Connect with us

વિશેષ અંક

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા દ્વારા માતૃત્વનો ચમત્કાર

Published

on

‘60 વર્ષના એક મહિલા જે મેનોપોઝમાં હોવા છતાં બાળકની ઈચ્છા પૂરી કરવા માટે આવે છે. બાળકના જન્મ માટે તે કાંઈ પણ કરવા તૈયાર હોય છે અને તે એટલા બધા પોઝિટિવ હતા કે મજાકમાં કહેતા કે ડોક્ટર આપણા બંનેનું બાળક એક જ શાળામાં અને એક જ ક્લાસમાં ભણશે. તે મહિલાનો આત્મવિશ્વાસ અને સકારાત્મકતા એટલી અસરકારક હતી કે તેણીને ફર્સ્ટ સાઈકલમાં જ ગર્ભમાં બાળકનું અવતરણ થયું, અને હાલ અમારા બંનેના સંતાન એક જ ક્લાસમાં ભણે છે. આ કિસ્સો કહેવાનું કારણ એ જ કે નિ:સંતાન દંપતી જો સકારાત્મક રહી અને પ્રયત્ન કરે તો ચોક્કસ સંતાન પ્રાપ્તિ થાય છે. ‘આ શબ્દો છે રાજકોટના ગ્લોબલ આઈવીએફ સેન્ટરના ડો. ફાલ્ગુની સુરેજાના
ફાલ્ગુની સુરેજાનો જન્મ જામનગર જિલ્લાના ધ્રોલ ગામે થયો. પિતાજી ગણેશભાઈ નંદાસણા લોયર હતા અને માતા કાંતાબેન નંદાસણા ગૃહિણી હતા.બાળકોના જન્મ બાદ જામનગર શિફ્ટ થયા.તેઓના દાદા અને પપ્પાના ભાઈઓ ખેતી કરતા. પરિવારની સ્થિતિ સામાન્ય હોવા છતાં બાળકોને તેઓએ સારી શાળામાં ભણાવ્યા જે જીવન માટે ખૂબ ઉપયોગી બન્યું.ભણતા ત્યારે નર્સિંગ કરીને ફોરેન જવાનું સ્વપ્ન હતું.ભણવા કરતા ઈતર પ્રવૃત્તિમાં રસ વધુ હતો છતાં દસમા ધોરણમાં સારું રીઝલ્ટ આવ્યું તેથી મેડિકલ ફિલ્ડમાં જવાનું પરિવાર અને શાળાના શિક્ષકો દ્વારા સૂચન કરાયું. એમબીબીએસ રાજકોટ પીડીયુ કોલેજમાં કર્યું પછી એમ ડી એન્ટ્રન્સની તૈયારી કરી આ સમય દરમિયાન કોલેજના સાથી દર્શન સુરેજાને જીવન સાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો. ડો.દર્શન ગાયનેક હોવાથી તેને મદદરૂૂપ થાય તે લાઇન લેવાનું નક્કી કર્યું હતું. એરેન્જ કમ લવ મેરેજ બાદ 2012માં ગ્લોબલ ઈંટઋ શરૂૂ કર્યું. આ બાબત ડોક્ટર ફાલ્ગુનીબેન સુરેજા જણાવે છે કે ‘પતિ દર્શન સુરેજા ગાયનેક હોવા છતાં તેઓ સામાન્ય પ્રેક્ટિસ કરતા કંઈક અલગ કરવા માગતા હતાં.બાળક કન્સિવ થવું એ નેચરલ પ્રોસેસ છે એટલે અમે આ કુદરતની પ્રક્રિયામાં માધ્યમ બનીએ છીએ. આયુર્વેદ અને પંચકર્મમાં તેમજ ગર્ભાધાન સંસ્કારમાં પણ, માનીએ છીએ .જો આહ્વાન કરવામાં આવે તો આજે પણ શિવાજી મહારાજ અને સ્વામી વિવેકાનંદ જરૂર જન્મી શકે.’
આધ્યાત્મિકતાનો વારસો તેઓને સાસુ વનિતાબેન સુરેજા અને સસરા વલ્લભભાઈ સુરેજા પાસેથી મળ્યો.તેઓ ડોક્ટર હોવા સાથે 9 વર્ષની વિદેહી અને 4 વર્ષની શિવાંશીના માતા પણ છે જેથી માતૃત્વની લાગણી વધુ સમજી શકે છે.જેને માતૃત્વ પ્રાપ્ત નથી તેઓ માટે સુરેજા દંપતી ભગવાનના આશીર્વાદ સમાન છે. પેશન્ટને ઉપયોગી થાય તે માટે નેશનલ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં જાય છે જ્યાં નવી શોધ અને લેટેસ્ટ ટેકનોલોજી વિશે માહિતગાર થાય છે, એટલું જ નહિ આસપાસના ગામોમાં અવેરનેસ આવે તે માટે સેમિનાર લેવા પણ જાય છે.લાઇફ સ્ટાઇલ,સ્ટ્રેસ લેવલ ,મહત્ત્વકાંક્ષા તેમજ પેસ્ટ્રિસાઇડ વાળા અનાજ,શાકભાજીના કારણે બાળકો થવાની શક્યતા ઘટતી જાય છે તેથી તેમાં સુધારો લાવવાની જરૂૂર છે.

સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે હોલિસ્ટિક આઈવીએફ સેન્ટર

ડો.દર્શન સુરેજા અને ડો.ફાલ્ગુની સુરેજા એ હોલિસ્ટિક આઈવીએફ સેન્ટર બાબત જણાવ્યું કે, અમે ગમે તેટલા પ્રયત્નો કરીએ તો પણ અમુક કેસમાં ફેઇલ જતા હતા તેમાં પેશન્ટની સાઇકોલોજી પણ જવાબદાર હતી. તેથી હોલિસ્ટિક આઈવીએફની શરૂૂઆત કરી. પેશન્ટને સાઇકોલોજિકલ ટ્રીટ કરવા માટે હીલિંગ,મેડિટેશનથી ઘણાં સારા પરિણામ મળ્યા છે.ભારતમાં પ્રથમ વખત હોલીસ્ટિક IVF સેન્ટર છે જ્યાં જુદી જુદી થેરેપી,કાઉન્સિલિંગ,સાઉન્ડ હીલિંગ,મેડિટેશન વગેરે અનેક સકારાત્મક ઉપાયો છે.

એમ્બ્રોલોજી આપે છે બાળકનું વરદાન

ડો.ફાલ્ગુનીબેને જણાવ્યું કે, ‘એમ્બ્રોલોજી એટલે ગર્ભ વિજ્ઞાન. સ્ત્રીનું બીજ બહાર કાઢી પુરૂષ બીજ બહાર કાઢી બહાર ગર્ભ બનાવવાનું વિજ્ઞાન.બહાર પ્રોસેસ કરીને ગર્ભ બનાવવાનું કામ IVF લેબમાં થાય.વાંચવામાં સરળ લાગતી આ વાત સહેલી નથી.બનેલા એમ્બ્રોયસને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે કે જેમાં માતાના ગર્ભ જેવું વાતાવરણ હોય છે.આ રીતે પાંચ દિવસનો ગર્ભ બહાર બનાવીને માતાના ગર્ભમાં ટ્રાન્સફર કરવાનો હોય છે.વધારાના બનેલા ગર્ભને માઈનસ 190 ડિગ્રીએ ફ્રીઝ કરી પ્રોસેસ કરીને મૂકી દીધા બાદ ફરીથી માતા બનવામાં ઉપયોગી થાય છે.ચાર કે પાંચ વર્ષ જૂના એમ્બ્રોયસનો ઉપયોગ કરીને બાળક થયાના દાખલા છે.

તમારી સંસ્કૃતિને ન ભૂલો

અત્યારે જે યુવા દીકરીઓ છે તેને સંદેશ આપતા જણાવ્યું કે તમારા મૂળને ન ભૂલો. તમારી સંસ્કૃતિ વિસરીને બીજાની સંસ્કૃતિ અપનાવવાની ભૂલ ન કરો. માતાને ખાસ જણાવવાનું કે એકથી વધુ બાળકો હોવા જરૂૂરી છે કારણ કે સિંગલ ચાઈલ્ડના અનેક સાયકોલોજિકલ પ્રશ્નો ઊભા થાય છે. મહિલાઓમાં અખૂટ શક્તિનો ભંડાર છે તે જે ચાહે તે કરી શકે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

માનસી પારેખ: કચ્છ એક્સપ્રેસની સફરમાં મળી નેશનલ એવોર્ડની મંઝિલ

Published

on

By

કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા ત્રણ એવોર્ડમાંથી શ્રેઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર માનસી પારેખ ગોહિલે ઉડાન માટે આપી વિશેષ મુલાકાત

અનેક સંઘર્ષો બાદ મળેલ સફળતારૂપી એવોર્ડની જાહેરાત સાંભળી બંને પતિ-પત્નીની આંખમાંથી આંસુ વહી ગયા હતા

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં ગૃહિણીના પાત્રમાં ‘મોંઘી’ને એક ભેટ આપતા તેનો દીકરો કહે છે કે , ‘આને ડ્રીમ કેચર કહેવાય જે તારા સપના પૂરા કરશે.’ અહીં મોંઘીનું પાત્ર ભજવતા માનસી પારેખ માટે કચ્છ એક્સપ્રેસ ખરેખર ડ્રીમ કેચર સાબિત થઈ છે.દરેક કલાકારની જેમ માનસી પારેખનું નેશનલ એવોર્ડ મેળવવાનું સ્વપ્ન આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું છે ત્યારે એવોર્ડ મળવાની ખુશી સાથે અનેક વિષય પર ઉડાન માટે માનસી પારેખ ગોહિલે ખાસ મુલાકાત આપી હતી.


અમદાવાદમાં તેઓ નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નેશનલ એવોર્ડના સમાચાર મળ્યા ત્યારે થોડી વાર તો આ વાત માનવામાં ન આવી પરંતુ હકીકત સામે આવી ત્યારે ખુશીના આંસુ નીકળ્યા હતા. માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્નમેન્ટલ વેલ્યુઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે નિકી જોશીને એવોર્ડ મળ્યા છે. કોઈ ગુજરાતી ફિલ્મને ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળે તેવી પ્રથમ ઘટના છે.આ ફિલ્મનું નિર્માણ પણ માનસી પારેખે પતિ પાર્થિવ ગોહિલે સાથે મળીને કર્યું છે ત્યારે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, ‘આ અમારા અને અમારા પ્રોડક્શન હાઉસ માટે ખૂબ મહત્ત્વની બાબત છે કારણ કે ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો હેતુ એ હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવે અને આ નેશનલ એવોર્ડ હવે ચોક્કસ અમને ત્યાં લઈ જશે.’


મુંબઈમાં જન્મ, ઉછેર અને અભ્યાસ કર્યો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ કર્યું ત્યારે કોઈને ક્યાં ખ્યાલ હતો કે સાહિત્ય,સંગીત અને અભિનયમાં પા પા પગલી કરતી આ દીકરી રાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ મેળવી ગુજરાતને ગૌરવ અપાવશે. 18 વર્ષની ઉંમરે એકતા કપૂરની સિરિયલ ‘કિતની મસ્ત હે જિંદગી’ થી અભિનયની યાત્રા શરૂ કરી. સંગીતનો શોખ તો હતો જ ત્યારે ગુજરાતી સા રે ગા મા માં ભાગ લેતી વખતે શોના એન્કર અને ખૂબ જાણીતા ગાયક કલાકાર પાર્થિવ ગોહિલને મળ્યા,સાથે શૂટિંગ કરતાં કરતાં એકબીજાને ગમવા લાગ્યા અને પરણી ગયા. આ બાબત માનસી પારેખ જણાવે છે કે ‘મારી કેરિયર ખરેખર લગ્ન પછી જ શરૂ થઈ. અમે બંને વર્કોહોલિક છીએ અને જીવનમાં કંઈક કરવા માટે બંને સાથે જ પ્રયત્ન કરીએ છીએ. ફિલ્મનો એવોર્ડ જાહેર થયો ત્યારે અમારા બંનેની આંખમાં આંસુ હતા. પતિ-પત્ની કરતાં અમે મિત્રો વધુ છીઅ’.


ટીવી સિરિયલ, રિયાલિટી શો,ફિલ્મ વગેરે કરનાર માનસી પારેખને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે સંઘર્ષના એ દિવસો યાદ કરતા તેઓએ જણાવ્યું કે, ‘સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળતી નથી.પ્રારંભના દિવસોમાં કામ મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે. મહિનાઓ સુધી ઓડિશન આપવા, ત્યારબાદ રિજેક્શન, ઘણીવાર કોલબેક ન આવે,આવા સમયે હતાશ થઈ જવાતું. તમારી આજુબાજુના મિત્રો ડોક્ટર, એન્જિનિયર કે ટીચર બની સફળતાપૂર્વક કામ કરતા હોય ત્યારે તમને લાગે કે મારું શું થશે? પણ પછી એમ થાય કે જે થશે એ સારું થશે અને પછી જ્યારે રીવોર્ડ રૂપે એવોર્ડ મળે ત્યારે ખુશીને વર્ણવવા માટે શબ્દો નથી હોતા.’


કચ્છ એક્સપ્રેસ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ છે જેમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને રસપ્રદ રીતે રજૂ કર્યા છે. ગુજરાતી ફિલ્મોમાં નારીને કેન્દ્રસ્થાને રાખીને ઓછી ફિલ્મો બને છે અને એટલે જ આ ફિલ્મ લોકોને ગમી છે. ફિલ્મમાં સાસુનું પાત્ર ભજવતા રત્ના પાઠક શાહે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત એવોર્ડ મળ્યો ત્યારે માનસી પારેખે જ્યાં અભ્યાસ કર્યો હતો તે સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે, ‘ભારતના 133 મિલિયન લોકોમાંથી આ એવોર્ડ તને એવોર્ડ મળ્યો છે તે બહુ મોટી વાત છે.’ માનસી પારેખ જણાવે છે કે, ‘ઘણી વખત કામ સારું હોય તો તે લોકો સુધી નથી પહોંચતું અને ઘણીવાર લોકો સુધી પહોંચે તો તેની યોગ્ય કિંમત અંકાતી નથી પરંતુ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને બંને મળ્યું છે તે ભગવાનના આશીર્વાદ છે.’ આજકાલ ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે તમારું કામ લોકોથી અલગ હોય તો નજરમાં આવે છે સ્ટ્રગલ બધાની ચાલતી હોય છે પરંતુ સફળતાના શિખર પર કોઈ એક જ હોય છે.


આ એવોર્ડના કારણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધશે.અનેક લોકો પોતાના વતનથી દૂર વિદેશમાં વસતા હોય છે ત્યારે ફિલ્મ દ્વારા તેમનું ભાષા અને વતન સાથેનું કનેક્શન જળવાઈ રહેશે.
ભવિષ્યના સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ તો હજુ એક પગથિયું છે ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણા બધા પ્લાન છે, માનસી પારેખ ગોહિલને તેના ઉજજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

પોતાની જાતને રિસ્પેક્ટ આપો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, ‘દરેક સ્ત્રીમાં ભગવાને એક શક્તિ મુકેલ છે જેની ઓળખ ખુદ સ્ત્રીને જ હોતી નથી પરંતુ તે શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો. પોતાની જાતને રિસ્પેક્ટ આપશો તો બીજા લોકો પણ રિસ્પેક્ટ આપશે.’

માનસી પારેખને…
4 ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે,ઘરના દાળ-ભાત, શાક, રોટલી, મેથીનું શાક અને વેજીટેબલ્સ ખૂબ ભાવે છે…
4 લૂઝ અને કમ્ફર્ટબલ ક્લોથ ગમે છે…
4 હિન્દી ફિલ્મ અભિનેતામાં અમિતાભ, નસીરૂદ્દીન શાહ, રત્ના પાઠક શાહ ગમે છે….
4 હિન્દી ફિલ્મ ગીતોમાં એ.આર.રહેમાનના બધા જ ગીતો ગમે છે…
4 ફરવા માટે ઇન્ડિયાની દરેક જગ્યા ગમે છે તો ફોરેનમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ગમે છે

WRITTEN BY :~ BHAVNA DOSHI

Continue Reading

આંતરરાષ્ટ્રીય

વિદેશીઓને તાળીઓના તાલે ગરબે ઘુમાવે છે ‘સોનલબેન ગરબાવાળા’

Published

on

By

કેનેડામાં ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે ડો.સોનલ શાહ

કેનેડાના એક મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. મંદિર વ્યવસ્થાપકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મહિલા સાડી પહેરીને આવશે તેને જ કળશ યાત્રાનો લાભ મળશે.ભારતની જ એક દીકરીને કળશ યાત્રાનો લાભ લેવો હતો પરંતુ તેની પાસે સાડી નહોતી અને સાડી પહેરતા પણ આવડતું ન હોવાના કારણે ત્યાં રહેતી એક ભારતીય મહિલાને પોતાની વાત જણાવે છે. એ મહિલાએ પોતાની સાડી આપી એટલું જ નહિ પણ સુંદર રીતે પહેરાવી અને તૈયાર પણ કરી આપી. એ દીકરી ખૂબ જ ખુશ થઈ અને કળશ યાત્રાનો લાભ લીધો. પોતાની સાડી આપનાર એ ભારતીય મહિલા એટલે ડો.સોનલબેન શાહ. જેઓ કેનેડામાં રહીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે. આ તો ફક્ત સાડીની વાત હતી પરંતુ મહેંદી શીખવવાથી લઈને ગરબા અને દરેક રાજ્યના લોકનૃત્ય પણ તેઓ શીખવે છે. કેનેડામાં તેઓ ‘સોનલબેન ગરબાવાળા’ તરીકે જ ઓળખાય છે અને પોતાની આ ઓળખ માટે તેઓને ગર્વ છે.


મુંબઈમાં જન્મ અને ઉછેર થયો. 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને વડોદરા આવ્યા. લગ્ન પછી આયુર્વેદ, નેચરોપેથી,સાઈકોલોજી વગેરે કર્યું અને 22 વર્ષની ઉંમરે સાઈકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.દીકરી એશા અને દીકરા શુભમનો જન્મ થયો.બાળકોના ઉછેર સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિમાં તેઓને સૌથી વધુ આકર્ષણ ગરબા પ્રત્યે હતું. પ્રાચીન-અર્વાચીન ગરબાનું તેમનું ગૃપ પણ હતું નવરાત્રીમાં તેઓ ગરબા ક્વીન બનતા. બેઠા ગરબા ઉપરાંત સંસ્કૃતમાં પણ ગરબા કરાવતા. કોરોના સમયે ઓનલાઇન ગરબામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુકેના લોકો પણ જોડાયા હતા.આ સમય દરમિયાન દીકરીને આગળ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું થયું એટલે સોનલબેન પણ અનુકૂળતા અનુસાર દીકરી પાસે કેનેડા આવવા જવા લાગ્યા,ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેનેડામાં સ્થિર થયા છે ત્યારે ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે.


છેલ્લા 17 વર્ષથી રીલેશનશિપ પર કાઉન્સિલિંગ કરનાર અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવનમાં ઉતારનાર ડો. સોનલબેન શાહ જણાવે છે કે, ‘વિદેશમાં જ જન્મેલ અને ઉછેર પામેલ યુવાનો આપણાં પ્રાચીન-અર્વાચીન ગરબા, આપણી પરંપરા,સંસ્કૃતિ વિશે અજાણ હોય છે. તેથી તેમના માટે રાજસ્થાની નૃત્ય, ભાંગડા,લાવણી અને ગરબા શીખવીએ છીએ પરંતુ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ વર્ગોમાં ભારતીય લોકો સાથે વિદેશી લોકો પણ જોડાય છે. તેઓને હું તાળીનું મહત્ત્વ, ભાવનું મહત્ત્વ અને સંગીતનું મહત્ત્વ સુપેરે સમજાવું છું ત્યારે દરેક વિદેશીઓ પણ ભાષા ન જાણતા હોવા છતાં તાળીઓના તાલે મોજથી ગરબામાં ઝૂમી ઉઠે છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોને ગરબા શીખવ્યા છે. વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર, કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે.’

તેમની દીકરી એશા રાજસ્થાની નૃત્ય અગ્નિ ભવાઈમાં એક્સપર્ટ છે જેમાં માથા પર અગ્નિ રાખીને નૃત્ય કરવાનું હોય છે. તાજેતરમાં નાથન ફિલિપ સ્ક્વેરમાં તેણીએ પરફોર્મ કર્યું અને ઇન્ટરનેશનલ ડાન્સિંગ શોમાં પણ પરફોર્મ કરવાની તક મળી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણા મૂળભૂત રીતે રિવાજો જળવાઈ રહે તે માટે સોનલબેનને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે જેમાં તેઓ આપણા શાસ્ત્રોકત રીતિ રિવાજો,વ્રત,ઉત્સવ દરેકના કારણો અને મહત્ત્વ વિશેની માહિતી નવી પેઢીને આપી શકે. ડો.સોનલ શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર,કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે: ડો.સોનલ શાહ

સ્ત્રીનું સ્વરૂપ સાડીમાં વધુ નિખરે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ‘દરેક દેશના લોકો પોતાના કલ્ચરને પ્રમોટ કરતા હોય તો ભારતીય થઈને આપણે આપણા કલ્ચરને કઈ રીતે ભૂલી શકીએ? અન્ય દેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ.આપણે સાડી પહેરતા ભૂલી ગયા છીએ એટલું જ નહીં પરંતુ કુર્તા અને દુપટ્ટા પણ બહેનોના વસ્ત્રોમાંથી ગાયબ થઈ ગયા છે.ભગવાને સ્ત્રીને જે રૂૂપ આપ્યું છે તે સાડીમાં સૌથી વધુ નિખરે છે. જો સવારે જીમમાં જતી વખતે,ઓફિસ જતી વખતે કે પછી બહાર ફરવા જતી વખતે અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ તો પછી આપણા ટ્રેડિશનલ તહેવારો, પૂજા અને મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાડી અથવા દુપટ્ટા સાથેની કુર્તી કેમ ન પહેરી શકીએ? ઇન્ડિયન કલ્ચર ખૂબ જ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું છે. અહીંના લોકો વેજીટેરિયન અને વિગન બની રહ્યા છે ત્યારે આપણે ભારતીય તરીકે જાગૃત થવાની જરૂર છે.’

WRITTEN BY :- BHAVNA DOSHI

Continue Reading

રાષ્ટ્રીય

પંખીઓની કલાકૃતિ દ્વારા નિજાનંદના આકાશમાં ઉડાન

Published

on

By

શીલાબા રાણાએ અત્યાર સુધીમાં ચકલી,નવરંગો, ફ્લોરિકન,ફ્લેમિંગો,પેલિકન જેવા અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચરમાં આબેહૂબ ઉતાર્યા છે

શીલાબા રાણા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવાનો પ્રયત્ન કર્યો નથી

વાઇલ્ડ લાઇફની દુનિયા અલગ છે, જેમાં જંગલ, ઝાડ, જનાવર અને જમીનનું જતન કરવા અનેક લોકો કટિબદ્ધ છે. આ માટે ઓફિસરથી લઈને નાનામાં નાના કર્મચારી ખૂબ મહેનત કરતા હોય છે. વાઇલ્ડ લાઇફમાં અનેક પ્રકારના રિસર્ચ અને અભ્યાસ કરવામાં આવતા હોય છે આવા સમયે પંખી અને પ્રાણીની આકૃતિના ડમીનો સહારો લેવામાં આવે છે. વાત છે વેળાવદર નેશનલ પાર્કની, જ્યાં ફ્લોરિકન બર્ડ માટે અભ્યાસ કરવાનો હતો. તેના નિષ્ણાત વ્યક્તિઓ આ બર્ડનું ડમી કપડાંમાંથી બનાવવાની કોશિશ કરતા હતા પરંતુ સફળતા મળતી નહોતી. એ સમયે એક ઓફિસરના કલાકાર પત્નીએ પોતાની કલા અને સૂઝ, બૂઝ કામે લગાવીને કાગળના માવામાંથી આબેહૂબ ફલોરિકન બનાવ્યું જે જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા.આ ડમી (એટલે કે જીવંત પંખી કે પશુ જેવી જ આકૃતિ) બનાવનાર ઓફિસરના પત્ની એટલે શીલાબા રાણા.

જેઓને કલા ઈશ્વરના આશીર્વાદરૂપે મળી છે. ક્યાંય પણ શીખ્યા વગર પ્રોફેશનલ આટિસ્ટને પણ ટક્કર મારે તેવી એકથી એક ચડિયાતી કૃતિઓ બનાવે છે.


શીલાબાના પતિ વિશ્વદીપ સિંહ રાણા 1985માં સ્ટેટ ફોરેસ્ટ સર્વિસમાં દાખલ થયા અને ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે 2023માં રિટાયર થયાં તે દરમિયાન વેળાવદર, ગીર, ધાંગધ્રા, ધારી, ગાંધીનગર, સક્કરબાગ ઝૂ જૂનાગઢ વગેરે જુદા જુદા સ્થળોએ ફરજ બજાવવાનું થયું. ફોરેસ્ટ વિભાગમાં ફરજ દરમિયાન ઘણાં સ્થળો એવા હોય છે કે જ્યાં સુવિધાનો અભાવ હોય, એકાંત સ્થળ હોય,નવી જગ્યા હોય પરંતુ આ બધા વચ્ચે પણ શીલાબાએ પોતાનો શોખ જાળવી રાખ્યો.લાકડું,કાગળનો માવો, માટી, કેનવાસ, કલર વગેરે જ્યાં જે વસ્તુ પ્રાપ્ય હોય તેના દ્વારા તેઓ કલાકૃતિ બનાવતા.કેનવાસ પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ ઉપરાંત ક્રોશિયો, ભરત ગૂંથણ વગેરેમાં પણ તેઓ માહિર છે આમ છતાં પંખીઓ પ્રત્યે તેઓને અલગ લગાવ છે.અત્યાર સુધીમાં તેઓએ ચકલી, નવરંગો, ફ્લોરિકન, ફ્લેમિંગો, પેલિકન વગેરે અનેક પંખીઓને કેનવાસ, સ્કલ્પચર દ્વારા આબેહૂબ બનાવ્યા છે.


પોતાની કલા બાબત જણાવે છે કે, ‘પિતાજી પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવાથી લગ્ન પહેલાં પણ અનેક જગ્યાએ ફરવાનું બનતું. નાનપણમાં રંગોળી ખૂબ સરસ બનાવતી પરંતુ ત્યારે આ કલાની આવડત પોતાનામાં છે એ ખ્યાલ નહોતો.


પરંતુ લગ્ન પછી આ યાત્રા શરૂૂ થઈ. જે કંઈ નવું જોવા મળે તે શીખવાનો પ્રયત્ન કરતી. કોઈ મિત્રો ,સગા,સંબંધીને કોઈપણ કલાકૃતિ ગમે તો તરત જ તે ભેટમાં આપી દેતી તેઓ જે પ્રશંસાના શબ્દો કહેતા તે જ મારે મન અમૂલ્ય હતા.’ મોટાભાગે જંગલ વિસ્તારમાં વસવાટ કરવાનો હોવાથી પંખી, પ્રાણીઓ અને કુદરત સાથે એક લગાવ પણ હતો આ ઉપરાંત દરેકને નજીકથી જોવાનો અવલોકન કરવાનો અનુભવ પણ હતો અને એટલે જ ડમી તૈયાર કરતી વખતે પંખીની આંખોમાં ઝીણું લાલ ટપકું હોય કે પછી પીંછાઓમાં જોવા મળતી લાલ, જાંબલી કે પીળાશ પડતી ઝાંય હોય કે પછી સિંહની કેશવાળી હોય દરેકને તેઓ બખૂબી પોતાની કૃતિમાં ઉતારતા. આવી જ એક ઘટના યાદ કરતા તેમના પતિ વિશ્વદીપ સિંહ રાણા જણાવે છે કે, ‘2004માં ગીરમાં દેવળિયા ખાતેના ઓરિએન્ટેશન સેન્ટર માટે એશિયાટીક લાયનના ડમી બનાવવાના હતા.

બંગાળી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ફોટોગ્રાફ ઉપરથી એશિયાટિક લાયનની ઈફેક્ટ આપી શકતા નહોતા આવા સમયે પ્રથમ વખત ક્લેનો ઉપયોગ કરી શીલાબાએ મિનિએચર સ્કલ્પચર લમાં આબેહૂબ એશિયાટીક લાયન બનાવ્યો હતો અને તેના પરથી કારીગરોએ લાઇફ સાઈઝ એશિયાટિક લાયન બનાવ્યો હતો.’ શીલાબા વર્સેટાઇલ કલાકાર છે છતાં ક્યારેય તેઓએ નામ અને દામ કમાવવાનો પ્રયત્ન કર્યો નથી. થોડા સમય પહેલાં અમદાવાદમાં એક એક્ઝિબિશન કર્યું હતું પરંતુ તેમાં પણ પેઇન્ટિંગ વેચવાની તેમની ઈચ્છા નહોતી. નિજાનંદ માટે કલાના ઓવારણા લઈ જીવન સફળ બનાવતા શીલાબા રાણાને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કલા એક પ્રકારની ભક્તિ જ છે
શીલાબા રાણા મહિલાઓને સંદેશ આપતા પોતાનો અનુભવ વર્ણવે છે કે, ‘ફોરેસ્ટ વિભાગમાં પતિની અચોક્કસ સમયની ફરજ દરમિયાન મારા શોખના કારણે ક્યારેય એકલતાનો અનુભવ થયો નથી. જ્યારે હું કોઈ પેઇન્ટિંગ કે સ્ક્લ્પચર બનાવતી હોઉ ત્યારે અંદરથી ખૂબ આનંદ આવે છે. વાત કલાની હોય ત્યારે બીજું કંઈ જ કરવાનું મન થતું નથી. આ એક પ્રકારની ભક્તિ જ છે. મને લાગે છે કે માળા કર્યા વગર પણ ભગવાન મારી ભક્તિ સ્વીકારી લે છે. કોઈ કૃતિ અધુરી હોય તો અડધી રાત સુધી પણ બનાવતી હોઉં છું. થાક પણ લાગતો નથી. માટે તમને જે પ્રવૃત્તિ ગમતી હોય તે કરો અને તેનો આનંદ લો…

WRITEEN BY: BHAVNA DOSHI

Continue Reading
ક્રાઇમ12 hours ago

અમદાવાદમાં પોલીસની સામે જ ગુંડાઓ મચાવ્યો આતંક, કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો

રાષ્ટ્રીય12 hours ago

UP: લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં મકાન ધરાશાયી, 20 લોકો દટાયા, SDRF-NDRF ઘટનાસ્થળે પહોંચી

ક્રાઇમ12 hours ago

બંગાળમાં ફરી માનવતા શર્મસાર, 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, બેભાન હાલતમાં રસ્તા પર ફેંકી દીધી

આંતરરાષ્ટ્રીય12 hours ago

કેનેડામાંથી દુઃખદ સમાચાર, ભારતના 22 વર્ષીય વિદ્યાર્થીની હત્યા, પરિવારજનો શોકમાં

આંતરરાષ્ટ્રીય13 hours ago

ચીનમાં ‘યાગી’ વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

ગુજરાત13 hours ago

એક મહિનાથી પતિને છોડી રાજકોટ પ્રેમી સાથે રહેતી નેપાળી પરિણીતાનો આપઘાત

ગુજરાત13 hours ago

ડેન્ગ્યુનો હાહાકાર: ધો.12ના છાત્રનું મોત

ગુજરાત13 hours ago

રૂા.33 કરોડની છેતરપિંડીની ફરિયાદ રદ કરવાની અરજી ટીવી સ્વામીએ કોર્ટમાંથી પાછી ખેંચી

રાષ્ટ્રીય13 hours ago

ચાલુ ટ્રેને પેન્ટ્રી કારના કર્મચારી દ્વારા અપંગ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ

ગુજરાત13 hours ago

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDC દ્વારા GPSC સહિતની પરીક્ષાના શરૂ થશે કોચિંગ વર્ગો

રાષ્ટ્રીય2 days ago

અનંત અંબાણીએ ‘લાલબાગ ચા રાજા’ને ભેટમાં આપ્યો સોનાનો મુગટ, કિંમત જાણીને હોંશ ઉડી જશે

ગુજરાત2 days ago

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

રાષ્ટ્રીય20 hours ago

VIDEO: મધ્યપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના, જબલપુર સોમનાથ એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું

રાષ્ટ્રીય1 day ago

પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરતી વખતે માંડ-માંડ બચ્યા CM ચંદ્રબાબુ નાયડુ!! રેલવે ટ્રેકની પાસે ઊભા હતા અને અચાનક જ આવી ટ્રેન, જુઓ વિડીયો

રાષ્ટ્રીય2 days ago

સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું

રાષ્ટ્રીય2 days ago

‘યુદ્ધ માટે તૈયાર રહો…’, સંરક્ષણ મંત્રી રાજનાથે કમાન્ડરોને આપ્યો આદેશ

Sports2 days ago

પેરિસ પેરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ મેડલ

ગુજરાત2 days ago

ભાવનગર રોડ ગ્રીન પાલક પંજાબીમાંથી વાસી સોસનો નાશ

ગુજરાત2 days ago

રાદડિયા-નરેશ પટેલ સમાધાન માટે તૈયાર?

આંતરરાષ્ટ્રીય1 day ago

‘જુનાગઢ પાકિસ્તાનનો એક ભાગ, ભારતે ગેરકાયદેસર કર્યો કબજો..’ પાકિસ્તાને ફરી ઝેર ઓક્યું

Trending