ઈરાનના ક્રિસ્ટ ટાપુ પર ઉમર ગામના 25 માછીમારો ફસાયા

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના 25 થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ…

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના 25 થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાતા મુશ્કેલીમાં મુકાયા છે. પરિવારજનો સાથે છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક નહીં થતા ચિંતા મુકાયા છે.

પરિવારે ઈરાન માછીમારી કરવા ગયેલા લોકોને હેમખેમ ભારત પરત લાવવા સરકારને સહયોગ કરવા અપીલ કરી છે. ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા સરકારને અપીલ કરી છે.

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે કારણ કે આ ગામના 25 થી વધુ લોકો માછીમારી કરવા ઈરાનના કિસ્ટ ટાપુ પર ગયા હતા. જો કે યુદ્ધના માહોલ વચ્ચે પરિવારજનોનો છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક તુટી ગયો છે. સ્વજનોની કોઈ માહિતી નહીં મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મરોલી ગામે રહેતા પરિવારની મહિલાઓએ જણાવ્યું કે ઈરાનમાં યુદ્ધના માહોલને કારણે અમારી ચિંતા વધી ગઈ છે.

માછીમારી કરવા ગયેલા પરિવારના સભ્ય સાથે હાલમાં કોઈ સંપર્ક થતો નથી. માછીમારો યુદ્ધને કારણે કિસ્ટ ટાપુથી અન્યત્ર દરિયામાં જીવ બચાવવા જતા રહ્યા છે. ઈરાનમાં ફસાયેલા પરિવારના સભ્યોને હેમખેમ ભારત લાવવા સરકાર પાસે મદદની માંગ કરી છે. ગામના આગેવાનો દ્વારા ઈરાનમાં ફસાયેલા માછીમારોને પરત લાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *