ગુજરાત
24 કલાકમાં SOGના ત્રણ દરોડા, 53 કિલો ગાંજા સાથે 3ને દબોચ્યા
જંગલેશ્વરના બંન્ને શખ્સો 100, 200 અને 300 ગ્રામની પડીકી બનાવી વેચતા હતા: જાવેદનું નામ ખુલ્યું, 5.29 લાખની મતા કબજે
ગાંધીગ્રામનો શખ્સ સુરતથી ગાંજો લઇ વેંચતો’તો: વધુ નામો ખુલવાની શકયતા
શહેરમાં માદક પદાર્થના વેચાણને અટકાવવા પોલીસ એકશનમાં આવી હોય તેમ જંગલેશ્વરમાં ગાંજાનુ મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોવાની માહીતીને આધારે એસઓજીએ દરોડો પાડી બે મકાનમાથી રૂૂ.5.18 લાખના ગાંજા સાથે બે નામચીન શખ્સને ઝડપી લીધા છે. બાચકામાં ગાંજાનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી માદક પદાર્થનું બન્ને શખ્સ વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. એસઓજીએ છેલ્લા ચોવીસ કલાકમાં બે સ્થળેથી મોટી માત્રામાં ગાંજો અને એક સ્થળેથી વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હોવાનું પીઆઈ એસ.એમ. જાડેજાએ જણાવ્યું હતું.
પોલીસ સુત્રોના છેલ્લા કેટલાક સમયથી જંગલેશ્વરમાં ગાંજાનુ વેચાણ થતુ હોવાની માહીતીને આધારે પીઆઇ જાડેજા પીએસઆઇ હરીયાણી,ઘનશ્યામસિંહ ચૌહાણ,ઉપેન્દ્રસિંહ ઝાલા અને અનોપસિંહ સહીતના સ્ટાફે જંગલેશ્વરમાં દરોડા પાડતા રફીક યુસફભાઇ જુણેજા અને અસલમ ગુડ્ડુ શેખના મકાનમાંથી રૂૂ.5.18 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બન્નેની અટકાયત કરી આ ગાંજો ક્યાથી લાવ્યા અને કોને ડીલવરી કરવાનો હતો. તેમજ આ ગાંજાના જથ્થામાં વધુ કોણ કોણ શખસોની સંડોવણી છે.તે અંગે પણ પુછતાછ કરી હતી.આ ઘટના અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો તેમજ 5600 ની રોકડ, વજનકાંટો, સહીત રૂૂ.5.29 લાખની મતા કબજે કરવામાં આવી છે.
રાજકોટમાં ગાંજા ઉપરાંત એમડી સહિતના ડ્રગ્સનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી વધ્યું છે. પોલીસ કમિશનગર બ્રિજેશ કુમાર ઝાએ થોડા સમય પહેલા જ એસઓજી સહિતની બ્રાન્ચમાં અધિકારીઓની ફેરબદલીઓ કરી હતી અને ડ્રગ્સના દૂષણને નાબુદ કરવા સૂચના આપી હતી અને તેના ભાગરૂૂપે જ એસઓજીની ટીમે માદક પદાર્થો વેચતા શખ્સો પર વોચ રાખવાનું શરૂૂ કર્યું હતું અને માત્ર 24 કલાકમાં જ બે સ્થળેથી ગાંજાનો જથ્થો ઝડપાઈ ગયો છે. અને કુખ્યાત શખ્સો પણ હાથમાં આવ્યા છે, બંન્નેની પ્રાર્થમીક પુછપરછમાં ગાંજાનો જથ્થો જંગલેશ્વરના જાવેદ જુણેજાનો હોવાનો અને પોતે 100,200 અને 300 ગ્રામની પડીકી બનાવી ગ્રાહકોને સપ્લાય કરતા હોવાની ખુલ્યુ હતુ. તેમજ જાવેદ કુખ્યાત મહિલા બુટલેગર રમાનો પતિ હોવાનું પોલીસ માંથી જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં ગાંધીગ્રામ નજીક ભારતીનગરમાં રહેતો નામચીન રણજિત માદક પદાર્થનો વેપલો કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે મકાનમાં દરોડો પાડી બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ તેની ધરપકડ કરી તેની પાસેથી 20 હજારની કિંમતનો ગાંજો અને મોબાઇલ સહિતની મતા કબજે કરી હતી. પીએસઆઇ માજીરાણા,એએસઆઈ ધર્મેશભાઈ ખેર, ઇન્દુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર,દિગ્વિજયસિંહ ગોહિલ અને અરુણભાઈ સહિતના સ્ટાફે ભારતીનગરમાં દરોડો પાડી તપાસ કરતા મકાનમાંથી રૂૂ.20880ની કિંમતનો 2.088 કિલો ગાંજો મળી આવતા પોલીસે રણજિત નારૂૂભા રત્નુની અટકાયત કરી તેની પૂછતાછ કરી હતી. પોલીસની પૂછતાછમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો રણજિત દોઢેક વર્ષથી સુરત પાસેથી ગાંજો લાવી વેચતો હોવાનું રટણ કરતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત