ગુજરાત
ટ્રાફિક પોલીસે આડેધડ વાહનો ટોઈંગ કરતાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
ધર્મેન્દ્ર રોડ પર પાથરણાં અને રિક્ષાનું દબાણ દૂર કરવાના બદલે તંત્ર દ્વારા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ઉપાડી જતાં ઉગ્ર આક્રોશ
શહેરની મધ્યમાં આવેલી મુખ્ય બજાર ગણાતા લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર પાથારણાવાળા અને રેંકડીઓના ત્રાસ અંગે વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ટ્રાફીક પોલીસ દાવારા પાથરણા અને રેંકડીઓનું દબાણ દૂર કરવાના બદલે ધર્મેન્દ્ર રોડ પરથી આડેધડ વાહનો ટોઈંગ કરવામાં આવતાં વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને સમગ્ર વેપારી મંડળ દ્વારા દુકાનો બંધ પાળી ઉગ્ર આક્રોશ ઠાલવી ટ્રાફીક પોલીસની કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટના સૌથી જુના વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ પર સાંકડા રોડ હોવાથી ટ્રાફીકની સમસ્યા સર્જાઈ છે. તેમાં પણ વેપારીઓની દુકાન આગળ ફુટપાથ અને રોડ પર પાથરણાવાળા અને લારી ઉભી રાખી વેપાર કરતાં ધંધાર્થીઓના કારણે વેપારીઓને વેપાર કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. જેથી આ અંગે વેપારીઓ દ્વારા અગાુ અનેકવાર મહાનગરપાલિકા અને પોલીસમાં પાથરણાવાળા અને લારી તથા રીક્ષાઓને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં પણ વેપારીઓએ પાથરણાવાળાઓને દૂર કરવા રજૂઆત કરી હતી.
જો કે ટ્રાફીક વિભાગ દ્વારા વેપારીઓની રજૂઆત પાથરણાવાળાને દૂર કરવાની હતી. જેના બદલે ઉલ્ટાનું ટ્રાફીક પોલીસ દ્વારા બે દિવસથી ડ્રાઈવ યોજી ધર્મેન્દ્ર રોડ પર દુકાનો પાસે પડેલા વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરવાની કામગીરી કરતાં વેપારીઓમાં રોષ છવાયો હતો.
આજે સતત ત્રીજા દિવસે ટ્રાફીક પોલીસ દ્વારા ધર્મેન્દ્ર રોડ પર આડેધડ વાહનો ટોઈંગ કરવા લાગતા વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને ટ્રાફીક પોલીસની કામગીરીનો વિરોધ કરી ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના 8 એસોસીએશન મંડળે એક થઈ બપોરે બે વાગ્યા સુધી દુકાનો સજ્જડ બંધ પાળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કોર્પોરેશન અને પોલીસ રસ્તા ઉપર દબાણ કરતાં પાથરણાવાળા અને લારીવાળા સામે આંખ મીચામણા કરે છે. વેપારીઓને નડતરરૂપ પાથરણાના દબાણ હટાવવાના બદલે વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરી જવામાં આવે છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓએ એક થઈ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વેપારીઓ ACPને રજૂઆત કરવા દોડી ગયા
ટ્રાફીક પોલીસની આડેધડ વાહનો ટોઈંગ કરવાના વિરોધમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને તમામ વેપારી મંડળો પ્રતિનિધિઓ ટ્રાફીક એસીપી જે.બી.ગઢવીને રજૂઆત કરવા દોડી ગયા હતાં અને રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવ્ના બદલે વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરવાની કાર્યવાહી બંધ કરી ખરેખર જે નડતરરૂપ ચે તે સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે.
નવા અધિકારી કામગીરી દેખાડવા વેપારીઓ ઉપર ધોંસ બોલાવે છે : પ્રનંદ કલ્યાણી
ધર્મેન્દ્ર રોડ પર ટ્રાફીક પોલીસની આડેધડ વાહનો ટોઈંગ કરવાની કામગીરીને લઈ વેપારીઓ દ્વારા બંધ પાડી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. વેપારી એસો.ના પ્રમુખ પ્રનંદ કલ્યાણીએ જણાવ્યું કે, ધર્મેન્દ્ર રોડ પર રસ્તો નાનો હોવાથી ગ્રાહકો અને વેપારીઓ દુકાન પાસે વાહાને પાર્ક કરતાં હોય છે. પાથરણાવાળાના દબાણને દૂર કરવા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી ઉલ્ટાનું નવા અધિકારી આવે ત્યારે કામગીરી દેખાડવા વેપારીઓ ઉપર ધોંષ બોલાવતાં હોય તેમ વેપારીઓ અને ગ્રાહકોના વાહનો ટોઈંગ કરે છે. ગ્રાહકોના વાહનો ઉપાડી જઈ રૂા.500નો દંડ ફટકારતા હોવાથી ગ્રાહકો પણ ખરીદી કરતાં આવતા અચકાઈ છે જેથી તેના વેપાર ધંધાને અસર પડે છે. અગાઉ પોલીસ કમિશ્નર સાથે થયેલી બેઠકમાં વેપારીઓને તેમની દુકાન પાસે બે વાહન પાર્ક કરવ્ની છુટ આપવામા આવી છે. આમ છતાં ટ્રાફીક પોલીસ કમિશાનરનાં નિયમનો ઉલાળીયો કરી વેપારીઓના વાહનો ટોઈંગ કરી જાય છે. ટ્રાફીક પોલીસની દાદાગીરી સામે તેઓએ જણાવ્યું કે વેપારીઓ ખુદ એક તાકાત છે. હાલમાં બંધના સમર્થનમાં ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડના તમામ આઠ એસોસીએશન જોડાયા છે અને પોલીસની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત2 days ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય12 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ2 days ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત2 days ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો