ગુજરાત
જુગારના ગુનામાં મહિલાઓને મોડીરાત સુધી બેસાડી રાખતા તાલુકા પોલીસના ફોજદારની બદલી
રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.બી. ત્રાજિયા અને હેડ કોન્સ્ટેબલની બદલીનો પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ઓર્ડર કર્યો હતો.પીએસઆઈ પી.બી.ત્રાજિયા ડી.સ્ટાફ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા.જાહેરહિતમાં બંનેની બદલી થયાનો ઓર્ડરમાં રાબેતા મુજબ ઉલ્લેખ કરાયો છે.
ગઈ તા.2ના તાલુકા પોલીસની ટીમે મવડીના 80 ફૂટ રોડ પરના પ્રમુખ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા આઠ મહિલાને ઝડપી લીધી હતી.તમામ મહિલાઓ આર્થિક સુખી સંપન્ન પરિવારની હતી.આ મામલામાં પોલીસ પોતાની ફરજ પ્રામાણિકતાથી નિભાવી રહ્યા હતા તેવું નહોતું, સાંજનો સમય થઈ ગયો હોય તમામ મહિલાઓને નોટિસ આપીને જવા દેવાની બદલે મોડી સાંજ સુધી કાર્યવાહીના નામે મહિલાઓને બેસાડી રાખી હતી.ત્યારબાદ ભાજપના આગેવાન તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ભલામણ કરી હતી.પરંતુ પીએસઆઈ ત્રાજિયા અને હેડ કોન્સ્ટેબલ ઝાલાએ આગેવાનની વાત ધ્યાને લીધી નહોતી અને આઠેય મહિલાઓ સામે જુગાર રમવાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ સ્ટાફ ભલામણથી ઉશ્કેરાયા હોય તેમ મહિલાઓ સાથે સખ્તાઈ શરૂૂ કરી મહિલાઓને રીઢા ગુનેગારની જેમ બેસાડવામાં આવી હતી.તેમાંથી એક મહિલા સાથે તેનું નાનું બાળક પણ હતું.એટલું જ નહીં ભાજપના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસે ગુનો નોંધ્યો હતો અને પોલીસ મથકમાં લઈ જવાયેલી મહિલાઓને છોડવા માટે પોલીસે મલાઇની અપેક્ષા રાખી હતી જે પૂરી નહીં થતાં પોલીસે કડકાઈ દાખવી હતી.પોલીસની આ નીતિ સામે જવાબદાર સામે ગાંધીનગરથી કાર્યવાહીનો આદેશ છૂટ્યો હતો.જેના પગલે તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની બદલી થઈ હતી.
ગુજરાત
આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ
આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને ગઈકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. અને પત્રકારોએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં શંકરસિંહે જણાવ્યું કે, આંદોલનની વાતજ નથી, આંદોલન પુરુ થઈ ગયું છે. સમાજમાં બીજા સમાજનું જોઈને શીખવાનો સવાલ છે.
મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.
ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.
ગુજરાત
ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાતરના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા સ્થળોએ છ ફિલ્ડમાં રમાતા જુગારમાં 22 શખ્સોને ઝડપી લઇ ગુના નોંધાયા હતા.
ખંભાળિયા નજીક આવેલા નાના આસોટા ગામે વર્ષે ભાદરવા મહિનામાં વાછરા ડાડાના મેળા (જાતર)નું આયોજન કરવામાં આવે છે. અહીં નાના આસોટા તથા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં આવે છે. આ વર્ષે પણ યોજાયેલા જાતર (મેળા)ના આયોજન દરમિયાન અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા જરૂૂરી બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગઈકાલે સોમવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા આ જાતરમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી બાતમીના આધારે જુદા જુદા ફિલ્ડમાં જુગાર રમતા સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં છ સ્થળોએથી 22 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સ્થળે બે ફિલ્ડમાંથી અશ્વિન અરજણ પરમાર, દુલા દેવા જામ, અરજણ સવદાસ સિંધવ, જીવન લાલજી મકવાણા, ભીમા કરસન ભુંડિયા, કિશોર મેઘા બથવાર અને કિશોર મોહન ઓળકીયા નામના સાત શખ્સોને કુલ રૂૂપિયા 21,950 ના મુદ્દામાલ સાથે જ્યારે દેશુર નારુ હરગાણી, ખેરાજ બલુ પતાણી, ગોવિંદ સોમા ચૌહાણ, બહાદુરસિંહ હમીરજી જાડેજા, ભરત પરબત મકવાણા, ઈમ્તિયાઝ ઉમર રૂૂંજા, રમેશ રજાક કાપડી, ભરત નાનજી ડગરા, મના ઝુમા પરમાર, જીતુ નથુ ગોહિલ અને દિનેશ સિદિક ચૌહાણ નામના 11 શખ્સોને પોલીસે રૂૂપિયા 12,970 ના મુદ્દામાલ સાથે જ્યારે છઠ્ઠા ફિલ્ડમાંથી ધના રાયદે કારીયા, કેશુનાથ રણછોડનાથ ગોહિલ, વેજા ભીમા મોઢવાડિયા અને દેરાજ ભીમા પતાણી નામના ચાર શખ્સોને કુલ રૂૂપિયા 18,650 ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
આ દરોડા દરમિયાન કુલ 6 ફિલ્ડમાંથી 22 પત્તાપ્રેમીઓને કુલ રૂૂપિયા 63,570 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા પી.એસ.આઈ. આર.આર. ઝરુ, હેમંતભાઈ નંદાણીયા, આર.પી. મેવાડા, ભરતભાઈ જમોડ, સામતભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જાહેરમાં રમાતા જુગાર શખ્સો પર પોલીસે દરોડાની કાર્યવાહી કરતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ જાતરમાં જુદા જુદા સ્થળે જામેલી જુગાર ફિલ્ડની મહેફિલમાં પણ પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં જુગારીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જેનું આ વર્ષે પુનરાવર્તન થયું હતું અને પોલીસે દરોડા દરમિયાન જામેલી ફિલ્ડના રંગમાં ભંગ પાડ્યો હતો.
ગુજરાત
અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય
રાજકોટ સહિત ગુજરાતભરમાં દસ દિવસ ધૂમ મચાવ્યા બાદ આજે વિઘ્નહર્તા દેવ ગણપતિ દાદાએ ભાવભરી વિદાય લીધી હતી. રાજકોટ શહેરમાં આજે સવારે ઠેર-ઠેર ગણપતિ વિસર્જન યાત્રા નિકળી હતી અને ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ જલ્દી આના’ના નારા સાથે દાદાને ભાવભેર વિદાય આપી હતી. શહેરની આસપાસ આઠ સ્થળે મહાનગરપાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે મહાનગરપાલિકાએ ક્રેન અને તરવૈયાઓ સહિતની વ્યવસ્થા તૈનાત રાખી હતી. તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. (તસવીર : મુકેશ રાઠોડ)
-
રાષ્ટ્રીય24 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત20 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય20 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે