અમરેલી
અમરેલીની ધો.10ની છાત્રા ઉપર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
અમરેલીની શૈક્ષણિક સંસ્થામાં ધોરણ 10 માં અભ્યાસ કરતી અમદાવાદની વિદ્યાર્થીની ઉતરાયણ ની રજા પૂરી કરી પરત આ સંસ્થામાં અમદાવાદથી અમરેલી હિંમત ટ્રાવેલ્સની ખાનગી બસમાં આવી રહી હતી ત્યારે તેનો પીછો કરી રહેલ ધ્રુવ રાકેશ પરમાર નામના યુવાને આ વિદ્યાર્થીની સાથેની અન્ય વિદ્યાર્થીનીને બીજા સોફામાં મોકલી ચાલુ બસે આ વિદ્યાર્થીની ઉપર બે વખત બળાત્કાર કર્યો હતો અને અમરેલી દાદા ભગવાનનું મંદિર કામનાથ એસટી બસ સ્ટેન્ડ સહિતની જગ્યાએ બે દિવસ સુધી ફેરવી હતી તારીખ 20 ના રોજ રાત્રે આ વિદ્યાર્થીને તે જે સંસ્થામાં અભ્યાસ કરે છે ત્યાં જતા આ ઘટના પ્રકાશમાં આવી હતી અને મૂળ જસદણના કાર્ય ગામના વતની ધ્રુવ રાકેશ પરમાર સામે પોકસો કાયદા અન્વયે ગુનો દાખલ થયો હતો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પ્રશાંત લક્કડ ની ટીમે એસ પી હિમ કર સિંહ ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી કડીબદ્ધ પુરાવાઓ એકત્ર કર્યા હતા આ કેસ અમરેલી ની સ્પેશિયલ પોકસો જજ ડીએસવાસ્તવ સમક્ષ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી એ આરોપીને દાખલા રૂૂપ સજા કરવા કરેલી ધારદાર દલીલો તથા તેમણે રજૂ કરેલા પુરાવાઓ ધ્યાને લઈ આરોપી ધ્રુવ રાકેશ જીતુભાઈ પરમાર રહેવાસી 18 ક્રિષ્ના એપાર્ટમેન્ટ દ્વારકા સોસાયટી અમદાવાદને ભારતીય દંડ સહિતા ની કલમ નંબર 363 366 માં સાત વર્ષની સજા અને દસ હજાર દંડ તથા પોખશો એક જ ની કલમ 4 8 10 12 18 અને શાભ 376 354 મુજબ 20 વર્ષની સખત કેદ તથા 20,000 નો દંડ કરાયો હતો ભોગ બનનારને ચાર લાખ રૂૂપિયા વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીના આ કેસમાં આરોપી દ્વારા આઠ એક વખત જામીન અરજી કરવામાં આવી હતી. પીડીતાના પરિવારને કાયદા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. પરંતુ કાયદાનું પાલન અને અમલ સાચી રીતે થતા કાયદા ઉપર પુન:વિશ્વાસનું સ્થાપન થયું.. 14 વર્ષની આણસમજુ દીકરીની પાછળ આ અવસ્થા અમદાવાદથી જ પાછળ પડ્યો હતો દીકરીની જિંદગી બચાવવા માટે માવતર દ્વારા તેમને અઢીસો કિલોમીટર દૂર અમરેલી ખાતે અભ્યાસ માટે મૂકી હતી. 2021 માં પોકસો થી બચી ગયેલ ધ્રુવની હિંમત ખુલી ગઈ હતી કાયદો કશું કરી લેતો નથી અને આ જ ભૂલ માં 2023 માં અમદાવાદ થી પીછો કરી અમરેલી આવ્યો હતો.
અમરેલી
જાફરાબાદના સનખડા ગામે નદીમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત
દસેક મિત્રો સાથે માલણ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હતો
મૂળ અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના જયદિપ વાધેલા નામનો 20 વર્ષિય યુવક પોતાના સનખડા ગામે થી અભ્યાસ કરવા આવતા યુવાનો સાથે મિત્રતા કેળવી હોય અને ઉના નાં સનખડા ગામે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે તે માણવા મિત્રો ની સાથે સનખડા ગામે આવેલ હતો બપોરના સમયે દશ બાર મિત્રો માલણ નદી માં નાહવા ગયેલ આ દરમિયાન જયદિપ વાધેલા શ્મશાન નજીક આવેલા ઊંડા ભુવા નાં પાણીમાં તણાવવા લાગતાં ડૂબવા લાગ્યો હતો અને બુમાબુમ પાડતાં તેનાં મિત્રો દ્વારા બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાવલ નદીમાં પાણી નાં પ્રહાર ભારે વહેતાં હોવાનાં કારણે બચાવવો મુશ્કેલ બનતાં તાત્કાલિક ગામલોકો ને જાણ થતાં મોટીસંખ્યામાં લોકો નદી કાંઠે ઉમટી પડી પહેલાં તરવૈયા યુવાનો એ શોધખોળ કરતાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યાર બાદ ત્યાં બંદોબસ્ત માં રહેલ પોલીસ એ નદી નાં કાંઠે ભેગા થયેલાં લોકો ને દુર કરી મામલતદાર અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા એન.ડી.આર.એફ ટીમ ને સ્થળે બોલાવી શ્મશાન નજીક તપાસ શરૂૂ કરતાં બે કલાક ની ભારે જહેમત બાદ આશાસ્પદ યુવાન જયદિપ વાધેલા ઉવ20 નાં મૃતદેહ ને પાણી માંથી બહાર કાઢીને સનખડા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો મૃતક જયદીપ વાધેલા નાં પરીવાર ને જાણ કરાતાં તે પણ જાફરાબાદ થી સનખડા દોડી આવ્યા હતા અને પોતાનાં લાડકવાયા જવાન જોધ દિકરા નાં મૃતદેહ ને જોતાં ભાગી પડ્યા હતાં અને શોકમય વાતાવરણ ફેલાયું હતું.
અમરેલી
જાફરાબાદના ટીંબી ગામે રૂા. 1.30 લાખનો શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે બે પકડાયા
જાફરાબાદ તાલુકાના ટીંબીમાથી પોલીસે વાહનમાથી ઘઉંની 40 બોરીનો શંકાસ્પદ જથ્થો કબજે લઇ બે શખ્સોની અટકાયત કરી 1.30 લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઇ પી.વી.પલાસ અને ટીમે ગત રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ટીંબીમાથી એક ટેમ્પો નંબર જીજે 08 વાય 5668ને અટકાવી તલાશી લીધી હતી.
ટેમ્પોમા ઘઉંની 40 બોરી કુલ બે હજાર કિલો ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા વગરનો હોય પોલીસે ટીંબીમા રહેતા મુસ્તાક ઉર્ફે બાપુ જુમાશા પઠાણ અને આરીફશા સુલેમાનશા કનોજીયા નામના શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંનો જથ્થો તેમજ વાહન મળી કુલ રૂૂપિયા 1.30 લાખનો જથ્થો કબજે લીધો હતો અને બીએનએસએસ કલમ 35(1) ઇ 106 મુજબ કાર્યવાહી કરી હતી.
અમરેલી
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ