ગુજરાત
5 વર્ષથી એક જ ઝોનમાં ફરજ બજાવતાં PI-PSIની બદલી ફરજિયાત
નજીકના જિલ્લા-રેન્જમાં પણ નહીં મૂકી શકાય, માનીતા પોલીસ અધિકારીઓની ‘ગોઠવણ’ ઉપર બ્રેક મારતું ગૃહ વિભાગ, બદલીના નવા નિયમો જાહેર
પતિ-પત્નીના કેસ, ગંભીર બીમારી અને નજીકમાં નિવૃત્તિના કિસ્સાઓમાં મેરિટના ધોરણે અપાશે છૂટછાટ
ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં બદલીઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષથી એક જ જગ્યા એટલે કે એક જ ઝોનમાં ફરજ બજાવતાં પીઆઈ અને પીએસઆઈની ફરજિયાત બદલી કરવામાં આવશે. ગૃહ વિભાગનાં આ નિર્ણયને કારણે હવે બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને ગઈકાલે જ પીઆઈની બઢતી મેળવનાર 233 પીઆઈને હવે તેમના મનપસંદ સ્થળે પોસ્ટીંગના બદલે તેમના ઝોનની બહાર ફરજિયાત બદલી કરવામાં આવશે. જો કે ગૃહ વિભાગ દ્વારા પતિ પત્નીના કેસ અને ગંભીર બિમારી કે પછી નિવૃત્તીનો સમય ગાળો નજીકનો હોય તેવા કેસમાં થોડી છુટછાટ આપવામાં આવી છે.
પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને પારદર્શકતા લાવવા માટે ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં બિનહથિયારી પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયામાં તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુથી મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રાજ્ય પોલીસ વડા તેમજ મુખ્ય પોલીસ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં ચર્ચા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે પાંચ વર્ષ સુધી એક ઝોનમાં ફરજ બજાવનાર પીએસઆઈ, પીઆઈને તે ઝોનના જિલ્લા કે નજીકનાં જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ કે પછી તુટક તુટક નોકરી કરી હોય તો તેવા પીએસઆઈ અને પીઆઈની બદલી નજીકના જિલ્લા કે એકમમાં કરી શકાશે નહીં. પાંચ વર્ષની ફરજનો સમયગાળાની ગણતરી કરવા માટે પોલીસ સ્ટેશન કે પછી બ્રાંચમાં થયેલી નિમણુંકને પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગનાં આ નિર્ણયને કારણે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી એવી માનસિકતા છે કે પોંતાના માનિતા પોલીસ અધિકારીઓની ગોઠવણથી તેમના અંગત પીએસઆઈ કે પીઆઈને તેમના બદલીના સ્થાને મુકવામાં આવે છે. જો કે હવે પોલીસ અધિકારીઓની આ ” ગોઠવણ” ઉપર પણ ગૃહ વિભાગે બ્રેક મારી દઈને બદલીના નવા નિયમો જાહેર કર્યા છે. જો કે પોલીસ વિભાગમાં ફરજ બજ્વતાં દંપતિ કે ગંભીર બિમારીની બાબત કે પછી નજીકના નિવૃત્તિના કિસ્સામાં મેરીટના ધોરણે છુટછાટ આપવામાં આવશે.
ગુજરાત
સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત
જામનગરમાં ગોકુલ નગર નજીક સોહમનગરમાં રહેતા 53 વર્ષ ના પ્રૌઢ મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી લીધા પછી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર ના સોહમનગર વિસ્તારમાં રહેતા સુધાબેન રાણાભાઇ મકવાણા (ઉ.વ.53) એ ગત 11મી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાર દિવસની સારવાર પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ રાણાભાઇ ઘેલાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
પોલીસે દેશી દારૂના ધંધાર્થીનો પીછો કરતાં ફિલ્મી દૃશ્યો સર્જાયા
બૂટલેગર સ્કૂટર સાથે પટકાઈ પડ્યો, દારૂની કોથળીઓ તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી સ્કૂટરમાં દેશી દારૂનો જથ્થો લઈને જઈ રહેલા બુટલેગરનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ભાગી રહેલો સ્કૂટર ચાલક એકાએક માર્ગ પર પડ્યો હતો, અને તેની દારૂની કોથળીઓ માર્ગ પર ફૂટી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત બનેલા બુટલેગરની અટકાયત કરી લઈ તેનું સ્કૂટર તથા બાકી રહેલો દેશી દારૂૂ કબજે કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરનો સીટી સી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ખોડીયાર કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યો હતો, જે દરમિયાન એસવીઇટી કોલેજ નજીકના ભાગમાં રહેતો રવિ બચુભાઈ દેગામા નામનો એક દારૂનો ધંધાર્થી પોતાના એક્સેસ સ્કૂટર ની ડેકીમાં તેમજ આગળના ભાગમાં દેશી દારૂની કોથળીઓનો જથ્થો લઈને જાહેરમાં નીકળી રહ્યો હતો.
પોલીસે જેનો પીછો કરવાનો પ્રયત્ન કરતાં બુટલેગર રવિના ભાગવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, અને પોતાના સ્કૂટર સાથે સ્લીપ થયો હતો, અને તેને સામાન્ય ઇજા થઈ હતી.
ઉપરાંત દેશી દારૂૂની કેટલીક કોથળીઓ તૂટી ગઈ હતી અને માર્ગ પર દેશી દારૂ ઢોળાયો હોવાના કારણે આસપાસના વિસ્તારમાં દેશી દારૂની દુર્ગંધ પ્રસરી હતી. જેથી રાહદારીઓ, વાહનચાલકો, તેમજ સ્થાનિક દુકાનદારો પરેશાન થયા હતા.
સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બુટલેગર રવિ દેગામાની અટકાયત કરી લીધી હતી, અને તેનું સ્કૂટર તથા બચી ગયેલો દેશી દારૂ કબજે કર્યો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસમાં મથકે લઈ જઈ તેની પ્રાથમિક સારવાર કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત
ધોરાજીના વેપારીનો લાલપુર બાયપાસ પાસે ડમ્પર હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ધોરાજીના વેપારી યૂવાને માનસિક અસ્થિરતાના કારણે ડમ્પર હેઠળ પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના વતની સંજય બાબુભાઈ જેઠવા નામના મોચી જ્ઞાતિના 48 વર્ષના વેપારી યુવાને ગઈકાલે લાલપુર બાયપાસ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા જી.જે. -10 ટી.ટી. 8079 નંબરના ડમ્પરની હેઠળ પડતું મૂકી દેતાં તેના પરથી ડમ્પર ના ટાયર ફરી વળ્યા હતા, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માનસિક અસ્થિરતાના કારણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ દિપક ભાઈ જેઠવાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય23 hours ago
ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો
-
રાષ્ટ્રીય24 hours ago
VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા
-
રાષ્ટ્રીય1 day ago
‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
-
ગુજરાત19 hours ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
-
ગુજરાત19 hours ago
મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ
-
રાષ્ટ્રીય1 day ago
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી
-
રાષ્ટ્રીય19 hours ago
બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી
-
ધાર્મિક18 hours ago
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે