ગુજરાત
કોંગ્રેસના નેતાઓને કાર્યકરોની દરકાર નથી, વારંવાર અવગણના
અમદાવાદમાં પથ્થરમારાની ઘટના બાદ કોંગ્રેસ કાર્યકરનું દર્દ છલકાયું, વીડિયો વાઈરલ
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ 5 કાર્યકરો જેલમાં બંધ છે જ્યારે અન્ય 21 કાર્યકરો નાસતા ફરે છે. આ મામલે મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે સંગઠનની વાતો કરતી કોંગ્રેસ વારંવાર કાર્યકરોની અવગણના કરે છે. જે ચલાવી લેવામાં નહીં આવે.
અમ઼દાવાદમાં રાજીવ ગાંધી ભવન પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસે 5 કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી, આ 5 કાર્યકર્તાઓ હાલ જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે જ્યારે અન્ય 21 કાર્યકર્તાઓ નાસતા ફરે છે. 2 જૂલાઈએ બનેલી આ ઘટના બાદ આ કાર્યકર્તાઓની પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ દરકાર ન લેવાતી હોવાનુ ફરિયાદ ઉઠી. મેહુલ રાજપૂત નામના કાર્યકરે વીડિયો વાયરલ કરી આકરા શબ્દોમાં તેમની પીડા વ્યક્ત કરી છે અને પ્રદેશ નેતાગીરીની આકરી ઝાટકણી કાઢી છે.
આક્રોષ સાથે રાજપૂત જણાવી રહ્યા છે કે પ્રદેશ નેતાગીરીના એક ફોન પર હાજર થઈ જનારા કાર્યકર્તાઓને આજે કોઈ પૂછી પણ નથી રહ્યુ. 2 જૂલાઈએ થયેલી મારામારીની ઘટના બાદ 21 કાર્યકર્તાઓ આજે પણ નાસતા ફરે છે પરંતુ કોંગ્રેસના આગેવાનોને તેમની કંઈ પડી નથી. ઘટનાને એક સપ્તાહ વિતવા આવ્યુ પરંતુ એકપણ કાર્યકરને ફોન કરીને કોઈએ પૂછવાની પણ દરકાર લીધી નથી. રાહુલ રાજપૂતેપ્રદેશ નેતાગીરી કે શહેર પ્રમુખે નાસતા ફરતા કાર્યકરોને ફોન ના કર્યો હોવાનો બળાપો કાઢ્યો છે.
મેહુલ રાજપૂતે કહ્યુ કે એક કાર્યકર્તા તરીકે મારા પર અમદાવાદ કોંગ્રેસ શહેર સમિતિ કે કોંગ્રેસ કાર્યાલય તરફથી એક ફોન નેતાનો કે પ્રમુખનો ફોન નથી આવ્યો. કોઈએ નાસતા ફરતા 21 કાર્યકર્તાઓની નોંધ સુદ્ધા નથી લીધી.મેહુલ રાજપૂતે જણાવ્યુ કે કોંગ્રેસ છોડી જનારા ધર્મેન્દ્ર પટેલે માણસાઈના નાતે ફોન કર્યો જ્યારે પ્રદેશ નેતાગીરી તે વિવેક પણ ચૂકી ગઈ છે. માત્ર એક મેસેજ કે એક ફોન આવતા જ કાર્યકરો કોઈપણ કાર્યક્રમ, ધરણા, આંદોલનની તમામ કામગીરી પોતાના શિરે લઈ લેતા હોય છે, એ કાર્યકરોનું દર્દ પ્રદેશ નેતાગીરીને કેમ આજે દેખાતુ નથી! કાર્યકરોના હાલચાલ જાણવાની, તેમના પરિવારના ખબર અંતર જાણવાની પણ પ્રદેશ નેતાગીરીની ફરજ હોય છે, પરંતુ તેમને કાર્યકરોની કંઈ પડી નથી.
મનીષ દોશીનું આશ્ર્વાસન
જો કે આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમણે જણાવ્યુ છે કે કોઈપણ કાર્યકરને ગમે તે મુશ્કેલી હોય પ્રદેશ કોંગ્રેસ સમિતિ હંમેશા કાર્યકર્તાઓના મદદ કરવા તૈયાર છે. કાર્યકર્તાઓને સમસ્યા હોય તો શહેર પ્રમુખ અને પ્રદેશના નેતાઓનો સંપર્ક કરી શકે છે.
ગુજરાત
ખંભાળિયા: સ્વચ્છતા-સેવાના મુદ્દે પટેલ હોસ્પિટલે મેળવ્યો પ્રથમ ક્રમાંક
ખંભાળિયામાં નગરપાલિકા તેમજ સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા સંદર્ભે વિવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ખંભાળિયા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મળે તે માટે તંત્ર દ્વારા લોકોને અપીલ સાથે વિવિધ પ્રકારની ઝુંબેશ આદરવામાં આવી રહી છે. સાથે સાથે વિવિધ ધંધાકીય એકમોમાં પણ આ પ્રકારે લેવામાં આવતા પગલાં વચ્ચે ક્રમાંક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
ખંભાળિયા શહેરમાં કાર્યરત વિવિધ હોસ્પિટલોમાં સ્વચ્છતા સહિતની બાબતે ચોક્કસ અધિકારીઓની ટીમ દ્વારા વિવિધ પ્રકારના સર્વેક્ષણ બાદ અત્રે જડેશ્વર રોડ ઉપર આવેલી પટેલ મેટરનીટી હોમ એન્ડ આઈવીએફ સેન્ટરને આ મુદ્દે પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. આ મુદ્દે પટેલ હોસ્પિટલના ડાયરેક્ટર ડો શાલીન પટેલ તથા ડો. બીજલબેન પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. તે માટે અલગ અલગ કન્ટેનરો તેમજ ચોક્કસ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી છે. હોસ્પિટલને પ્રાપ્ત થયેલા પ્રથમ ક્રમાંકમાં સ્વચ્છતા સાથે દર્દીઓને મળતી વિવિધ પ્રકારની જરૂરી સુવિધાઓ તેમજ સરકારના નિયમોની થતી ચુસ્ત અમલવારીને ધ્યાને લેવામાં આવે છે.
આ સર્વેક્ષણ સરકારના નિયત પ્રતિનિધિ તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં આ હોસ્પિટલ માટે સિટીઝન ફીડબેકને પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. સરકારના સ્વચ્છ ભારત મિશન ઉદ્દેશ સહિતની બાબતોને ધ્યાને લઈ અને પટેલ હોસ્પિટલને સ્વચ્છતા અને ચોખ્ખાઈ માટે આ સર્ટિફિકેટ સાંપળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પટેલ દંપતી સામાજિક તેમજ સેવાકાર્યોમાં પણ અગ્રેસર રહે છે. સાથે સાથે સુવ્યવસ્થિત રીતે દર્દીઓની સેવા અને સરકાર દ્વારા આપવામાં આવેલા આ સર્ટિફિકેટ બદલ નગર નગરજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
ક્રાઇમ
ભાણવડમાં સહાયની બાકી ચુકવણી સંદર્ભે લાંચ લેતા આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાયો
- રૂ. 3,500 ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો –
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે સરકારની મનરેગા યોજનામાં બાકી ચુકવણી સંદર્ભ આસામી પાસેથી રૂપિયા 3,500 ની લાંચ લેતા કરાર આધારિત આસિસ્ટન્ટ વર્ક મેનેજર ઝડપાઈ ગયો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ સરકારની રોજગાર અર્થની મનરેગા યોજનાની વિવિધ આશરે 266 યોજનાઓ પૈકી વાઢીયું ઘાસની વાવણી કરવા માટે એક આસામી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકાર દ્વારા રૂપિયા 23,000 ની રકમ મંજૂર કરાઈ હતી. જે પૈકી રૂ. 14,000 ની રકમ અરજદારને મળી ગઈ હતી. જ્યારે બાકી રહેતા રૂ. 9,000 ની ચુકવણી માટે અરજદાર પાસેથી ભાણવડ તાલુકા પંચાયતમાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર કરાર આધારિત તરીકે કામ કરતા મિહિર વી. બારોટ દ્વારા રૂ. 3,500 ની માંગણી કરવામાં આવી હતી.
લાંચની આ રકમ અરજદાર આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરો વિભાગનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને રાજકોટ એ.સી.બી. એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા એ.સી.બી. પી.આઈ. એસ.સી. શર્મા દ્વારા આ અંગે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજરોજ સવારે ભાણવડમાં જકાતનાકા પાસે આવેલી દ્વારકાધીશ પાન નામની દુકાન નજીક આરોપી મિહિર બારોટને ફરિયાદી પાસેથી રૂ. 3,500 ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
આ બનાવે ભાણવડ સાથે જિલ્લાભરના સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત
બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલા યુવાનનું હાર્ટએટેક આવતા મોત
શહેરમાં થોડા સમય પહેલા જ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરવા ગયેલા ફર્નિચરના વેપારીનું પોલીસ મથકમાં જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે આવો જ એક વધુ બનાવ બી ડીવીઝન પોલીસ મથકમાં બનાવા પામ્યો છે. જેમાં મોરબી રોડ પર ન્યુ જલારામ સોસાયટીમાં રહેતો યુવાન દારૂડીયા સાથે માથાકુટ થતા બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે પોલીસ મથકમાં જ એકા એક ગભરામણ થતા ઢળી પડ્યો હતો. જેથી પોલીસ સ્ટાફ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતું. આમ છતાં, તેનો જીવ બચ્યો ન હતો. આ બનાવથી છ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલી ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશ અરજણભાઇ દામાણી (ઉ.વ.36) નામનો યુવાન તેના પિતારાઇ ભાઇ અમીતભાઇ સાથે ગઇકાલે રાત્રે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે અચાનક તેને છાતીમાં ગભરામણ થયા બાદ પોલીસ મથકમાં જ ઢળી પડતા ત્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા યુવાનને સીપીઆર આપવામાં આવ્યા હતા. પરંતુ તે ભાનમાં ન આવતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. હાર્ટએટેક આવતા મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ અને ઇમીટેશનનું કામ કરતો હતો તેને સંતાનમાં છ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં તે ગઇકાલે રાત્રે ઘર નજીક આટો મારવા નીકળ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ શેરીમાં દારૂ પીતો હોય તેની પાસેથી નીકળતા આ શખ્સે ‘તારે અહીંથી નીકળવાનું નહીં’ કહીને માથાકુટ કરી ઝાપટ મારી હતી. જેથી તેઓ પિતરાઇ ભાઇ સાથે આ શખ્સ વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે જ હાર્ટએટેક આવતા તેમનું મોત નીપજ્યું હતુ.ં
-
ગુજરાત7 hours ago
સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે જ રહેશે
-
ગુજરાત1 day ago
ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીનું શુકન સાચવતા ગ્રાહકો
-
ગુજરાત1 day ago
કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે
-
ગુજરાત1 day ago
રાજકોટ જેલના કેદીઓની કામગીરીની પ્રશંસા કરતું રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ
-
ગુજરાત1 day ago
ડિપાર્ટમેન્ટના અધ્યાપકોને હાંસિયામાં ધકેલી કોલેજોના આચાર્યોને બનાવાયા ભવનના વડા
-
ગુજરાત1 day ago
વેજાગામ-વાજડી-સોખડા-મનહરપુર સહિત 3 ટીપી સ્કીમનો મુસદ્દો જાહેર
-
ગુજરાત1 day ago
CBSC દ્વારા ધો.10 અને 12ની પ્રેેક્ટિકલ પરીક્ષા તા.1 જાન્યુઆરીથી શરૂ
-
ગુજરાત1 day ago
ગંદકી સબબ 40 વેપારીઓ પાસેથી મનપાએ રૂા.19150નો દંડ વસુલ્યો