રાજકોટ
ફરાળના નામે વ્રત ભાંગવાનું પાપ: ફૂડ વિભાગની મૂક સંમતિ
41 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ છતાં મકાઈના લોટમાંથી બનતી ફરાળી પેટીસ ફૂડ વિભાગને દેખાઈ નહીં
શ્રાવણ માસ શરૂ થતાં જ ફરાળી પેટીસનો વેપલો ચોરે ચોકે શરૂ થયો છે. અનેક ધંધાર્થીઓ ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ કરી ભાવિકોના વ્રત ભાંગતા હોવાનું ફૂડ વિભાગે પકડી પાડ્યું છે. છતાં આ વર્ષેસુધી એક પણ પેટીસના ધંધાર્થીઓ અને અન્ય ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાંથી મકાઈનો લોટ પકડાયો નથી. જેમાં આજે પણ 41 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી પરંતુ એક પણ સ્થળેથી ફરાળના નામે લોકોના વ્રત ભાંગતા હોય તેવા વેપારી પકડાયા નથી. જ્યારે મન મનાવવા ફૂડ વિભાગે પાંચ સ્થળેથી ફરાળી પેટીસ અને મરચા પાઉડર સહિતના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા હતાં. જેના લીધે વ્રત ભાંગવાનું પાપ કરતા ધંધાર્થીઓને ફૂડ વિભાગે મૃકસંમતિ આપી હોય તેવું લાગી રહ્યું છે.
ચેકીંગ દરમિયાન (01)અમૃતમ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી વલ્લભ ટ્રેડર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ઓમ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)દ્વારકાધીશ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જરિયા ડાઈનીંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સાંઈ કૃપા ડાઈનિંગ હોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય માતાજી ડાઈનિંગ હોટલ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રોનક મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)રામદૂત રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)રોનક પાન એન્ડ કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)શ્રી દેવ ચામુંડામાં પાણીપુરી – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)જય જલારામ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)નાગદાદા રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)આત્મીય કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)મોમાઈ હોટલ – લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)મહાદેવ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)જય ખોડિયાર મઠો -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (18)પટેલ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (19)માહિ મયુર ભજીયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (20)બીગ ફાસ્ટ ફૂડ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત
ST વર્કશોપ પાછળ મંજૂરી વગર ચાલતા ધો.9,10ના વર્ગો
ખોડિયારનગર-12માં આવેલી શાળામાં ધમધમતું ગેરકાયદે શિક્ષણકાર્ય: ડીઇઓ અને ગાંધીનગર સુધી થયેલી અરજી
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી શાળા તાજેતરમાં જ ઝડપાઇ છે ત્યારે શહેરમાં પણ નકલી શાળા ધમધમતી હોવાની અરજી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને છેક ગાંધીનગર સુધી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અમારા વિસ્તાર ખોડીયારનગર એસ. ટી. વર્કશોપ મસ્જીદની બાજુમાં રાજકોટ ખાતે આવી નકલી શાળા ચાલે છે. આ શાળાને ધો. 1 થી 8 ની એક-એક વર્ગની મંજુરી છે. આ શાળાને ધો. 9 અને ધો. 10ની મંજુરી નથી જ એવું જાણવા મળ્યુ છે. અને છેલ્લા કદાચ 10 વર્ષથી ધો. 9 અને 10ના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરીને પ્રવેશ આપવામાં આવે છે તેવો સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જેના નામ અન્ય શાળામાં ચલાવવામાં આવે છે ધો. 10 પાસ કર્યા પછી વગેરે ગ્રાન્ટેડ શાળાઓના એલ. સી. આપવામાં આવે છે તેવું પણ અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓ પાસેથી આધાર-પૂરાવાઓ સાથે જાણવા મળ્યુ છે. તટસ્થતાથી આ અંગે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ ખુલી શકે તેમ છે.
અમો આ વિસ્તારના જાગૃત નાગરીકો છીએ આ શાળામાં ધો. 9 અને 10ના અંદાજે 150 વિદ્યાર્થીઓ અન્ય શાળામાં નામ ચલાવીને ભણાવવામાં આવે છે તેવું આધાર-પુરાવાઓ સાથે અમને જાણવા મળ્યુ છે. આ ઉપરાંત 1 થી 8માં પણ ઓછી મંજુરી હોય તો પણ લગભગ 1000 વિદ્યાર્થીઓની આસપાસ આ શાળામાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવે છે. શાળામાં કોઈપણ જાતની એનઓસી લીધા વગર વિદ્યાર્થીઓના જીવના જોખમે ઘેટા-બકરાની જેમ બેસાડીને ભણાવવામાં આવે છે. પાયાની પ્રાથમિક સુવિધાઓનો પણ આ ખોડીયારનગર-12, એસ. ટી. વર્કશોપ પાછળ આવેલ સ્કૂલમાં અભાવ જોવા મળે છે. આ સાથે આ બોગસ સ્કૂલે રાજકોટના વિવિધ વિસ્તારોમાં જાહેરાત સંદર્ભે બોર્ડ પણ લગાવવામાં આવ્યો હોવાની અરજી જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવી છે.
અરજી મુજબની હકીકત સામે આવશે તો સીલ મારશું: ડીઇઓ
નકલી શાળા બાબતે ડીઇઓ કચેરીમાં અરજી બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે હું અરજીની જાણકારી મેળવી લઉ છું અને તપાસના આદેશ પણ આપવામાં આવશે. જો અરજી મુજબની હકિકત સામે આવશે તો શાળા સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ