ગુજરાત
અમદાવાદ હાઈવે ઉપર બાઈક સવાર દંપતી ઉપર ટ્રક ફરી વળ્યો:બન્નેનાં મોત
ઘીમીગતીએ ચાલતા સિક્સલેનના કામને કારણે સર્જાયો વધુ એક જીવલેણ અકસ્માત
તંત્રના પાપે બે સંતાનો માતા-પિતાવિહોણા બન્યા: સ્થળ ઉપરથી જ ટ્રકચાલક ઝડપાયો
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ઘીમીગતીએ ચાલતા સિક્સલેનના કામને કારણે વધુ એક અકસ્માત સર્જાયો કુવાડવા રોડ પોલીસ મથક નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા વેપારી અને તેના પત્નીનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. પોલીસે સ્થળ પરથી જ ટ્રક ચાલકની અટકાયત કરી હતી. આ બનાવ થી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ ક્ધટેનરે બાઇકને ઠોકરે લેતા કોઠારિયા રોડ પર રહેતા વેપારી અને તેના પત્નીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. કોઠારીયા રોડ પરના આહિર ચોક પાસેના શ્રધ્ધા પાર્ક-3, શેરી નં.5માં રહેતા અને ઘર નજીકનાં શ્યામ હોલ પાસે કૈલાશ સિલેકશન નામની દુકાન ધરાવતા લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ. 51) પત્ની ભાવનાબેન (ઉ.વ.50) સાથે પોતાના મોટરસાયકલ નંબર જીજે-03-કેએસ-7981 ઉપર રાજકોટથી પોતાના વતન રાજકોટ નજીકના ગુંદા ગામે માતાજીના દર્શન કરવા ગયા હતા જ્યાંથી પરત આવતા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત નડયો હતો.
કુવાડવા પોલીસ મથક નજીક જીજે 18 એઝેડ-1195 ટ્રકે તેમના જીજે-03-કેએસ-7981 મોટરસાયકલને અડફેટે લેતા લાલજીભાઇ અને તેના પત્ની બાઇક પરથી ફંગોળાયા હતા. જ્યારે બાઇક ટ્રકના વ્હીલના નીચે ઘુસી ગયું હતું.
બાઇક પરથી પટકાયેલા લાલજીભાઇને ડાબા પડખાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે તેના પત્ની ભાવનાબેનનું પેટ જ ફાટી ગયું હતું અને તેમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા. બંનેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. ત્યાંથી પસાર થયેલા એક પરિચિતને જાણ થતાં તેણે લાલજીભાઇના પરિવારને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બાઇક પરથી પટકાયેલા લાલજીભાઇ અને તેના પત્ની ભાવનાબેનનું સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયું હતું.બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી.પોલીસે અક્સ્માત સર્જનાર જીજે 18 એઝેડ-1195 નંબરના ટ્રકના ચાલક અમદાવાદના દેત્રોજના ગુંજાલા દરબારવાસમાં રહેતા પૃથ્વીરાજસિંહ સામંતસિંહ ઝાલા સ્થળ ઉપર પકડી લેવામાં આવ્યો હતો. મૃતક લાલજીભાઇ કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂૂમ ચલાવતા હતા અને તે બે ભાઈ અને બે બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માતા-પિતાના એક સાથે મોત થી સંતાનો નોધારા બની ગયા હતા.
શ્રાવણ માસનો પ્રથમ દિવસ દંપતી માટે અંતિમ દિવસ બની ગયો
કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક કુવાડવા પોલીસ ચોકી પાસે બનેલા બનાવમાં ભોગ બનેલા કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા મૂળ રાજકોટના ગુંદા ગામના વતની લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂૂમ ચલાવતા હતા આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય તેમના વતન ગુંદા ગામે માતાજીના દર્શન પત્ની ભાવનાબેન સાથે ઘેર પરત આવતા હતા.અત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હોય પટેલ દંપતી માટે શ્રાવણ માસનો પ્રથમ દિવસ દંપતી માટે અંતિમદિવસ બની ગયો હતો.
અકસ્માત ઝોન તરીકે ઓળખાતા રોડ ઉપર અનેક વખત જીવલેણ અકસ્માત સર્જાયા છે
રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર જ્યા બનાવ બન્યો અને દંપતીનો ભોગ લેવાયો તે વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે. કારણ કે આ વિસ્તારમાં અનેક અકસ્માતો સર્જાયા છે. આ વિસ્તારની આસપાસ રહેતા ગ્રામજનો અને મેંગોમાર્કેટ આસપાસના વેપારીઓએ અનેક વખત તંત્રને સિક્સલેનના કામને કારણે પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરી હતી. સ્ટ્રીટલાઇટ ન હોવાથી રાત્રે અકસ્માતના બનાવો બને છે તેમજ નજીક મેંગો માર્કેટ છે. ત્યાંથી વેપારીઓ અને ગ્રાહકોના વાહનો તેમજ રીક્ષા અને ભારે વાહનો રોંગસાઈડમાં ધસી આવે છે. આ અકસ્માત સ્થળ નજીક જ ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છતાં અકસ્માત સર્જાતા રહે છે. આ બાબતે સ્ટ્રીટલાઇટ નાખવા અને સર્કલ નાનું બનાવવા રજૂઆત કરી હતી છતાં તંત્ર ધ્યાને નહી લેતા વધુ કે જીવલેણ અકસ્માત સર્જાયો અને બે સંતાનો માતા-પિતા વિહોણા બન્યા છે.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
ગુજરાત
કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા
તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.
કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.
તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત
રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા તાલાળાના ખીરધર ગામના પ્રૌઢા સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાળા તાલુકાના ખીરધર ગામે રહેતા કવીબેન પીઠાભાઈ કેશવાળા નામના 56 વર્ષના પ્રૌઢા ગત શનિવારના રોજ રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કવિબેન કેશાવાળાને સંતાનમાં બે પુત્ર છે અને રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે કેમ્પમાં આંખનું ઓપરેશન કરાવવા આવ્યા હતાં તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રામવતીબેન બનવારી ભગત (ઉ.42) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનોં હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ત્રીજા બનાવમાં કલ્યાણપુરના નંદાળા ગામે રહેતા રમણલાલ પુંજાભાઈ મકવાણા (ઉ.61)ને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ગુજરાત19 hours ago
રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા