ગુજરાત
દર્દીને તરછોડનાર સિવિલના સસ્પેન્ડેડ તબીબને 4 અઠવાડિયા સુધી વૃદ્ધાશ્રમમાં સેવાની સજા
સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને હવે ફરજ દરમિયાન નિયમોનું પાલન કરવું ફરજિયાત
સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરનાર તબીબી અધિક્ષક અને ડીનને તપાસ સમિતિની ભલામણ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધાને હાથમાં સડો થઈ ગયો હોય તે સારવાર અર્થે આવ્યા હોય આ નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાની સારવાર કરવાને બદલે તેમને રઝળતા મુકી દેનાર સિવિલ હોસ્પિટલનાં જવાબદાર તબીબ ડો.જૈનમ મહેતા અને ડો.હેત સામે કમીટીએ રિપોર્ટ તૈયાર કરતાં આ બન્ને તબીબોને તબીબી અધિક્ષક દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઉપરાંત સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફ માટે હવે ફરજ દરમિયાન નિયમોનું પાલન ફરજીયાત કરવા ભલામણ કરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મવડી વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વર્ષાબેન ભાસ્કર નામની વૃદ્ધા સારવાર અર્થે આવ્યા હોય આ નિરાધાર 70 વર્ષિય વૃધ્ધાને હાથમાં સડો થઈ ગયો હોવાના કારણે રેસીડેન્ટ ડોક્ટર દ્વારા વૃદ્ધાની સારવાર ન કરવી પડે તે માટે નિરાધાર દર્દીની સારવાર કરવાના બદલે માનવતા નેવે મુકીને વર્ષાબેન ભાસ્કરને પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવ્યા હતા અને વૃદ્ધાને રેઢા રઝળતા મુકી દીધા હતા. હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા વૃદ્ધા બાબતે તપાસ કરવામાં આવતા વૃદ્ધા તેમના બેડ પર જોવા નહોતા મળ્યા. જેના કારણે સીસીટીવી કેમેરા ચેક કરતા વૃદ્ધા પીએમ રૂૂમ પાસે સ્ટ્રેચરમાં પડેલા જોવા મળ્યા હતા. આ બાબતે વૃધ્ધાની સારવાર કરવાના બદલે તેમને તરછોડી દેનાર અમાનવીય વ્યવહાર કરનાર ડો.જૈનમ મહેતા અને ડો.હેતને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય આવા બનાવ બાદ નામ જાહેર નહિ કરી મામલો દબાવવાનો પ્રયાસ કરનાર તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માકડીયા અને ડીન ડો.ભારતીબેન દ્વારા સસ્પેન્ડ કરાયેલા તબીબના નામ જાહેર કરવાના બદલે તેમના બચાવ પક્ષમાં હોય આ સમાચારો મીડિયામાં આવ્યા બાદ આ બાબતે આરોગ્ય મંત્રી સુધી પહોચ્યા બાદ હવે ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં આવા બનાવ ન બંને તે માટે તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડિયા અને ડીન ડો.ભારતીબેનને તપાસ સમિતિએ કટલાક મુદ્દાઓ ઉપર મહત્વની ભલામણ કરી છે.
તપાસ સમિતિએ કરેલી ભલામણમાં જવાબદાર તબીબ ડો. જૈનમ મહેતાને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમજ એક મહિનાનું સ્ટાઈપન્ડ અને ડો. હેતને 7 દિવસનુ સ્ટાઇપન્ડ રોગી કલ્યાણ સમિતિ માં જમા કરાવવા કરાવવાની ભલામણ કરવામા આવેલ છે. ડો. જૈનમને દર અઠવાડિયે મળતા વિકલી ઓફ માંથી આવતા 4 અઠવાડિયાનાં વિક ઓફ દરમ્યાન સદભાવના વૃધ્ધાશ્રમનાં રહેવાસીઓને સારસંભાળ તેમજ મેડિકલ તપાસ કરવા માટે મોકલવામાં આવશે અને આ બાબતનું પ્રમાણપત્ર સદભાવના વૃધ્ધાશ્રમ પાસેથી મેળવીને ડીન ડો.ભારતીબેનને તેમજ તબીબી અધિક્ષક ડો.મોનાલીબેન માંકડિયાની ઓફિસમાં જમા કરાવવુ પડશે. તપાસ સમિતી દ્વારા તપાસ કરીને અભિપ્રાય તબીબી અધિક્ષક ને સોંપેલ હોય હવે તે અન્વયે તબીબી અધિક્ષક અને ડીન દ્વારા આ પગલા ભરવામાં આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું.
ઉપરાંત આ બનાવ બાદ હવે ઈમરજન્સી વોર્ડમાં દરેક વિભાગના રેસીડન્ટ ડોક્ટર જો તેમના ફરજ ઉપર હાજર નહી હોય તો નોન એમએલસીની ફરજ ઉપરના તબીબોએ ગેરહાજર તબીબી અંગે વિભાગના વડાને જાણ કરવી પડશે,તેમજ હવેથી સિવિલ હોસ્પિટલમાં તમામ વોર્ડ માં કામ કરતા દરેક અધિકારી/કર્મચારીએ ફરજ દરમિયાન ફરજિયાત પણે તેમનું આઇ ડી કાર્ડ પહેરવું પડશે,જો કોઇ કર્મચારી આઇ ડી કાર્ડ વિના ફરજ ઉપર હશે તો દિવસ કે રાત્રી ફરજના સુપરવાઈઝર દ્વારા ફરજ પરનાં સિક્યુરિટી સ્ટાફને યોગ્ય કાર્યવાહી માટે જાણ કરવી પડશે,
હવે બિનવારસી દર્દીઓની સારવાર માટે અલગ સ્ટાફ ફાળવાશે
સિવિલ હોસ્પિટલમાં બિનવારસી અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય તેમની સાથે ભવિષ્યમાં અમાનવીય વ્યવહાર ન થાય તે માટે તપાસ સમિતિ દ્વારા મહત્વની ભલામણ કરવામાં આવી છે જેમાં હાલના મહેકમ માંથી 10 વર્ગ-4ના કર્મચારીઓને માત્ર અજાણ્યા અને બિનવારસી દર્દીઓની સંપુર્ણ દેખરેખ અને સારસંભાળ માટે આરએમઓનાં તાબા હેથળ ફાળવવામાં આવે તો ભવિષ્યમાં આવા બનાવો બનતા નિવારી શકાય અને આ કર્મચારીઓને ઉપરોક્ત જવાબદારી આપતા પેહલા 10-દિવસ માટે યોગ્ય તાલીમ આપવામાં આવે તેવી પણ તપાસ સમિતિએ ભલામણ કરી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ