ગુજરાત
રાજકોટના 19 સહિત ITના 196 અધિકારીઓની બદલી
ઈન્વેસ્ટીંગેશન વિભાગના દ્રુપસિંહ મીના અને આદર્શ તિવારીને અમદાવાદ મુકાયા, અમદાવાદના ઉમેશ પાઠકની રાજકોટ નિમણૂક
આવકવેરા વિભાગમાં મોટાપાયે ફેરફારો થયા છે. જેમાં રાજકોટના એડીશનલ જોઈન્ટ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. રાજકોટ આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા 8 એટીશનલ જોઈન્ટ કમિશનર અને 11 આસિસ્ટન્ટ કમિશનર સહિત ગુજરાતના 83 એડીશનલ જોઈન્ટ કમિશનર અને 113 આસિસ્ટન્ટ કમિશનર મળી કુલ 196 આવકવેરા અધિકારીઓની સામુહિક આંતરીક બદલીના હુકમો ચીફ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના ઈન્વેસ્ટીગેશન વીંગના 2 અધિકારીઓને અમદાવાદ મુકવામાં આવ્યા છે. આ બદલીમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, મોરબીમાં પણ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગુજરાતમાં આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા કુલ 196 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના 8 જોઈન્ટ કમિશનર અને 11 આસિસ્ટન્ટ કમિશનરનો સમાવેશ થાય છે. રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના દ્રુપસિંહ મીના અને આદર્શ તિવારીને અમદાવાદ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદથી ઉમેશ પાઠકને રાજકોટ મુકવામાં આવ્યા છે. ઉપરાંત બદલીના હુકમોમાં મોરબીના હરિસ મિત્તલને અમદાવાદ, અમદાવાદના અજેશ સિંગને રાજકોટ, ધવલ સતિષને રાજકોટમાં જ એસેસમેન્ટમાં મુકવામાં આવ્યા છે. તેમજ રાજકોટના રાજેશ કુમાર મિશ્રાને પણ એસેસમેન્ટ યુનિટમાં મુકવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢમાં રવિ રામક્રિષ્નને જૂનાગઢ એસેસમેન્ટ વીંગમાં મુકાયા છે. ઉપરાંત રાજકોટના પ્રવિણ અનંત અને સુમિત ગોવિંદભાઈ મકવાણાની રાજકોટ સર્કલમાં જ બદલી કરવામાં આવી છે. જ્યારે જામનગરના સિધ્ધાર્થને રાજકોટ મુકવામાં આવ્યા છે. તેમજ જામનગરના અશોક કુમાર હરીપરાને જામનગર સર્કલમાં જ બદલાવવામાં આવ્યા છે. ઉપરાંત ભાવનગરના શ્રી રામન કુમારને વલસાડ, જામનગરના ગજાનંદ યશવંતોને વાપી, રાજકોટના શૈલેન્દ્ર બેલેને નવસારી મુકવામાં આવ્યા છે. જ્યારે ચિતરંજન વર્માને રાજકોટ ટીડીએસ સર્કલમાં મુકાયા છે.
જ્યારે ઈન્વેસ્ટીગેશન યુનિટ-2ના જાહિદ અંસારીને ઈન્વેસ્ટીગેશન યુનિટમાં દ્રુપસિંહ મિનાના સ્થાને ચાર્જ આપે તેવી શક્યતા છે. રાજકોટના ડોક્ટર રાજેન્દ્ર રાજને વડોદરા મુકવામાં આવ્યા છે. જ્યારે કવન લિંબાસિયાને રાજકોટથી અમદાવાદ મુકાયા છે. તેમજ રાજકોટના સર્કલ-2ના ગણેશ વિષ્ણુને અમદાવાદ પોસ્ટીંગ અપાયું છે. આ અધિકારીઓમાં બદલી સાથે વધારાનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટના ધવલ સતિષને જામનગર, અજેસિંગને મોરબી અને રાજેશ કુમારને એસેસમેન્ટ વીંગનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
ઉપરાંત અન્ય અધિાકરીઓની બદલીમાં ગાંધીનગરના વીજે બોરીચાને મોરબી, જામનગરના સંજીવ રંજનને વાપી, મુકાયા છે. જ્યારે એડીશનલ જોઈન્ટ કમિશનર અનન્યા કુલશ્રેષ્ઠાને હેડક્વાર્ટર રાજકોટનો ચાર્જ સોંપાયો છે. તેમજ આશિષ કુમાર પાંડેને રેન્જ-1 જ્યારે બીબી ગુપ્તાને રેન્જ-2 અને જામનગરના ધીરજકુમાર ગુપ્તાને જામનગર રેન્જ-1માં મુકવામાં આવ્યા છે.
રાજકોટના એડિશનલ જોઈન્ટ કમિશનર કે.એલ. સોલંકીને ટીડીએસ વિભાગમાં મુકાયા છે. ઉપરાંત રાજકોટદના એડીશનલ જોઈન્ટ કમિશનર અભિમન્યું સીંગ યાદવ, રાજીવ ગર્ગ, શકિલ અહેમદ અંસારી, ચિત્રમ મીનાની પણ બદલી કરવામાં આવી છે. ઉપરાંત વી.જે. બોરીચાને મોરબીનો વધારાનો ચાર્જ અને વડોદરાના મમતા સિંગને રાજકોટનો વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
નવા અધિકારીની નિમણૂક બાદ હવે ટૂંક સમયમાં મોટા પાયે દરોડા પડશે
રાજકોટ ઈન્કમટેક્સ વિભાગના ઈન્વેસ્ટીગેશન વીંગના એડીશનલ કમિશનર દ્રોપસિંહ મીના અને આદર્શ તિવારીની બદલી થયા બાદ તેમના સ્થાને નવા અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ઘણા વખતથી રાજકોટ ઈન્કમટેક્સ વિભાગમાં સર્ચ અને સર્વેની કામગીરી મંદ પડી હતી તે હવે આગામી દિવસોમાં તેજ બની જશે અને નવ નિયુક્ત અધિકારીઓ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવશે તેવી શક્યતા છે. રાજકોટ ઈન્કમટેક્સ વિભાગમાં ચાર્જ સંભાળતાની સાથે જ નવા અધિકારીઓ બિલ્ડર લોબી કે પછી સોની વેપારી કે કોઈ મોટા ઉદ્યોગપતિને ત્યાં મોટાપાયે સર્ચ અને સર્વેકામગીરી હાથ ધરી શકે છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય8 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત