Connect with us

ક્રાઇમ

જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના સંચાલકોનું લાખોનું કૌભાંડ, નોંધાતો ગુનો

Published

on

શહેરના જયશ્રી રોડ ઉપર આવેલી શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકોએ પોતાના જ કર્મચારી સહિત અન્ય 24 લોકો પાસે નાણાકીય રોકાણ કરાવી પાકતી મુદતે રોકાણકારોના રૂૂપિયા પાછા નહીં આપતા ક્રેડિટ સોસાયટીના જ કર્મચારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે. શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણ દત્તાત્રેયભાઈ દયાળ જય શ્રી રોડ પર આવેલી શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં નોકરી કરતા હતા. જે સમયે તેમને ક્રેડિટ સોસાયટીના ચેરમેન ભુવન જે. વ્યાસ સહિતના સંચાલકોએ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં નાણા રોકવા સાથે સોસાયટીની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

જેથી કિરણભાઈએ વર્ષ 2019 થી 2021 સુધી પોતાના નામે 17, પત્નીના નામે 05 અને દીકરીના નામે 15 મળી કુલ 37 ફિક્સ ડિપોઝિટનાં ખાતા ખોલાવ્યા હતા. જેમાં તેઓએ કુલ રૂૂ. 14,56,652 ની રકમ રોકાણ કરી હતી. જે બાદ તેઓએ ક્રેડિટ સોસાયટીના સત્તાધીશો પાસે અવારનવાર માગણી કરતા ફક્ત રૂૂપિયા 1, 70લાખ ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ પરત ચુકવ્યા હતા. બાકીની 12,86, 652ની રકમ પાકતી મુદ્દતે વ્યાજ સહિત પરત ક્રેડિટ સોસાયટીએ આપવાની રહેતી હોવા છતાં સોસાયટીના સંચાલકોએ એ રકમ તો પરત ન આપી પરંતુ કર્મચારીને તેમના મહેનતાણાનો નવ મહિનાનો પગાર પણ આપ્યો ન હતો. જેથી કિરણભાઈએ શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન સહિતના સત્તાધીશો સામે છેતરપિંડી અને કાવતરું રચયાની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે.


ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટીના ચેરમેન સહિત 4 સંચાલકો વિરુદ્ધની વિશ્વાસ, છેતરપિંડી ફરિયાદની તપાસ એસઓજીનાં પીઆઇ પી. કે. ચાવડાને સોંપવામાં આવી છે. હાલ પુરાવા એકત્ર કરવા, નિવેદન નોંધવા સહિતની ઉંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. સંસ્થાનાં સંચાલકોએ આચરેલી છેતરપિંડીનો અન્ય લોકો ભોગ બન્યા હોય એવા લોકોએ એસઓજીનો સંપર્ક કરવો.


લાખો રૂૂપિયાની છેતરપિંડી બદલ શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર અને વાઈસ ચેરમેન વિરુદ્ધ ફરિયાદ આવી હતી. 4 આરોપી પૈકી વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા મૃત્યુ પામ્યા હોવાનું ફરિયાદમાં વૃદ્ધ રોકાણકારે જણાવ્યું હતું.


વૃદ્ધ રોકાણકાર કિરણભાઈ દયાળની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જે. વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાછડીયા અને વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા વિરુદ્ધ નવા કાયદા બીએનએસની કલમ 316 (5) એટલે કે ભેગા મળી ગુનાહિત વિશ્વાસઘાત કરવા સબબ તથા કલમ 61(2) ગુનાહિત કાવતરૂૂ રચવા સબબ અને જીપીઆઇડીએની કલમ 3, ધી પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન (બેનીંગ) એક્ટ 1978ની કલમ 4, 5, 6 મુજબ ગુનો નોંધાવી કાર્યવાહી કરવામાં આવી હતી.

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ક્રાઇમ

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

Published

on

By

ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.


ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.


આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading

ક્રાઇમ

અંકલેશ્ર્વરથી રાજકોટ આવતા બે શખ્સો 3156 દારૂની બોટલ સાથે ઝડપાયા

Published

on

By

સાયલાના નવા સુદામડા ગામ પાસે પોલીસે બાતમીના આધારે ટ્રકને ઊભી રખાવીને તલાસી લીધી હતી. જેમાંથી 21 દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થા સાથે ટ્રકચાલક અને ક્લિરને ઝડપી લીધા હતા. આ બનાવમાં દારૂૂ અને ટ્રક સહિત કુલ રૂૂ. 8.37 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નેશનલ હાઇવે ઉપર વિદેશી દારૂૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. સાયલા પોલીસે નવા સુદામડા ગામ પાસે વોચ રાખી હતી પૂરઝડપે રાજકોટ તરફ જતી ટ્રકને ઊભી રખાવીને પૂછપરછ કરતા તેમાં માલના પાર્સલ હોવાનું વાહનચાલકે જણાવ્યું હતું.


પરંતુ સાયલા પોલીસે ટ્રકની પાછળ માલના પાર્સલની તપાસ હાથ ધરતા પ્લાસ્ટિક કંતાન વીંટાળેલા પાર્સલોમાં વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. ટ્રકચાલકની પૂછપરછ કરતા પોરબંદરવાળા 56 વર્ષના નરેશ કિશન પરમાર અને 10થી વધુ દારૂૂ પીવાના ગુનામાં આરોપી ક્લિનર તરીકે સબીર યુનુસ હાજી માકડા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રક સહિત તમામ મુદ્દામાલ સાયલા પોલીસ સ્ટેશનને લઈ જવાયો હતો.


વિદેશી દારૂૂની તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની 21 વિદેશી દારૂૂની પેટી, બિયર અને ચપલા સહિત કુલ 3156 વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 3,37,320નો વિદેશી દારૂૂ અને બિયર તેમજ રૂૂપિયા 5 લાખની ટ્રક સહિતનો કુલ રૂૂ. 8,37,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને બંને આ આરોપી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ટ્રકચાલક નરેશભાઈ પરમારની પ્રાથમિક તપાસમાં અંકલેશ્વરથી વિદેશી દારૂૂ ભરીને જતો હોવાનું બહાર આવ્યું હતું.

Continue Reading
આંતરરાષ્ટ્રીય1 min ago

SIIMA-2024માં ઐશ્ર્વર્યા રાયને પોનિયન સેલ્વન-2 માટે ક્રિટિક્સ એવોર્ડ

Sports4 mins ago

બાંગ્લાદેશને હળવાશથી ન લેતા, ટીમ ઈન્ડિયાને ગાવસ્કરે આપી ચેતવણી

ગુજરાત6 mins ago

ગોંડલમાં વોકિંગમાં નીકળેલા વૃદ્ધને આખલાએ ઢીંકે ચડાવતાં મોત

ગુજરાત9 mins ago

વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતા આર્થિક સંકડામણથી ખેડૂતનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Sports13 mins ago

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત-ચીનનો મુકાબલો

ગુજરાત13 mins ago

આંદોલનની વાત જ નથી, ક્ષત્રિય આંદોલન પૂરું થઈ ગયું : શંકરસિંહ

ગુજરાત16 mins ago

ખંભાળિયા તાલુકાના નાના અસોટા ગામે જાતરના મેળામાં જુગારના છ દરોડા, 22 શખ્સો ઝડપાયા

આંતરરાષ્ટ્રીય17 mins ago

લંડન ફેશન વીકની શાનદાર ઉજવણી

ગુજરાત19 mins ago

અગલે બરસ તું જલ્દી આના: વિઘ્નહર્તાને ભાવિકોની ભાવભરી વિદાય

અમરેલી21 mins ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

રાષ્ટ્રીય24 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય1 day ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત20 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત20 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending