Connect with us

ગુજરાત

પોરબંદર જિલ્લામાં ભારેખમ ટોલટેક્સ ઉઘરાવવામાં આવતો હોવાની રજૂઆત

Published

on

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી માંડવિયાને પત્ર લખતા ચકચાર

માણાવદર મત વિસ્તારના પૂર્વકેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયાને એક લેખિત પત્ર ટોલટેક્ષના અન્યાય સામે લખતા સનસનાટી ભર્યા પત્રએ ચકચાર મચાવી છે. કેમ કે, કેન્દ્રીય સરકારનો કેન્દ્રીયમંત્રી અને પોતાના જ મત વિસ્તારની જનતા સાથે અન્યાય થાય તે ચોકાવનારુ ગણાય.


પત્રમાં લખેલું છે કે અમારા વિસ્તાર સાવ નવો જ છે. આપના માટે તેથી પ્રશ્ર્નો પ્રત્યે અજાણ જ હોવ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહિતગાર કરી સત્વરે અન્યાયને દૂર કરવા માંગ છે. આપને મંત્રી જાણીને આઘાત અને આશ્રય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આપના જ મત ક્ષેત્રના એટલે કે, પોરબંદર અનેજૂનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય તો અસહ્ય ટોલટેક્સ ભરવો પડે છે.


જે સરાસર અન્યાય છે. સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે, જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, અને સુરેન્દ્રનગર જીલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા, રાજ્યકક્ષાએ જતી વેળાએ ટોલટેક્ષનો માર પડતો નથી.


દુખની વાત એ છે કે આ ઓરમાયુ વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવમાં આવી રહ્યું છે. તે પણ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પોરબંદર મત વિસ્તારમાં પણ છે. આપતો ત્યાં હોદા ઉપર બીરાજો છો તેવા સંજોગોમાં સમસ્યાનો હલ તુરત કરવા આપ સમર્થ છો તેથી હાલ સ્થાનિક લોકો આ સમસ્યાને લઈને અત્યંત રોષ તથા પીડા જોઈને આપનું આ મુદ્દા માટે ધ્યાન દોરવા પુરાયો છે. સામાન્ય નાગરિક રોજબરોજ પોતાની સમસ્યાની રજૂઆત કરવા જેવી પાયાની બાબતો માટે પણ કેટલો અન્યાય ટોલટેક્ષના સ્વરૂપમાં સહન કરે છે. તે આ સાથે ટોલટેક્ષના આંકડા છે.

અમરેલી

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

Published

on

By

અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા રહેતી એક સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે કૌટુંબિક ભાઇએ જ એકલતાનો લાભ લઇ છરી બતાવી નદીના પટમા લઇ જઇ દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી આપતા આ બારામા તેની સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.


સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગર વિસ્તારમા નદીના પટમા બની હતી. અહી રહેતી એક સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ઼ હતુ કે તે બિમાર હોય મજુરીકામે ગઇ ન હતી અને ઘરે એકલી હતી ત્યારે તેના મોટાબાપુના દીકરા ભાઇ અબ્દુલ દિનમહમદ ઝુણેજા તેના ઘરે આવ્યો હતો.આ શખ્સે તેને છરી બતાવી બળજબરીપુર્વક સાથે લઇ ગયો હતો. આ શખ્સે નદીના પટમા તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવની વધુ તપાસ પીઆઇ કે.બી.જાડેજા ચલાવી રહ્યાં છે.

Continue Reading

ગુજરાત

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

Published

on

By

તાલુકાના મીઠી રોહર નજીક ઓવર બ્રિજ પાસે આવેલા ભંગારના વાડામાં પોલીસે કાર્યવાહી કરી વિદેશથી આવેલા 2 ટન જેટલા ફૂટેલા કાર્ટીસ જપ્ત કર્યા હતા. પૂર્વ કચ્છ એસ.ઓ.જી ટીમ ગત તા.14/9ના ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદના તહેવારો અંતર્ગત પેટ્રોલીંગમાં હતી આ ટીમ ગાંધીધામ ભચાઉ ધોરીમાર્ગ ઉપર મીઠી રોહર નજીકના ઓવરબ્રિજ પાસે પહોંચી હતી. દરમ્યાન મીઠી રોહર સીમ સર્વે નંબર 554/5માં આવેલ સાક્ષી ઈમ્પેક્ષ નામની કંપનીમાં વિદેશથી આયાત કરેલા ક્રેપ (ભંગાર)માં આધુનિક હથીયારમાં ઉપયોગમાં લેવામાં આવતા કાર્ટીઝ આવેલા છે અને મોટી માત્રામાં છે.

કંપનીના સંચાલક હરિઓમ સુભાષચંદ્ર શુક્લા અને પ્રદિપ યદુનાથ પાન્ડેએ યમનથી ભંગારના ક્ધટેઈનર મંગાવ્યા હતા જેમાં આ વસ્તુ આવી ગઈ હતી. પોલીસે અહીં તપાસ કરતા અહીં 2 ટન ભંગારમાં ઓટોમેટીક અને મોટા હથીયારનો ગોળીના કેટલા ભાગ, ખાલી કેસ વગેરે મળી આવ્યું હતું. જુની થઈ ગયેલી ફૂટેલી આ ગોળીઓ ઉપર લખાણ પણ બરોબર વંચાતું ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બે ટનમાંથી એકેય જીવંત કાર્ટીઝ મળ્યા નથી. તેમજ મળેલા કાર્ટીઝને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પી.આઈ. ડી.ડી. ઝાલાએ જણાવ્યું હતું. આ શહેર અને સંકુલમાં આવેલા અમુક શંકાસ્પદ ભંગારના વાડાઓની તપાસ હાથ ધરવામાં આવે તો અનેક શંકાસ્પદ વસ્તુઓ મળે તેમ છે. પરંતુ આવું કરાતું નથી.

તે પણ હકીકત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ અહીં કંડલા બંદરે પણ વિસ્ફોટક વસ્તુઓ આવી ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ઈફકો (ઉદયનગર) વસાહતમાંથી રોકેટ લોન્ચરનો ફૂટેલો સેલ મળ્યો હતો. ડીપીએ પ્રસાશનીક કચેરી પાછળ બાવળની ઝાડીમાંથી પણ આવા સેલ મળ્યા હતા. ભંગારના વાડાઓમાં વસ્તુઓ તોડતી વખતે બ્લાસ્ટ થવાના બનાવો પણ અહીં બની ચૂક્યા છે. ત્યારે ખરેખર આવા અમુક વાડાઓમાં નિતિમત્તાથી તપાસની જરૂૂરીયાત હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Continue Reading

ગુજરાત

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

Published

on

By

રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા છે. જેમાં રાજકોટમાં રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા તાલાળાના ખીરધર ગામના પ્રૌઢા સહિત ત્રણ વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, તાલાળા તાલુકાના ખીરધર ગામે રહેતા કવીબેન પીઠાભાઈ કેશવાળા નામના 56 વર્ષના પ્રૌઢા ગત શનિવારના રોજ રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક કવિબેન કેશાવાળાને સંતાનમાં બે પુત્ર છે અને રણછોડદાસ બાપુના આશ્રમ ખાતે કેમ્પમાં આંખનું ઓપરેશન કરાવવા આવ્યા હતાં તે દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.


બીજા બનાવમાં રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા રામવતીબેન બનવારી ભગત (ઉ.42) પોતાના ઘરે હતા ત્યારે હૃદયરોગનોં હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


ત્રીજા બનાવમાં કલ્યાણપુરના નંદાળા ગામે રહેતા રમણલાલ પુંજાભાઈ મકવાણા (ઉ.61)ને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે ખંભાળીયા બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં વૃધ્ધાનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading
અમરેલી1 min ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત3 mins ago

કચ્છની કંપનીમાંથી બે ટન કાર્ટિસ મળ્યા

રાષ્ટ્રીય4 mins ago

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

ગુજરાત6 mins ago

રાજકોટમાં નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલા પ્રૌઢા સહિત ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત

ગુજરાત8 mins ago

લાલપુર ચોકડી પાસે માનસિક અસ્વસ્થ યુવકનો ડમ્પર હેઠળ ઝંપલાવી આપઘાત

ક્રાઇમ12 mins ago

ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ

ગુજરાત14 mins ago

ભાજપના નેતાઓના વન ટુ વન ક્લાસ લેતા મોદી

ગુજરાત15 mins ago

જાણીતા તબીબનાં યુવાન પુત્રનું બીમારીના કારણે મોત

ગુજરાત18 mins ago

સોહમનગરમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

Uncategorized20 mins ago

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

રાષ્ટ્રીય23 hours ago

ઈદ મિલાદ ઉન નબી પર કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતર્યા, જુઓ વિડીયો

રાષ્ટ્રીય24 hours ago

VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવાના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, મોતના ડરથી ભાગતા જોવા મળ્યા

રાષ્ટ્રીય1 day ago

‘રાઈડ ઓફ પ્રાઈડ’ ગણાતી બુલેટનું પહેલાના સમયની કિંમત જાણો, બિલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાત19 hours ago

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી

ગુજરાત19 hours ago

મનપા દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશનો કાલથી પ્રારંભ

રાષ્ટ્રીય1 day ago

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે નવી ઊંચાઈ હાસલ કરી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ, સ્મોલકેપ-મીડકેપ શેર્સમાં પણ તેજી

રાષ્ટ્રીય20 hours ago

બજાજના આઈપીઓમાં એકના ડબલ, રૂા.14,980 સામે 17,120ની કમાણી

ધાર્મિક18 hours ago

ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે

ગુજરાત19 hours ago

રીબડા ગુરુકુળના ડ્રાઈવરે પીધેલી હાલતમાં બસ હંકારી છાત્રોના જીવ જોખમમાં મૂકયા

મનોરંજન19 hours ago

અક્ષય કુમારને ‘હેરા ફેરી 3’ બનાવવા માટે ડિરેક્ટરે પાડી ના, જાણો શું મૂકી શરત

Trending