં આપવામાં આવ્યા બાદ બે વર્ષમાં અટલ સરોવર તૈયાર કરી લેવા અને તૈયાર થયા બાદ 15 વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ ખર્ચ ક્ધસ્ટ્રકશન કંપનીએ કરવાની શરતો રખાઈ હતી.
ટેન્ડર બહાર પડયું ત્યારે અટલ સરોવરમાં આમ જનતા માટે એન્ટ્રી ફી નિ:શુલ્ક રાખવાની શરત હતી જ્યારે વિવિધ પ્રકારની રાઈડસ તથા પાર્ટી પ્લોટ, ફુડકોર્ટ વિગેરેની આવક ક્ધસ્ટ્રકશન કંપની કરી શકે તેવી જોગવાઈ હતી. આ પેટે ક્ધસ્ટ્રકશન કંપનીએ મહાનગરપાલિકાને વાર્ષિક પ્રિમીયમ ચુકવવાની જોગવાઈ કરાઈ હતી.
પરંતુ ડેન્ટર મંજુર થયા પછી તા.28 મે 2019ના રોજ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ આવ્યો ત્યારે અટલ સરોવરની એન્ટ્રી ફી ઉઘરાવવાની શરત પણ પ્રગટ થઈ ગઈ હતી અને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ આપી દેવામાં આવી હતી. આટલું નહીં કોન્ટ્રાકટરને દર પાંચ વર્ષે એન્ટ્રી ફીમાં વધારો કરવાના બદલે ત્રણ વર્ષ પછી ફીમાં વધારો કરવાની પણ છુટ આપી દેવામાં આવી હતી.
આ છુટછાટ સામે મહાનગરપાલિકાને એન્ટ્રી ફીની 10 ટકા રકમ અને 90 ટકા રકમ જમા કરાવી બાકીની 10 ટકા રકમ કોન્ટ્રાકટરની તિજોરીમાં ઠાલવવાની જોગવાઈ પણ કરી દેવામાં આવી હતી. જનરલ બોર્ડ ઠરાવ કર્યા બાદ એન્ટ્રી ફી ઉઘરાવવાની છુટ સાથે કોન્ટ્રાકટરને લેટર ઓફ ઈન્ટેન્ટ પણ આપી દેવામાં આવ્યો હતો.
હવે અટલ સરોવર જ્યારે શરૂ થયું છે ત્યારે દર મહિને કોન્ટ્રાકટરને એન્ટ્રી ફીની જ કરોડો રૂપિયાની આવક થાય તેમ છે. અગાઉ તા.1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે અટલ સરોવર ખુલ્લુ મુકાયુ હતું. પરંતુ ગેમઝોન અગ્નિકાંડના કારણે માત્ર 24 દિવસમાં જ બંધ કરી દેવ્યું હતું. આ 24 દિવસમાં જ સવાત્રણ લાખથી વધુ મુલાકાતીઓ અટલ સરોવરની મુલાકાતે આવ્યા હતાં તેની એન્ટ્રી ફીની આવક જ લાખો રૂપિયા થવા જાય છે. 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકો આવ્યા હતાં તેમાંથી અડધા બાળખો ગણો તો તેની એન્ટ્રી ફીની આવક રૂા.16.30 લાખ અને એડલ્ટની એન્ટ્રી ફી પેટે રૂા.41 લાખ જેવી આવક થયાનો અંદાજ મુકી શકાય.
આમ દર મહિને એન્ટ્રી ફીની આવક જ રૂા.એક કરોડથી વધુ થઈ શકે તેમ છે. આ આવકમાં 90 ટકા કોન્ઠ્રાકટરને મળશે. મતલબ કે, મહાનગરપાલિકાના શાસકોએ કોન્ટ્રાકટરને દર મહિને લાખો રૂપિયાની રોકડી કરવાનું સાલીચાણુ બાંધી દીધું છે. અટલ સરોવરના ટેન્ડરમાં થયેલી આ ગોલમાલનો આરટીઆઈમાં ખુલાસો થયો છે ત્યારે એન્ટ્રી ફીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવાની પરવાનગી કોન્ટ્રાકટરને કયા કારણોસર આપી દેવામાં આવી તે તો તે સમયના શાસકો અથવા તો સહી કરનાર અધિકારીઓ જ બતાવી શકે. પરંતુ આ સમગ્ર મામલો શંકાસ્પદ અને મોટા ભ્રષ્ટાચારનો જણાય છે ત્યારે આ બારામાં તપાસ કરવામાં આવે તો ચોંકાવનારા ધડાકા થઈ શકે છે. તમામ પુરાવા રેકર્ડ ઉપર છે. જો સરકારની કે, વર્તમાન મ્યુનિ.કમિશનરની કે, મેયરની ઈચ્છા શકતી હોય તો તટસ્થ તપાસ કરાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી શકે છે.
24 દિવસમાં રૂા.3.26 લાખ મુલાકાતી આવ્યા, આંકડા છુપાવા હવાતીયા
રાજકોટના નવ્ નજરાણા સમાન અટલ સરોવરમાં એન્ટ્રી ફીના ઉઘરાણા ટેન્ડર પ્રક્રિયા બાદ ઘુસાડી દેવાયા છે ત્યારે એન્ટ્રી ફીની જ આવક દરમહિને એકાદ કરોડ રૂપિયાથી વધુ થાય તેવો અંદાજ છે. અગાઉ તા.1 મેના રોજ અલટ સરોવર ખુલ્લુ મુકાયુ ત્યારે પ્રથમ દિવસે મફત એન્ટ્રી હતી. ત્યારબાદના ગેમઝોન અગ્નિકાંડના કારણે તા.25 મેની મોડી સાંજે અટલ સરોવર બંધ કરાવી દેવામાં આવ્યું હતું. વચ્ચેના આ 24 દિવસમાં કુલ 3.26 લાખ લોકોએ અટલ સરોવરમાં એન્ટ્રી કરી હતી. આ 3.26 લાખમાં અડધા બાળકો અને અડધા એડલ્ટની એન્ટ્રી ગણવામાં આવે તો પણ આ આવક રૂા.60 લાખ આસપાસ થવા જાય છે. તહેવારોની સીઝનમાં આ આવક અનેક ગણી વધી શકે છે. સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, અટલ સરોવર તા.1 થી 25 મે સુધી ખુલ્લુ રહ્યું તે દરમિયાન કેટલા બાળકો અને કેટલા એડલ્ટ લોકોએ મુલાકાત લીધી તેનો આંકડો ભેદી કારણોસર મહાનગરપાલિકાના અધિકારીઓ દબાવી રહ્યાં છે. જ્યારે કયુબ ક્ધસ્ટ્રકશન કંપનીના જવાબદાર અધિકારીઓ આ આંકડો મીડિયા સમક્ષ જાહેર કરી શકાય નહીં તેવો જવાબ આપી રહ્યાં છે. મુલાકાતીઓના આંકડા દબાવવા કોર્પોરેશન અને કોન્ટ્રાકટ બન્ને દ્વારા ચલકચલાણુ રમાઈ રહ્યું છે તે બાબત પણ શંકાસ્પદ ગણાવાય છે.
પાંચના બદલે ત્રણ વર્ષે ફી વધારવાની જોગવાઈમાં પણ જગલરી
મહાનગરપાલિકાના સત્તાધીશોએ અટલ સરોવરનું ટેન્ડર ફાઈનલ થયા બાદ એન્ટ્રીફી ઉઘરાવવાની પાછળથી જોગવાઈ ઘુસાડી દીધા બાદ પણ દલા તરવાડી વાળી કરી હોય તેમ પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષ પછી જ ફી વધારવાની કોન્ટ્રાકટરને છુટ આપી દીધી છે. જ્યારેિ વવિધ રાઈડસના ભાવ વધારાની મુદત પાંચ વર્ષ જ રાખી છે. કોન્ટ્રાકટર સાથે મહાનગરપાલિકાએ કરેલા કરાર મુજબ હાલમાં બાળકો માટે રૂા.10 અને એડલ્ટ માટે રૂા.25 છે તે ત્રણ વર્ષ બાદ સીધી બાળકોની એન્ટ્રી ફી રૂા.20 અને એડલ્ટ માટે રૂા.40 થઈ જશે. આમ એન્ટ્રી ફી પાંચ વર્ષના બદલે ત્રણ વર્ષે વધારવાની જોગવાઈમાં પણ કોઈ ‘જગલરી’ થયાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ