ગુજરાત
વ્યાજખોરો બેફામ: એકે દુકાનની 7 લાખની ડિપોઝિટ પડાવી, બીજાએ મકાન પડાવી લીધું
વ્યાજખોરો કોલ કરી યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરતા સરધાર ગામ મુકી ઉત્તરપ્રદેશ રહેવા ચાલ્યો ગયો’તો
શહેરમાં તાજેતરમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં અનેક પીડિતો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં વ્યાજખોરો વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. ત્યારે વ્યાજખોરો સામે હાલ ગુના નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકનો બે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બન્ને વ્યાજખોરોએ યુવાનનું મકાન પચાવી પાડ્યું છે અને તેમણે દુકાન ખરીદવા માટે આપેલી રૂા.7 લાખની ડીપોઝીટ પણ પરત નહીં આપતા ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાંથી મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સરધાર ગામે રહેતા ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ નામના યુવાને સરધારના નિલેશ કાશીપરા અને ભુપગઢના વિવેકસિંઘ સિંધવનું નામ આપતા બન્ને વિરુધ્ધ બળજબરીથી પડાવી લેવું અને મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે બન્ને વ્યાજખોરને પકડી લેવા તજવીજ શરૂ કરી છે. ઉમેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે પિતા સાથે સરધાર ગામમાં મધુરમ પાઉંભાજી નામે ધંધો કરતા હતા. ત્યારે સાલ 2007માં નિલેશભાઇની બસસ્ટેન્ડ પાસે આવેલી દુકાન ભાડે રાખી હતી. જેમનું એક દુકાનનું ભાડુ ત્રણ હજાર એમ બે દુકાનના થઇ છ હજારનું ભાડુ પોતે તેમને ચુક્વતા હતા. ત્યારબાદ નિલેશભાઇએ એક કોમ્પ્લેક્ષ બનાવ્યું હતુ જેમાં દુકાનો બનાવી હોય ઉમેશભાઇએ દુકાન ખરીદવા માટે એક દુકાનમાં સાડા ત્રણ લાખ રૂપિયા ડીપોઝિટ પેટે જમા કરાવ્યા હતા.
ત્યાર બાદ વધુ એક દુકાનની જરૂરિયાત ઉભી થતા તેઓએ બીજી દુકાનનું સાડા ત્રણ લાખ રૂપિયા ડીપોઝીટ જમા કરાવી હતી. આમ તેમણે કુલ રૂા.7 લાખ જમા કરવ્યા હતા. એક દુકાનનું ભાડુ પાંચ હજાર રૂપિયા હતું. તેમજ દુકાનની ડિપોઝીટ લઇ લીધા બાદ બીજી દુકાન તેમણે ભાડે આપી ન હતી અને તેમણે દુકાનમાં પાંઉભાજીનો ધંધો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ બહેનના લગ્ન માટે પૈસાની જરૂર હોય જેથી રૂપિયા સાલ 2020માં તેમણી પાસેથી વ્યાજે રૂપિયા પાંચ લાખ લીધા હતા. જેમનું ઉમેશભાઇ દર મહિને 35 હજારનો હપ્તો ચૂક્વતા હતા. ત્યાર બાદ ઉમેશભાઇ વ્યાજના ચક્રમાં ફસાઇ જતા નિલેશભાઇ અને અન્ય લોકો પૈસાની ઉઘરાણી કરતા પોતે પોતાના વતન જતા રહ્યા હતા અને નિલેશભાઇના ડીપોઝીટ પેટે આપેલા સાડા ત્રણ લાખ રૂપિયા પરત આપવાનું કહેતા પોતે પૈસા નહિં આપી અને દુકાનમાં રહેલો સામાન પણ પડાવી વેંચી નાખ્યો હતો.
ત્યાર બાદ આરોપી વિવેકસિંહ પાસેથી સાલ 2021માં રૂા.1 લાખ વ્યાજે લીધા હતા. તેમનું નિયમિત વ્યાજ ભરવામાં આવતું હતું. ત્યાર બાદ 2023ની સાલમાં 70 હજાર વ્યાજે લીધા હતા. જેમની સામે દર મહિને 700 એમ કુલ 6 મહિના સુધી તેમણે નાણા ચુકવ્યા હતા. ત્યાર બાદ પોતે ગામ મુકી વતન જતો રહ્યો હોય ત્યારે વિવેકસિંહ વોટ્એપ કોલ કરી અવાર-નવાર ધમકી આપતો હતો અને તેમણે ઉમેશભાઇના મકાનનું તાળુ તોડી મકાનમાં રહેલો સામાન પોતાના ગામે લઇ ગયો હતો અને મકાન પર કબજો જમાવી હાર્દિકભાઇ કુબાવતને મકાન ભાડે આપી દીધુ હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકમાં પીઆઇ એ.બી.જાડેજા અને સ્ટાફ દ્વારા બન્ને વ્યાજખોરોને સંકજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
અમદાવાદના વકીલ પાસેથી સલાહ લઇ રાજકોટ લોક દરબારમાં વ્યાજખોર વિરુદ્ધ અરજી કરી હતી
આ બનાવ અંગે ફરિયાદી ઉમેશભાઇએ જણાવ્યું હતુ કે, તેમણે વિવેકસિંહે જે મકાન પડાવી લીધુ છે. તેમાં રહેતા ભાડુઆત હાર્દિક કુબાવતનો સંપર્ક ર્ક્યો હતો. તેમણે પાસેથી જાણવા મળ્યુ હતુ કે, વિવેકસિંહે તેમના મકાનમાંથી બે કુલર, એક ટીવી, ફ્રીજ અને સાત ગેસના બાટલા અને ફ્રર્નિચર તેમજ પત્નિનું મંગલસૂત્ર અને એક વિંટી સહિતનો સામાન પડાવી લીધો હતો. આ અંગે રાજકોટમાં પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હોવાની જાણ થતા ઉમેશે અમદાવાદના વકીલની સલાહ લઇ લોક દરબારમાં એક અરજી આપી હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત