ગુજરાત
રાજકોટમાં ગરબા ગ્રાઉન્ડમાં લાઇટ ફિટિંગ કરતો યુવાન 150 ફૂટની ઊંચાઇએથી પટકાતા મોત
મારવાડી યુનિવર્સિટી આયોજિત બે દિવસીય રાસોત્સવની તૈયારી દરમિયાન લાઇટના ઊભા કરાયેલા પીલોર પરથી પડી જતાં ઘટી ઘટના
રાજકોટમાં મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી આયોજીત બે દિવસીય રાસોત્સવની તૈયારી ચાલતી હતી ત્યાં મારવાડી યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો યુવાન લાઇટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે પટકાયો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલ ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા રોનક હિતેશભાઈ માકડીયા નામનો 27 વર્ષનો યુવાન રાત્રીના બે વાગ્યાના અરસામાં મારવાડી યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં હતો ત્યારે લાઈટના ઉભા કરાયેલા પીલોર પરથી અકસ્માતે નીચે ફટકાયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રોનક માકડીયા બે ભાઈમાં નાનો અને અપરણિત હતો.
રોનક માકડીયા મારવાડીએ યુનિવર્સિટી આયોજિત બે દિવસે રાસોત્સવની તૈયારીના ભાગરૂૂપે મારવાડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગનું કામ રાખ્યું હતું. અને રાત્રીના સમયે ગરબા ગ્રાઉન્ડમાં લાઈટ ફીટીંગ કરતો હતો. તે સમયે ઊભા કરાયેલા આશરે 15 ફૂટની ઊંચાઈના લાઈટના પીલોર પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા સુતા હનુમાનની બાજુની ગલીમાં પુનિત સોસાયટી નજીક રહેતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ જારી રાખી છે.
મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ ઉપર સુતા હનુમાનની બાજુની ગલીમાં રામેશ્ર્વર મંદિર પાસે રહેતી પુનમબેન આશિષભાઈ મહેતા નામના 32 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઈ લેતાં તેમના પરિવાર જોઈ ગયા હતાં અને 108ને ફોન કરતા ઈએમટી આરતીબેન સહિતના સ્ટાફે તેણીને નીચે ઉતારી મૃત જાહેર કરી હતી.
તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ભક્તિનગર પોલીસના સ્ટાફને જાણ કરવામાં આવતા પીેએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી જઈ કાગળો કર્યા હતાં અને બનાવનું કારણ જાણવા પરિવારની પુછપરછ કરવામાં આવી હતી.
પુનમબેન મહેતાના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે. મહિલાના મોતથી બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. તેમજ તેમના પતિ વેપાર કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત
1000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરે છે!
આવું જ ચાલુ રહેશે તો બધા ગોડાઉનને સીલ મરાવી દઇશ: ગુજરાત કોટન એસોસિએશનની બેઠકમાં નીતિન પટેલ બગડયા
રાજ્યમાં ઓઇલ મીલરો પર હવે તવાઇ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મીલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે. નીતિન પટેલનો આરોપ છે કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. જો આવુ જ ચાલુ રહેશે તો હું બધા ગોડાઉનને સીલ કરાવી દઇશ.
લાંબા સમય બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવ્યા છે, આ વખતે કોઇ રાજકીય નહીં પરંતુ ઓઇલ મીલરો પર નિશાન સાધ્યુ છે.
નીતિન પટેલેજ ઓઇલ મીલરો પર સીધો હુમલો કરતાં કહ્યું કે, રાજ્યમાં ઓઇલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે.
ગુજરાત કોટન એસો.ની 26મી સામાન્ય સભામાં નીતિન પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. નીતિન પટેલે આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં 1 હજારમાંથી 600 ઓઈલ મીલરો ભેળસેળ કરી રહ્યાં છે. કપાસિયા ખોળમાં થતી ભેળસેળને નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યુ છે, તેમને ઓઇલ મીલરોની મીલિભગતનો પર્દાફાશ કર્યો છે. તેમને કહ્યું કે, જાહેરમાં નહીં બોલુ તમે બધા જ જાણો. ઐસે નેહીં ચલેગા, વરના મે ક્યા કરૂૂંગા સમજલો, સરકાર સે સીલ લગવા દુંગા સબ ગોડાઉન કો, ફીર ઈસમે કિસી કી નહીં ચલેંગી, કિસી કો ભી નુકસાન હો એસા ગલત નહીં કરના. લાંબા સમય બાદ નીતિન પટેલના નિવેદન બાદ ફરી એકવાર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી શકે છે.
જો કે, તેલમાં ભેળસેળ એ કોઇ નવી વાત નથી. નીતિનભાઇ સતામાં હતા ત્યારે પણ તેલમાં ભેળસેળ થતી હતી. પરંતુ હવે તેઓ સતામાં નથી ત્યારે બોલવાનો અર્થે લોકો અલગ રીતે કાઢી રહ્યા છે.
ગુજરાત
મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે શહેર ભાજપ દ્વારા સામૂહિક ખાદી ખરીદીને કાર્યક્રમ યોજાયો
ગરીબોના ઘરમાં દીવો પ્રગટે અને લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપભોગ કરે તેના ચુસ્ત અનુયાયી હતા:દોશી
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અંતર્ગત શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. ત્યારબાદ શહેર ભાજપ દ્વારા શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલ ખાદી ગ્રામોધોગ ભંડાર ખાતે સામૂહિક ખાદીખરીદીનો કાર્યક્રમ યોજાયેલ હતો.
આ તકે મુકેશ દોશીએ જણાવેલ કે અહિંસાના પુજારી અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આર્દશો સરળ હતા તેઓ સાદગી, સ્વચ્છતા અને સત્યતાના આગ્રહી હતા અને ગરીબોના ઘરમાં દીવો પ્રગટે અને લોકો સ્વદેશી વસ્તુઓનો ઉપભોગ કરે તેના ચૂસ્ત અનુયાયી હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ’આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરે.આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ જાડેજા, પુજાબેન પટેલ, કિશન ટીલવા,કિશોરભાઈ રાઠોડ સહિતના અગ્રણીઓએ ખાદી ખરીદી કરેલ હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.
-
ગુજરાત1 day ago
મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું
-
ક્રાઇમ2 days ago
VIDEO: અમદાવાદમાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માથું દીવાલ પછાડ્યું, સેકન્ડોમાં 10 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ
-
ગુજરાત12 hours ago
એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજારની ‘મંગળ’ શરૂઆત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટી 25,900ને પાર
-
રાષ્ટ્રીય2 days ago
‘મંદિર હોય કે મસ્જીદ, કોઈપણ ધાર્મિક સ્થળ અડચણ ન બની શકે..’ બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટેની ટીપ્પણી
-
ક્રાઇમ1 day ago
ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું
-
ગુજરાત1 day ago
રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી
-
ગુજરાત1 day ago
ગાંધી મ્યુઝિયમ ખાતે કાલે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ યોજાશે