ચોટીલાના પોપટપરામાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા સામીબેન સાજણભાઈ બથવાર (ઉ.વ.50)એ ગઈકાલે રાત્રીના સમયે પોતાના ઘરે માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. સામીબેનને સંતાનમાં બે દિકરા ત્રણ દિકરી છે તેમજ પતિ ખેતીકામ કરતા હતા સામીબેનને પાંચ વર્ષથી માનસીક બિમારી હોવાથી તેમણે કંટાળી પગલું ભરી લીધું હતું. આ અંગે ચોટીલા પોલીસે કાગળો કર્યા હતાં.
ચોટીલાની મહિલાનો બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
ચોટીલાના પોપટપરામાં રહેતા મહિલાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. વધુ વિગતો મુજબ, પોપટપરામાં રહેતા સામીબેન…
