મહાનગરપાલિકાની વ્યાજમાફી યોજનાનો આજે અંતિમ દિવસ, લાભ લેવા અપીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શાખા અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ વ્યાજ માફી યોજનાનો આજે છેલ્લો દિવસ છે. મિલકતવેરો તથા પાણીવેરાની બાકી રકમ ભરપાઈ કરવા માટે…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શાખા અંતર્ગત અમલમાં મુકવામાં આવેલ વ્યાજ માફી યોજનાનો આજે છેલ્લો દિવસ છે. મિલકતવેરો તથા પાણીવેરાની બાકી રકમ ભરપાઈ કરવા માટે નાગરિકોને રાહતરૂૂપ બને તેવી આ યોજનાનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ યોજનામાં બાકીદારોને વ્યાજમાં વિશેષ માફી આપવામાં આવી રહી છે. મિલકતવેરા પર થતા વ્યાજમાં રૂૂ.5,000/- સુધી માફી તેમજ પાણીવેરા પર થતા વ્યાજમાં રૂૂ.5,000/- સુધી માફી આપવામાં આવે છે. મિલકત ધારકને કુલ રૂૂ.10,000/- સુધીની વ્યાજ માફીનો લાભ મળી શકે છે.

આજે યોજનાનો અંતિમ દિવસ હોવાથી નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે મહાનગરપાલિકાની વેરા વસુલાત કામગીરી સવારે 9:30 કલાકથી સાંજે 6:10 કલાક સુધી ચાલુ રહેશે. નાગરિકો ઓનલાઇન ચુકવણી અથવા પોતાના વોર્ડ ઓફિસ / સિવિક સેન્ટરનો સંપર્ક કરી બાકી વેરો ભરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,58,379 કરદાતા દ્વારા કુલ રૂૂ. 435.25 કરોડ જેટલી માતબર રકમનો વેરો ભરપાઈ કરવામાં આવેલો છે. જે તા.30-03-2025નાં રોજ કુલ 4,17,662 કરદાતા દ્વારા કુલ રૂૂ. 407.58 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવેલ હતો, આમ,ગત વર્ષ કરતાં આ વર્ષ તા.30-03-2026 નાં રોજ કુલ 40,717 વધુ કરદાતાઓ દ્વારા તથા કુલ રૂૂ.27.67 કરોડની વધુ રકમનો મિલકત વેરો રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવેલ છે. વેરા-વસુલાત શાખા દ્વારા આજ દિન સુધીમાં કુલ રૂૂ.435.25 કરોડની વસુલાત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *