ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર

ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…


ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં પી.એસ.આઈ. આર.આર. ઝરૂૂ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગોંડલના ભગવતી પરાના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા તથા કડિયા કામ કરતા ભરત દામજીભાઈ મારુ (ઉ.વ. 53) નામના શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *