Connect with us

ગુજરાત

રાજ્યના 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 5.20 ઇંચ

Published

on

60 તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડયો, જામનગર જિલ્લામાં વીજળી પડતાં ત્રણનાં મોત

ગુજરાતમાં ધીરેધીરે ચોમાસુ જામી રહ્યું હોય તેમ આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના કુલ 162 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી સવા પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજયમાં લગભગ 60 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજયના 6 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ પડયો છે. આ વરસાદના કારણે ચોમાસુ વાવેતર થયુ હોય તેવા વિસ્તારોમાં ભારે ફાયદો થયો છે.


સૌથી વધુ રાજકોટના લોધીકામાં માત્ર 4 જ કલાકમાં 5.20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં માત્ર 2 કલાકમાં 4 ઈંચ અને બનાસકાંઠાનાં ભાભરમાં 3.40 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ જામનગરમાં વિજળી પડતાં 1 મહિલા સહિત કુલ ત્રણ જણના મોત નિપજ્યાં હતાં.


મંગળવારે બપોરનાં 2 વાગ્યા પછી રાજ્યના જુદા જુદા તાલુકાઓમાં ભારે વરસાદ પડવાનો શરૂૂ થયો હતો. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો, રાજકોટના લોધીકા તાલુકામાં બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીના બે કલાકમાં 4 ઈંચ અને કુલ 4 કલાકમાં 5.20 ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય ધોરાજીમાં 3.20 ઈંચ, જામકંડોરણામાં 2.20 ઈંચ, ગોંડલમાં 1.64 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં 4 ઈંચ, તાલાલામાં 1.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના લાઠીમાં 3.48 ઈંચ, બગસરામાં 2.76 ઈંચ, જુનાગઢનાં વિસાવદરમાં 2.12, મેંદરડામાં 2.10 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાનાં ભાભરમાં 2 કલાકમાં 3.40 ઈંચ, પાટણના રાધનપુરમાં 1.68 ઈંચ તેમજ કચ્છનાં નખત્રણામાં 2.56 ઈંચ, અબડાસામાં 2 ઈંચ અને ભચાઉમાં 1.52 ઈંચ વરસાદ પડયો હતો.


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે ગઈકાલે સવારથી સૌરાષ્ટ્ર ઉપર સાઈક્લોનીક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમ સકિય બનતા મેઘરાજાએ અમિદ્રષ્ટિ દર્શાવી હતી. ગઈકાલે રાજકોટ જિલ્લાના લોધીકા પંથકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ચાર કલાકમાં વરસી ગયો હતો. તેમજ વેરાવળ-મેંદરડામાં પાંચ ઈંચ, માળિયા, લાઠી, ધોરાજી સહિતના તાલુકાઓમાં 4 ઈંચ તથા તાલાલા, મેંદરડામાં બે ઈંચ, ભાણવડ, વાંકાનેર, અમરેલી, બાબરા, કોડીનાર, કેશોદ, ઉપલેટા, માંગરોળ, લીલીયા, જોડિયા, ચોટીલા સહિતના પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસી જતાં નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. જેના લીધે સૌરાષ્ટ્રમાં અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. જ્યારે જામનગર જિલ્લાના બુટાવદર અને નરમાણામાં બે ખેડુતો ઉપર તેમજ દોઢિયામાં મહિલા ઉપર વિજળી પડતા ત્રણેય વ્યક્તિના મોત નિપજ્યા હતાં. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ગઈકાલથી જમાવટ શરૂ કરતા સૌથી વધુ રાજકોટના લોધીકામાં વરસ્યો હતો. તેમજ વેરાવળ, વંથલી, માળિયા હાટીનામાં 4થી 4॥ અને અન્ય તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ વરસી જતાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. ઉભાપાક ઉપર સારો વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


વેરાવળ
ચાલુ વર્ષની સીઝનમાં મેઘરાજા વેરાવળ સોમનાથ શહેરથી રીસાયા હોય તેમ મનમુકીને વરસતા ન હોવાથી શહેરીજનો બફારાથી અકળાઈ ઉઠીને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમ્યાન આજે સાંજે છ વાગ્યા આસપાસ અચાનક જ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય શહેર પંથક ઉપર છવાઈ ગયેલ અને મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂૂ કર્યા બાદ એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. જેમાં એક કલાકમાં 103 મીમી (4 ઈંચ) વરસાદ વરસી જતા જોડીયા શહેરના અનેક રસ્તાઓ અને વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સાથે વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસરી ગઈ હતી.


આજે સાંજે એકાદ કલાકમાં પડેલ 4 ઈંચ જેટલા અનરાધાર વરસાદના પગલે બસ સ્ટેશન રોડ, સુભાષ રોડ, સટ્ટા બજાર, તપેશ્વર મંદિર રોડ, એમજી રોડ, અનેક સોસાયટી વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં અમુક સ્થળોએ ગટરો ઉભરાઈ જતા દુર્ગંધ મારતા ગંદા પાણી વરસાદી પાણી સાથે વહેતા થતા લોકો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. તંત્રએ લાખો રૂૂપીયાના ખર્ચે કરેલ ગટર સફાઈ જેવી પ્રીમોન્સૂનની કામગીરીની પણ સીઝનમાં પ્રથમ વખત પડેલ અનરાધાર વરસાદે પોલ ખોલી નાંખી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળતા હતા અને પ્રીમોન્સૂનની કામગીરી કાગળ પર જ કરી હોવાની વાતો લોકો કરી રહ્યા હતા.


આજે પડેલા ભારે વરસાદના પગેલ શહેરની મુખ્ય સટ્ટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ અને લોહાણા હોસ્પીટલ રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાયા જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા હતા. આ બજારમાં આવેલ તપેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ઘુસી જતા લોકોમાં રોષ વ્યાપેલ હતો. મંદિરમાં ભગવાન ગંદા પાણીમાં હોવાના દ્રશ્યો નિહાળી સૌ તંત્ર ઉપર રોષની લાગણી વરસાવી રહ્યા હતા.
ગીર સોમનાથ જીલ્લામાં સવાર 6 થી રાત્રે 8 સુધીમાં ગીરગઢડામાં 20 મી.મી. (એક ઇચ), તાલાલામાં 54 મી.મી. (બે ઇચ), વેરાવળમાં 114 મી.મી. (ચાર ઇચ), સુત્રાપાડામાં 30 મી.મી. (એક ઇચ), કોડીનારમાં 14 મી.મી. (અડધો ઇચ), ઉનામાં 23 મી.મી. (એક ઇચ) વરસાદ વરસ્યો હોવાનું નોંધાયેલ છે.


બગસરા
બગસરામાં ઘણા દિવસના વિરામ બાદ આજે સવારથી સાંજ સુધીમાં ત્રણ ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અસહ્ય બફારા બાદ આજે સવારથી જ ધીમીધારે વરસાદ પડવાની શરૂૂઆત થઈ ગઈ હતી ત્યારે બપોર બાદ ફક્ત બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી જ્યારે નીચાણ વાળા વિસ્તાર જેવા કે કુકાવાવ નાકા થી પોલિશ સ્ટેશન સુધી ગોઠણ ડૂબ પાણી ભરાય ગયા હતા જેના હિસાબે વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ગોંડલીયા ચોક શાકમાર્કેટ ખાડીયા વિસ્તાર સહિત નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.


માણાવદર
માણાવદર પંથકમાં અતિભારે વરસાદના રાઉન્ડ બાદ વિરામ લીધો હતો. આજે સાંજે 7:30 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ 8 વાગ્યે જોરદાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના પગલે વાવણી કરી દીધી ખેડુતોએ ઉપર આજે સાંજે વરસાદ શરૂ થતાં ફાયદો છે. હાલ ભારે વરસાદ ચાલુ છે. જેથી આજની ભારે ગરમી ઉકળાટમાં લોકો રાહત અનુભવી રહ્યા છે.


ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. તળાજા શહેરમા ગગન ગાજવાના અવાજ સાથે અચાનક પધરામણી થઈ હતી.સવા કલાક જેટલો સમય મધ્યમ ધારે વરસાદ વરસતા તંત્ર એ 24 મીમી વરસાદ વરસ્યા નું જણાવ્યું હતુ. મૌસમ નો કુલ 168 (સાડા છ ઇંચ) મીમી વરસાદ નોંધાયો છે.વરસાદ ના પગલે શિવાજી નગર,વાવચોક જવાના રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.વધુ વરસાદ વરસ્યો હોત તો ગોઠણ ના બદલે કમર સુધી પાણી ભરાયા હોત.

શહેર થી વધુ વરસાદ દરિયા પટ્ટી ના ભાખલ અલંગ સોસિયા ધારડી બપાડા પીપરલા સથરા દેવલી ગોરખી સરતાનપર દકાના ઝાંઝમેર સહિતના ગામડાઓમાં વરસ્યો હતો. અલંગ થી મળતા અહેવાલ મુજબ ત્યાં સવારના 5.30 થી વરસાદ નું આગમન થયુ હતું.ભાવનગર થી વહેલી સવારે અપડાઉન કરતા વેપારીઓ એ રાજપરા થી તળાજા તરફ વરસાદ છે. પીપરલા વિસ્તારમાં અને ઉપર વાસમાં વરસાદ ના પગલે મૌસમ ના પહેલા નીર આવતા લોકોએ ધસમસતા પાણીના પ્રવાહ સાથે સેલ્ફી ખેંચાવી ને આનંદ વ્યક્ત કર્યો હતો.


ગોંડલ
ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ બપોરબાદ અસહ્ય બફારા વચ્ચે વરસાદ શરૂ ગ્રામ્ય વિસ્તારમાં અનિડા ભાલોડી, વાસાવડ, ચરખડી સહિતના ગામોમાં વરસાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે પુન: મેઘસવારી આવી ચડી હતી. જેમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં નોંધપાત્ર સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના દોઢ અને ખંભાળિયા તાલુકામાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે એકાદ સપ્તાહની વરસાદી બ્રેક બાદ ગઈકાલે મંગળવારે વાતાવરણ પલટાયું હતું. જેમાં ખાસ કરીને ખંભાળિયા શહેરમાં ગત સાંજે સાડા ચાર વાગ્યે વંટોળિયો પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.

આટલું જ નહીં, વજનમાં હલકી ચીજ વસ્તુઓ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી. મંગળવારે સાંજે ખંભાળિયા – ભાણવડ પટ્ટીના માંઝા, ભટ્ટગામ, લલિયા, તથીયા વિગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ગામોમાં બે થી ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા ઠેર ઠેર પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. ખંભાળિયા શહેરમાં તેજ ફૂંકાયેલા પવન તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા ઝાપટાથી વાતાવરણ ઠંડુ બની રહ્યું હતું. ભારે પવનના પગલે શહેરનાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લો વોલ્ટેજના પ્રશ્નો પણ ખાડા થયા હતા. આ પછી ગતરાત્રે આશરે દસેક વાગ્યે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા ગતરાત્રિ સુધીમાં કુલ 19 મીલીમીટર વરસાદ પડી ગયો હતો. ઘી ડેમમાં નવા નીરની ધીમી આવક શરૂૂ થઈ હતી.

14 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી, વહીવટી તંત્રને એલર્ટ કરાયું
રાહત કમિશનર જેનું દેવનના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં આઇએમડીના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી તથા આગામી તા.14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી. રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીશ્રીઓને માર્ગદર્શન તથા જરૂૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીશ્રીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.

વીજળી પડતા એક મહિલા સહિત 3નાં મોત, એક યુવક ગંભીર

ગઈકાલે સૌરાષ્ટ્રમાં વરસાદના પગલે વિજળી પડવાની અનેક ઘટનાઓ બની હતી. જેમાં જામજોધપુરના નરમાણા ગામે યુવાન ખેડુત ઉપર વિજળી પડતા ગંભીર રીતે દાઝી જવાથી તેનું મોત નિપજ્યું હતું. તેમજ બુટાવદર મા ગઈકાલે સાંજે મેઘરાજા એ ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીમાં ઘોડાપુર આવેલ વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્ચે બુટાવદર ના રાજપૂત ખેડૂત કિરીટસિંહ ઝાલા પોતાના ઘરની અગાસી પરથી ઉતરી રહ્યા હતા ત્યાંજ કાળરૂૂપી વીજળી તેમની માથે પડતા સારવાર દરમિયાન મોત નિપજેલ અને જામનગરના દોઢિયા ગામે મહિલા ઉપર વિજળી ત્રાંટકતા તેનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. તેમજ તેની સાથે રહેલ યુવાન ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ગુજરાત

દુષ્કર્મ કેસમાં આજીવન સજાનો હુકમ રદ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

Published

on

By

રાજકોટ જિલ્લાના બેડી ગામની સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીઅપરણ કરીને દુષ્કર્મા આચાર્યના ગુનામાં પોક્સો અદાલતે આરોપોને આજીવન કેદની સજાનો હુકમ ફરમાવેલો જે હુકમથી નારાજ થઈ હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સજાનો હુકમ સસ્પેન્ડ કરી આરોપીને જામીન પર મુકત કરતો હાઇકોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે 16 વર્ષની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મા આચર્યાની ભોગ બનનારની માતાએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ મેહુલ મહેશભાઈ લાઠીયાની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં સગીરાને બેડી માકેટિંગ યાર્ડમાં કામ કરતી હતી ત્યાં સામે મેડીકલમાં નોકરી કરતા મેહુલ મહેશભાઈ લાઠીયા સાથે પ્રેમ સબંધ હોય જેથી આરોપી સગીરાને પોતાની સાથે દ્વારકા, સુરત, જુનાગઢ, બગદાણા મુકામે લઈ ગયેલ હોય ત્યાં ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધ્યાની કબુલાત આપી હતી.

તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવતા જે કેસ ચાલવા ઉપર આવતા પોકસો અદાલતના જજ જે.ડી. સુથારે ફરમાવેલા આજીવન કેદની સજાના હુકમ સામે આરોપી મેહુલ લાઠીયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં ભોગબનનારના જન્મના પ્રમાણપત્ર નીચેની કોર્ટે પુરાવાના મુલ્યાંકન કરવામાં ભુલ કરેલ હોય ફરીયાદપક્ષે ભોગ બનનારના જન્મ અંગેનો કોઈ સચોટ આધાર પુરાવો રજુ કરેલ ન હોય અને માત્ર સ્કૂલના બોનાફાઈડ સર્ટીફીકેટના આધાર પર કેસ ચાલેલ હોય તેમજ ફરીયાદપક્ષે ભોગ બનનારના જન્મનું પ્રમાણપત્ર રજુ કરેલ ન હોય તેને અનુરૂૂપ ભોગબનનારની ઉંમર અંગે કોઈ ઓથોરાઈઝ અધિકારીને તપાસેલા ન હોયતમામ વિગતો એકસરખી પેનથી લખાવામાં આવેલ હોય અને ભોગબનનારનું નામ કેસના નામથી અલગ હોય તેની નીચે કોઈએ અન્ય પેનથી ભોગબનનારનું નામ લખેલાનું જણાય આવતું હોય જે બચાવપક્ષે રજુ કરેલું અને તેને અનુરૂૂપ બેડી ગામ પંચાયતના તલાટીમંત્રીને પોતાના બચાવ માટે તપાસવા અરજી આપેલી જે મંજુર થતા બેડી ગામ પંચાયતના તલાટી મંત્રી સરકારી રેકર્ડ સાથે કોર્ટમાં બચાવપક્ષે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રનું રેકર્ડ કોર્ટમાં રજુ કરેલું પોકસો કેસમાં જણાવેલ નામથી વિપરીત હોય જે હકીકત રેકર્ડ પર આવતા બચાવ પક્ષે ભોગ બનનારનું બોગસ બોનાફાઈડ સર્ટીફીકેટ રજુ કરેલાનું બચાવ લીધેલ જયારે ભોગબનનારની ઉંમર અંગે કોઈ સચોટ પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય ત્યારે આરોપીને પોકસો અદાલતે જન્મના પ્રમાણપત્રનો પુરાવો રેકર્ડ પર આવેલ ન હોવા છતાં કાયદાની જોગવાઈઓથી વિરૂૂધ્ધ જઈ અને પુરાવાના અવલોકન કરવામાં ગંભીર પ્રકારની ભૂલ કરેલ હોય તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે ડીવીઝન બેન્ચે આરોપી સામે પોકસોના ગુન્હામાં થયેલી આજીવન કેદની સજાનો હુકમ સસ્પેન્ડ કરી તાત્કાલીક અસરથી આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કેસમાં કોર્ટે પોતાના આખરી હુકમમાં બચાવપક્ષ તરફથી રજુ કરવામાં આવેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈએ ચેડા કરેલા હોય અને અસલ સરકારી રેકર્ડમાં કોણે ક્યારે અને શા માટે ચેડા કરેલા તે અંગે જીલ્લા અદાલતના રજીસ્ટારને દિવસ-2 માં સંભવીત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરેલો જેના અનુસંધાને ગાંધીગ્રામ-2 (મુનિ.) પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુન્હો નોંધાવામાં આવેલો જેની તપાસ હાલ ચાલુ છે.
આ કેસમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા , હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.

Continue Reading

ગુજરાત

અગ્નિકાંડ: જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે ATPનો જેલવાસ લંબાયો

Published

on

By

ચારેય આરોપીએ જેલ મુકત થવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ અશોકસિંહ જાડેજા, આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી ઓપન કોર્ટેમાં નામંજુર થઈ હોવાનું કોર્ટે ઈશારો કરી અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ 28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ જેલ મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલ હવાલે રહેલા ચારેય આરોપીઓએ કરેલી જામીન અરજી આજે કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે ચારેય આરોપીઓના સંબંધીઓ કોર્ટમાં હાજર હતાં તે દરમિયાન ઓપન કોર્ટમાં ચારેય આરોપીઓને જામીન અરજી નામંજુર થયાનો ઈશારો કરી ચારેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.


આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

ટીઆરપીની જગ્યાના માલિક અશોકસિંહનું જુઠાણું પકડાયું
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા જમીન માલિક અશોકસિંહ જાડેજાએ જેલ મુકત થવા જામીન અરજી કરી હતી. જમીન માલિક અશોકસિંહ જાડેજાએ તપાસ દરમિયાન તેઓને છેલ્લા ચાર માસથી 100 ટકા દેખાતું બંધ થઈ ગયું છે તેવું જણાવ્યું હતું. પરંતુ આ પહેલા અશોકસિંહ જાડેજાએ રેસ-વે એન્ટરપ્રાઈઝની ભાગીદારી પેઢી તેમજ ધવલ કોર્પોરેશન સાથે થયેલ ભાગીદારી કરાર વગેરે દસ્તાવેજોમાં પોતે નોટરી રૂબરૂ સહી કરેલ છે. જેથી તે સમયે તેને દેખાતું હોવાનું સ્પષ્ટ થાય છે. જેથી જમીન માલિક અશોકસિંહ જાડેજાનું 100 ટકા દેખાતું નહીં હોવાનું જુઠાણું બહાર આવ્યું છે.

ફાયર વિભાગનાં ઈલેશ ખેરની વરવી ભૂમિકા
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ફાયરને લગતાં કાયદા, નિયમો, રેગ્યુલેશનમાં જવાબદારી નક્કી કરવામાં આવેલી છે. તેમજ લાયસન્સ શાખા પોલીસ કમિશનરની કચેરી દ્વારા રેસ-વે એન્ટરપ્રાઈઝના બુકીંગ લાયસન્સની નકલ ચીફ ફાયર ઓફિસર તરફ મોકલેલ છે. તેમજ તેઓ દ્વારા આ બુકીંગ લાયસન્સની નકલ પર સહી કરી ડેપ્યુટી ચીફ ફાયર તરફ માર્ક કરેલ છે પરંતુ કોઈ કાર્યવાહી કરવા સુચના આપેલ નથી. જેથી ટીઆરપી ગેમઝોનના લાયસન્સની નકલ પણ તેઓને મળેલ હોવા છતાં તેઓ તરફથી આ ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફટીના પુરતા સાધનો રાખવા માટે કોઈ કાર્યવાહી નહીં કરી ફરજમાં બેદરકારી દાખવી ગુનો કર્યો છે.

ATP રાજેશ મકવાણા ગેમ ઝોન તોડવા જ ન ગયા!
ચકચારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં હાલ જેલ હવાલે રહેલા આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ જેલ મુકત થવા અદાલતમાં જામીન અરજી કરવામાં આવી હતી. આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાએ ગૌતમ જોશી સાથે મળી કૌભાંડ આચર્યુ હતું અને બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની અગાઉ આવેલી ફાઈલોમાં છેડછાડ કરી ફાઈલો ઈનવર્ડ કરી હતી અને જુના જાવક રજીસ્ટર સળગાવી નવું જાવક રજીસ્ટર પત્ર બનાવવામાં ગૌતમ જોશીને મદદ કરી હતી અને ગેમઝોન ગેરકાયદેસર ધમધમતું હોવા છતાં તોડવા ન ગયા હોવાથી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણાનો રોલ પણ અગ્નિકાંડમાં મહત્વનો માનવામાં આવે છે.

ટી.પી.વિભાગના ગૌતમ જોષીએ નકલી રજિસ્ટર બનાવ્યું!
અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપી આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશીએ ટીઆરપી ગેમઝોનની જગ્યાના બાંધકામની અશોકસિંહ જાડેજા સહિતનાની ઈમ્પેકટ ફાઈલ મંજુર કરવાની અરજી અગ્નિકાંડની ઘટના સુધી ઈનવર્ડ થઈ ન હતી. જે ટીઆરપી ગેમઝોનના ગેરકાયદેસર બાંધકામના ઈમ્પેકટ પ્લાન મંજુર કરવા માટેની ફાઈલ તા.4-5-2024માં ઈનવર્ડ નંબર 2739 તથા 2740માં ફાલ્ગુની સંજયભાઈ કારીયાની બે ફાઈલોની એન્ટ્રી હોય તેમાં ઈનવર્ડ નંબર 2740માં અવતરણ ચિન્હ હતાં ત્યાં અશોકસિંહ જાડેજાની અરજીની નામ તથા વિગતમાં છુપાઈ જાય તે રીતે રજીસ્ટરમાં ચેડા કરી તે ફાઈલ ઈનવર્ડ કરી તેમજ જાવક રજીસ્ટરમાં જગ્યા ન હોવાથી તે જાવક રજીસ્ટર નવું બનાવી મોટી ભુમિકા ભજવી હતી.

Continue Reading

ગુજરાત

ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર

Published

on

By


રાજકોટના 24 થી વધુ લોકો સાથે ચારધામ યાત્રાના નામે હરીદ્વારના ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલી છેતરપીંડીના કેસમાં આરોપી એજન્ટને જામીન પર મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.રાજકોટમાં વસવાટ કરતા નિવૃત સરકારી કર્મચારી પ્રદીપભાઈ ઉપેનાભાઈ રાવલે પરીવાર સાથે ચારધામ યાત્રા પર જવા માટે ઓનલાઈન ચારધામ યાત્રા પેકેજ સર્ચ કરતા અતિથિ ટ્રીપ હોલિડેઝ નામની ટુર્સ કંપની જોવા મળેલી અને જેમાં આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીના મોબાઈલ નંબર પર સંપર્ક કરતા કુલ 26 લોકોનું પેકેજ કોસ્ટ રૂૂ.7.80 લાખ જણાવેલ અને ફરીયાદીએ કટકે કટકે અતિથિ ટ્રીપ હોલિડેઝના માલિક પ્રવિણકુમાર શર્માના ખાતામાં ઓનલાઈન રૂૂ.6,66,999 ટ્રાન્સફર કરી આપ્યા હતા.

અને આરોપીએ ફરીયાદીને તા. 21/009/2023 થી તા.10/10/2023 નું પેકેજ આપવાનું જણાવેલ હતું. ફરીયાદી તેમના મિત્રો અને પરીવાર સાથે તા. 21/09/2023 ના રોજ હરીદ્વાર ખાતે પહોંચેલા અને ત્યાં એમની ફરિયાદ મુજબ કોઈ પેકેજ મળેલું નહીં અને આરોપીનો સંપર્ક કરતા આરોપીનો મોબાઈલ બંધ આવેલો જેથી ફરીયાદી કનખલ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવવા જતા એમની ફરીયાદ લેવામાં આવેલ નહીં જેથી ફરીયાદીએ રાજકોટ આવી સાયબર ક્રાઈમમાં આરોપી વિરુદ્ધ ઓનલાઈન ખોટી જાહેરાત મૂકીને ચારધામ યાત્રાનું પેકેજ આપવાનું જણાવીને રૂૂ.6,66,999 ઓનલાઈન મેળવી છેતરપિંડી આચર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હરીદ્વાર ખાતેથી આરોપી પ્રવિણકુમાર સમકુમાર શમીની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપીએ જામીન મુક્ત થવા પોતાના એડવોકેટ મારફતે હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી પ્રવિણકુમાર રામકુમાર શર્માને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપી વતી હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલિયા, રાજકોટના યુવા એડવોકેટ રવિરાજસિંહ વિ. રાહોડ, અશ્વિન ડી. પાડલિયા, ભાર્ગવ ડી. બોડા, આસિસ્ટન્ટ તરીકે યશરાજસિંહ જાડેજા અને યોગેશ જાદવ રોકાયા હતા.

Continue Reading
ગુજરાત9 hours ago

દુષ્કર્મ કેસમાં આજીવન સજાનો હુકમ રદ કરી આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

ગુજરાત9 hours ago

અગ્નિકાંડ: જમીન માલિક, આસિ.ફાયર ઓફિસર અને બે ATPનો જેલવાસ લંબાયો

રાષ્ટ્રીય9 hours ago

ભાજપ બિન જાટ, કોંગ્રેસ જાટ પર નિર્ભર: દલિતો કિંગ મેકર

રાષ્ટ્રીય9 hours ago

કાનપુરમાં ફરી ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી સિલિન્ડર મળ્યું

આંતરરાષ્ટ્રીય9 hours ago

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ

રાષ્ટ્રીય9 hours ago

કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે

ગુજરાત9 hours ago

ચારધામ યાત્રાના નામે છેતરપિંડી આચરવાના કેસમાં હરિદ્વારના ટ્રાવેલ એજન્ટના જામીન મંજૂર

ગુજરાત9 hours ago

રાજકોટ જિલ્લા દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર 1103 કરોડ નોંધાયું

ગુજરાત10 hours ago

ટીપી શાખાએ 2500 ચો.મી. જમીન ખુલ્લી કરાવી

ગુજરાત10 hours ago

દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન

રાષ્ટ્રીય13 hours ago

શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

ક્રાઇમ10 hours ago

સાવરકુંડલા તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી ઉપર ખડસલીમાં ખૂની હુમલો

આંતરરાષ્ટ્રીય9 hours ago

સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવા પહોંચ્યું સ્પેસ એકસ ડ્રેગન કેપ્સ્યુલ

રાષ્ટ્રીય11 hours ago

શેરબજારમાં ભાદરવે ભૂકંપ: સેન્સેક્સમાં 1308 અને નિફ્ટીમાં 382 પોઈન્ટનું ગાબડું

ક્રાઇમ16 hours ago

હાયરે કળયુગ..!! કપાતર પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી, પોલીસે કરી આરોપીઓની ધરપકડ

ગુજરાત10 hours ago

ગોંડલ ગણેશની જામીન અરજીની સુનાવણીમાં તા.4 ઓકટોબરની મુદત

ગુજરાત10 hours ago

દાહોદમાં બાળકીની હત્યાના વિરોધમાં છાત્ર-આપનું પ્રદર્શન

રાષ્ટ્રીય9 hours ago

કરદાતાઓ આનંદો, જૂના જીએસટી લેણા પર વ્યાજ અને દંડ ચૂકવવો નહીં પડે

ધાર્મિક10 hours ago

બુધવારે અમાસના દિવસે પિતૃઓને મોક્ષ ગતિ આપતો ગજછાયા યોગ

ગુજરાત10 hours ago

રાજકોટ જિલ્લામાં દિવાળી પહેલાં સરકારી જમીનો પર મેગા ડિમોલિશન

Trending