Connect with us

ગુજરાત

અગ્નિકાંડમાં પડદા પાછળના આરોપીઓને પકડો

Published

on

ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ સીબીઆઈને સોંપો
ગુજરાતમાં તક્ષશિલા કાંડ, હરણી બોટ કાંડ, ઝુલતા પુલ કાંડ, ટીઆરપી અગ્નિકાંડ, લઠ્ઠાકાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાકરીયા રાઈડ કાંડ જેવા અનેક કાંડો સર્જાયા છે જેમાં ભ્રષ્ટાચાર બનાવ પાછળ કારણભૂત હોવાનું સાબિત થયું છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે સીબીઆઈના પ્રમાણિક ઓફિસરોને સોંપવામાં આવે અને જવાબદારોને કડક સજા થાય તેમજ આ સંબંધે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસની એક કમીટી બનાવી તેને તાત્કાલીક રિપોર્ટ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.


મૃતકોના પરિવારજનોને સહાય પેટે 50 લાખની માંગણી
ગુજરાતમાં અવારનવાર જુદા જુદા કાંડો સર્જાઈ રહ્યાં છે ત્યારે સુપ્રીમ કોર્ટે આવા બનાવો સંદર્ભે આપેલા ચુકાદાને ધ્યાને લઈ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને સહાય પેટે 50 લાખ રૂપિયા જેવું વળતર આપવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે અને આવા બનાવોમાં સંડોવાયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરી તે મિલકતમાંથી પણ પીડિતોને 50 લાખ જેવી સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.


બે પીડિત પરિવાર અને એક આરોપીના સ્વજનો રજૂઆતમાં જોડાયા નહીં
ટીઆરપી અગ્નિકાંડમાં આજે 24 મૃતકોના પરિવારજનોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે જો કે આ અગ્નિકાંડમાં 27 વ્યક્તિઓ મોતને ભેટયા છે ત્યારે આ અગ્નિકાંડમાં એક નેપાળી યુવકનું મૃત્યુ થયું હોય જેના પરિવારજનો હાલ નેપાળ ગયા છે જ્યારે અન્ય એક યુવકનું મૃત્યુ થયું હોય જેના પરિવારજનો વિધી માટે હરિદ્વાર ગયા છે જેથી તેઓ આ રજૂઆતમાં જોડાઈ શકયા ન હતાં. જ્યારે આ અગ્નિકાંડમાં ગેમઝોનનો સંચાલક પ્રતાપ જૈન જે આરોપી છે તેનું પણ મૃત્યુ થયું હોય તેના સ્વજનો આ રજૂઆતમાં જોડાયા ન હતાં.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસની આગેવાનીમાં કમિટી નીમી છ માસમાં તપાસ પૂર્ણ કરાવવા માગણી


રાજકોટના નાનામવા નજીક ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મોતને ભેટેલા આજે 27 હતભાગીઓમાંથી 24 હતભાગીઓના પરિવારજનો ગાંધીનગર ખાતે ધસી જઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં ટીઆરપી અગ્નિકાંડમાં પડદા પાછળના તમામ આરોપીઓની ધરપકડ કરો તેમજ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નિવૃત્ત જજોની બે દિવસમાં કમીટી બનાવી તપાસ કરાવો તેવી માંગણી કરવામાં આવી છે. પીડિત પરિવારો બપોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતાં અને પોતાની વ્યથા-વેદના તેમની સમક્ષ વર્ણવી જણાવ્યું હતું કે છ માસમાં જવાબદારો સામે પગલાં નહીં ભરાઈ તો રાજકોટથી ગાંધીનગર સુધીની પદયાત્રા કાઢવામાં આવશે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તમામ પીડિતોને સાંભળ્યા બાદ આસ્વાશન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ જવાબદારને છોડવામાં આવશે નહીં સરકાર પીડિતો સાથે જ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવેલ કે મુખ્યમંત્રી તમામ પીડિતોની વેદના સારી રીતે સમજી શકે છે તેમનો પુત્ર પણ એક સમયે હોસ્પિટલમાં હતો તેથી તમારી પીડાથી તેઓ સુપેરે વાકેફ છે.

રાજકોટના નાનામવા નજીક ગત તા.25-5-2024ના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 વ્યક્તિઓ ભળીને ભળથુ થઈ ગયા છે જેની તપાસ હજુ ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પડદા પાછળના એક પણ મોટા માથાઓની કે ભાજપના પદાધિકારીઓની ધરપકડ કરવામાં આવી નથી જેની સામે આજે અગ્નિકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓમાંથી 24 પીડિત પરિવારો કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર પ્રમુખ મુકેશ દોશીની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી હતી.


પીડિત પરિવારો દ્વારા વડાપ્રધાન -મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ટીઆરપી અગ્નિકાંડમાં સુપ્રીમકોર્ટના બે નિવૃત્ત જસ્ટીસ, હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટીસ, હાઈકોર્ટના ત્રણ ન્યાયધીશ અને એક મહિલા સિવિલ જજની બે દિવસમાં કમીટી બનાવી તપાસ કરાવા માંગણી કરવામાં આવી છે.


આ ઉપરાંત ગેમઝોન અગ્નિકાંડ સંદર્ભે ચાલી રહેલી તપાસમાં જે સીટ બનાવવામાં આવી છે તેમાં આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિલીપ્ત રાય જેવા પ્રમાણીક અધિકારીઓમાંથી બે અધિકારીઓની સીટમાં નિમણુંક કરવામાં આવે આ ઉપરાંત આ દુર્ઘટનાની છ માસમાં ટ્રાયલ પુરી કરી આરોપીઓને કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી છે. ભગવાન શ્રી રામે જણાવેલ કે જો પ્રજાને ન્યાય મળવામાં દેરી થશે તો તે અન્યાય થઈ જાય છે અને કયારેક તેનું પરિણામ ભયંકર આવે છે. આ ઉપરાંત અગ્નિકાંડમાં ચાલુ કોર્પોરેટરો, મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના બીજા કોઈપણ નેતાની મીલીભગત કે ભાગીદારી બહાર આવે તો તેઓની ધરપકડ કરો અને તેમની સામે એસીબી અને સીબીઆઈ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે.


રહેણાંક વિસ્તારમાં ગેમઝોન ચલાવવા જે કોઈ અધિકારીઓની ભાગીદારી હોય કે એનઓસી આપનાર અધિકારીની મીલીભગત હોય તો તેઓની ધરપકડ કરવા તેમજ ટીઆરપી ગેમઝોનમાં અગાઉ જે આઈપીએસ અધિકારીના જન્મદિવસની પાર્ટી 22-3-2022ના યોજાઈ હતી. જેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે આવા અધિકારીઓની જવાબદારી ફીકસ કરી તેઓની સામે પણ સીબીઆઈ તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.


આવા હત્યાકાંડ વારંવાર બની રહ્યાં છે તેથી ભારતીય ન્યાય સહિતાની કલમ 105,106 હેઠળ મૃત્યુ દંડ કે ફાંસીની સજા સુધીની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં સુધારો કરી સંસદના ચોમાસુ સત્રમાં જ સુધારો લાગુ કરવા માંગણી કરવામાં આવી છે.


પીડિત પરિવારોની સાથે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટના સાંસદ સભ્ય પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો સાથે રહ્યા હતાં અને મુખ્યમંત્રી સમક્ષ ન્યાય માટે રજૂઆત કરી હતી.

રાહુલ ગાંધી પીડિતોને મળ્યા બાદ ભાજપ દોડતું થયું
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડીતોને ગત સપ્તાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે મળી ન્યાય અપાવવાની ખાત્રી આપ્યા બાદ સ્થાનિક ભાજપના આગેવાનોને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું. અને આજે 24 પીડીત પરિવારને સ્થાનિક ભાજપના હોદેદારો સાથે લઈ ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

ગુજરાત

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

Published

on

By

ખંભાળિયામાં નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા સંદર્ભે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મળે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ સાથે વિવિધ પ્રકારની ઝુંબેશ આદરવામાં આવી રહી છે. સાથે સાથે વિવિધ ધંધાકીય એકમોમાં પણ આ પ્રકારે લેવામાં આવતા પગલાં વચ્ચે ક્રમાંક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

ખંભાળિયા શહેરમાં કાર્યરત વિવિધ હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતની બાબતે ચોક્કસ અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ પ્રકારના સર્વેક્ષણ બાદ અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલી પટેલ મેટરનીટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટરને આ મુદ્દે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ મુદ્દે પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો શાલીન પટેલ તથા ડો. બીજલબેન પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તે માટે અલગ અલગ કન્ટેનરો તેમજ ચોક્કસ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી છે. હોસ્પિટલને પ્રાપ્ત થયેલા પ્રથમ ક્રમાંકમાં સ્વચ્છતા સાથે દર્દીઓને મળતી વિવિધ પ્રકારની જરૂરી સુવિધાઓ તેમજ સરકારના નિયમોની થતી ચુસ્ત અમલવારીને ધ્યાને લેવામાં આવે છે.

આ સર્વેક્ષણ સરકારના નિયત પ્રતિનિધિ તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં આ હોસ્પિટલ માટે સિટીઝન ફીડબેકને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત મિશન ઉદ્દેશ સહિતની બાબતોને ધ્યાને લઈ અને પટેલ હોસ્પિટલને સ્વચ્છતા અને ચોખ્ખાઈ માટે આ સર્ટિફિકેટ સાંપળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પટેલ દંપતી સામાજિક તેમજ સેવાકાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દર્દીઓની સેવા અને સરકાર દ્વારા આપવામાં આવેલા આ સર્ટિફિકેટ બદલ નગર નગરજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. 
Continue Reading

ક્રાઇમ

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

Published

on

By

  • રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો. 

આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.

લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
   આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
Continue Reading

ગુજરાત

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

Published

on

By

શહેરમાં થોડા સમય પહેલા જ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરવા ગયેલા ફર્નિચરના વેપારીનું પોલીસ મથકમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આવો જ એક વધુ બનાવ બી ડીવીઝન પોલીસ મથકમાં બનાવા પામ્યો છે. જેમાં મોરબી રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતો યુવાન દારૂડીયા સાથે માથાકુટ થતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે પોલીસ મથકમાં જ એકા એક ગભરામણ થતા ઢળી પડ્યો હતો. જેથી પોલીસ સ્ટાફ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. આમ છતાં, તેનો જીવ બચ્યો ન હતો. આ બનાવથી છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) નામનો યુવાન તેના પિતારાઇ ભાઇ અમીતભાઇ સાથે ગઇકાલે રાત્રે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે અચાનક તેને છાતીમાં ગભરામણ થયા બાદ પોલીસ મથકમાં જ ઢળી પડતા ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા યુવાનને સીપીઆર આપવામાં આવ્યા હતા. પરંતુ તે ભાનમાં ન આવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને ઇમીટેશનનું કામ કરતો હતો તેને સંતાનમાં છ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તે ગઇકાલે રાત્રે ઘર નજીક આટો મારવા નીકળ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ શેરીમાં દારૂ પીતો હોય તેની પાસેથી નીકળતા આ શખ્સે ‘તારે અહીંથી નીકળવાનું નહીં’ કહીને માથાકુટ કરી ઝાપટ મારી હતી. જેથી તેઓ પિતરાઇ ભાઇ સાથે આ શખ્સ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જ હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ.ં

Continue Reading
ધાર્મિક2 hours ago

31 ઓક્ટોબર કે 1 નવેમ્બર જાણો કયારે છે દિવાળી, અહીં જાણો સાચી તારીખ

રાષ્ટ્રીય2 hours ago

આખી રાત મચ્છર મારવાનું મશીન ચલાવવું સવાસ્થ્ય માટે છે હાનીકારક, થઇ શકે છે ગંભીર બીમારીઓ

આંતરરાષ્ટ્રીય3 hours ago

દિવાળી પહેલા ભારત-ચીન સૈનિકો LAC પર ડેમચોક અને ડેપસાંગથી પાછા હટી જશે

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

ધાર્મિક3 hours ago

દિવાળીએ વાસ્તુ અનુસાર ઘરમાં કરાવો આ કલર, દેવી લક્ષ્મી કરશે ધનનો વરસાદ

ક્રાઇમ3 hours ago

ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો

ગુજરાત3 hours ago

બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત

આંતરરાષ્ટ્રીય3 hours ago

ઇઝરાયલે અલજઝીરાના છ પત્રકારોને આતંકી જાહેર કર્યા

રાષ્ટ્રીય3 hours ago

ઉત્તરપ્રદેશમાં ઈન્ડિયા ગઠબંધનમાં બળવો, સપાના ઉમેદવાર સામે કોંગી નેતાએ ફોર્મ ભર્યુ

રાષ્ટ્રીય3 hours ago

કાનૂની ડિગ્રી વિના સુપ્રીમમાં પત્રકારો કવરેજ કરી શકશે

ગુજરાત7 hours ago

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે

ગુજરાત1 day ago

ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો

ગુજરાત1 day ago

કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે

ગુજરાત1 day ago

રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ

ગુજરાત1 day ago

ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા

ગુજરાત1 day ago

વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર

ગુજરાત1 day ago

CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ

ગુજરાત1 day ago

ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો

ગુજરાત3 hours ago

ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક

આંતરરાષ્ટ્રીય1 day ago

જસ્ટિન ટ્રુડો કેનેડામાં જ ઘેરાયા, 28મી સુધીમાં રાજીનામું આપવા તેના જ સાંસદની માગણી

Trending